Author: garvigujrat

ફિલ્મ એક સસ્પેન્સથી ભરપૂર થ્રિલર હશે સૈફ અને ફરહાન ૨૫ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે ૨૦૦૧માં રિલીઝ થયેલી દિલ ચાહતા હૈને હિન્દી સિનેમામાં આધુનિક મિત્રતા અને સંબંધોની નવી વ્યાખ્યા આપનાર ફિલ્મ તરીકે માનવામાં આવે છે હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ દિલ ચાહતા હૈને ૨૫ વર્ષ પુરા થયા છે અને હવે ફરી એક વખત સૈફ અલી ખાન અને એક્ટર ડિરેક્ટર ફરહાન અખ્તર સાથે કામ કરવા જઈ રહ્યા હોવાના અહેવાલોએ ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા જગાવી છે. આ અંગેના અહેવાલો મુજબ, સૈફ અલી ખાન એક્સેલ એન્ટરટેઇન્મેન્ટની આગામી થ્રિલર ફિલ્મ કરવા તૈયાર થયો છે. ફિલ્મ ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની પ્રોડ્યુસ કરશે. જાેકે, નિર્માતાઓ તરફથી હજુ…

Read More

એક કલાકારનું મુખ્ય કામ પાત્રને વિશ્વસનીય રીતે રજૂ કરવાનો છે રોલ સારો હોવો જાેઈએ, ઉંમરથી કોઈ ફેર નથી પડતો : મૌની રોય વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘યે જવાની તો ઇશ્ક હોના હૈ’માં મૌની રોયે વરુણ ધવનની માતાનો રોલ કર્યાે હતો વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘યે જવાની તો ઇશ્ક હોના હૈ’માં મૌની રોયે વરુણ ધવનની માતાનો રોલ કર્યાે હતો. તેના માટે તેણે ઘણી ટ્રોલિંગ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે મૌનીએ કહ્યું છે કે તેણે આ રોલને ઉમરની દૃષ્ટિએ જાેયો જ નહોતો, તેણે તો પાત્ર કેવું છે એ જાેયું હતું. આ અંગેની ટીકા અને તેના ર્નિણય પર ઉઠતા સવાલો…

Read More

‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના મંત્રને સાકાર કરતાં, સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ નો આજે ગાંધીનગરથી ગુજરાતના તમામ પ્રમુખ શહેરોમાં સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. અમૂલ અને ઇફ્કોના સફળ સહકારી મોડેલ પર આધારિત આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી એપ-આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ ‘સારથિ’ અને ‘માલિક’ છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતોના હક માટે હંમેશા અવાજ ઉઠાવતા ખેડૂતોના મસીહા ઈસુદાન ગઢવી આજે સાણંદના ડરણ ગામે પહોંચ્યા હતા. અહીં ખેડૂતોના પાણીના પ્રશ્નો અને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોને થઈ રહેલા અન્યાય મુદ્દે ઈસુદાન ગઢવીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ તકે ‘આપ’ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે સાણંદના ડરણ ગામે દસ કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. ખેડૂતોને પૂછ્યા વગર, તેમની ખેતીની જમીન પર બળજબરીપૂર્વક કંપનીઓનું વેસ્ટ પાણી કાઢવા માટે આ લાઇન નખાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ લાઇન કેનાલની બાજુમાંથી કાઢો, પણ તેમ કરવાને બદલે ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી, લગભગ…

Read More

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને શ્રી રામલલાના દર્શન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. આ ભવ્ય મંદિર કરોડો હિન્દુઓની આસ્થા અને ગૌરવનું પ્રતીક છે. શ્રી રામ મંદિરમાં ભગવાનની મનમોહક મૂર્તિની દિવ્ય આભાને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. ત્યારબાદ તેમણે હનુમાન ગઢી મંદિરમાં બજરંગબલીના આશીર્વાદ લીધા અને મહંત ધર્મદાસ સહિત અન્ય સાધુ-સંતોના સાનિધ્યનો લાભ પ્રાપ્ત થયો. તેમણે રામ મંદિરમાંથી દાનના પૈસા તથા સોનાં-ચાંદીના આભૂષણોની ચોરી કરનાર મહાપાપીઓને કઠોર સજા મળે તેવી પ્રાર્થના કરી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સૌના સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય માટે તેમણે ભગવાન પાસે…

Read More

રામ મંદિર દાન કેસમાં મોટો ખુલાસો SBI અને ટ્રસ્ટની મોટી બેદરકારી, ડ્રાઈવર કનેક્શન પણ ખુલ્યું આશ્ચર્યની વાત એ છે કે, ટ્રસ્ટને પહેલેથી જ ગરબડ થવાની આશંકા હતી, છતાં આ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રામ મંદિરના ચઢાવામાં થયેલી ઉચાપત મામલે એસઆઈટી (SIT) તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પ્રારંભિક અહેવાલ મુજબ, ચઢાવાની ગણતરી અને તેના મેનેજમેન્ટ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વચ્ચે બનેલી એસઓપી (SOP – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, ટ્રસ્ટને પહેલેથી જ ગરબડ થવાની આશંકા હતી, છતાં આ ગંભીર બેદરકારી…

Read More

થ્રી લેંગ્વેજ પોલિસીમાં મોટો ફેરફાર CBSE ઈએ ધોરણ-૭થી ૧૦ના વિદ્યાર્થીઓને આપી મોટી રાહત ૧૦માં ધોરણ સુધી જૂનું લેંગ્વેજ કોમ્બિનેશન લાગુ રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રિભાષીય ફોર્મ્યુલા) ને લઈને એક મોટો ર્નિણય લીધો છે. સીબીએસઈ દ્વારા લેવાયેલા ર્નિણય અનુસાર, હાલના સમયમાં સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ૭માંથી ૯માં ધોરણમાં ભણી રહેલા સ્ટુડન્ટ્સ પર નવી શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ લાગુ થશે નહીં, અને ૧૦માં ધોરણના સ્ટુડન્ટ્સ બે ફોરેન લેંગ્વેજ (વિદેશી ભાષાઓ) સાથે જ બોર્ડની એક્ઝામ આપી શકશે. એટલે કે, ૭માંથી લઈને ૧૦માં ધોરણ સુધીના સ્ટુડન્ટ્સ માટે હાલ પૂરતા ભાષાની પસંદગી અને પરીક્ષાને લઈને જૂના નિયમો જ ચાલુ રહેશે.…

Read More

પહેલા અમારું અનાજ ખરીદો… ઈરાનને ૧૨ બિલિયન ડોલર આપતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની આકરી શરત અમેરિકા અને ઈરાન વચ્ચે $12 બિલિયનના ફ્રોઝન ફંડના ઉપયોગને લઈને નવો વિવાદ સર્જાયો છે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે વેપાર અને ફ્રીઝ કરાયેલા ફંડના ઉપયોગને લઈને એક નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાનના ફ્રીઝ કરાયેલા ઇં૧૨ બિલિયન એટલે કે અંદાજે ૧.૧૩ લાખ કરોડ રૂપિયાનો ઉપયોગ અમેરિકન ખેડૂતો પાસેથી ઘઉં અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદવા માટે કરવામાં આવે. જાેકે, તેહરાને આ શરતને સખત શબ્દોમાં ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ નાણાં ક્યાં ખર્ચવા તેનો ર્નિણય તે પોતે…

Read More

દેશભરના લાખો પેન્શનરોને નોંધપાત્ર રાહત મોબાઇલથી ચહેરો દેખાડો અને ઘર બેઠાં જમા થઈ જશે લાઇફ સર્ટિફિકેટ આ પ્રક્રિયા બેંકની મુલાકાત લેવાની જરૂરિયાતને દૂર કરે છે સરકારે દેશભરના લાખો પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી છે. પેન્શનને સક્રિય રાખવા માટે હવે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે બેંકો, પોસ્ટ ઓફિસો અથવા ટ્રેઝરી ઓફિસોના ચક્કર લગાવવાની જરૂર નથી. સરકારી ઇ-ગવર્નન્સ પહેલોએ ટેકનોલોજીને એટલી સરળ બનાવી છે કે વૃદ્ધ વ્યક્તિઓ હવે ઘરે બેઠા ફક્ત તેમના મોબાઇલ ફોન કેમેરામાં પોતાનો ચહેરો બતાવીને તેમના ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ, કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરા દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનરની ઓળખ ચકાસવામાં…

Read More

પ્રક્રિયા વગર તોડફોડ કરી તો આપવું પડશે નવું ઘર સુરતમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું સુરતના નાસીરનગરના રાતોરાત ડિમોલિશનના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે, એકપણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં.જાે સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હશે, તો તેની સીધી જવાબદારી મનપા અને તેના સંબંધિત અધિકારીઓની…

Read More