Author: garvigujrat

ટ્રાફિક નહીં હોય સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે હવે અમદાવાદ શહેરમાં AI થી થશે ટ્રાફિક કંટ્રોલ આ સિસ્ટમ હાઇ-ટેક કેમેરા અને સેન્સરથી સજ્જ છે જે રસ્તા પર વાહનોની સંખ્યા, તેમની ગતિ અને ટ્રાફિક ભીડના સ્તર પર સતત દેખરેખ રાખે છે આજના સમયમાં મોટા શહેરોની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામ છે. લોકો રોજ સિગ્નલ પર લાંબા સમય સુધી ફસાયેલા રહે છે, જેનાથી સમય અને ફ્યુઅલ બંનેનો બગાડ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જૂની રીતોને બદલે નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અમદાવાદે આ દિશામાં એક મોટું ડગલું ભરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ…

Read More

અમિત શાહે ટીએમસીના ગુંડાઓને આપી ધમકી બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા, નહીં તો ઉલ્ટા લટકાવીને સીધા કરીશું પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, હવે ૨૯ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થયું. આ વખતે મતદાને બધા રેકોર્ડ તોડ્યા છે કારણ કે ૯૨ ટકા આસપાસ મતદાન થયું છે. બંપર મતદાનથી ભાજપ ખુબ ઉત્સાહિત છે. મતોની ટકાવારીના વધારામાં જીત નજરે ચડી રહી છે. આ જ કારણ છે કે અમિત શાહના સૂરમાં પણ ધમકી રેલાઈ રહી છે. એક રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે પહેલા ફેઝમાં દીદીના ગુંડાઓ…

Read More

યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબાની ચેતવણી ઈરાનની અસાધારણ એકતાએ શત્રઓને નબળા પાડ્યા છે તેમણે મીડિયા દ્વારા લોકોના મગજ સાથે ખેલ ખેલવાનો આરોપ લગાવતા અમેરિકા-ઈઝરાયલને ચેતવણી આપી અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ નવો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. શુક્રવારે રાષ્ટ્રજાેગ સંદેશમાં ખામેનેઈએ કહ્યું કે, ઈરાનની અસાધારણ એકતાએ શત્રઓને નબળા પાડ્યા છે. તેમણે મીડિયા દ્વારા લોકોના મગજ સાથે ખેલ ખેલવાનો આરોપ લગાવતા અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી પણ આપી છે. અગાઉ એક રિપોર્ટમાં મોજતબા ખામેનેઈ અંગે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેઓ બોલવા માટે પણ અસમર્થ…

Read More

ચોંકાવનારી માહિતી સામે આવી કાળા જાદુના કારણે મોજતબા ખામેનેઈ છૂપાઈ ગયા છે? એેવો દાવો થઈ રહ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા છે અમેરિકા અને ઈરાન વચ્ચે હાલ ભલે યુદ્ધની સ્થિતિ જાેવા નથી મળી રહી પરંતુ એક સમયે એવી ભીષણ તબાહી મચી હતી કે ઈરાનના અનેક ટોપ લીડર્સનો ખાતમો બોલાઈ ગયો. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ પણ મૃત્યુ પામ્યા. હવે એવો દાવો થઈ રહ્યો છે કે અમેરિકી હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પણ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમનો ચહેરો મહંદઅંશે બળી ચૂક્યો છે. તેમને બોલવામાં તકલીફ પણ થઈ રહી છે…

Read More

VIP લોકોના ઘર પર ગ્રેનેડ હુમલાનું ઘડી રહ્યા હતા કાવતરું નોઈડામાં ISI સાથે જાેડાયેલા ૨ આતંકવાદીઓની ધરપકડ બંને શંકાસ્પદ આરોપીઓ સ્લીપર સેલ પણ બનાવી ચૂક્યા હતા : આતંકવાદી કૃત્યો માટે પૈસાની લાલચ અપાઈ હતી ઉત્તર પ્રદેશ એટીએસ (ATS) એ નોઈડાથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ આઈએસઆઈ (ISI) માટે કામ કરી રહ્યા હતા અને પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટી સાથે જાેડાયેલા હતા. તેમની પાસેથી પિસ્તોલ, કારતૂસ અને ચપ્પુ મળી આવ્યા છે. આ બંને શંકાસ્પદ આઈએસઆઈના ઈશારે ભારત વિરુદ્ધ મોટા કાવતરાની યોજના ઘડી રહ્યા હતા. એટીએસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓની ઓળખ બાગપતના તુષાર ચૌહાણ ઉર્ફે હિઝબુલ્લા અલી ખાન તરીકે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી પાસેના સેમરીયા ગામના એક ખેતરમાં એક સાથે ૨૫ ગીધોના શબ મળી આવ્યા હતા. ગામવાળાઓએ એક કૂતરો વારંવાર બકરીઓ પર હુમલો કરતો હોવાથી એને મારવા માટે ઝેરી પેસ્ટીસાઇડસ મેળવેલા ભાત ખવડાવી દીધા હતા. ઝેરી ભાત ખાઈને કૂતરો મરી ગયો હતો. જોકે મરેલા કુતરાને ખુલ્લા ખેતરમાં પડેલો જોઈને ગીધોનું ટોળું ત્યાં આવી પડયુ. ગામવાળાઓને પણ નવાઈ લાગી અને આટલા બધા ગીધો ને આસમાનમાંથી ઉતરી પડેલા જોઈને ખુશ થઈ ગયા હતા. જો કે આ ખુશી બહુ ટકી ન હોતી. કૂતરાનું માંસ ઝેરી દવાને કારણે ઝેરી થઈ ચૂક્યું હતું અને એ માંસ જેણે ખાધું એ ગીધો…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં ૮ નવેમ્બર,૨૦૧૬ ના દિવસે નોટબંધીની જાહેરાત થઈ હતી. અને અચાનક થયેલ નોટબંધીના કારણે કેટલાય લોકો સમય મર્યાદામાં રૂપિયા ૫૦૦ ની જૂની નોટો પણ બદલાવી નહીં શકેલા ત્યારે એવા જ સમય મર્યાદાના ભાગ રૂપે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ને આદેશ આપ્યો છે કે નોટબંધીની જાહેરાત પછી પોલીસે જપ્ત કરેલી બે લાખની જૂની ૫૦૦ રૂપિયાની ચલણી નોટો બદલી આપવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે ભૂલ અરજદારની નથી એની સજા તેને ન મળી શકે. જ્યારે અચાનક ૨૦૧૬ ની ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરાઈ હતી. ત્યારે અરજદાર ગિરીશ માલાણી…

Read More

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ.કંઈ શક્ય નથી જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન અંગે અલ્ટીમેટમ.કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ૧૦૦ ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય.સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જીપીસીબી (GPCB) અને સીપીસીબી(CPCB)ને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, નદી શુદ્ધિકરણ મામલે તમારા સોગંદનામામાં જે નથિંગ ઈઝ પોસિબલ (કંઈ પણ શક્ય નથી) જેવા વાક્યો લખ્યા છે તેને તાત્કાલિક હટાવી દો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે…

Read More

આમ આદમી પાર્ટીએ ગુમાવ્યા ‘ચાણક્ય’.એક સમયે ગુજરાતમાં AAP ના પ્રભારી રહેલા સંદીપ પાઠકે છોડી પાર્ટી.૧૦ વર્ષ પહેલા પાર્ટી સાથે હું જાેડાયો હતો અને આજે હું આમ આદમી પાર્ટીથી મારો રસ્તો અલગ કરી રહ્યો છું : સંદીપ પાઠક.આમઆદમી પાર્ટીમાં સૌથી મોટું ભંગાણ પડ્યું છે.રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે સંદીપ પાઠક એક સમયે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી હતા. આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૨૨ ની પંજાબ વિધાનસભાની ચૂંટણી બાદ સંદીપ પાઠકને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. કારણ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીની જીતના ચાણક્યનું ક્રેટિડ સંદીપ પાઠકને આપવામાં આવ્યું છે. સંદીપ પાઠકની કામગીરીથી ખુશ થઈને આમ આદમી પાર્ટીએ…

Read More

બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું.પૂર્વક કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં ૧૦૦% ફિટ નથી.તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે. : કોચ માઈકલ હસી.મહેન્દ્ર સિંહ ધોની IPL 2026માં ક્યારે મેદાનમાં પરત ફરશે, તેને લઈને ચાહકોની આતુરતા સતત વધી રહી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધોની રમશે તેવી આશા હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જ્યારે પ્લેઈંગ-૧૧ની જાહેરાત કરી ત્યારે તેમાં ધોનીનું નામ નહોતું. આ બાબતે સ્પષ્ટતા કરતા બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ધોની હાલમાં ૧૦૦% ફિટ નથી. તે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ તેને વિકેટો વચ્ચે…

Read More