- જામનગરના 9 વર્ષીય વિહાને 5289 મીટર ફ્રેન્ડશીપ પિક સર કરી ઇતિહાસ રચ્યો
- NEET-UG પુન:પરીક્ષા શાંતિપૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું ફિઝિક્સ-કેમેસ્ટ્રી અઘરું
- India-A ચેમ્પિયન: શ્રીલંકાને 66 રને હરાવી ટ્રાય સિરીઝ જીતી
- ઈરાન ડીલ નિષ્ફળ જશે તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ટોલ: ટ્રમ્પ
- ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટીમ જાહેર: બુમરાહની વાપસી, જયસ્વાલ બહાર
- NEET પરીક્ષાર્થીઓને તકલીફ ન પડે તે માટે મોદી 45 મિનિટ એરપોર્ટ પર રોકાયા
- નર્મદામાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો AAPમાં જોડાયા, ચૈતર વસાવાએ કર્યો સ્વાગત
- મિશન 2027 માટે AAP સક્રિય: દરેક વિધાનસભામાં સંગઠન મંત્રીઓની નિમણૂક
Author: Garvi Gujarat
તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો.વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી.ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી.ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી.હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી…
હોર્મુઝમાં હાઈ ટેન્શન.ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવતા જહાજ પર ઈરાનનો હુમલો.હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી.હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજાે પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજાેમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. એવું કહેવાય છે કે, આ પૈકી અમુક જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યા હતા. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની…
૨ દેશોએ વર્ષોથી બંધ પડેલો જૂનો રસ્તો ખોલ્યો.પેટ્રોલ-ડીઝલની ચિંતા ખતમ, હવે હોર્મુઝ નહીં અન્ય રસ્તાથી આવશે તેલ.ઈરાક અને સીરિયાએ રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને તેલ સપ્લાય માટે જમીન માર્ગ રજૂ કર્યો.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો જળ માર્ગ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં ઈરાક અને સીરિયાએ એક મોટું પગલું ભર્યું છે, જે વૈશ્વિક ઓઈલ રાજકારણની દિશા બદલી શકે છે. વર્ષો સુધી બંધ રહેલી રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને આ બંને દેશોએ દુનિયા સામે તેલ સપ્લાય માટે એક સુરક્ષિત જમીન માર્ગ રજૂ કર્યો છે. એક તરફ ઈરાને હોર્મુઝમાં કડક નિયંત્રણ લગાવીને તેલ…
અભિષેક શર્માએ બનાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ .અભિષેક શર્માએ ક્રિસ ગેલ અને એરોન ફિન્ચનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ.IPL 2026માં અભિષેક શર્મા એક પછી એક શાનદાર પ્રદર્શન દ્વારા સતત પોતાની ક્ષમતા સાબિત કરી રહ્યો છે, જે દર્શાવે છે કે ICC T20 રેન્કિંગમાં તે વિશ્વના નંબર વન બેટ્સમેનનું બિરુદ શા માટે ધરાવે છે.T20 ક્રિકેટમાં અભિષેક શર્માએ હવે કયો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. IPL 2026ની ૩૧મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદના યુવા ઓપનર અભિષેક શર્માએ તેની કારકિર્દીની બીજી સદી ફટકારતા ઘણા મોટા રેકોર્ડ તોડ્યા. અભિષેકે ફક્ત…
રોડ સેફ્ટી નિયમોમાં આવશે બદલાવ.સુપ્રીમ કોર્ટનો મોટો ર્નિણય, હાઈવે પર ટ્રક પાર્કિંગ પર કડક પ્રતિબંધ.હવે વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ ઝોન જગ્યાઓ પર જ ઉભા રહી શકશે : ર્નિણય રોડ અકસ્માતોમાં ઘટાડો માટે લેવાયો.ભારતમાં રોડ સુરક્ષા મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. કોર્ટે નોંધ્યું છે કે દેશના કુલ રોડ નેટવર્કમાં હાઈવેનો ભાગ માત્ર લગભગ ૨% છે, પરંતુ અહીં થતા અકસ્માતોનો હિસ્સો લગભગ ૩૦% જેટલો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે અને આ જ કારણથી આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટેના ર્નિણય પ્રમાણે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રક અને કમર્શિયલ વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વાહનો…
એમસીએક્સ પર કોટનના વાયદામાં રૂ.1040નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1479, ચાંદીનો વાયદો રૂ.3885 વધ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.31નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20902.72 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.133818.51 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13369.77 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36894 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.154721.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20902.72 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.133818.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36894 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2104.8 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13369.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અનામત વર્ગની બેઠકો પર સામાન્ય, ગરીબ અને શ્રમજીવી વર્ગને ઉમેદવારી કરવા મળી છે અને રાજકીય પક્ષોએ આ ઉમેદવારોને પસંદ કર્યા છે. અમદાવાદમાં વિશ્વ વિખ્યાત ગુર્જરી બજાર તરીકે ઓળખાતી રવિવારી બજારમાં પાથરણું પાથરીને ધંધો કરતાં આશા દંતાણીને કોંગ્રેસ તથા કલોલની ફેકટરીમાં ઝાડુ પોતું કરતાં ઉષા ચૌહાણને, મહેસાણામાં BJPના કાર્યલયમાં પટાવાળા તરીકે કામ કરતાં રમેશચંદ્ર ભીલને ,વડોદરાના સ્કુલવેનના ડ્રાઈવર ભૂપેન્દ્ર માછીને અને અમદાવાદના રિક્ષા ડ્રાઈવર દશરથ પટણીને BJP એ ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ ઘરનાજ લોકોને આમને-સામને ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.સુરેન્દ્રનગરમાં સાસુ આમ આદમી પાર્ટી (AAP) માંથી અને પુત્રવધુ BJP માંથી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પશ્ચિમ બંગાળમાં મતદાનને આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહયા છે ત્યારે ચૂંટણી પંચના અણધડ વહીવટ અથવા તો “કોઈના “ ઇશારે કામ કરવાની તેની બિન તટસ્થતાને કારણે લોકશાહીના મુખ્ય સ્તંભ સમાન “મતદાન” થી લાખો નાગરિકો વંચિત રહે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આમેય પશ્ચિમ બંગાળની ચૂંટણી બે પરસ્પર વિરોધી વિચારધારા વચ્ચેની મુખ્ય લડાઈ છે અને સમગ્ર દેશની તેની ઉપર નજર છે ત્યારે આ મહત્વની નિર્ણાયક ચૂંટણીમાં જો લાયક એવા લાખો મતદારોને એમના પવિત્ર બંધારણીય મતાધિકાર થી વંચિત રહેવું પડે તો એ ખરેખર લોકશાહી માટે લાંછનરૂપ ઘટના ગણાશે. અને એ પણ સવાલ છે કે જો લાખો પાત્ર…
કુબેરનગરમાં માતૃભુમિ સોસાયટીમાં બનેલી ઘટના સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર સગીરે સામે જાેઇને કેમ હશો કહીને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી કુબેરનગરમાં મારી સામે જાેઇને કેમ હશો છો કહીને ગાળો બોલીને સગીરે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને લાફા માર્યા બાદ તેમની જ લાકડીથી ફટકા મારતા હાથે ળેકચર કર્યું હતું તેમજ ફરી સામે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરે સામે જાેઇને કેમ હશો કહીને સિક્યુરિટી ગાર્ડના લાફા મારીને લાકડી છીનવીને તેમના ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની…
કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સામૂહિક દુષ્કર્મના ૩ આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ વર્ષ ૨૦૧૮માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા પર થયેલા અત્યાચારના સંદર્ભમાં ગુનો દાખલ થયો હતો માનવજાતને હચમચાવી દેનારા સામૂહિક દુષ્કર્મના કેસમાં કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે અત્યંત કડક વલણ અપનાવી ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યાે છે. ૪થા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂત દ્વારા આ કેસના ત્રણેય આરોપીઓને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ વિતાવવા પડે તે પ્રકારની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાએ ગુનેગારોમાં કાયદાનો ફફડાટ પેદા કરવાની સાથે સમાજમાં ન્યાયતંત્રની સર્વાેપરિતા સાબિત કરી છે.ચોંકાવનારા કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૧૮માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



