Author: garvigujrat

IPL આચારસંહિતાનો ભંગ બદલ ફટકારી સજા.રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરને IPL ફટકાર્યો દંડ.બર્ગરને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યા.રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર નંદ્રે બર્ગરને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન IPL આચારસંહિતાનો ભંગ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. પરિણામે દક્ષિણ આફ્રિકાના બોલર પર દંડ ફટકારવામાં આવ્યો છે. બર્ગરને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં બોલરને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. નંદ્રે બર્ગરને કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. એક નિવેદનમાં IPL કહ્યું કે નંદ્રે બર્ગરે કલમ ૨.૫ હેઠળ લેવલ ૧ના ગુનાનો સ્વીકાર કર્યો…

Read More

બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર.ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા.તેમણે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ઝાલમુરીના કિસ્સાનો ઉલ્લેખ કરતા કટાક્ષમાં કહ્યું કે, મેં બંગાળમાં ઝાલમુરી ખાધી હતી, પરંતુ એવું લાગે છે કે તેના મરચાંનો તીખો સ્વાદ ટીએમસીના નેતાઓને લાગ્યો છે. ૪ મેના રોજ ભાજપની જીત નક્કી છે અને તે દિવસે બંગાળમાં…

Read More

મકાન માલિક સહિત બે ફરાર સરદારનગરમાંPCB દરોડા, વિદેશી દારૂ સાથે એક ઝડપાયો પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની સીલબંધ બોટલો મળી અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ સરદારનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. રહેણાંક મકાનમાં ચાલતા દારૂના વેપલા પર ત્રાટકેલી પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ ૫૯૮ બોટલો સાથે એક શખસને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખસોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે. મળતી માહિતી અનુસાર, પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના આંબાવાડી ચાર રસ્તા પાસે આવેલા સમરથ નગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ…

Read More

દુનિયાભરમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો ઈરાનનો ખતરનાક ખેલ! ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ અત્યારે જાેખમમાં છે ઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (RGC) દ્વારા આપવામાં આવેલી એક તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી દીધી છે. ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ અત્યારે જાેખમમાં છે. જાે આ કેબલ્સને ઇરાદાપૂર્વક કે ભૂલથી પણ નુકસાન પહોંચશે, તો માત્ર મિડલ ઇસ્ટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટો ઈન્ટરનેટ આઉટેજ સર્જાઈ શકે છે. ખાસ કરીને ‘હોર્મુઝ સ્ટ્રેટ‘ જે અત્યાર સુધી માત્ર ઓઇલ સપ્લાય માટે જાણીતું હતું, તે…

Read More

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા સારા સમાચાર શુક્રવારે ઈરાનની સાથે શાંતિ મંત્રણાની શક્યતા ઈરાને અમેરિકાના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિવેદનને જૂઠું ગણાવ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સકારાત્મક સંકેત આપતા કહ્યું છે કે શુક્રવારે બંને દેશો વચ્ચે વાતચીતનો બીજાે રાઉન્ડ યોજાઈ શકે છે. જાેકે, આ મુદ્દે મોટો વિરોધાભાસ જાેવા મળી રહ્યો છે, કારણ કે ઈરાને અમેરિકાના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને ટ્રમ્પના નિવેદનને જૂઠું ગણાવ્યું છે. એક તરફ અમેરિકા શાંતિની આશા રાખી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન…

Read More

આકાશમાંથી વરસશે અગનવર્ષા! ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું એપ્રિલના છેલ્લા અઠવાડિયાની નજીક આવતાની સાથે હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થવાની તૈયારી થશે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં હાલ ભારે ગરમી વધી રહી છે. ઉત્તર ભારતમાં એવું લાગે છે કે, જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) ઘણા રાજ્યો માટે આંશિક રાહતના સમાચાર લઈને આવ્યું છે.IMD અનુસાર એપ્રિલના છેલ્લા અઠવાડિયાની નજીક આવતાની સાથે હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થવાની તૈયારી છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યું…

Read More

મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકવાની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં AJUP ના સ્થાપક અને ઉમેદવાર હુમાયુ કબીરની મુલાકાત દરમિયાન હિંસક દ્રશ્યો સર્જાયા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને તણાવના સમાચાર સામે આવી રહ્યા છે. સિલીગુડીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યકરો સામસામે આવી ગયા છે, તો બીજી તરફ મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકવાની ઘટના બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના સ્થાપક અને ઉમેદવાર હુમાયુ કબીરની મુલાકાત દરમિયાન હિંસક દ્રશ્યો સર્જાયા હતા. અહીં TMC કાર્યકરોએ…

Read More

૭ વર્ષ પછી મામી-ભાણેજનું મિલન કૃષ્ણ અભિષેકે મામી સુનિતાના પગ સ્પર્શ કર્યા લાફટર શેફ્સ સીઝન ૩માં દરેક એપિસોડ મજેદાર હોય છે, શોના તમામ સેલિબ્રેટી સ્પર્ધક મળી આ શોને કોમેડી બનાવે છે લાફ્ટર શેફ્સ સીઝન ૩માં એક શાનદાર એપિસોડ આવવાનો છે. જેમાં બોલિવુડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પણ જાેવા મળશે. વિવાદ બાદ આ પહેલી વખત કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહેને મળી છે. સુનીતા આહુજાએ હાલમાં આ એપિસોડનું શૂટિંગ કર્યું તેમજ સેટ પરથી કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. હવે મેકર્સે આગામી એપિસોડનો પ્રોમો પણ જાહેર કર્યો છે. જેમાં સુનિતાની સરપ્રાઈઝ એન્ટ્રી જાેવા મળી હતી. વીડિયોમાં કૃષ્ણા,મામી સુનિતાના શોમાં આવવાથી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા સુરત) ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી અશોકભાઈ સોલંકી અને શીલાબેન સોલંકીની ચિ.સુપુત્રી કુમારી ઉપાસના સોલંકી ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં પૂર્ણ કરી MBBS ના ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા જતાં હોય તેમના પરિવારજનો માં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઘરના વડીલો, સમાજના સંતો, ડોકટરો, વકીલો અને સામાજિક આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે. વાલ્મીકિ સમાજની દીકરીને સંતશ્રી મહેશભાઈ શેઠ, સંતશ્રી આલોક પુનિતમ, સંતશ્રી કાંતિદાસ, સંતશ્રી રવિરામ ગુરુશ્રી ફૂલારામ મહારાજના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન રજવાડી, મગનલાલ સોલંકી, કાન્તાબેન સોલંકી, એડવોકેટ મહેન્દ્રભાઈ સોલંકી, મનીષાબેન મહેન્દ્રભાઈ સોલંકી, એડવોકેટ અને નોટરી અશ્વિનભાઈ વૈષ્ણવ, નીતુબેન વૈષ્ણવ, એડવોકેટ જીતુભાઈ શાહ, નીતાબેન શાહ, અને સુરત મેડિકલ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના ઉત્તરપૂર્વનું અત્યંત સંવેદનશીલ બની ચૂકેલું રાજય મણિપુર આમ તો છેલ્લા ત્રણેક વરસથી સળગી રહ્યું છે. વચ્ચે થોડો સમય રાહતરૂપ રહ્યા બાદ હવે અશાંતિ અને અંધાધૂંધી આ રાજયમાં પાછી ફરી છે. અને સ્થિતિ સુધરવાને બદલે વણસતી હોવાનો અંદાજ આવી રહ્યો છે. ત્રણેક વર્ષ પહેલા ભાજપની સરકારે કુકી અને મૈઈતેઈ વચ્ચે અનામત બાબતે થયેલા સંધર્ષને ઉકેલવામાં થાપ ખાધી અને પછી જે મણિપુરની હાલત થઈ એ સર્વવિદિત છે. વર્ષોથી હળીમળીને રહેતા કુકી અને મૈઈતેઈ સમુદાય વચ્ચે પછી એવા વેરના વાવેતર થયા કે તેનું ઝેર આજે પણ મણિપુરને ડંખી રહ્યું છે. વળી હિંસા વકર્યા બાદ તેને ડામવામાં પણ કેન્દ્ર…

Read More