- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
પટણામાં કસ્ટમ અધિકારી બની તસ્કરો ૧૭ કિલો સોનું પડાવી ગયા રાજકોટના વેપારીઓનું રૂ.૨૫ કરોડનું સોનું બિહારમાં લૂંટાયું ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલા અંદાજે સાત જેટલા લૂંટારુઓએ પોતાની ઓળખ ‘કસ્ટમ અધિકારી’ તરીકે આપી હતી. બિહારમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ ચિંતાનો વિષય બની છે. રાજ્યમાં લૂંટ, ચોરી અને હિંસક ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, પરંતુ તાજેતરમાં પાટનગર પટણામાં ગુનેગારોએ જે ફિલ્મી ઢબમાં લૂંટની મોટી ઘટનાને અંજામ આપ્યો છે, તેણે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. દાનાપુરના ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારી બનીને આવેલા લૂંટારુઓએ એક જ્વેલરી વેપારીના સ્ટાફ પાસેથી અંદાજે ૧૭ કિલો સોનું લૂંટી લીધું છે, જેની બજાર…
મધ્ય-પૂર્વમાં શાંતિની આશા? અમેરિકા-ઈરાન વચ્ચે ૪૫ દિવસના ‘સીઝફાયર’ મુદ્દે ચર્ચા થયાનો દાવો આગામી ૪૮ કલાકમાં આ ૪૫ દિવસના સીઝફાયર પર મહોર વાગી જાય છે, તો વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળશે એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવાર સાંજની અંતિમ ચેતવણી (ડેડલાઈન) માથે તોળાઈ રહી છે, ત્યારે બીજી તરફ પડદા પાછળ યુદ્ધ રોકવા માટેના આખરી પ્રયાસો તેજ થયા છે. એક્સિયોસ ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ૪૫ દિવસના કામચલાઉ સીઝફાયર (સંઘર્ષ વિરામ) માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. જંગના ૩૩મા દિવસે શાંતિ પ્રસ્તાવ પર પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી મધ્યસ્થી કરી રહ્યા છે. ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી…
ઊર્જાના ભાવવધારાથી રશિયાને લાભ, યુદ્ધના સમીકરણ બદલાશે ઇરાન યુદ્ધથી યુક્રેનને US તરફથી મળતી સહાય ઘટશે: ઝેલેન્સ્કી યુએસની મધ્યસ્થી હેઠળ મોસ્કો અને કીવ વચ્ચે થયેલી તાજેતરની વાતચીત ફેબ્રુઆરીમાં કોઈ પરિણામ વગર પૂર્ણ થઈ હતી ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને પગલે હવે રશિયા-યુક્રેન યુદ્ધને પણ અસર થઈ રહી છે. યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ચિંતા વ્યક્ત કરી હતી કે ઇરાન યુદ્ધ લાંબું ચાલશે તો યુક્રેનને અમેરિકા તરફથી મળતી મદદમાં ઘટાડો થશે. હાલમાં અમેરિકાની પ્રાથમિકતા યુક્રેન નહીં, પરંતુ ઇરાન બની ગયું છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારો થતા રશિયાને મોટો નાણાકીય લાભ થઈ રહ્યો છે, તેથી તે યુક્રેન સામે વધુ આક્રમક…
મેકર્સે એક્ટ્રેસને ૩૦માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘માયસા’નું નવું પોસ્ટર રિલીઝ કરાયું રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના ૩૦મા જન્મદિવસના અવસરે, તેની આગામી ફિલ્મ ‘માયસા’ ના નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં રશ્મિકા ખૂબ જ શક્તિશાળી અને આક્રમક અવતારમાં જાેવા મળી રહી છે. રવીન્દ્ર પુલ્લેના ડિરેક્શનમાં બની રહેલી આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં રશ્મિકા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.પોસ્ટરમાં જાેવા મળ્યો એક્ટ્રેસનો ખતરનાક અંદાજ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર શેર કર્યું છે. આમાં રશ્મિકાનો ચહેરો ધૂળ…
ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થશે મામૂટી અને મોહનલાલની ફિલ્મ ‘પેટ્રિયોટ’ નું ટ્રેલર રિલીઝ ‘પેટ્રિયોટ’ ફિલ્મનું નિર્માણ એન્ટો જાેસેફ પ્રોડક્શન્સના બેનર હેઠળ એન્ટો જાેસેફ અને કેજી અનિલ કુમાર દ્વારા કરવામાં આવ્યું ફિલ્મ ‘પેટ્રિયોટ’ ના મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મહેશ નારાયણન દ્વારા દિગ્દર્શિત આ મલયાલમ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મામૂટી, મોહનલાલ, ફહાદ ફાસિલ અને નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. ખાસ વાત એ છે કે, મામૂટી અને મોહનલાલ ૧૭ વર્ષ પછી એક સાથે જાેવા મળશે. આ મલયાલમ જાસૂસી થ્રિલર ૧ મે, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.૩ મિનિટ ૩૨ સેકન્ડનું ટ્રેલર નયનતારાનું પાત્ર એક પીડિતા સાથે…
કંગના સિવાયના કોઈ કલાકાર રીપિટ નહિ થાયકંગનાની ફિલ્મનું નામ ક્વીન ટુ નહિ પરંતુ ફોરેવર ક્વીન હશે મોટાભાગે આ ફિલ્મમાં કંગનાને બાદ કરતાં કોઈ કલાકારો રીપિટ થવાની સંભાવના પણ નહિવત્ત કંગના રણૌતની ‘ક્વીન’ ફિલ્મનો સર્જક હવે ‘ક્વીન ટુ ‘ બનાવી રહ્યો હોવાની ચર્ચા કેટલાય દિવસોથી શરુ થઈ છે. હવે એવો દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મનું ટાઈટલ ‘ક્વીન ટુ’ નહિ પરંતુ ‘ફોરેવર ક્વીન’ હશે. આ ઉપરાંત એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મને મૂળ ‘ક્વીન’ ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવા દેવા નહિ હોય. આ સીકવલ નહિ હોય પરંતુ તદ્દન નવી જ સ્ટોરી હશે. મોટાભાગે આ ફિલ્મમાં કંગનાને બાદ…
અગાઉ નોરા સહિતની હિરોઈનો દ્વારા પણ વિરોધ પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટોગ્રાફીથી જાહ્નવી પણ ભડકી ફિલ્મમાં ભીની સાડી પહેરીને શૂટિંગ કરું તે મારી મરજી છે પણ આ રીતે વિડીયો લેવાય તે ખોટું હવે જાહ્નવી કપૂર પણ પાપારાઝીઓ દ્વારા અભદ્ર એંગલથી ફોટા કે વિડીયો લઈ બાદમાં તેને બહુ ખરાબ રીતે ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા હોવા અંગે વાંધો લીધો છે. જાહ્નવીએ થોડા સમય પહેલાં એક પાપારાઝીને રુબરુ મળીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જાહ્નવીએ કહ્યું હતું કે ફિલ્મોમાં અમે સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે ભીની સાડી પહેરીને ઉત્તેજક હાવભાવ આપીએ તેમાં અમારી મરજી હોય છે. પરંતુ, અમારી જાણ બહાર અમારા…
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતીથી મેદાને ઉતરી છે અને પોતાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. આમ આદમી પાર્ટીએ હાલ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની પણ શરૂઆત કરી છે. જેના થકી આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી રહી છે અને લોકોનો વિશ્વાસ જીતી રહી છે. ગતરોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આ નામ જાહેર કરાયા બાદ આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવારોએ અલગ અલગ સોસાયટીઓમાં જઈને પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું અને સુરતના ઉમેદવારોને તમામ સોસાયટીઓમાંથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો હતો અને લોકોએ પોતાનું સમર્થન આમ આદમી પાર્ટીને જાહેર કર્યું હતું. આમ…
કચ્છમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરી ગયેલી ભાજપ સરકાર હવે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કચ્છ કલેક્ટરને ઉગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ તથા જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંજય બાપટ (પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી), ઝુઝારદાન ગઢવી (જિલ્લા પ્રમુખ), કાંતાબેન પટેલ, મહાવીરસિંહ જાડેજા, મંજુલાબેન મહેશ્વરી, જાહિદ સોનેજી, વિજય ગોસ્વામી, ગોવિંદભાઇ મારવાડા, મામદ ખલીફા, પી.સી. ચાવડા, અર્ધમાન સગાર, ભરત જોગુ, લાખેના જત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અગ્રણીઓ…
સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીને ધોઈ નાખી! કમિશનની સિસ્ટમ હવે ભાજપમાં પણ ઘૂસી ગઈ છે પોતાની જ પાર્ટીના નેતાઓ પર બસ સ્ટેશનને બદલે શોપિંગ સેન્ટર બનાવી ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવ્યો સામે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે વિપક્ષને બદલે ભાજપના જ વરિષ્ઠ અને આખાબોલા સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના નેતાઓ પર રીતસરના બગડ્યા છે. તેમણે જાહેરમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્ય પર કમિશન એટલે કે ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે, નેતાઓ લોકોની સુવિધા માટે બસ સ્ટેશન બનાવવાને બદલે પોતાના આર્થિક ફાયદા અને ટકાવારી માટે શોપિંગ સેન્ટર ઊભા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



