- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં ચૂંટણીના પડઘમ વાગતાં જ શાસક અને વિપક્ષની બંને છાવણીઓના પક્ષો મતદારોને આકર્ષવા માટેજાહેરાતોનો મારો ચલાવે છે. આ સમયગાળા દરમ્યાન “મફત ભેટ” વહેંચવાની પ્રથા વધી રહી છે. થોડા સમય પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજય સરકારે “મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના” હેઠળ મહિલાઓના બેન્ક ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦/- જમા કરાવ્યા હતા. તેવી જ રીતે પંજાબ સરકારે હવે “મુખ્યમંત્રી માવાં-ધિયાં સત્કાર યોજના” ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને રૂપિયા ૧૦૦૦/- મળશે. જ્યારે અનુસુચિત જાતિની મહિલાઓને રૂપિયા ૧૫૦૦/- મળશે. ૨૦૨૨ ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ધ્વારા આ એક મુખ્ય વચન આપવામાં આવ્યું હતું. આ એ…
૯૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદના બગોદરામાં દારૂ ભરેલ ટ્રક ઝડપ્યો લોકસભાની ચૂંટણીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદના બગોદરા પાસે હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. લોકસભાની ચૂંટણીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી વિગત મુજબ, બગોદરા ટોલટેક્સ પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવી તેની તલાશી…
વલસાડ જિલ્લામાં બપોરે ૧.૧૨ કલાકે ૧.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૭ જેટલી માપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૧.૭ નોંધવામાં આવી છે. જાેકે, તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોને આ આંચકાનો અહેસાસ થયો ન હતો, પરંતુ ભૂકંપની વિગતો સામે આવતા જ લોકોમાં કુતૂહલ અને ચર્ચા જાગી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, વલસાડમાં બપોરે ૧.૧૨ કલાકે આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૭ જેટલી માપવામાં…
૨૪ કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બોટાદમાં બપોરનો ઝઘડો રાત્રે જૂથ અથડામણમાં ફેરવાયો પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા બોટાદ જિલ્લાના ગઢડામાં છેલ્લા ૨૪ કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. વિંચીયા પરા વિસ્તારમાં શુક્રવારે (ત્રીજી એપ્રિલ) રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા. મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે…
અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફરાર કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે ૧૮ વર્ષીય યુવકનો ભોગ લીધો પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને એવી જાેરદાર ટક્કર મારી કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા વાહનચાલકોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના વ્યસ્ત ગણાતા કોબા રોડ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ૧૮ વર્ષીય નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને એવી જાેરદાર ટક્કર મારી કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું…
૧૯૨ બેઠકો માટે ૨૩૬૪ દાવેદારો! અમદાવાદમાં ભાજપની ટિકિટ લેવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો અમદાવાદ મનપા ચૂંટણી માટે ભાજપ પાસે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરી નાખી છે. જે બાદ ભાજપ દ્વારા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપની ટિકિટ લેવા માટે સેંકડો દાવેદારો મેદાનમાં આવ્યા છે. ત્યારે અમદાવાદના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે અમદાવાદ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદ મહાનગર મહાનગર પાલિકામાં કુલ ૪૮ વોર્ડની કુલ…
૧નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા મધ્યપ્રદેશના અનૂપપુરમાં ૪ માળની હોટલ ધરાશાયી આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોતમા વિસ્તારમાં આવેલી એક ચાર માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કાટમાળ નીચે દટાવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કાર્ય…
પેટ્રોલ-ડીઝલ અને LPG લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ગેસની અછત સર્જાઈ છે અમેરિકા ઈઝરાયેલ અને ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે, ભારતમાં પણ પેટ્રોલ અને LPG પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, સરકારે ફરી એકવાર દેશના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અથવા LPG ખરીદવાથી ગભરાટમાં ન આવવાની અપીલ કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પણ દેશમાં ઇંધણનો પુરવઠો પૂરતો છે. આ નિવેદનમાં જનતાને ખાતરી આપવામાં આવી છે કે પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ…
વન વિભાગે કરી જાહેરાત અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતું પકડાયંુ તો થશે જેલ ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાનરોનો આતંક અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના પગલે હવે અમદાવાદ માટે વન વિભાગે મોટો ર્નિણય લીધો છે. વન વિભાગે જાહેરાત કરી છે કે જાે અમદાવાદમાં વાનરોને કોઇ કઇ પણ ખાવાનું આપતુ દેખાશે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હવે ગંભીર ગુનો ગણાશે. વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ ૨ હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા…
કોમેડિયન એક્ટર રાજપાલ યાદવનું નિવેદન વાઈરલ મારા વગર સલમાન-અક્ષય કુમાર પણ નથી ચાલી શકતા રાજપાલ યાદવ ચેક-બાઉન્સ કેસમાં ફેબ્રુઆરીમાં તિહાર જેલમાં સરેન્ડર કર્યા બાદ હાલમાં જામીન પર છે અભિનેતા રાજપાલ યાદવ ચેક-બાઉન્સ કેસમાં ફેબ્રુઆરીમાં તિહાર જેલમાં સરેન્ડર કર્યા બાદ હાલમાં જામીન પર છે. સરેન્ડર કરતા તેમણે કહ્યું હતું કે મારી પાસે ચૂકવવા માટે પૈસા નથી, ત્યારબાદ અભિનેતાની આર્થિક સ્થિતિ અંગે વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જાેકે, જામીન મળ્યા બાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે, પોતાના લગભગ ત્રણ દાયકાના લાંબા કરિયરમાં હું ક્યારેય કામ વગર નથી રહ્યો. હવે તાજેતરમાં જ ફરાહ ખાનના યુટ્યુબ વ્લોગ પર વાતચીત દરમિયાન આ અંગે ફરીથી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



