Author: Garvi Gujarat

મંદિર સમિતિનો ર્નિણય.મંદિર સમિતિનો ર્નિણય.સારા છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન ડિનો’માં આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળી હતી.સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને ૨૦૧૮માં ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. અભિષેક કપૂર દ્વારા ર્નિદેશિત આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જાેવા મળી હતી. કેદારનાથની શાંત અને સુંદર જગ્યાઓ પર પોતાની સફળ ફિલ્મનું શૂટિંગ કર્યા બાદથી અભિનેત્રી નિયમિત રીતે મંદિર જતી રહે છે. તે સમયાંતરે આશીર્વાદ લેવા માટે ત્યાં જાય છે. જાેકે, નવી માહિતી અનુસાર હવે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં આશીર્વાદ લેવા માટે તેમને એફિડેવિટ જમા કરવું પડશે.૧૭ માર્ચે બદ્રી-કેદાર મંદિર સમિતિનાં અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ…

Read More

હિન્દી વર્ઝન માટે મંજૂરી વિના મારી ઈમેજનો ઉપયોગ સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો.ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ચાર મિનિટના વિડિયોમાં, નોરા ફતેહીએ જણાવ્યું કે તેને હિન્દી વર્ઝન અથવા તેના શબ્દો વિશે કોઈ જાણકારી નહોતી.એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ આવનારી ફિલ્મ ‘કે.ડી.: ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચૂનર’ને લઈને સર્જાયેલા વિવાદ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે, કારણ કે ગીતની હિન્દી વર્ઝનને તેનાં દ્વી અર્થી શબ્દો માટે ટીકા થઈ છે.ગીતનું હિન્દી વર્ઝન, જેમાં નોરા ફતેહી સાથે સંજય દત્ત પણ જાેવા મળે છે, ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો. આક્રોશ પછી આ ગીત યુટ્યુબ…

Read More

ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૫માં લદ્દાખમાં શરૂ થયું હતું.સલમાન ખાનની ‘માતૃભૂમિ’ માટે હવે ૪૦ દિવસનું રીશૂટ કરવું પડશે.અપૂર્વ લખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦૨૦માં ગલવાન ખીણ વિસ્તારમાં થયેલી ભારત-ચીન સૈન્ય વચ્ચેની અથડામણ પરથી પ્રેરિત.સલમાન ખાને તાજેતરમાં તેની આવનારી વૉર ડ્રામા ફિલ્મ અંગે મહત્વની અપડેટ જાહેર કરી છે, જેમાં ફિલ્મનું નવું નામ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામે ઓળખાતી હતી, હવે આ ફિલ્મનાં નવા વર્ઝનમાં નામ સાથે ફિલ્મની ઉગ્રતા અને સંદેશામાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. અપૂર્વ લખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦૨૦માં ગલવાન ખીણ વિસ્તારમાં થયેલી ભારત-ચીન સૈન્ય વચ્ચેની અથડામણ…

Read More

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, પણ સમગ્ર વિશ્વમાં અત્યારે અશાંતિ છે, અશાંતિ એટલે અજ્ઞાન, અને અજ્ઞાન એટલે અંધકાર! તો આટલાં અંધકારમાં ચૈત્રનો આધ્યાત્મિક પ્રકાશ કંઈ રીતે કોઈને આકર્ષી શકે! અને ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા અત્યારે યુદ્ધના મૂડમાં છે! સૌને પેટ્રોલ, ડીઝલ, અને રાંધણગેસ મળશે કે નહીં એનો અજંપો છે. યુદ્ધ ગમે તેટલાં શુભ આશયથી થાય એમાં હિંસા થયાં વગર રહેતી નથી! અને છેલ્લાં કેટલાક વર્ષોનું અવલોકન કરીએ તો, માનવીને જાણે આવાં અજંપા અને ઉદ્વેગની આદત પડી ગઈ હોય, એમ જાગૃત થવાની બદલે જડ થતો જાય છે. મા જગત જનની જગદંબાનાં ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આ હિન્દુ સનાતન…

Read More

વધુ બે આરોપીને યુપીથી ઝડપી પાડ્યા.વધુ બે આરોપીને યુપીથી ઝડપી પાડ્યા.એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જાેષીએ બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ગુજરાતના વધતા નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરતાં ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) એ મેફેડ્રોન (MD) કેસમાં વધુ બે આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. ધરપકડ બાદ બંને આરોપીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી.વી. જાેષીએ બંને આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં AT એ અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે હાલ જેલમાં છે. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ATSની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી અને ત્યાંથી…

Read More

હવે ભરપાઈ કરવાનો વારો!.બુમરાહને ૨ કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCI ની કોન્ટ્રાક્ટ સિસ્ટમ.‘’A+’‘ કેટેગરીમાંથી ‘A’ કેટેગરીમાં આવતા ૨ કરોડનું નુકશાન.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)દ્વારા લેવામાં આવેલા ર્નિણયને કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ૨ કરોડનો આર્થિક ફટકો પડ્યો છે. આ ર્નિણય BCCI દ્વારા ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો. આ ર્નિણય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સંબંધિત છે, ખાસ કરીને જ્યારે BCCI એ ૨૦૨૫-૨૬ સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, ત્યારે જસપ્રીત બુમરાહને અસરકારક રીતે ડિમોટ કરવામાં આવ્યો હતો. અગાઉ, જસપ્રીત બુમરાહ ‘A+‘ કેટેગરીનો ભાગ હતો. જાેકે, નવા કરાર ચક્રમાં તેને ‘A‘ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. આ પગલા પાછળનું કારણ એ છે કે બોર્ડે…

Read More

હું યુદ્ધને સમર્થન નહીં કરું : જાે કેન્ટ.અમેરિકાના એક ઉચ્ચ કક્ષાના અધિકારીએ રાજીનામું આપ્યું.કેન્ટે જણાવ્યું હતું કે અમેરિકાએ ઇઝરાયલના દબાણ હેઠળ આ યુદ્ધ શરૂ કર્યું હતું અને તેઓ તેનું સમર્થન કરશે નહીં.ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. એક ઉચ્ચ કક્ષાના અધિકારીએ રાજીનામું આપી દીધું છે, જેમાં ઈરાન સાથે યુદ્ધ કરવા અંગેની તેમની નીતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. યુએસ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર જાે કેન્ટે રાજીનામું આપી દીધું છે. કેન્ટે ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે મારો અંતરાત્મા કહે છે કે હું ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને સમર્થન કરી શકીશ નહીં. આપણા દેશને ઈરાન તરફથી કોઈ તાત્કાલિક…

Read More

વિલંબ સામે જનતામાં રોષ.શિયાળબેટમાં ક્ષતિગ્રસ્ત સમુદ્રી કેબલ માટે ૩૦ કરોડ મંજૂર.અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર વાવાઝોડાને કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થયું હતું.મે ૨૦૨૧માં ત્રાટકેલા વિનાશક તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે તબાહી મચાવી હતી, તેના નિશાન આજે પણ વર્તાય છે. ખાસ કરીને અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર વાવાઝોડાને કારણે સમુદ્રી કેબલને ભારે નુકસાન થયું હતું, જેના પરિણામે ૩-ફેઝ વીજ પુરવઠો સાવ ખોરવાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, લોકોની પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળી માટે સરકારને જાગતા આશરે ૫ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે શિયાળબેટમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રૂ. ૩૦.૧૪ કરોડની…

Read More

સમૃદ્ધિ યાત્રા દરમિયાન નીતિશ કુમારનું નિવેદન .સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બની શકે છે.જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદ સમ્રાટ ચૌધરીને મળી શકે છે.બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે જમુઈમાં સમૃદ્ધિ યાત્રા દરમિયાન એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી એ સંકેત મળે છે કે, સમ્રાટ ચૌધરીના આગામી મુખ્યમંત્રી બની શકે છે. તેમના ખભે હાથ રાખીને નીતિશ કુમારે કહ્યું કે, હવે આ લોકો જ કામ કરશે. નીતિશ કુમારનું આ નિવેદન બિહારના રાજકારણમાં ઝડપથી ફેલાઈ ગયું છે. તેમના આ નિવેદનનું એવું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે, આવતા મહિને જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદ સમ્રાટ…

Read More

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન.હોર્મુઝમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજાે સુરક્ષિત.ઈરાને જહાજાેને સુરક્ષિત રસ્તો આપવા બદલ ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી.પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા તમામ ૨૨ ભારતીય જહાજાે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સાથે જ ભારતે તે અહેવાલોનું સખત શબ્દોમાં ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય ધ્વજ ધરાવતા અથવા ભારત આવતા જહાજાેને સુરક્ષિત રસ્તો આપવાના બદલામાં, ભારતે જપ્ત કરેલા તેના ત્રણ ટેન્કરોની અદલાબદલી કરવાની માંગ કરી છે. અગાઉ રૉયટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું…

Read More