
ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું : કોંગ્રેસ.રાહુલ ગાંધીએ ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવી.અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને કઠેડામાં ઉભું કરી દીધું.કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો કર્યો છે. તેમણે ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવતા કહ્યું કે દેશભરમાં તેમની ડબલ એન્જિન સરકારોએ જનતાનું જીવન તબાહ કરી નાખ્યું છે. અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને રીતસર આરોપીના કઠેડામાં ઉભું કરી દીધું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રમક અંદાજમાં લખ્યું, “ભ્રષ્ટાચારની સાથે સત્તાનો દુરુપયોગ અને અહંકારનું ઝેર ભાજપની રાજનીતિમાં ઉપરથી નીચે સુધી ફેલાઈ ચૂક્યું છે.
તેમની સિસ્ટમમાં ગરીબ, અસહાય, મજૂર અને મધ્યમ વર્ગના લોકોનું જીવન માત્ર એક આંકડો બનીને રહી ગયું છે અને વિકાસના નામે માત્ર વસૂલી-તંત્ર ચાલી રહ્યું છે.”ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની ઘટનાઓનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ ભાજપ શાસનમાં મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલી હતી.
અંકિતા ભંડારી હત્યાકાંડ: તેમણે લખ્યું, “ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની ર્નિમમ હત્યાએ આખા દેશને હચમચાવી દીધો – પરંતુ સવાલ આજે પણ એ જ છે: સત્તાનું સંરક્ષણ ભાજપના કયા VIP ને બચાવી રહ્યું છે? કાયદો બધા માટે સમાન ક્યારે થશે?”
ઉન્નાવ બળાત્કાર કાંડ: ઉત્તર પ્રદેશના ઉન્નાવ કાંડ પર પ્રહાર કરતા તેમણે લખ્યું, “આખા દેશે જાેયું છે કે કેવી રીતે સત્તાના ઘમંડમાં અપરાધીઓને બચાવવામાં આવ્યા અને પીડિતાને ન્યાય માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી.”રાહુલ ગાંધીએ આરોગ્ય અને માળખાકીય સુવિધાઓની દુર્દશા માટે સીધા ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો.
ઝેરી પાણીથી મોત: “ઈન્દોરમાં ઝેરી પાણી પીવાથી થતા મોત હોય કે ગુજરાત-હરિયાણા-દિલ્હી સુધી ‘કાળા પાણી’ અને દૂષિત સપ્લાયની ફરિયાદો – ચારે તરફ બીમારીઓનો ભય છે.”
કુદરતી સંસાધનોની લૂંટ: “રાજસ્થાનની અરવલ્લી હોય કે અન્ય કુદરતી સંસાધનો – જ્યાં-જ્યાં અબજાેપતિઓનો લાલચ અને સ્વાર્થ પહોંચ્યો, ત્યાં-ત્યાં નિયમોને કચડી નાખવામાં આવ્યા. પહાડો કાપવામાં આવી રહ્યા છે, જંગલો ઉજ્જડ થઈ રહ્યા છે – અને જનતાને બદલામાં મળી રહ્યું છે: ધૂળ, પ્રદૂષણ અને આપત્તિ.”
ભ્રષ્ટાચારની સીધી અસર: તેમણે વધુમાં લખ્યું, “ખાંસીના સિરપથી બાળકોના મોત, સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓને મારતા ઉંદરો, સરકારી શાળાઓની પડતી છતો – આ લાપરવાહી નથી, ભ્રષ્ટાચારની સીધી માર છે. પુલ તૂટે છે, રસ્તાઓ ધસી જાય છે, ટ્રેન અકસ્માતોમાં પરિવારો ખતમ થઈ જાય છે અને ભાજપ સરકાર દર વખતે એ જ કરે છે: ફોટો-ઓપ, ટ્વીટ અને વળતરની ઔપચારિકતા.”
અંતમાં, ડબલ એન્જિન સરકારના નારા પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ લખ્યું, “મોદીજીનું ડબલ એન્જિન ચાલી રહ્યું છે – પણ માત્ર અબજાેપતિઓ માટે. સામાન્ય ભારતીય માટે આ ભ્રષ્ટાચારની ડબલ એન્જિન સરકાર વિકાસ નહીં, પણ તબાહીની રફતાર છે – જે દરરોજ કોઈને કોઈની જિંદગી કચડી રહી છે.”




