- પશ્ચિમ બંગાળમાં ગેરરીતિ બાદ ચૂંટણી પંચે 15 બૂથ પર ફરી મતદાનનો આદેશ, દક્ષિણ 24 પરગણામાં તણાવ વધ્યો
- વંદે ભારત ટ્રેનના નાસ્તામાં કીડા મળતાં મુસાફરોની તબિયત બગડી, રેલવે તપાસના આદેશ
- અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ઈરાન તણાવ વધ્યો, 6500 ટન સૈન્ય સામગ્રી મોકલાતા યુદ્ધની આશંકા તીવ્ર
- અમદાવાદ કચેરીમાં QR કોડથી અશાંતધારા નકલી પરમિશન કૌભાંડ ખુલ્યું, એજન્ટ સામે ગુનો
- કોમર્શિયલ LPG સિલિન્ડર ₹993 મોંઘો, ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા
- અમેરિકા દ્વારા ભારતને ₹117 કરોડની 657 પ્રાચીન કળાકૃતિઓ પરત, તસ્કરી પર મોટો પ્રહાર
- મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસનો હુંકાર, EVM મુદ્દે ચૂંટણી પંચ-ભાજપ સામે વિરોધ
- અક્ષય કુમારના પુત્ર આરવનો ફિલ્મોથી ઈનકાર, ફેશનમાં કારકિર્દી અને ₹4500થી શરૂઆત
Author: Garvi Gujarat
પેટ્રોનેટના CEO ની જાહેરાત.‘યોગ્ય ઓફર મળે તો અમેરિકા પાસેથી LNG પણ ખરીદશે ભારત’.ભારત હાલમાં વિશ્વનો ચોથો સૌથી મોટો LNG આયાતકાર દેશ છે, પેટ્રોનેટ હાલમાં મુખ્યત્વે કતાર અને ઓસ્ટ્રેલિયા પાસેથી ગેસ ખરીદે છે.ભારતની સૌથી મોટી ગેસ આયાતકાર કંપની, પેટ્રોનેટ LNG (PLNG.NS) એ અમેરિકા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની આયાત વધારવાની તૈયારી દર્શાવી છે. કંપનીના CEO એ જણાવ્યું છે કે ‘જાે અમેરિકા વાજબી ભાવે ગેસની ઓફર કરશે, તો ભારત ચોક્કસપણે ખરીદીમાં વધારો કરશે.’તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પરની ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હતી. જાેકે, આ આર્થિક રાહતના બદલામાં અમેરિકા અપેક્ષા રાખી રહ્યું છે કે ભારત…
ખ્રિસ્તી સમાજના સંતનું ખોટી રીતે ચિત્રણ.હવે યશની ફિલ્મ ટોક્સિક સામે ખ્રિસ્તી સમુદાયનો વિરોધ.ફિલ્મ સર્જકો ઉપરાંત જુદા જુદા સત્તાવાળાઓ સમક્ષ આ સીન્સ ડિલીટ કરી દેવા માગણી કરવામાં આળી.મનોજ વાજપેયીની ‘ઘૂસખોર પંડિત’ ફિલ્મનાં ટાઈટલથી દેશભરમાં બ્રાહ્મણ સમુદાય ઉકળી ઉઠયો છે ત્યાં હવે યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ સામે ખ્રિસ્તી સમાજે નારાજગી વ્યક્ત કરી છે. ખ્રિસ્તી સમુદાયના જણાવ્યા અનુસાર આ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોમાં ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ખ્રિસ્તી સંતોનું અભદ્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી સમુદાયના સંતની હાજરીમાં કેટલાંક એવાં કાલ્પનિક દ્રશ્યો દર્શાવાયાં છે જે ખ્રિસ્તી સમાજના લાગણીને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મના સર્જકો ઉપરાંત જુદા જુદા સત્તાવાળાઓને પણ આ…
ફિલ્મમાં શાહિદ કપૂર હુસેન ઉસ્ત્રાનું પાત્ર ભજવે છે.યુવાન દર્શકોમાં શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નો ધરખમ ક્રેઝ.શાહિદ કપૂર હવે મોટા પાયે પુનરાગમન કરવા તૈયાર દેખાઈ રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ ‘દેવા’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિયો’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ફિલ્મ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છેે અને હવે તેમાં માત્ર એક દિવસ બાકી છે. આ સાથે જ ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે, જેમાંથી ફિલ્મે જાેરદાર કમાણી શરૂ કરી દીધી છે. શાહિદ કપૂરની આ ફિલ્મને કેટલા કરોડની ઓપનિંગ મળશે, તેની આતુરતાપૂર્વક રાહ જાેવાઈ રહી છે. પરંતુ તે પહેલાં જાણીએ કે…
એક દાયકા બાદ પુનરાગમન કરશે.‘વારાણસી’ના માધ્યમથી પ્રિયંકા ચોપરા ભારતમાં પુનરાગમન કરશે.પેન-ઇન્ડિયા ફિલ્મ ‘વારાણસી’માં પ્રિયંકા સાથે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે.પ્રિયંકા ચોપરા આજના સમયમાં વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતી ગણતરીની ભારતીય અભિનેત્રીઓ પૈકીની એક છે. હોલિવૂડમાં મજબૂત સ્થાન ઉભું કર્યા બાદ હવે તે લગભગ એક દાયકાના લાંબી વિરામ બાદ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ દ્વારા ભારતીય સિનેમામાં પુનરાગમન કરી રહી છે. જાેકે, આ સફળતાની મજલ સરળ નહોતી.બોલિવૂડમાં ટોચના શિખરે હોવા છતાં પ્રિયંકાએ ભારતીય સિનેમા છોડવાનો સાહસિક ર્નિણય લીધો હતો. તે સમયગાળામાં તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ પૈકીની એક હતી અને ‘મેરિ કોમ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘દિલ…
नशों और संगठित अपराध के खिलाफ अपनी दृढ़ स्थिति दोहराते हुए पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज पूरी सीनीयर पुलिस लीडरशिप को सुरक्षा व्यवस्था सख्ती से लागू करने के आदेश देते हुए कहा कि पूरे राज्य में अमन कानून व्यवस्था सुनिश्चित की जाए। पुलिस कमिश्नरों, इंस्पेक्टर जनरल (आईजी), डिप्टी इंस्पेक्टर जनरल (डीआईजी) और सीनियर सुपरिंटेंडेंट्स ऑफ पुलिस (एसएसपी) के साथ उच्च-स्तरीय समीक्षा बैठक की अध्यक्षता करते हुए मुख्यमंत्री ने कहा कि ‘युद्ध नशेयां विरुद्ध’ और ‘गैंगस्टरां ते वार’ पंजाब सरकार की प्रमुख प्राथमिकताएं हैं और नशों के खतरे तथा गैंगस्टर नेटवर्क को जड़ से खत्म करना चाहिए। समूचे…
आम लोगों से सीधा संपर्क बनाए रखने संबंधी अपनी गतिविधियों को जारी रखते हुए पंजाब के मुख्यमंत्री भगवंत सिंह मान ने आज जालंधर में अपने निवास स्थान पर ‘लोक मिलनी’ कार्यक्रम आयोजित कर यहां के नागरिकों से मुलाकात की और उनकी शिकायतों का मौके पर ही निपटारा किया। इस पहल को एक ही प्लेटफॉर्म पर लोगों की शिकायतों के समाधान के लिए सबसे प्रभावी माध्यम बताते हुए मुख्यमंत्री ने कहा कि पंजाब एकमात्र ऐसा राज्य है जहां राज्य का मुखिया व्यक्तिगत रूप से लोगों से मिलकर उनके मुद्दों का मौके पर ही निपटारा सुनिश्चित करता है। इस बात पर जोर…
રાજુ કરપડાના આક્ષેપો અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજુભાઈ કરપડાએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું છે, તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. આમ આદમી પાર્ટી સંઘર્ષનો માર્ગ અપનાવતી પાર્ટી છે. અમારી સાથે જોડાયેલા મોટાભાગના લોકો સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે. અમે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને ખુલ્લેઆમ પડકારીએ છીએ, તેથી આમ આદમી પાર્ટીમાં કાર્ય કરવું સરળ નથી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જ્યારે કોઈ નેતા જનહિતના મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે તેને ડરાવવાની, ખોટા કેસોમાં ફસાવવાની અને જેલમાં મોકલવાની કોશિશ કરવામાં આવે છે. અગાઉ પણ અનેક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા…
આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ટોપી અને ખેસ પહેરીને વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મહત્વપૂર્ણ અવસર પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામાન્ય લોકો માટે એક વિકલ્પ અને આશાનું કિરણ લઈને ઉભરી છે. બીજી બાજુ ભાજપનું એકચક્રી શાસન છે, ભાજપે તમામ સંસ્થાઓને ગુલામ…
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.793, ચાંદીમાં રૂ.3779 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.47ની નરમાઇકોમોડિટી વાયદાઓમાં રૂ.18149.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108692.87 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12335.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39289 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.126846.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18149.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.108692.87 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39289 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2344.35 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12335.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.158000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158747 અને નીચામાં રૂ.157700ના સ્તરને સ્પર્શી, રૂ.158755ના આગલા બંધ સામે રૂ.793 ઘટી રૂ.157962ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.275 ઘટી રૂ.128952 થયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી…
બેડી-ધરાનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર.જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: ૫ પોઝિટિવ કેસ નોંધાયા.પાણીની મુખ્ય પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે. જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે (૧૨મી ફેબ્રુઆરી) વધુ ૫ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ શહેરમાં કોલેરા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૨૦ પર પહોંચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, શહેરમાં રોગચાળો ફાટી નીકળતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. બેડી-ધરાનગર-૧ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી છેલ્લા ૩ દિવસથી ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



