Author: garvigujrat

બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા; ૪૫૨ મત મળ્યા.સી.પી રાધાકૃષ્ણન બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ.તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે.ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણને શાનદાર વિજય મેળવ્યો છે. NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન કુલ ૪૫૨ મતો સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૭૬૭ સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન ૭૫૨ મતો માન્ય ગણાયા હતા, જ્યારે ૧૫…

Read More

સોનાનો વાયદો રૂ.1,09,500ની નવી ટોચેઃ ચાંદીના વાયદામાં રૂ.246 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.48ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.22119 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100405 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18622 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25444 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.122526.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22119.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100405.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25444 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1338.74 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18622.96 કરોડનાં કામકાજ થયાં…

Read More

યુક્રેન યુદ્ધ પૂર્વે ભારત રશિયા પાસેથી બહું ઓઈલ ખરીદતું નહીં હોવાનો દાવા. રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદે છે તે બ્લડ મની છે: નવારોનો વધુ એક લવારા.યુ.એસ.ના કરદાતાઓ વધુ ખર્ચ કરી રહ્યા છે. ભારત સત્ય સહન કરી શકતું નથી અને ગેરમાર્ગે દોરી રહ્યું છે.ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ઓઈલથી અમેરિકાના પેટમાં ઉપડેલો દુ:ખાવો મટવાનું નામ નથી લઈ રહ્યો. રશિયન ઓઈલની ખરીદી બદલ ભારત પર ૫૦ ટકાનો જંગી ટેરિફ લાદ્યા પછી પણ અમેરિકાની પીડા ઓછી નથી થઈ રહી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વેપાર સલાહકાર પીટર નવારો વારંવાર આ મામલે એલફેલ નિવેદનો કરી રહ્યાં છે. નવારોએ આ મામલે કરેલાં વધુ…

Read More

ચીન-જાપાન સાથે ભારતની ધરી જાેઇ યુક્રેનના પ્રમુખે ચાલ બદલી.ભારત પર ટેરિફ લાદીને અમેરિકાએ બરોબર કર્યું છે: ઝેલેન્સ્કીનો યુ-ટર્ન.ભારત વિરોધી નિવેદનથી બંને દેશોના સંબધોમાં કડવાશ આવશે: અમેરિકાની ટેરિફ નીતિનું સમર્થન કર્યુ.યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં સૌ કોઈ શાંતિ ઝંખી રહ્યું છે, પરંતુ યુદ્ધવિરામના કોઈ સંકેત સાંપડી રહ્યા છે. આ મામલામાં પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરતા હતા. પરંતુ, શાંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની સમિટમાં રશિયા, ચીન અને ભારતની ત્રિપુટી જાેયા પછી ઝેલેન્સ્કી ખુલીને હવે અમેરિકાના સમર્થનમાં આવી ગયા છે. ઝેલેન્સ્કીએ પહેલીવાર ભારત અંગે એવુ નિવેદન આપ્યું છે કે જેનાથી બંને દેશોના કૂટનીતિક સંબંધોમાં કડવાશ લાવી દેશે. ઝેલેન્સ્કીએ અમેરિકાના…

Read More

સોશિયલ મીડિયા ફરી શરૂ થયા.૧૯ના મોત બાદ GEN-Zના વિરોધ સામે ઝૂકી નેપાળ સરકાર.નેપાળના સંચાર, સૂચના અને પ્રસારણ પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે સરકારની કેબિનેટ બેઠક બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો ર્નિણય પાછો ખેંચ્યો છે.ભારતના પાડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં હિંસક પ્રદર્શનોને કારણે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હજારોની સંખ્યામાં GEN-Z યુવાનો રાજધાની કાઠમંડુના માર્ગાે પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ છેક નેપાળના સંસદ ભવનના પરિસરમાં પહોંચી ગયા હતા અને ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા ફેંક્યા હતા.વિરોધ પ્રદર્શનમાં લગભગ ૧૯ યુવાનોના મોત બાદ હવે સરકાર ઝૂકી છે અને…

Read More

લંચ બોક્સ માટે આલુ કટલિયાંની સ્વાદિષ્ટ રેસીપી બનાવો. ઘણા લોકો બાળકોને તેમના સ્કૂલના ટિફિનમાં એવી વસ્તુઓ આપે છે જે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આજે અમે તમારા માટે બટાકાની રેસીપી લાવ્યા છીએ જે બાળકોના લંચ બોક્સમાં આપવા માટે ખૂબ જ સ્વસ્થ અને સ્વાદિષ્ટ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ બાળકો માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓ શોધતી હોય છે જે તેમના બાળકોને ખૂબ ગમશે. આજે અમે બાળકોના લંચ બોક્સમાં આપવા માટે આવી જ સ્વાદિષ્ટ બટાકાની રેસીપી લાવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું કે તમે ફક્ત 10 થી 15 મિનિટમાં બાળકો માટે આલૂ કટલિયાંની સ્વાદિષ્ટ રેસીપી કેવી રીતે તૈયાર કરી શકો છો.સામગ્રી :…

Read More

9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો…

Read More

આગામી વર્ષે ઈદ વખતે રજૂ કરાશે.અજય દેવગણની ફિલ્મ ધમાલ ફોરનું શૂટિંગ પૂર્ણ થયું. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા.અજય દેવગણની ફિલ્મ ‘ધમાલ ફોર’નું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યુું હોવાની નિર્માતા દ્વારા જાહેરાત કરાઈ છે. હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થયું છે. આવતાં વર્ષે ઈદ વખતે આ ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા છે. આ ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, સંજીદા શેખ સહિતના કેટલાય કલાકારોનો કાફલો તેમાં કામ કરી રહ્યો છે. ઈન્દ્ર કુમાર ઈરાનીએ…

Read More

ક્રિશ ૪’ પર કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે.‘ક્રિશ ૪’ ૨૦૨૭માં રિલીઝ કરવાનો રાકેશ રોશનનો સંકેત. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, રાકેશ રોશને તેમના રિતિક રોશનની ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે.જ્યારથી રાકેશ રોશને ખાતરી આપી કે ‘ક્રિશ ૪’ બનવા જઈ રહી છે, ત્યારથી ચાહકો ખુશ થઈ ગયાં છે. તાજેતરમાં, તેમણે ખુલાસો કર્યાે કે આ વખતે તેમનો દિકરો રિતિક રોશન ફિલ્મનું ડિરેક્શન કરવા જઈ રહ્યો છે. તેનાથી રિતિકના ચાહકો વધુ ઉત્સાહીત છે, સાથે હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે: શૂટિંગ ક્યારે શરૂ થશે?રાકેશ રોશને તેમના ૭૬મા જન્મદિવસ પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા, રાકેશ રોશને ‘ક્રિશ ૪’ વિશે એક અપડેટ શેર…

Read More

સંજયે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હતા.ડબલ મર્ડરના આરોપીએ જેલમાં સંજય દત્તના ગળા પર અસ્ત્રો મૂકી દીધો હતો. સંજય દત્તે જણાવ્યું કે જેલમાં હતા ત્યારે તેઓ ફર્નિચર અને કાગળની થેલીઓ પણ બનાવતા હતા, આ કામ માટે તેમને પગાર પણ મળતો હતો.સંજય દત્તે તાજેતરમાં તેના નજીકના મિત્ર સુનીલ શેટ્ટી સાથે શો ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સંજુ બાબાએ તેના જેલના દિવસો વિશે વાત કરી. ખરેખર સંજયે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. ૬૬ વર્ષીય સ્ટારે જેલના સળિયા પાછળની તેની ભયાનક વાર્તા જાહેર કરી. તે સાંભળીને બધા ચોંકી ગયા.શો દરમિયાન, સંજય દત્તે જણાવ્યું…

Read More