
Earthquake in Bhavnagar : મંગળવારે મોડી રાત્રે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા જારી કરાયેલા અપડેટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભાવનગરથી પાંચ કિલોમીટર નીચે હતું. NCS અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.
આ પહેલા મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ સાંજે 4.44 કલાકે આવ્યો હતો.