Author: Garvi Gujarat

૭ વર્ષ પછી મામી-ભાણેજનું મિલન કૃષ્ણ અભિષેકે મામી સુનિતાના પગ સ્પર્શ કર્યા લાફટર શેફ્સ સીઝન ૩માં દરેક એપિસોડ મજેદાર હોય છે, શોના તમામ સેલિબ્રેટી સ્પર્ધક મળી આ શોને કોમેડી બનાવે છે લાફ્ટર શેફ્સ સીઝન ૩માં એક શાનદાર એપિસોડ આવવાનો છે. જેમાં બોલિવુડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પણ જાેવા મળશે. વિવાદ બાદ આ પહેલી વખત કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહેને મળી છે. સુનીતા આહુજાએ હાલમાં આ એપિસોડનું શૂટિંગ કર્યું તેમજ સેટ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. હવે મેકર્સે આગામી એપિસોડનો પ્રોમો પણ જાહેર કર્યો છે. જેમાં સુનિતાની સરપ્રાઈઝ એન્ટ્રી જાેવા મળી હતી. વીડિયોમાં કૃષ્ણા,મામી સુનિતાના શોમાં આવવાથી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા સુરત) ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી અશોકભાઈ સોલંકી અને શીલાબેન સોલંકીની ચિ.સુપુત્રી કુમારી ઉપાસના સોલંકી ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં પૂર્ણ કરી MBBS ના ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા જતાં હોય તેમના પરિવારજનો માં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઘરના વડીલો, સમાજના સંતો, ડોકટરો, વકીલો અને સામાજિક આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે. વાલ્મીકિ સમાજની દીકરીને સંતશ્રી મહેશભાઈ શેઠ, સંતશ્રી આલોક પુનિતમ, સંતશ્રી કાંતિદાસ, સંતશ્રી રવિરામ ગુરુશ્રી ફૂલારામ મહારાજના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન રજવાડી, મગનલાલ સોલંકી, કાન્તાબેન સોલંકી, એડવોકેટ મહેન્દ્રભાઈ સોલંકી, મનીષાબેન મહેન્દ્રભાઈ સોલંકી, એડવોકેટ અને નોટરી અશ્વિનભાઈ વૈષ્ણવ, નીતુબેન વૈષ્ણવ, એડવોકેટ જીતુભાઈ શાહ, નીતાબેન શાહ, અને સુરત મેડિકલ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના ઉત્તરપૂર્વનું અત્યંત સંવેદનશીલ બની ચૂકેલું રાજય મણિપુર આમ તો છેલ્લા ત્રણેક વરસથી સળગી રહ્યું છે. વચ્ચે થોડો સમય રાહતરૂપ રહ્યા બાદ હવે અશાંતિ અને અંધાધૂંધી આ રાજયમાં પાછી ફરી છે. અને સ્થિતિ સુધરવાને બદલે વણસતી હોવાનો અંદાજ આવી રહ્યો છે. ત્રણેક વર્ષ પહેલા ભાજપની સરકારે કુકી અને મૈઈતેઈ વચ્ચે અનામત બાબતે થયેલા સંધર્ષને ઉકેલવામાં થાપ ખાધી અને પછી જે મણિપુરની હાલત થઈ એ સર્વવિદિત છે. વર્ષોથી હળીમળીને રહેતા કુકી અને મૈઈતેઈ સમુદાય વચ્ચે પછી એવા વેરના વાવેતર થયા કે તેનું ઝેર આજે પણ મણિપુરને ડંખી રહ્યું છે. વળી હિંસા વકર્યા બાદ તેને ડામવામાં પણ કેન્દ્ર…

Read More

હરિયાણાની ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો હતી ૩૦ વર્ષીય એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું દુ:ખદ અવસાન દિવ્યાંકા સિરોહી હરિયાણીની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતું કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું નિધન થયું છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરે તેણે અંતિમ શ્વાસ લીધા છે. આ મામલે દિવ્યાંકાની મોટી બહેન આરતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેની બહેનના નિધનને લઈને ખબર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં જણાવામાં આવ્યું કે ઘણા દુ:ખ સાથે જણાવી રહી છું કે મારી નાની બહેન દિવ્યાંકાનું ૨૧ એપ્રિલના રોજ નિધન થયું છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે. જાેકે દિવ્યાંકાના મોતને લઈને હરિયાણીની ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો પડ્યો છે. ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન સ્થિત આવેલ ઘરમાં…

Read More

ભૂત બંગલા ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા ઓટીટી ઉપર ધમાલ મચાવશે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા એક હોરર કોમેડી ફિલ્મ છે : આ ફિલ્મની ધીમી ગતિએ કમાણી અક્ષય કુમારની કોમેડી ડ્રામા ફિલ્મ ભૂત બંગલા બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ પણ આગળ વધી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ તેને એક વીક પણ નથી થયું ત્યાં તો લોકો એ જાણવા આતુર થઈ ગયા છે કે ફિલ્મ સિનેમા ઘર પછી ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? જાેકે આ પહેલી વખત નથી કોઈ લોકો ભૂત બંગલાની ઓટીટી રિલીઝ અંગે જાણવા માંગતા હોય. કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ થાય…

Read More

સોનાના વાયદામાં રૂ.642 અને ચાંદીના વાયદામાં રૂ.6083ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.93ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.26905.15 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.229733.96 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17271.17 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.256639.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26905.15 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.229733.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2629.7 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17271.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152051ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152543 અને નીચામાં રૂ.151451ના મથાળે અથડાઈ, રૂ.152657ના આગલા બંધ સામે રૂ.642 ઘટી રૂ.152015ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ…

Read More

અમદાવાદના ચાંદખેડામાં બેકાબૂ મ્ઇ્જી બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઇબેકાબૂ બસ બિલ્ડિંગના પિલર અને નીચેના ભાગે જાેરદાર રીતે અથડાતા મોટો અવાજ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબૂ બનેલી BRTS બસ દીવાલ તોડીને સીધી સોસાયટીના બિલ્ડિંગમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે BRTS નું સર્વિસ સ્ટેશન આવેલું છે. આજે કોઈ અગમ્ય કારણોસર સર્વિસ સ્ટેશન પર લાવવામાં આવેલી એક BRTS બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ એટલી ઝડપે હતી કે તે સર્વિસ સ્ટેશનની દીવાલ અને પેરાફીટ ઓળંગીને સીધી…

Read More

કેન્દ્ર સરકારે આપી મંજૂરી.હવે વિમાનોના ઇંધણમાં પણ ઈથેનોલનું કરાશે મિશ્રણ.આ ર્નિણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે, સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની ર્નિભરતા પણ ઘટશે.સરકારે એવિએશન સેક્ટરમાં મોંઘા કાચા ઇંધણની આયાત પર ર્નિભરતા ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) માં ઇથેનોલ બ્લેન્ડિંગની મંજૂરી આપી દીધી છે. આ સંબંધમાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને ATF માર્કેટિંગ નિયમોમાં સુધારો કર્યો છે. આ ર્નિણયથી હવાઈ મુસાફરીને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. સાથે જ દેશની વિદેશી ઇંધણ પરની ર્નિભરતા પણ ઘટશે. જેથી આગામી સમયમાં હવાઈ મુસાફરી સસ્તી પણ થઈ શકે.…

Read More

દિયોદરના પાલડીમાં ભાજપ નેતાનું નિવેદન.પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને.જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું .રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ છે. દિયોદરના પાલડીમાં ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે. વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજાે. આ મુદ્દે વિવાદ થતાં બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું…

Read More

૫.૬૮ લાખ લોેકોએ નવા કનેકશન માટે અરજી કરી.માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા.પશ્ચિમ એશિયામાં યુદ્ધ પછી સરકાર ઉદ્યોગો અને ઘરોને પીએનજી માટે પ્રોત્સાહિત કરી રહી છે.ભારતમાં પાઇપવાળું કુદરતી ગેસ (પીએનજી)નાં ગ્રાહકો સતત વધી રહ્યાં છે. માર્ચથી અત્યાર સુધીમાં ૫.૦૧ લાખથી વધારે નવા પીએનજી કનેકશન ચાલુ કરવામાં આવ્યા છે અને ૫.૬૮ લાખ લોકોએ નવા કનેક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પીએનજીની માંગ એવા સમયે વધી રહી છે જ્યારે અધિકારીઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીની વચ્ચે એલપીજીના પુરવઠામાં અવરોધ ઉભો ન થાય તે સુનિશ્ચિત કરી રહ્યાં છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે એલપીજીનાં પુરવઠામાં અવરોધ ઉભો થતા સરકાર ઉદ્યોગો અને ઘરો…

Read More