
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬.આખરે પાકિસ્તાન ઝૂક્યું, ભારત સામે મેચ રમવા રાજી.ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે.ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી હાઈ પ્રોફાઈલ મેચના વિવાદનો અંત આવી ગયો છે. હવે ભારત પાકિસ્તાનની મેચ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ૧૫ ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. રવિવારે લાહોરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ICC ની કૂટનૈતિક જીત થઈ છે. પાકિસ્તાન ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આ વાતની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.બીજીતરફ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ રમવા માટે આઇસીસી સમક્ષ ત્રણ માંગ મૂકી છે. તેની પ્રથમ માંગ એ છે કે, આઇસીસી દ્વારા વાર્ષિક મળતા ફંડમાં વધારો કરવામાં આવે. બીજી માંગ – આઇસીસી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાડવાનો પ્રયાસ કરે. ત્રીજી માંગ – મેચ બાદ હાથ મિલાવવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે. જાે કે આ તમામ મોટી ત્રણ માગ ICC એ ફગાવી દીધી છે.
ફક્ત બાંગ્લાદેશ પર કોઈ આર્થિક દંડ નહીં થાય તે માગ જ સ્વીકારી છે.ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની શરતો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.ICC એ સ્પષ્ટપણે કહ્યું છે કે આ સમગ્ર ઘટના માટે બાંગ્લાદેશને કોઈપણ રીતે દંડ કરવામાં આવશે નહીં અને ICCના આવકનો તેનો હિસ્સો મળતો રહેશે.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ, ICCના ઉપાધ્યક્ષ અને સ્વતંત્ર ર્નિદેશક ઈમરાન ખ્વાજા સાથે લાહોરમાં નકવી સાથેની મુલાકાત વચ્ચે હાજર રહ્યા હતા. શ્રીલંકા અને UAE બોર્ડે પણ પાકિસ્તાનને પોતાના ર્નિણય પર ફરી વિચાર કરવા માટે આગ્રહ કર્યાે હતો. અમીનુલે બાંગ્લાદેશ ક્રિકેટ માટે પાકિસ્તાન દ્વારા બતાવવામાં આવેલી એકજુથતાના વખાણ કર્યા હતા પણ બહિષ્કાર ખતમ કરવા માટે અનુરોધ પણ કરી દીધો હતો. જેથી પાકિસ્તાન વિચારમાં પડી ગયું હતું. નકવીએ પાકિસ્તાન સરકારને બેઠકમાં થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી હતી. જે બાદ પૂરેપૂરી શક્યતા છે કે પાકિસ્તાન ભારત સામે મેચ રમવા રાજી થઈ ગયું છે. જેની સત્તાવાર ઘોષણા બાકી છે.મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે. તેવામાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જાેઈ રદ થાય તો ICC, બ્રોડકાસ્ટર્સ અને તમામ બોર્ડ સભ્યોને ભારે નુકસાન થવાની ભીતિ હતી. તેવા સમયે મેચ આયોજન મુજબ રમાશે ત્યારે ક્રિકેટ ઈકોસિસ્ટમ જળવાતા ભારત પાકિસ્તાન મેચના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.




