
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો.અમરેલી જિલ્લાના લાઠીમાં રોગચાળાનો રાફડો ફાટ્યો.ઓપીડીની સંખ્યા ૨૦૦ની આસપાસ રહેતી હતી, ત્યાં હાલમાં આ આંકડો વધીને ૩૦૦થી ૩૫૦ સુધી પહોંચી ગયો છ.અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્થાનિક સ્તરેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઋતુજન્ય બીમારીઓના કેસોમાં અચાનક ઉછાળો આવતા શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.
લાઠી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં જ્યાં દૈનિક ઓપીડીની સંખ્યા ૨૦૦ની આસપાસ રહેતી હતી, ત્યાં હાલમાં આ આંકડો વધીને ૩૦૦થી ૩૫૦ સુધી પહોંચી ગયો છે. ઓપીડીમાં થયેલો આ નોંધપાત્ર વધારો શહેરમાં રોગચાળાની ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરી રહ્યો છે.
હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં મુખ્યત્વે તાવ, વાયરલ ઇન્ફેક્શન, શરદી-ઉધરસ જેવા લક્ષણો જાેવા મળી રહ્યા છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ વધારો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલના સ્ટાફ પર પણ કામનું ભારણ વધ્યું છે.
જાેકે, લાઠી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને તબીબી સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય અને ત્વરિત સારવાર પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થયેલા વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જે મચ્છરોનો ઉપદ્રવ વધવા માટેનું એક મુખ્ય કારણ બની શકે છે. સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ધોરણે સર્વેલન્સ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. શહેરીજનોને પણ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા તેમજ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવે છે.




