Author: Garvi Gujarat

આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મિડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં તેમના તારાંકિત પ્રશ્ન નંબર 23ના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક તરફ “ગુજરાત મોડલ” અને વિકાસની વાતો થાય છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા…

Read More

આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી હતી. મિડિયા સમક્ષ વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દેશની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે. દેશની સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી પણ યુટ્યુબ પર લાઇવ ઉપલબ્ધ છે. અનેક રાજ્યોની વિધાનસભાઓની કામગીરી પણ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લાઇવ પ્રસારિત થાય છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓની કાર્યવાહી પારદર્શક રીતે જનતા સમક્ષ…

Read More

આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી “વિધાનસભા લાઇવ કરો” લખેલા પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમણે “લોકશાહીની હત્યા બંધ કરો, વિધાનસભા લાઇવ કરો” જેવા સુત્રોચ્ચાર સાથે વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રિમ કોર્ટની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે, જેમાં ન્યાયાધીશો અને વકીલો શું દલીલો કરે છે તે સામાન્ય નાગરિક…

Read More

ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત અંબાજી મંદિરે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન-આરતીના સમયમાં ફેરફાર આ દિવસે સવારે વહેલા ૬:૦૦ થી ૬:૩૦ કલાકે આરતી અને ૬:૩૦ થી ૭:૩૦ સુધી દર્શનનો લાભ મળશે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી હોળી અને ફાગણી પૂનમના તહેવારો નિમિત્તે દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર કરાયો છે. આગામી તા. ૨ માર્ચ ૨૦૨૬ સોમવાર (ફાગણ સુદ ૧૪)ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે. આ દિવસે સવારે ૭:૩૦થી ૮:૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮:૦૦ થી ૧૧:૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે ૧૨:૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. જ્યારે સાંજે ૧૮:૩૦…

Read More

સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક વધારો નોંધાયો સરકાર લોકોને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરે, પીડિતોને વળતર આપે: સુપ્રીમ લોકોમાં જાગૃતિ લાવવા ટીવી અને રેડિયો પર આ ગુનેગારોની કાર્યપદ્ધતિના રેકોર્ડિંગ્સ પ્રસારિત કરો દેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલના વધતાં વ્યાપની સાથે સાથે જ સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સરકારને નીત-નવી પદ્ધતિથી લોકોને સકંજામાં લેતાં સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવા તથા તેનો ભોગ બની પોતાની પરસેવાની કમાણી ગુમાવી ચૂકેલાં લોકોને વળતર આપવા તથા તેમનું રક્ષણ કરવાના ઉપાયો હાથ ધરવા જણાવ્યું હતું. મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ ખોલી તેને સાયબર અપરાધીઓને વેચી દેતાં પરમજીત ખર્બ નામના એક…

Read More

માસ્ટર માઈન્ડ હજુ ફરારરોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરાઈ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુંબઈ પોલીસે હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શૂટર સહિત ૬ સાથીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઉત્તર પ્રદેશમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ…

Read More

‘હીર રાંઝા’માં આજના સમયને અનુરૂપ લવસ્ટોરી રજૂ કરવામાં આવશે ‘લૈલા મજનૂ’નાં મેકર્સ ફરી સાથે આવ્યાં ‘હીર રાંઝા’ નામની સિક્વલની જાહેરાત પરંપરાગત પ્રેમકથાના મૂળમાં રહેલી હોવા છતાં, ‘હીર રાંઝા’ને આજના સમયને અનુરૂપ રજૂ કરવામાં આવશે ‘લૈલા મજનૂ’ની કલ્ટ સફળતા બાદ ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂર ફરી એકવાર સાથે આવ્યા છે. બંને પ્રભાવશાળી સર્જનાત્મક શક્તિ ધરાવતી આ જાેડી ફરી સાથે મળીને ‘હીર રાંઝા’ નામે ફ્રેન્ચાઇઝીના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ‘લૈલા મજનૂ’ની પ્રેમકથાને આગળ વધારશે અને દર્શકો સાથેનો તેનો ઊંડો ભાવનાત્મક સંબંધ પણ આગળ વધારશે. પરંપરાગત પ્રેમકથાના મૂળમાં રહેલી હોવા છતાં, ‘હીર રાંઝા’ને આજના સમયને અનુરૂપ રજૂ કરવામાં આવશે.…

Read More

ચોથી સીઝનનું શૂટ ફ્રાન્સમાં શેટો દી લા મેસાર્દિયર, સેંટ ટ્રોપેઝમાં થશે દીપિકા પાદુકોણ ‘ધ વ્હાઇટ લોટસ’ની સીઝન-૪માં જાેડાઈ હોવાના અહેવાલ સ્ટુડિયો અથવા નિર્માતાઓ તરફથી કે પછી દીપિકા તરફથી તેમાં દીપિકાના જાેડાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દીપિકા પાદુકોણનાં નામની ‘ધ વ્હાઇટ લોટસ’ સાથે જાેડાવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, તે આ લોકપ્રિય સિરીઝની આવનારી ચોથી સીઝનમાં જાેડાઈ શકે છે.ડેકન ક્રોનિકલના અહેવાલ મુજબ, દીપિકા એમી એવોર્ડ વિજેતા ડાર્ક કોમેડી એન્થોલોજીની સીઝન ૪માં જાેવા મળી શકે છે. રિપોર્ટ મુજબ તે હેલેના બોનહામ કાર્ટર અને ક્રિસ મેસીના સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. આ…

Read More

આમ આદમી પાર્ટી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યુ છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકીયા, દિલીપ ભૂવા સહિતના AAP આગેવાનો દ્વારા શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતુ. આ તકે યુવરાજ સિંહ જાડેજાએ વિગતવાર જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો હોવાની શંકા છે અને છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખિજડિયા ગામમાંથી રોજ બે જેટલા દૂધના ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હોવાની માહિતી તેમને મળી હતી. દૂધ સાચું છે કે નકલી તે જાણી લેવા માટે…

Read More

સોનાનો વાયદો ઘટીને રૂ.1.54 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.35 લાખને સ્પર્શ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13912.42 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38010 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.177866.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38010 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2304.55 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13912.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.154999ના…

Read More