
મહામંદીના કારણે સર્જાયેલી આર્થીકભીંસને લીધે અનેક પરિવારોના માળા પીંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી કારખાનેદાર યુવાને ઝેરી દવા પી અને શ્રમિક પ્રોઢે ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલા ભરી લીધા છે. યુવક અને પ્રૌઢના મોતથી બંને પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મૂળ જામકંડોણાના મોટા પાદરા ગામના વતની અને હાલ રાજકોટના કાંગસિયાળી ગામે રહેતા અને ભુણાવા ગામ પાસે ભાડાથી PVC પાઇપનું કારખાનું ધરાવતા પારસ દિનેશભાઈ જારસાણીયા નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે મધરાત્રે બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. કારખાનેદાર યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.