- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
ભારતમાં આતંકવાદી કાવતરું NIA એ છ યુક્રેનિયન સહિત એક અમેરિકન નાગરિકની કરી ધરપકડ અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ થઈને મ્યાનમાર જઈ રહ્યા છે : મુખ્યમંત્રી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપ સર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ પરથી સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદોની દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી.અહેવાલો અનુસાર, આ મામલે મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ પણ વિધાનસભામાં ગંભીર વિગતો આપી હતી. તેમણે પુષ્ટિ કરી છે કે અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ…
૪૦૦ લોકોના મોતનો દાવો અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈક: હોસ્પિટલ પર બોમ્બવર્ષા કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દાેષોના જીવ ગયા છે. એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં ૪૦૦ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫૦થી વધુ ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત…
૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે બે દાયકા બાદ ‘ખોસલા કા ધોસલા’ પાર્ટ-૨ આવી રહી છે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં અનુપમ ખેરે પોતાના લાંબી ફિલ્મી સફરની યાદો તાજી કરી હતી ફિલ્મ ખોસલા કા ઘોસલાની સીક્વલ ખોસલા કા ઘોસલા ૨ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ લોકપ્રિય કલ્ટ કોમેડી ફિલ્મની સીક્વલ હવે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.ફિલ્મના નિર્માતાઓએ પોસ્ટર જાહેર કરીને આ જાહેરાત કરી હતી. લગભગ બે દાયકાઓ બાદ આ લોકપ્રિય ળેન્ચાઇઝનો નવો ભાગ આવી રહ્યો છે, જેને કારણે દર્શકોમાં ખાસ ઉત્સુકતા પણ છે. આ સિક્વલનું ડિરેક્શન પ્રશાંત ભગિયા કરી રહ્યા છે. ફિલ્મનું…
ફૈઝલ પંચાયત સીરિઝથી ભારે લોકપ્રિય રણબીરની રામાયણ ફિલ્મમાં ફૈઝલ મલિક કુંભકર્ણના રોલમાં ફૈઝલ ફિલ્મના બીજા ભાગમાં ફાઈટના સીન માટે શૂટિંગ કરશે : જાેકે, સત્તાવાર પુષ્ટિ બાકી ‘પંચાયત’ વેબ સીરિઝમાં પ્રહલાદ ચાચાના રોલમાં લોકપ્રિય બનેલો ફૈઝલ ખાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણનો રોલ ભજવવાનો હોવાનું કહેવાય છે. એક તબક્કે બોબી દેઓલને આ રોલ સોંપાયો હોવાનું કહેવાતું હતું. પરંતુ, હવે એક અપડેટ પ્રમાણે આ રોલ માટે ફૈઝલને સિલેક્ટ કરાયો છે. ફૈઝલે પોતાના ઈન્ટ્રોડ્ક્શન સીનનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું હતું. જાેકે, તેને બીજા ભાગમાં વધુ સ્ક્રીન ટાઈમ મળશે. આ માટે તે કેટલાક એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવાનો છે. આશ્ચર્યની વાત…
સલમાનની ફૅન્સને ઇદી બૅટલ ઑફ ગલવાન ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ જાહેર કર્યું ૨૦૨૬ની ઇદ હવે નજીક છે અને વર્ષાેથી આ તહેવાર સલમાન ખાનની ફિલ્મ સાથે જાેડાયેલો રહ્યો છે સલમાન ખાનની આવનારી ફિલ્મ બેટલ ઑફ ગલવાનનું નામ બદલીને માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ કરવામાં આવ્યું છે. સલમાને પોતાની આવનારી વૉર એક્શન ડ્રામાનું એક ઉગ્ર ભાવ દર્શાવતું પોસ્ટર શેર કર્યું છે.૨૦૨૬ની ઇદ હવે નજીક છે અને વર્ષાેથી આ તહેવાર સલમાન ખાનની ફિલ્મ સાથે જાેડાયેલો રહ્યો છે. જાેકે આ વખતે તે પોતાની મનપસંદ તારીખે ફિલ્મ રિલીઝ નહીં કરે, તેમ છતાં તેણે પોતાના ચાહકોને ખુશ થવા માટે તેની આવનારી ફિલ્મ અંગે એક મહત્વની…
ફિલ્મમાં જેનેલિયા દેશમુખ અને રામ્યા કૃષ્ણન હશે રામ ગોપાલ વર્માએ એપ્રિલ ૨૦૨૬થી સરકાર ૪ શરૂ કરવાની જાહેરાત કરી “હું ‘સરકાર ૪’ પણ બનાવી રહ્યો છું. આ ફિલ્મનું કામ હું આવતા મહિને શરૂ કરીશ” : રામ ગોપાલ વર્મા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાની આગામી ફિલ્મો વિશે એક ચોંકાવનારો દાવો કર્યાે છે. તેમણે કહ્યું છે કે તેમની આગામી ફિલ્મ સિન્ડિકેટ દ્વારા તેઓ “પોતાના બધા પાપ ધોઈ નાખશે” અને આ ફિલ્મ દરેકને આશ્ચર્યમાં મૂકી દેશે. સાથે જ તેમણે ખાતરી આપી છે કે સરકાર ૪નું શૂટિંગ એપ્રિલ ૨૦૨૬માં શરૂ થવાનું છે.રેડ લૉરી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ના પ્રથમ દિવસે તેમની કલ્ટ ફિલ્મ શિવા (૧૯૯૦)ના સ્ક્રીનિંગ પહેલાં…
વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે જુનારાજ ગામને જોડતો રોડ, જે વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યો છે તેને તાત્કાલિક મંજૂરી આપવા માટે મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે, આ ગામ ચાલુ સરકારના સાત ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું હોવા છતાં આઝાદી પછી રોડ વન વિભાગ દ્વારા બનાવવા દેવામાં આવતો નથી. એકબાજુ કેવડિયામાં રાતોરાત પ્રોજેક્ટો મંજૂર કરીને કામ ચાલુ કરી દેવામાં આવે છે, ત્યાં વન વિભાગની પરવાનગીની જરૂર પડતી નથી, અને આદિવાસીઓના અવર જવર માટે રસ્તાઓ બનતા હોય તેને વન વિભાગ દ્વારા અટકાવવામાં આવે છે જે દુખદ બાબત છે. જેને કારણે લોકોને તકલીફોનો…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારો સવાલ હતો કે છેલ્લા બે વર્ષમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા “ડી-સાગ” એટલે કે ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતને કેટલી રકમ ફાળવવામાં આવી. તો સરકારના મંત્રી તરફથી જવા મળ્યો કે વર્ષ 2024-25માં 19573.06 લાખ, 2025-26માં 17009 લાખ રૂપિયા એજન્સીને ફાળવવામાં આવે છે. 18297.06 લાખ વર્ષ 2024-25માં વપરાયા અને 1276 લાખ વણવપરાયેલ પડ્યા છે, વર્ષ 2025-26 માં 7703.43 લાખ વપરાયા અને 9305.57 લાખ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે. સરકાર એક તરફ સુદ્રઢ વહીવટની વાત કરે છે પણ આદિજાતિ માટે વપરાયેલા બજેટ વપરાતા નથી.…
વિધાનસભામાં થયેલી ચર્ચા અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે મેં સરકારને કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો પૂછ્યા હતા. જોકે મારા બે પ્રશ્નો સિલેક્ટ થયા નથી, એટલે કે મંજૂર થયા નથી, જ્યારે એક પ્રશ્ન મંજૂર થવાને કારણે સરકાર તરફથી તેનો જવાબ મને મળ્યો છે. મૂળ મુદ્દો એ છે કે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે અને ગુજરાત રાજ્ય ખૂબ વિશાળ છે. એક બાજુ કચ્છનો સરહદી વિસ્તાર છે, એક બાજુ વાપી સુધી ગુજરાત ફેલાયેલું છે, એક બાજુ વાવ સુધી અને બીજી બાજુ ઝાલોદ સુધી રાજ્ય વિસ્તરેલું છે. તેમ છતાં હાઈકોર્ટની માત્ર એક જ પ્રિન્સિપલ બેંચ અમદાવાદમાં…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે 16 માર્ચના રોજ મેં વિધાનસભામાં ગુજરાત રાજ્યનો એક ગંભીર પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે એના પર જવાબ આપ્યો છે પરંતુ એ વિષય પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી. 2012માં ગુજરાતની હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, “કોઈપણ વ્યક્તિનું ફિક્સ પગારના નામે શોષણ કરી શકાય નહીં અને ભારતના બંધારણ પ્રમાણે તેના પર સમાન કામ અને સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે છે”. આ ચુકાદો ભાજપ સરકારે માની લેવાનો હતો. પરંતુ સરકારે એ હુકમને માન્યો નહીં અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. તો એના ઘટના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



