Author: garvigujrat

પેન્ટમાં આગ લાગી, પગ અને આંગળીઓ ગંભીર રીતે દાઝી ગઈ જાેધપુરમાં વેપારીના પેન્ટના ખિસ્સામાં ચાઈનીઝ મોબાઈલમાં વિસ્ફોટ થયો ઘટનાએ સ્માર્ટફોન વપરાશકર્તાઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે ફોનમાં બ્લાસ્ટ થવાના કોઈ અગાઉના સંકેત મળ્યા ન હતા દુનિયાભરમાં મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના વારંવાર બનતી રહી છે. રાજસ્થાનના જાેધપુરમાં એક કરિયાણાના વેપારીના પેન્ટના ખિસ્સામાં રાખેલો ચાઈનીઝ કંપનીનો મોબાઈલ અચાનક બોમ્બની જેમ ફાટ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં વેપારીના સાથળ અને હાથની આંગળીઓ ગંભીર રીતે દાઝી ગઈ છે.વેપારીએ જ્યારે પોતાની જાતને બચાવવા માટે ખિસ્સામાંથી સળગતો ફોન બહાર કાઢવાનો પ્રયાસ કર્યાે, ત્યારે તેમના હાથની આંગળીઓ પણ દાઝી ગઈ…

Read More

ગયા મહિને જાપાને પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી હતી જાપાન બાદ નેપાળે પણ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો કેરીના કેટલાંક જથ્થામાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારીત કરતાં વધારે હોવાના કારણે નિકાસ બંધ કરી ભારતીય કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને વિશ્વભરમાં લોકપ્રિય એવી ભારતીય કેરી માટે હાલનો સમય થોડો પડકારજનક જણાઈ રહ્યો છે. તાજેતરમાં જાપાન દ્વારા લેવામાં આવેલા કડક ર્નિણય બાદ, હવે પાડોશી દેશ નેપાળે પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી દીધી છે. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોને લઈને લેવામાં આવેલ આ ર્નિણયથી ભારતીય કેરીના નિકાસકારો અને બજાર પર અસર પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર,…

Read More

અમેરિકાના હુમલા બાદ ઈરાને કુવૈત, બહેરીન અને જાેર્ડનને મિસાઈલોથી હચમચાવ્યા અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે સીધી અને ખુલ્લી સૈન્ય અથડામણમાં ફેરવાઈ ગયો છે. અમેરિકન વાયુસેના અને નૌસેના દ્વારા કરવામાં આવેલા આક્રમક હુમલાના જવાબમાં હવે ઈરાને પણ ખાડી ક્ષેત્રમાં મોજુદ અમેરિકાના સૈન્ય મથકો પર જાેરદાર જવાબી હુમલા શરૂ કરી દીધા છે. તેણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને હચમચાવવાનું શરૂ કર્યું છે. બંને દેશોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. આ દરમિયાન જાેર્ડનમાં એફ૩૫ના હેંગરને પણ નષ્ટ કર્યાની માહિતી સામે આવી…

Read More

નેતન્યાહૂને રોકનારા ટ્રમ્પ પોતે જ આપો ગુમાવી બેઠા અપાચે હેલિકોપ્ટર નષ્ટ થયા બાદ અમેરિકાએ ઈરાન પર કર્યાે મોટો હુમલો અમેરિકન હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન સહિતના પ્રમુખ શહેરો અને સૈન્ય મથકો પર હાઈ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ભારે ફફડાટનો માહોલ છે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે મોટા સૈન્ય સંઘર્ષની આશંકા સેવાઈ રહી હતી, તે આખરે હકીકતમાં બદલાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીધી લશ્કરી કાર્યવાહીના આદેશ આપી દીધા છે, જેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગ ફરી એકવાર ભીષણ રીતે ભડકી ઉઠી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝ જળડમરૂમધ્ય) પાસે…

Read More

મોઢામાં છુપાવ્યા સોના-હીરાના દાગીના વડોદરાના માલાબાર ગોલ્ડ શોરૂમમાં મહિલા ચોરે ચોરી કરી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા : ચોરી પકડાતા જ મહિલા રડવા લાગી હતી ગુજરાતના વડોદરાના પોશ રેસકોર્સ વિસ્તારમાં આવેલા માલાબાર ગોલ્ડ શોરૂમમાં ચોરીની એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખરીદી કરવાના બહાને આવેલી એક હાઈપ્રોફાઈલ મહિલાએ સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાની કિંમતની સોના અને ડાયમંડની વીંટી તથા ઈયરરિંગ્સ (બુટ્ટી) ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મહિલાએ ચોરી કરેલા દાગીના પોતાના મોઢામાં છુપાવી દીધા હતા, જેથી કોઈને શંકા ન જાય. જાેકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાની…

Read More

ભાજપ સરકારનો મહત્ત્વનો ર્નિણય મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ મુખ્યમંત્રી મોહન યાદવે નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું મધ્ય પ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને તેના માટે લાયક ઉમેદવારો માટે મોટા ગૂડ ન્યૂઝ છે. હવે તેમણે બે બાળકોના નિયમનું પાલન નહીં કરવું પડશે. મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે આ નવા પ્રસ્તાવને પાછો ખેંચવાના આદેશ સાથે જૂના નિયમોને પણ ખતમ કરવા માટે કહ્યું છે. મુખ્યમંત્રી યાદવે સૂચિત સિવિલ સર્વિસીસ રૂલ્સના ડ્રાફ્ટમાંથી એ નિયમ હટાવવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત સરકારી નોકરીઓ માટે મહત્તમ બે બાળકોની મર્યાદા નક્કી કરવાની જાેગવાઈ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન…

Read More

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ૨૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં બાંગ્લાદેશ સફળ ત્રણ બેટર્સની ફિફ્ટી અને મોસાદ્દેક હુસૈનની ધમાકેદાર વાપસી : ઓસ્ટ્રેલિયાનું બેટિંગ લાઇનઅપ ધ્વસ્ત બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકાના મેદાન પર એક નવો ઇતિહાસ રચ્યો છે. ૯ જૂનના રોજ રમાયેલી વનડે મેચમાં બાંગ્લાદેશે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ૮૬ રનથી હરાવી દીધી છે. બાંગ્લાદેશ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે તેમણે ૨૧ વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશે વર્ષ ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં વરસાદ પડવાને કારણે ડકવર્થ લુઈસ (DLS) નિયમ મુજબ બાંગ્લાદેશને વિજેતા જાહેર…

Read More

દરરોજ ૨૦ હજારથી વધુ ટેન્કરોની માગ ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે વધતા તાપમાન, ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર ર્નિભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને ૨૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. સંકટની ગંભીરતાને કારણે ટેન્કરોની માગમાં મોટો વધારો નોંધાયો…

Read More

આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા જ્ર્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો(આશ્રમના બાળકો)ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મગુરુ સામે કરેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, ‘મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.‘ આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ…

Read More

કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો ૬ કિ.મી.નો રૂટ અમદાવાદ મેટ્રોના ફેઝ-2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ૬.૦૩૨ કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં ૫ નવા સ્ટેશનોનો સમાવેશ થશે અમદાવાદવાસીઓ અને સમગ્ર ગુજરાત માટે આજે એક ખુબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતના હિતમાં અને વિકાસને વેગ આપતા ત્રણ મોટા ર્નિણયો લીધા છે. આ ર્નિણયોથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની કાયાપલટ થવા જઈ રહી છે. જેમાં સૌથી મહત્વનો ર્નિણય અમદાવાદ મેટ્રોના વિસ્તારને લઈને લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત…

Read More