
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંતિમ મેચ.અમદાવાદમાં ક્રિકેટ ફીવર: ટીમ ઈન્ડિયાનું ભવ્ય આગમન થયું.૫ મેચની આ સીરિઝમાં અત્યારે ભારત ૨-૧ થી આગળ છે, ત્યારે આજે મેચ સીરિઝના વિજેતાનો ફેંસલો કરશે.અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-૨૦ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ આવતીકાલે(૧૯ ડિસેમ્બર) રમાશે. ત્યારે ટીમ ઈન્ડિયા આજે ગુરુવારે અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. ટીમ ઈન્ડિયા એરપોર્ટ પર સાંજે આવી પહોંચી છે. ૫ મેચની આ સીરિઝમાં અત્યારે ભારત ૨-૧ થી આગળ છે, ત્યારે આવતીકાલની મેચ સીરિઝના વિજેતાનો ફેંસલો કરશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજે ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી ગુજસેલ (GUJSAIL) ટર્મિનલ ખાતે પહોંચ્યા હતા. પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા વચ્ચે ખેલાડીઓને હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા.
સીરિઝનું સમીકરણ: ભારત પાસે ઈતિહાસ રચવાની તક
૫ મેચોની આ રોમાંચક સીરિઝમાં અત્યાર સુધી: ભારત ૨-૧થી સીરિઝમાં લીડ ધરાવે છે.
ચોથી મેચ ખરાબ હવામાનને કારણે રદ્દ કરવી પડી હતી. જાે આવતીકાલે ભારત જીતે છે તો સીરિઝ ૩-૧થી પોતાના નામે કરશે, જ્યારે સાઉથ આફ્રિકા જીતશે તો સીરિઝ ૨-૨ થી બરાબરી પર સમાપ્ત થશે.
આ હાઈ-પ્રોફાઈલ મેચને ધ્યાનમાં રાખીને રાજ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ફફૈંઁ મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા માટે એરપોર્ટથી લઈને હોટલ અને સ્ટેડિયમ સુધી ખાસ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં આ મેચને લઈને ભારે ક્રેઝ જાેવા મળી રહ્યો છે. છેલ્લી મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ હવે ફેન્સને આશા છે કે આવતીકાલે મેચ પૂરી રમાશે અને ટીમ ઇન્ડિયા ટ્રોફી જીતશે. ટિકિટોના વેચાણ અને સ્ટેડિયમની તૈયારીઓ પરથી લાગી રહ્યું છે કે આવતીકાલે મેદાન ‘હાઉસફુલ‘ રહેશે.




