
વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં કોમેડિયન ઝાકિર ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ પરેશાન થવાની જરૂર નથી, હું બિલકુલ ઠીક છું : ઝાકિર ખાન
જ્યારથી પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને એવી જાહેરાત કરી છે કે તેઓ થોડા વર્ષોનો બ્રેક લઈ રહ્યા છે, ત્યારથી તેમના ચાહકો ખૂબ જ પરેશાન અને દુ:ખી હતા. ત્યારબાદ કોમેડિયને પોતે જ જણાવ્યું હતું કે કોઈએ પરેશાન થવાની જરૂર નથી, તેઓ બિલકુલ ઠીક છે. પરંતુ હવે હાલમાં જ ઝાકિરનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને ચાહકો ફરી એકવાર ચિંતિત થઈ ગયા છે.
વાસ્તવમાં, ઝાકિર ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા ઝાકિર ખાનના ભાઈ અરબાઝે પોતાના રમઝાન વ્લોગમાં હોસ્પિટલની ઝલક બતાવી હતી, જેમાં ઝાકિર ખાન હોસ્પિટલના પહેરવેશમાં જાેવા મળે છે. આ દરમિયાન તેઓ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો વર્લ્ડ કપ ફિનાલે મેચ જાેઈ રહ્યા છે. બસ, આ વીડિયો જાેઈને સોશિયલ મીડિયા પર લોકો કોમેડિયનની તબિયતને લઈને ચિંતિત થઈ ગયા છે. વીડિયોમાં અરબાઝ ઝાકિરને પૂછે છે કે હવે કેવું લાગે છે, તો ઝાકિર જવાબમાં કહે છે, અત્યારે મેચ ફસાયેલી છે.
અરબાઝના આ વીડિયોને જાેઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. યુઝર્સ હવે આ વીડિયો પર કોમેન્ટ કરીને ઝાકિરની તબિયત વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું, અરે ઝાકિર ભાઈને શું થયું, તો બીજા એક યુઝરે તેમના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી છે. આ રીતે ઘણા ચાહકોએ આ વીડિયો પર ઝાકિર માટે ચિંતા વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ઝાકિર ખાને પોતાના કામમાંથી થોડો બ્રેક લીધો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ લગભગ ત્રણથી પાંચ વર્ષનો બ્રેક લઈ રહ્યા છે. તેઓ આ સમયે પોતાની હેલ્થ પર ધ્યાન આપવા માંગે છે. તેમણે તેમના હૈદરાબાદ ટૂર દરમિયાન આ જાહેરાત કરી હતી.
ત્યારબાદ ઘણા લોકોએ તેમની તબિયતને લઈને ઘણી અટકળો લગાવી હતી, જેને પણ ઝાકિરે સ્પષ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ નથી, તેમને કોઈ મોટી બીમારી નથી, આ બધું ખોટું છે. પરંતુ હવે ફરી એકવાર તેમને હોસ્પિટલમાં જાેઈને લોકો પરેશાન થઈ ગયા છે.




