Author: garvigujrat

‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ’ કોકરોચ જનતા પાર્ટીએ સરકાર સામે માંડ્યો મોરચો દિપકનો આરોપ છે કે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ અને વિવાદોના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માડી દીધો છે. દિપકે કહ્યું છે કે તેઓ ૬ જૂને ભારત પરત આવશે અને દિલ્હીમાં એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે. તેમની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જાેઈએ. કારણ છે પરીક્ષા સંબંધિત ગેરરીતિઓ, જેનાથી લાખો વિદ્યાર્થીઓ પરેશાન છે.અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યાે. તેમાં તેમને તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ તેમની સાથે…

Read More

ડેટા સેન્ટર્સ પરની ર્નિભરતામાં ઘટાડો આવશે ક્લાઉડની જગ્યાએ લેપટોપમાં AI એનવીડિયાએ નવી ચિપ લોન્ચ કરી પહેલા, ચેટજીપીટી જેવા મોટા એઆઈ મોડલ્સ ચલાવવા ક્લાઉડ સર્વર અને ડેટા સેન્ટર્સની જરૂર પડતી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ સર્જનાર કંપની એનવીડિયા હવે પર્સનલ કમ્પ્યુટરને પણ નવી ઓળખ આપવા તૈયાર છે. કંપનીએ તાઈવાનમાં યોજાયેલા કોમ્પ્યુટેક્સ ૨૦૨૬ ટેક ફેરમાં નવી આરટીએક્સ સ્પાર્ક્સ સુપરચિપ રજૂ કરી છે. આ ચિપ નેક્સ્ટ જનરેશન એઆઈ સંચાલિત લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટર્સનું હૃદય બનશે. એનવીડિયાના ફાઉન્ડર અને સીઈઓ જેનસન હુઆંગે આરટીએક્સ સ્પાર્ક્સનું અનાવરણ કરતાં જણાવ્યું કે, અમે છેલ્લા ચાર દાયકામાં પહેલી વખત પર્સનલ કમ્પ્યુટરને ફરીથી શોધી રહ્યા છીએ. કમ્પ્યુટર હવે માત્ર સોફ્ટવેર…

Read More

કિવમાં ભારે વિનાશ રશિયાએ યુક્રેન પર ૬૦ થી વધુ મિસાઇલોથી ‘ડબલ-ટેપ’ હુમલો કર્યાે આ હુમલામાં રશિયાએ નાગરિકોના ઘરોને સીધા નિશાન બનાવ્યા છે, જેના પરિણામે વ્યાપક નુકસાન થયું, કિવના પોડિલ્સ્કી જિલ્લામાં, એક બહુમાળી એપાર્ટમેન્ટ બ્લોક સંપૂર્ણપણે ધરાશાયી થયો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક વળાંક લીધો છે. રશિયાએ યુક્રેનના અનેક મુખ્ય શહેરો પર અત્યાર સુધીનો સૌથી તીવ્ર અને વિનાશક બેલિસ્ટિક મિસાઇલ હુમલો કર્યાે છે. આ હુમલાની ભયાનકતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાજધાની કિવ, તેમજ ખાર્કિવ, ઝાપોરિઝ્ઝિયા, ડિનિપ્રો અને કામિયાન્સ્કે સહિત મુખ્ય શહેરો વિસ્ફોટોથી હચમચી ગયા છે. આ વિશાળ, રાતોરાત હુમલામાં માત્ર લશ્કરી સ્થાપનો…

Read More

બોબી દેઓલે પોતાની કૅરિઅરની સૌથી મોટી નિ:રાશા વિશે વાત કરી ‘જબ વી મેટ’ ગુમાવીને હું વધુ સારો વ્યક્તિ અને કલાકાર બન્યો બોબી દેઓલ તાજેતરમાં આપ કી અદાલત શોમાં આવ્યો હતો અને શાહિદ અને કરીના કપૂરની આ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી હતી બોબી દેઓલે પોતાની કૅરિઅરના સૌથી કપરા સમયમાં ઇમ્તિઆઝ અલીની જબ વી મેટ ફિલ્મ ગુમાવી દીધી હતી અને તે એની કૅરિઅરની સૌથી મૌટી નિ:રાશા હતી. બોબી દેઓલે તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની સફરના આ તબક્કે તેનું મન તુટી ગયું હતું તેમ છતાં આ ઘટનાએ તેને એક સારો વ્યક્તિ બનાવ્યો અને સારો કલાકાર બનવામાં પણ મદદ કરી.બોબી દેઓલ તાજેતરમાં…

Read More

ઇમ્તિઆઝ અલીની આ રોમેન્ટિક ફિલ્મમાં વેદાંગની જાેડી શર્વરી સાથે જાેવા મળશે લોકોને હવે ખામીઓવાળા હિરોમાં રસ છે : વેદાંગ રૈના ફિલ્મમાં વેદાંગ ભારતના ભાગલા પહેલાંના સમયગાળાના એક શીખ યુવાનની ભૂમિકા ભજવે છે તાજેતરના સમયમાં હિન્દી સિનેમામાં એવો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે કે તીવ્ર પ્રેમકથાઓ અથવા અતિ-પુરુષત્વ ધરાવતા (આલ્ફા મેલ) મુખ્ય પાત્રોવાળી ફિલ્મો બોક્સ ઓફિસ પર સૌથી વધુ દર્શકો ખેંચી રહી છે. ધુરંધર શ્રેણી, એનિમલ(૨૦૨૩) અને સૈયારા (૨૦૨૫) જેવી ફિલ્મોની સફળતા તેનું ઉદાહરણ છે. આ દરમિયાન, વેદાંગ રૈના હવે ફિલ્મ નિર્માતા ઇમ્તિઆઝ અલીની ભવ્ય રોમેન્ટિક ફિલ્મ ‘મૈં વાપસ આંઉંગા’માં જાેવા મળશે.વેદાંગને આ આલ્ફઆ મેલ ફિલ્મોના ટ્રેન્ડથી ફિલ્મને થતાં નફા વિશે…

Read More

વોશિંગ્ટનડી.સી. સ્થિતU.S.-India Business Council (USIBC) દ્વારા ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ આવેલા PHDCCI પ્રતિનિધિ મંડળનું યજમાન પદ સ્વીકારવામાં આવ્યું હતું, જે આ બેઠક ના મહત્વ અને પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. બેઠક પૂર્ણ થયા બાદ USIBC એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા મંચ પર આસંવાદ ને ભારત- અમેરિકા કૃષિસહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણાવ્યો. USIBC એ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલા વિચાર વિમર્શે કૃષિક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે ના સહકારને નવી ગતિ આપવા, સામૂહિક પડકારોના ઉકેલ શોધવા તથા ઉભરતી તકો પર અર્થપૂર્ણ ચર્ચા માટે માર્ગ મોકળો કર્યો છે. પરિષદે…

Read More

કંગનાની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા ૧૨ જુને રિલીઝ થશે ‘દેશની જનતા જ અસલી ભારત ભાગ્યવિધાતા છે’ : કંગના રનૌત ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યાે ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યાે છે, જેમાં તેણે ફિલ્મનાં નામનો અર્થ અને તે જેમને સમર્પિત છે એવા સામાન્ય લોકો વિશે વાત કરી છે.વિડિયોમાં કંગનાએ એવા કર્મચારીઓ તરફ ધ્યાન દોર્યું છે, જેઓ દરરોજ જરૂરી સેવાઓને ચાલુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કંગનાએ કહ્યું કે જાે એક જ દિવસ માટે હોસ્પિટલ, શાળા, રેલવે, સ્વચ્છતા વિભાગ અને…

Read More

ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરી સાથે બીજી ફિલ્મ શરૂ કરશે અહાન પાંડે અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને જુલાઈ સુધીમાં પોતાનો ભાગ પૂર્ણ કરવાની શક્યતા છે સૈયારાએ પછી મોટી સફળતા મેળવ્યા બાદ, અહાન પાંડે, અનીત પડ્ડા અને દિગ્દર્શક મોહિત સુરીની હિટ ત્રિપુટી ફરી એકવાર બીજી રોમેન્ટિક ફિલ્મ માટે સાથે આવવાની તૈયારી કરી રહી છે. એવા અહેવાલો છે કે આ બહુ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની તૈયારી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરીની આગામી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે. હાલમાં ફિલ્મ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આંદ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભકતોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા. આ આંકડો ગયા બે વર્ષના મે મહિનાના મુંડન કરતાં ઘણો વધારે છે. ૨૦૨૫ના મે મહિનામાં ૧૦,૧૮,૩૭૦ ભક્તોએ અને ૨૦૨૪ ના મે મહિનામાં ૧૦,૬૫,૭૨૯ ભક્તોએ મુંડન કરાવ્યુ હતું. બોલચાલમાં તિરુપતિ બાલાજી તરીકે પણ કહેવાતા ભગવાન વેન્કટેશ્વરને વાળ ચડાવવાની પરંપરા ગરમીની સિઝનમાં ખૂબ વધી ગઈ છે. ગયા મહિનાના પહેલા ૨૭ દિવસમાં જે સંખ્યામાં ભકતોએ માથું મૂંડાવ્યું એનાથી દુનિયાના સૌથી મોટા “કલ્યાણ કટ્ટા” એટલે કે મુંડન કેન્દ્રનો રેકોર્ડ બની ગયો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓએ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સામેનો સૌથી મોટો પડકાર તેનો વિશાળ દરિયાકિનારો છે. તેથી આ લાંબા કિનારા પર કાર્યરત મોટી સંખ્યામાં નોંધાયેલા નાના જહાજો અને બોટો પર દેખરેખ રાખવા માટે એક મજબૂત તંત્ર સ્થાપિત કરવું અત્યંત જરૂરી છે. વ્યાપારી અને સુરક્ષા બંને દ્રષ્ટિકોણથી આ દરિયા કિનારો એક સંવેદનશીલ ક્ષેત્ર છે. આમ સરહદ પારની દાણચોરી ધ્વારા દેશભરમાં માદક દ્રવ્યોના નશાનું નેટવર્ક ફેલાવતી સંગઠિત સિન્ડીકેટ્સની આસપાસ સકંજો સખત કરવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે દેશમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોનો વધતો જતો વેપલો એક ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવ્યો છે. તેનો વ્યાપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દુષણ મોટા શહેરોથી દૂરના ગામડાઓ સુધી ફેલાયેલુ…

Read More