
મુંબઈ ઇન્ડિયન્સ સાથે ગુવાહાટી જવા રવાના થયો હાર્દિક પંડ્યા ૭ એપ્રિલે રાજસ્થાન સામેની મેચમાં વાપસી કરી શકે હાર્દિક બીમારીના કારણે દિલ્હી સામે રમી શક્યો નહોતો મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને IPL ૨૦૨૬ની પોતાના અભિયાનની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. જાેકે, ૪ એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાને આ મેચમાં બીમારીને કારણે આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે હાર્દિક ક્યારે તેની ફિટનેસ પાછી મેળવશે ? હવે તેની હેલ્થ અંગે મોટી અપડેટ સામે આવી છે.
મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ ૭ એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાશે. મીડિયા અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા ઇઇ સામેની મેચ પહેલા MI ટીમ સાથે ગુવાહાટી જવા રવાના થઈ ગયો છે. તે ટૂંક સમયમાં પ્રેક્ટિસ ફરી શરૂ કરવા માટે પણ તૈયાર છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન પંડ્યાની હાલત ગંભીર નહોતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કા દરમિયાન કોઈ જાેખમ લેવા માંગતું નહોતું. આ કારણોસર તેઓએ હાર્દિકને આરામ આપવાનું પસંદ કર્યું. પોતાની બીમારીને કારણે હાર્દિકે બે પ્રેક્ટિસ સેશન પણ ચૂકી ગયો હતો. તેમ છતાં તે હવે રાજસ્થાન રોયલ્સ સામેની આગામી મેચમાં મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે.
IPL ૨૦૨૬ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં છઠ્ઠા સ્થાને છે, જેમાં એક જીત અને એક હાર સામેલ છે. તેનો નેટ રન રેટ -૦.૨૦૬ છે. તે હવે ૭ એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવીને પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.





