Author: Garvi Gujarat

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ.કંઈ શક્ય નથી જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન અંગે અલ્ટીમેટમ.કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ૧૦૦ ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય.સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જીપીસીબી (GPCB) અને સીપીસીબી(CPCB)ને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, નદી શુદ્ધિકરણ મામલે તમારા સોગંદનામામાં જે નથિંગ ઈઝ પોસિબલ (કંઈ પણ શક્ય નથી) જેવા વાક્યો લખ્યા છે તેને તાત્કાલિક હટાવી દો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે…

Read More

આમ આદમી પાર્ટીએ ગુમાવ્યા ‘ચાણક્ય’.એક સમયે ગુજરાતમાં AAP ના પ્રભારી રહેલા સંદીપ પાઠકે છોડી પાર્ટી.૧૦ વર્ષ પહેલા પાર્ટી સાથે હું જાેડાયો હતો અને આજે હું આમ આદમી પાર્ટીથી મારો રસ્તો અલગ કરી રહ્યો છું : સંદીપ પાઠક.આમઆદમી પાર્ટીમાં સૌથી મોટું ભંગાણ પડ્યું છે.રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે સંદીપ પાઠક એક સમયે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી હતા. આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૨૨ ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. કારણ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીની જીતના ચાણક્યનું ક્રેટિડ સંદીપ પાઠકને આપવામાં આવ્યું છે. સંદીપ પાઠકની કામગીરીથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ…

Read More

બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું.પૂર્વક કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં ૧૦૦% ફિટ નથી.તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે. : કોચ માઈકલ હસી.મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ-૧૧ની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું. આ બાબતે સ્પષ્ટતા કરતા બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ધોની હાલમાં ૧૦૦% ફિટ નથી. તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે…

Read More

૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ કાર્યવાહી કરાઈPaytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBI દ્વારા મોટી કાર્યવાહી.આ ર્નિણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં.ભારતીય રિઝર્વ બેંક દ્વારા આજ(૨૪ એપ્રિલ ૨૦૨૬) રોજ એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL)નું બેંકિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ર્નિણય બાદ હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક કોઈપણ પ્રકારની બેંકિંગ સેવાઓ કે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકશે નહીં. ઇમ્ૈં એ સ્પષ્ટ કર્યું છે કે શુક્રવાર, ૨૪ એપ્રિલના રોજ કામકાજના…

Read More

ભારતીય મુસાફરો માટે પ્રવાસ સરળ બનશે અને ખર્ચ પણ ઘટશે ફ્રાન્સમાં ભારતીયો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં ૧૦ એપ્રિલ ૨૦૨૬ની અસરથી ફ્રાન્સના યુરોપિયન પ્રદેશમાંથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવાસને હવે ફ્રેન્ચ સરકારે અમલી બનાવ્યો ફ્રાન્સે ભારતીયો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત દૂર કરી છે. અત્યાર સુધી ભારતીય મુસાફરોએ બીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મેળવવા માટે ફ્રાન્સમાં એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરવું પડે તેમ હોય તો એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા લેવા પડતાં હતાં. હવે ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઝોનમાંથી પસાર થતી વખતે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા મેળવવાની જરૂર રહેશે નહીં. ભારતીય મુસાફરો માટે પ્રવાસ સરળ બનશે અને ખર્ચ પણ ઘટશે.…

Read More

પ્રસિદ્ધ થયેલા આરબીઆઈ બુલેટિનમાં જણાવાયું પશ્ચિમ એશિયાનો તણાવ દેશના અર્થતંત્ર માટે પડકારજનક બની શકે: રિઝર્વ બેન્ક પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ખેંચાય અને સપ્લાય ચેઈન વહેલી તકે પુન:સ્થાપિત ન થાય તો અર્થતંત્રમાં દરેક સ્તરે વિપરિત અસરની શક્યતા છે પશ્ચિમ એશાયામાં સર્જાયેલો તણાવ દેશના અર્થતંત્ર માટે પડકારજનક બની રહ્યો હોવાનું સ્વીકારતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, તેનાથી દેશની સપ્લાય ચેઈનમાં અડચણો આવી શકે છે. ઊંચા ઈંધણ ખર્ચ, વધતા ઉત્પાદન ખર્ચ, વેપારમાં ખલેલ અને ફાઈનાન્સિયલ માર્કેટમાં અફરા-તફરીનો માહોલ ઘરેલુ અર્થતંત્રને પડકારજનક સ્થિતિમાં લાવી શકે છે. ગુરુવારે પ્રસિદ્ધ થયેલા આરબીઆઈ બુલેટિનમાં જણાવાયુ હતું કે, પશ્ચિમ એશિયામાં ઘેરુ બની રહેલું સંકટ વૈશ્વિક…

Read More

શું પીએમ માટે જવાબ માટે સમય હશે? : કોંગ્રેસ ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી US માં સંતાનનો જન્મ થતાં જ નાગરિકતા મળી જતી હોવાથી ચીન-ભારતના લોકો અહીં આવે છે ભારત સાથે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો શરૂ થઈ છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત દ્વેષ બહાર આવ્યો છે. ટ્રમ્પે એક જ દિવસમાં પોતાના નિવેદનાં યુ ટર્ન લઈને વિવાદ ટાળવા પ્રયાસ કર્યાે છે. ટ્રમ્પે ભારત અને ચીનને નર્કના દ્વાર ગણાવ્યા હતા. બાદમાં વિવાદ થતો જાેઈને ટ્રમ્પે ભારતને મહાન દેશ અને ખાસ મિત્ર તરીકે ઓળખાવી પ્રશંસા કરી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ…

Read More

મુઈજ્જુ સરકારને ૩૦ અબજ રૂપિયાની કરી મદદ સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું વર્ષ ૨૦૧૨માં આ ળેમવર્ક શરૂ થયા બાદ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને ૧.૧ અબજ ડૉલરથી વધુની આર્થિક સહાય પૂરી પાડી ચૂક્યું છે ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર મજબૂતી જાેવા મળી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારતે માલદીવ્સને મોટી રાહત આપતા ૩૦ અબજ રૂપિયા(અંદાજે ૪૦૦ મિલિયન ડૉલર)ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવ્સમાં આવેલી ભારત સરકારની એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્ત્વનું…

Read More

ટ્રમ્પની મધ્યસ્થતામાં લેવાયો ર્નિણય ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે સીઝફાયર ૩ અઠવાડિયા લંબાયું ટૂંક સમયમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ આઉન વ્હાઇટ હાઉસમાં રૂબરૂ મુલાકાત કરશે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી સફળતા મેળવી છે. વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના સીઝફાયરને વધુ ૩ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. આ શાંતિ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં સ્થિરતા લાવવાનો અને લેબેનોનને હિઝબુલ્લાહના ખતરાથી સુરક્ષિત રાખવાનો છે.ઓવલ ઓફિસમાં યોજાયેલી આ બેઠકમાં અમેરિકા વતી ટ્રમ્પ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સેક્રેટરી…

Read More

હજુ ઘણુ શૂટિંગ બાકી હોવાની કબૂલાત કાર્તિક-શ્રીલીલાની ફિલ્મનું હજુ ૪૫ દિવસનું જ શૂટિંગ પત્યું તાજેતરમાં આ ફિલ્મનાં શૂટિંગની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મ ‘તુ મેરી ઝિંદગી હૈ’નું શૂટિંગ હજુ અડધે જ પહોંચ્યું છે. આથી, આ ફિલ્મની રીલિઝમાં વિલંબ થાય તેવી સંભાવના છે. અનુરાગ બાસુએ કબુલ્યું હતું કે, આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પુરુ થઇ ગયું હોવાની વાત માત્ર અફવા છે. હજુ તો આ ફિલ્મનું શૂટિંગ પ્રારંભિક ચરણમાં જ છે. હજુ ફક્ત ૪૫ દિવસનું જ શૂટિંગ થયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ફિલ્મનાં…

Read More