Author: Garvi Gujarat

હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં કતાર એનર્જી પ્લાન્ટ અત્યારે માત્ર ૧૭% ક્ષમતા પર કામ કરી રહ્યો છે અને તેને ઠીક કરવામાં ૩થી ૫ વર્ષ લાગી શકે ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક એવો વળાંક આવ્યો છે જેણે સમગ્ર વિશ્વની ટૅક્નોલૉજી અને મેડિકલ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો LNG(પ્રવાહી પ્રાકૃતિક ગેસ) પ્લાન્ટ છે. આ હુમલાને કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે અને ભારે નુકસાન થયું છે. કતાર એનર્જીના CEO અનુસાર,…

Read More

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે ઈરાન પાયમાલ થઈ રહ્યું છે અને તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી વિશ્વભરમાં તેલ અને ગેસના વધતા સંકટ વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સામેનું આ યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે ઈરાન અત્યારે પાયમાલ થઈ રહ્યું છે અને હવે તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી. વધુમાં, ઈરાનના ઉચ્ચ નેતૃત્વમાં પણ આંતરિક…

Read More

ઈરાન સામે એકજૂથ થઈ દુનિયા હોર્મુઝને સુરક્ષા પૂરી પાડવા માટે ૬ દેશોએ કાઢ્યો મોટો તોડ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને જાપાને કહ્યું કે તેઓ જહાજાેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈયાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળા હવે બીજા દેશો સુધી પણ પહોંચી ગઈ છે. આ યુદ્ધ હવે ઓઈલના યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. એકબીજાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થતા જાેવા મળ્યા. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ચારેબાજુ હાહાકાર થઈ ગયો કારણ કે ઓઈલ અને ગેસના વેપાર માટે આ જળમાર્ગ ખુબ મહત્વનો છે. વધતા તણાવ વચ્ચે હવે યુરોપ અને જાપાને મોટું પગલું ભરવાનો સંકેત આપી દીધો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી,…

Read More

મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે સંઘ પ્રમુખ મોહન ભાગવતે RSS ના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઉભું થયું છે, ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિશ્વભરને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભાગવતે કહ્યું છે કે, સ્વાર્થી હિત ધરાવનારા લોકો અને વર્ચસ્વ જમાવવાની ઈચ્છા રાખનારાઓના કારણે જ વિશ્વમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર એકતા, અનુશાસન અને અને ધર્મના પાલનથી જ કાયમી શાંતિ સ્થાપી શકાય છે. સંઘ પ્રમુખ ભાગવતે આજે ઇજીજીના મુખ્ય…

Read More

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે : કેન્દ્રની જાહેરાત તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી જથ્થો મેળવી શકશે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદ કર્યા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. એપ્રિલ ૨૦૨૬ માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા…

Read More

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકોના હિતમાં રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીને એક મહત્વનો પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં ભાર મૂકીને માંગ કરવામાં આવી છે કે દહેગામ તાલુકાના પશુપાલકોને અમદાવાદ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડવાને બદલે તેમના પોતાના જિલ્લાના ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) સાથે જોડવામાં આવે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, દહેગામ તાલુકામાં અંદાજિત 15000 કરતાં વધારે પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને રોજનું 60000 લિટર કરતા વધુ દૂધનું ઉત્પાદન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. દહેગામ તાલુકો સરકારી ચોપડે ગાંધીનગરમાં સમાવિષ્ટ હોવા છતાં પણ દહેગામના પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદ દૂધ…

Read More

સોનાના વાયદામાં રૂ.1681 અને ચાંદીના વાયદામાં રૂ.2075નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.36 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.41087.85 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.242031.61 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 30247.73 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36160 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.283119.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.41087.85 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.242031.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 36160 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3605.06 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 30247.73 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.148302ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.148457 અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દક્ષિણ ગુજરાતના માજી ધારાસભ્ય અને માજી સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી રહે.શક્તિ નગર બોથેલ કોલોની ગણેશજીના મંદિર પાસે વ્યારા જિ. તાપી તેઓ માજી ધારાસભ્ય અને માજી સાંસદ છે. સરકાર ધ્વારા ધારાસભ્ય અને સાંસદો ને તેઓના નિર્વાહ માટે ધંધા રોજગાર કરી શકે તે માટે સરકારી જમીન આપવામાં આવતી. અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીને પણ સરકાર ધ્વારા સુરતના પુણા કુંભારિયા રોડ ખાતે જગ્યા ફાળવવામાં આવેલી. આ સમયે સુરત શહેરને ગેસ પુરવઠો પૂરો પાડવા જણાવી ગેસ એજન્સી પણ શરૂ કરેલી. પરંતુ સુરત શહેરનો ઝડપી વિકાસ થતાં અને ટેક્ષટાઈલ ની માર્કેટોના બાંધકામ થતાં જમીનોના ભાવ ઊંચકાયેલા અને રોડ ટચ જમીન હોવાને કારણે જમીન…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુસ્લિમ બિરાદરો માટે રમઝાન માસનું ખૂબ મહત્વ છે.નાનાથી લઈને મોટા સૌ રમઝાન માસના આખા મહિનાના રોઝા રાખીને અલ્લાહની બંદગી કરે છે.સુરતના બડેખાચકલા ચાર રસ્તા પાસે રહેતા યાસ્મીન અને શોએબ મેમણ ની સાત વર્ષ અને ત્રણ માસની પુત્રી આયેશા પૂરા રમઝાન માસના રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી છે.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રમઝાન માસ રોઝાનો પવિત્ર મહિનો છે. આ તહેવાર એટલે કે ઇદના દિવસે, વિશ્વભરના મુસ્લિમો પ્રાર્થના કરવા ભોજન વહેંચવા અને આનંદ અને સદભાવના માટે ભેગા થાય છે. પરંતુ શું તમને ખબર છે કે ઈદ-ઉલ-ફિત્ર ને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. ઈદ ઉજવણી અને એનું મહત્વ શું છે? “મીઠી ઈદ” કેમ કહેવામાં આવે છે? ઈદ-ઉલ- ફિત્ર ને ઘણીવાર “મિઠી ઈદ” કહેવામાં આવે છે. આ નામ એક મહિનાના રોઝાના સમાપનની ઉજવણી માટે મીઠી વાનગીઓ તૈયાર કરવાની અને તેનો આનંદ માણવાની પરંપરા પરથી આવ્યું છે. રમઝાન માસ દરમ્યાન સવારથી સૂર્યાસ્ત સુધી રોઝા રાખ્યા પછી પરિવારો સેવૈયા (સેવૈયા ખીર) ખીર,શીર…

Read More