- ‘સેન્સર બોર્ડ બંધ કરો’, રામ ગોપાલ વર્માના નિવેદનથી બોલીવૂડમાં ચર્ચા અને વિવાદ તેજ
- જાપાનમાં ‘ધુરંધર’ સુપરફ્લોપ, 80 સ્ક્રીન્સ છતાં પહેલા દિવસે ફક્ત 900 દર્શકો જ મળ્યા
- કાન ડેબ્યૂમાં પૂજા હેગડેનો સામાન ખોવાયો, છેલ્લી ઘડીએ તૈયારીઓ; અનુભવ ફરી ન કરવા જેવો ગણાવ્યો
- ‘તુંબાડ ૨’માં આલિયા ભટ્ટની એન્ટ્રીની જાહેરાત, નવાઝુદ્દીન સાથે 3 ડિસેમ્બર 2027એ થશે રિલીઝ
- Ice Casino Polska – Jak zarejestrować się i zacząć grać w Polsce
- Vavada online casino w Polsce – automaty do gry
- Azərbaycanda Pin Up Onlayn Kazino – Rəsmi Giriş Səhifəsi
- Kasyno Online Vulkan Vegas w Polsce – Dostępne Metody Płatności
Author: garvigujrat
Food News: કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણા જીવનનો એવો ભાગ બની જાય છે કે આપણે વિચારતા પણ નથી કે એની પાછળનું શું કારણ છે અથવા પહેલીવાર એવું ક્યારે કરવામાં થયું હતું. એવી તમામ વસ્તુઓ જેવી કે, જેમકે પેનના કેપમાં એક છેદ કેમ હોય છે અને ફરી નમકીન બિસ્કીટ પર કેમ આટલાં છેદ હોય છે. મીઠા બિસ્કીટ પર પણ એવું નથી હોતું, તો ફક્ત નમકીન બિસ્કીટ પર જ આવા કાણાં કેમ કરવામાં આવે છે? ખાવા-પીવાની બાબતમાં ભાગ્યે જ કોઈ આટલું વિચારતું હશે, હાથમાં આવતાં જ માણસ તેને સીધું ખાવાનું શરૂ કરી દે છે. તમે પણ ચા સાથે અલગ-અલગ બ્રાન્ડના…
International News: યુએસમાં સિલિકોન વેલીના પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકનોના જૂથે ન્યાય વિભાગ, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી અને તેમને જણાવ્યું હતું કે અમેરિકાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે. . આ જૂથે આ અઠવાડિયે કેલિફોર્નિયામાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલા નફરતના ગુનાઓને લઈને ન્યાય વિભાગ, એફબીઆઈ અને સ્થાનિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી. ઘણા લોકોના જણાવ્યા અનુસાર.. મીટિંગમાં હાજર ઘણા લોકોના જણાવ્યા અનુસાર, ભારતીય-અમેરિકનોએ એ હકીકત પર ગુસ્સો અને અસંતોષ વ્યક્ત કર્યો હતો કે યુએસમાં કાયદા અમલીકરણ એજન્સીઓ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન કરનારાઓ સામે કોઈ પગલાં લઈ…
Natioanl News: મણિપુરમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મણિપુરના ઉખરુલમાં સવારે 6.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 90 કિલોમીટર ઊંડે હતું. આ દરમિયાન ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ કોઈ નુકસાનની માહિતી નથી. ભૂકંપ શા માટે થાય છે? પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા…
Gujarat News: જૂનાગઢ પોલીસ તોડકાંડના તરલ ભટ્ટ બાદ વધુ એક પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના સસ્પેન્ડેડ એસઆઈ દીપક જાનીની એટીએસએ ધરપકડ કરી તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા એએસઆઈ દીપક જાનીને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તેમને જૂનાગઢ જીલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ અરવિંદ ગોહિલની એટીએસ દ્વારા ક્યારે ધરપકડ થાય તે એક સવાલ છે. દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે લાંચ માંગવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ(એસઓજી)ના સસ્પેન્ડેડ પીઆઈ એ.એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની દ્વારા બેંક ખાતાઓ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા માટે…
Beauty Tips: વિટામિન જેટલા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલા જ સુંદરતા માટે પણ જરૂરી છે. વિટામિનથી સ્વસ્થ્યની સાથે સાથે સુંદરતામાં પણ વધારો થાય છે. વિટામિન એ, બી, સી, ઈ સ્વાસ્થ્યની સાથે સાથે સુંદરતાને પણ નીખારે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, સુંદરતા માટે વિટામિન શા માટે જરૂરી છે. વિટામિન A- વિટામિન એમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જેની જરૂર દરેક ઉંમરની સ્ત્રીઓને હોય છે. જે તમારા હાડકા, ત્વાચ અને ટિશ્યૂની સાથે બ્રેઈનને મજબૂત બનાવે છે. વિટામિન એ ગાજર, પપૈયું, તરબૂચ, કદ્દુ, ટામેટા, બ્રોક્લી, આદુ, પાલક, ઈંડા, દૂધ અને અનાજમાં મળે છે. પપૈયું એક એવું પૌષ્ટિક ફળ છે જે સ્કીન માટે…
Health Tips: બ્લડ સુગરમાં વધારો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું સુગર લેવલ હંમેશા ઊંચું રહે છે તેમના ફેફસાં, કિડની અને હૃદય પર વિપરીત અસર થાય છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે કે દરરોજ સવારે અચાનક તેમનું શુગર લેવલ વધે છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો, તો તમારો સવારનો નાસ્તો ખૂબ જ હેલ્ધી હોવો ખૂબ જ જરૂરી છે. સવારનો નાસ્તો એવો હોવો જોઈએ કે તે તમારા શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત તમને દિવસભર એક્ટિવ રાખવામાં પણ મદદ કરે. લીલા પાંદડાવાળા શાકભાજી લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન A જેવા પોષક તત્વો હોય…
Business News: બુધવારના મોટા ઘટાડા પછી, ગુરુવાર, 14 માર્ચના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારના રોકાણકારો માટે રાહત મળી. આઈટી, એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેથી મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 73000ને પાર કરી 335 પોઈન્ટના ઉછાળા સાથે 73,097 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,000 પાર કરવામાં સફળ રહ્યો હતો અને 149 પોઈન્ટ વધીને 22,146 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર કમબેક કર્યુ આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ…
Vastu Tips: ધર્મ ડેસ્ક: શ્રાવણ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવે છે. આ માસ વિધિવત ભોલેનાથની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના દિવસે શિવજીનો જળાભિષેક અથવા રુદ્રાભિષેક કરવાથી વિશેષ કૃપા મળે છે. એની સાથે જ શ્રાવણ માસમાં ભગવાન શિવ સાથે સબંધિત વસ્તુઓ ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓમાંથી એક છે ડમરુ. માનવામાં આવે છે કે ઘરમાં ડમરુ રાખવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે. ચાલો જાણીએ વાસ્તુ હિસાબે કઈ દિશામાં ડમરુ રાખવું શુભ માનવામાં આવે છે. ડમરુને ઘરમાં ક્યાં રાખવું? જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યું છે તો તેની…
National News: એક દેશ, એક ચૂંટણી પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 18 હજારથી વધુ પાનાનો પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. ભારત સરકારે એક દેશ, એક ચૂંટણી પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. . સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. તેના સભ્યોમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ મુખ્ય તકેદારી કમિશનર સંજય કોઠારી છે. એક દેશ, એક ચૂંટણીનો સરળ શબ્દોમાં અર્થ એ છે કે તમામ ભારતીય મતદારો…
Gujarat News: આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃપ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પ્રણેતા વિધાનસભાના દંડકે પ્રયત્ન શરૂ કર્યા છે જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગેની દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ થશે તેમ જાણવા મળે છે. વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી વડોદરાના સુરસાગર થી લઈને ચાર દરવાજા વિસ્તારની આગવી ઓળખ હતી અને હેરિટેજ વડોદરાની પુનઃઓળખ થાય તે માટે તજજ્ઞોની સાથે પરીસંવાદ યોજીને વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને તજજ્ઞોએ હેરીટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. જેમાં નડતરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટર હટાવવામાં આવે તેવા સૂચનો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



