
ભારતનો પાડોશી દેશ અફઘાનિસ્તાન, જે લાંબા સમયથી હિંસા અને આતંકવાદનો શિકાર છે, તે પણ હાલમાં ભૂખમરો સામે ઝઝૂમી રહ્યો છે. તેનું મુખ્ય કારણ પાકનો બગાડ છે. હવે ફરી એકવાર ભારત અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવ્યું છે. ટ્રકમાં અનાજ મોકલ્યા બાદ હવે ભારતે જંતુનાશકો મોકલ્યા છે જેથી પાકને સુરક્ષિત રાખી શકાય.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ભારતે ઈરાનના ચાબહાર પોર્ટ દ્વારા 40,000 લીટર મેલાથિઓન અફઘાનિસ્તાન મોકલ્યું છે. મેલાથિઓન એક જંતુનાશક છે. આ દવાનો ઉપયોગ સામાન્ય રીતે ફળો, શાકભાજી, છોડ અને ઝાડીઓ પર હુમલો કરતા મચ્છરો અને વિવિધ પ્રકારના જંતુઓને નિયંત્રિત કરવા માટે થાય છે. આ જંતુનાશક મોટે ભાગે તીડના જોખમ સામે લડવા માટે વપરાય છે.