Author: Garvi Gujarat

પ્રોફેસરોની ગંભીર બેદરકારી.૪૫ દિવસ બાદ પણ હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.આ બેદરકારીને કારણે BA, B.Com, BBA, B.S અને LLB સહિતના તમામ મુખ્ય અભ્યાસક્રમોના સેમેસ્ટર-૫ ના પરિણામો અટવાયા છ.પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસરોની ગંભીર બેદરકારીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જાેખમ તોળાઈ રહ્યું છે. સેમેસ્ટર-૫ ની પરીક્ષા પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ પણ હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી, જેની પાછળનું કારણ ઉત્તરવહીઓ તપાસવામાં થયેલી આડોડાઈ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીના વિવિધ પ્રોફેસરોએ અંદાજે ૧૧,૦૦૦ જેટલી ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ યુનિવર્સિટીને પરત મોકલી આપી છે. આ…

Read More

ગ્રાન્ટ બચાવવા માટે દર્દીઓનો ભોગ?.નસવાડીમાં ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર.એક જ એમ્બ્યુલન્સમાં ૫ મહિલાઓ અને તેમની સાથેના ૫ પરિજન મળી કુલ ૧૦ લોકોને બળજબરીપૂર્વક ભરી દેવામાં આવ્યા હતા.એક તરફ સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ અને ‘મહિલા સશક્તિકરણ‘ના દાવા કરે છે, ત્યારે બીજી તરફ છોટાઉદેપુરના નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં મહિલાઓના સ્વાસ્થ્ય અને ગરિમાના લીરેલીરા ઉડતા જાેવા મળ્યા છે. કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ અર્ધબેભાન અવસ્થામાં રહેલી મહિલાઓને એમ્બ્યુલન્સમાં બેસાડવાની જગ્યા ન હોવા છતાં ઠાંસી ઠાંસીને ભરી ૪૦ કિલોમીટર દૂર તેમના ઘરે મોકલવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવે છે.…

Read More

આરોગ્ય વિભાગનો સપાટો.લસકાણાનું ડુપ્લીકેટ કપાસિયા તેલ ટેસ્ટિંગમાં ફેઈલ થયું.આરોગ્ય વિભાગે ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં લસકાણામાં લીધેલા કપાસિયા તેલના નમૂના ફેલ ગયા છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ પર થોડા દિવસો અગાઉ પાડવામાં આવેલા દરોડા દરમિયાન લેવાયેલા કપાસિયા તેલના નમૂના રિપોર્ટમાં ફેલ સાબિત થયા છે. આ રિપોર્ટ બાદ સાબિત થયું છે કે અહીં ડુપ્લીકેટ કપાસિયા તેલ બનાવીને તેનું ધૂમ વેચાણ કરવામાં આવતું હતું. ફુડ સેફ્ટી ઓફિસર બી.આર.બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર ગત ૨૭મીએ મળેતી ગુપ્ત માહિતીને આધારે લસકાણા…

Read More

૬૫ હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત !જર્મન-ભારતની કંપનીઓ ભારતીય સેના માટે બનાવશે છ સબમરીન.બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન ૮ બિલિયન ડોલરના સબમરીનની ડીલ પર રહેશે.જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આવતા અઠવાડિયે ભારતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ૧૨ જાન્યુઆરીએ અમદાવાદ પહોંચવાવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન ૮ બિલિયન ડોલર (અંદાજે ૬૫ હજાર કરોડ રૂપિયા)ના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે. આ ઐતિહાસિક ડીલ હેઠળ ભારતીય નૌસેના માટે ૬ અત્યાધુનિક સબમરીન બનાવવામાં આવશે, જેમાં…

Read More

ગુજરાત સરકારને મોટો ઝટકો.ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા માનવાધિકાર પંચે આપી નોટિસ.મુખ્ય સચિવ પાસે સમગ્ર અહેવાલનો રિપોર્ટ માંગ્યો.ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો ૧૬૭ ને પાર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ટાઈફોઈડના ગાંધીનગરમાં નવા ૧૪ કેસ નોંધાયા છે. પરંતું આ વચ્ચે ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ટાઈફોઈડના વધતા કેસને લઈને ગુજરાત સરકારને માનવાધિકાર પંચે નોટિસ ફટકારી છે. સાથે જ આ અંગે મુખ્ય સચિવ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસમાં રાફડો ફાટ્યો છે. જેને લઈને હવે માનવાધિકાર પંચ (NHRC) એક્શનમાં આવ્યું છે. માનવાધિકાર પંચ ગુજરાત સરકાર પાસેથી બે અઠવાડિયામાં આ વિશે ખુલાસો માંગ્યો…

Read More

એક કલાકમાં હજારો નગ્ન ફોટો અપલોડ.AI દ્વારા જનરેટ કરવામાં આવી રહ્યાં છે નગ્ન ફોટો.ભારત સહિત અનેક દેશોની ફરિયાદ, X પર દબાણ વધ્યું.ઇલોન મસ્કનું સોશિયલ મીડિયા X હાલમાં ખૂબ જ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરની સરકાર એના પર પ્રેશર લાવી રહી છે અને એથી એ હાલમાં ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ગ્રોક AI નો ઉપયોગ કરીને ઘણાં અશ્લીલ અને નગ્ન ફોટો શેર કરવામાં આવી રહ્યાં છે. આ છૈંને કારણે દુનિયાભરની ઘણી મહિલાઓના ફોટો નગ્ન ફરી રહ્યાં છે. એમાં જાણીતી મોડલ, ન્યૂઝ એન્કર, ક્રાઇમ વિક્ટિમ અને વિશ્વભરના ઘણી લોકપ્રિય મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આથી એ પ્રકારના ફોટોને…

Read More

વાહનો વચ્ચે ફ૨ફ ટેક્નિક પર કામ શરૂ.માર્ગ અકસ્માત રોકવા માટે નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન.આ ફ૨ફ સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે.દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન(ફ૨ફ) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે, જે અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ ફ૨ફ(વ્હીકલ-ટુ-વ્હીકલ) સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે. આનાથી ડ્રાઇવરને આસપાસના અન્ય વાહનોની ગતિ, સ્થિતિ, બ્રેક લગાવવાની…

Read More

મિડ ડે મિલમાં ૨૦૦૦ કરોડનું કૌભાંડ!.રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACB ખુલાસો.૨૧ નામાંકિત આરોપીઓ સામે FIR નોંધવામાં આવી.રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરોએ ૨,૦૦૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ મિડ ડે મિલ યોજના હેઠળ થયો હતો, જેમાં કોરોના મહામારી દરમિયાન જ્યારે તમામ સ્કૂલો બંધ હતી, તે સમયે પણ બાળકોને મિડ ડે મિલ આપવાની વાત સામે આવી છે. આ મામલે ACB એ રાજસ્થાન સ્ટેટ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન લિમિટેડ (CONFED), સેન્ટ્રલ વેરહાઉસ અને ઘણી ખાનગી કંપનીઓ સાથે સંકળાયેલા ૨૧ નામાંકિત આરોપીઓ સામે FIR નોંધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ભાજપના નેતા રાજેન્દ્ર યાદવના…

Read More

ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું : કોંગ્રેસ.રાહુલ ગાંધીએ ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવી.અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને કઠેડામાં ઉભું કરી દીધું.કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો કર્યો છે. તેમણે ભાજપને ભ્રષ્ટ જનતા પાર્ટી ગણાવતા કહ્યું કે દેશભરમાં તેમની ડબલ એન્જિન સરકારોએ જનતાનું જીવન તબાહ કરી નાખ્યું છે. અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને રીતસર આરોપીના કઠેડામાં ઉભું કરી દીધું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રમક…

Read More

મિઝોરમ ક્રિકેટ માટે મોટો ઝટકો.પેવેલિયન પરત ફરતી વખતે ક્રિકેટરનું હૃદયરોગના હુમલાથી નિધન થયું.પૂર્વ રણજી ક્રિકેટર કે. લાલરેમરૂઆટા બેટિંગ બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો.ભારતીય ક્રિકેટ જગતમાં એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મિઝોરમના પૂર્વ રણજી ક્રિકેટર કે. લાલરેમરૂઆટાનું ગુરૂવારે મેદાન પર નિધન થઈ ગયું. સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેક આવવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી ન માત્ર મિઝોરમ પરંતુ ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ છે. ૩૮ વર્ષીય કે. લાલરેમરૂઆટા એક સ્થાનિક સેકેન્ડ ડિવિઝન ટૂર્નામેન્ટમાં વેંગનુઆઇ રેડર્સ ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો હતો. જાણકારી બાદ તે બેટિંગ કરી પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે…

Read More