
Gujarat News: આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃપ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પ્રણેતા વિધાનસભાના દંડકે પ્રયત્ન શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ થશે તેમ જાણવા મળે છે.
વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી
વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકએ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી.