Author: garvigujrat

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તમામ જિલ્લાઓમાં યોજાશે “સપોર્ટ માર્ચ” પદયાત્રા પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ “સપોર્ટ માર્ચ”માં ભાગ લેશે આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્ર યોજી જેલમાં મોકલાયા

Read More

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ. આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, અમારી આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવા સામે ભાજપ સરકારે કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને અને ષડયંત્ર રચીને તેમને રાજનીતિમાંથી દૂર કરવાનો તેમજ ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો દ્વેષપૂર્ણ કાર્યક્રમ કર્યો છે અને સાત વર્ષ સુધી જેલની સજા કરાવી છે. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલના અધિકારો માટે લડવું એ ગુનો છે?…

Read More

કેન્દ્ર સરકારે ફીમાં કર્યો વધારો હવે નવો પાસપોર્ટ બનાવવો પડશે વધુ મોંધો નવા અથવા ફરીથી જારી કરાયેલા ૩૬ પાનાના પાસપોર્ટ માટેની સ્ટાન્ડર્ડ ફી રૂપિયા ૧,૫૦૦ થી વધારીને રૂપિયા ૨,૫૦૦ કરવામાં આવી છે હવે તમે વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છો અથવા નવો પાસપોર્ટ મેળવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકારે કરેલ એક એવો ર્નિણય તમારા આ આયોજનને અસર કરી શકે છે. આગામી ૧ જુલાઈ, ૨૦૨૬ થી પાસપોર્ટ મેળવવાનું મોંઘુ થશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમોમાં સુધારાના ભાગ રૂપે ફી વધારવાનો ર્નિણય લીધો છે. પાસપોર્ટ નિયમો, ૧૯૮૦ માં સુધારો કરીને, સરકારે પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજાે…

Read More

નર્મદાના સાગબારામાં ૩.૩૫ ઈંચ વરસાદ ખાબક્યો નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે ગુજરાતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ચોમાસાના પ્રારંભિક આગમનની સાથે જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘમંડાણ શરૂ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના જુદા જુદા ૧૬ તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જાેવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવીને સર્વત્ર પાણી-પાણી કરી દીધું છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે પણ આકાશી આફત અને રાહતના સંકેતો આપતી…

Read More

ઓસ્કર પેનલમાં ભારતીય ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ સહિત ૬ લોકોની એન્ટ્રી ઓસ્કર એવોર્ડની વોટિંગ પેનમાં આ વર્ષે દુનિયાભરના ૫૨૯ નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓસ્કર એવોર્ડની પેનલ માટે દર વર્ષે દુનિયાભરના દેશોમાંથી ખાસ લોકોની પસંદગી એવોર્ડની પેનલ માટે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એકેડમી ઓફ મોશન પિક્સર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા ૫૨૯ લોકોને વોટિંગ પેનમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ૬ ભારતીયોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૬ લોકોમાંથી એક ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજ છે. આ વખતે ઓસ્કર પેનલ માટે જે લોકોની પસંદગી કરવામાં આવી છે તેમાં જેકબ એલોર્ડી,…

Read More

ઉદ્ધવ ઠાકરેનું દર્દ છલકાયું MVA ની બેઠકમાં ૨૩ ધારાસભ્યો ગુમ, શરદ પવાર પણ ન આવ્યા મહારાષ્ટ્રમાં સ્ફછ ગઠબંધનમાં ભંગાણના સંકેતો મળ્યા મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ તેમને પોતાની પાર્ટીના ૬ સાંસદોના બળવાનો સામનો કરવો પડ્યો છે, ત્યાં હવે મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનમાં પણ ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે. બુધવારે મોડી સાંજે મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ૬૦માંથી માત્ર ૩૭ ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આમ, પૂરા ૨૩ ધારાસભ્યો ગેરહાજર રહેતા રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. આટલું…

Read More

રામ મંદિરમાં દાનની ચોરીના મામલે તપાસ ચાલી રહી છે PMO એ રામ મંદિરના દાનનો હિસાબ માગ્યો તો ટ્રસ્ટે તપાસનો હવાલો આપી ઈનકાર કરી દીધો PMO એ ભાજપ નેતા રજનીશ સિંહના પત્ર પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રામ મંદિર ટ્રસ્ટ પાસે આવક-ખર્ચ, દાન અને બેંક ખાતાઓ અંગેની માહિતી માગી હતી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે હવે અયોધ્યાના રામ મંદિરમાં દાન અને ચઢાવામાં હેરાફેરી અને ચોરી મામલે નવો ખુલાસો થયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવો આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારનો અવાજ મજબૂતી ઉઠાવતા આવ્યા છે, જળ જંગલ અને જમીન માટે લડી રહ્યા છે, આવા મજબૂત નેતાની સામે ભાજપે દમન કરીને કેસ નોંધ્યો હતો અને હવે એ કેસમાં એમને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બીજી બાજુ હાર્દિક પટેલનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, આ સરકારના બેવડા ધોરણો દર્શાવે છે અને આ લોકતંત્ર પર પ્રહાર છે. વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાએ જણાવ્યું હતું…

Read More