Author: garvigujrat

ઇમ્તિઆઝ અલીની આ રોમેન્ટિક ફિલ્મમાં વેદાંગની જાેડી શર્વરી સાથે જાેવા મળશે લોકોને હવે ખામીઓવાળા હિરોમાં રસ છે : વેદાંગ રૈના ફિલ્મમાં વેદાંગ ભારતના ભાગલા પહેલાંના સમયગાળાના એક શીખ યુવાનની ભૂમિકા ભજવે છે તાજેતરના સમયમાં હિન્દી સિનેમામાં એવો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે કે તીવ્ર પ્રેમકથાઓ અથવા અતિ-પુરુષત્વ ધરાવતા (આલ્ફા મેલ) મુખ્ય પાત્રોવાળી ફિલ્મો બોક્સ ઓફિસ પર સૌથી વધુ દર્શકો ખેંચી રહી છે. ધુરંધર શ્રેણી, એનિમલ(૨૦૨૩) અને સૈયારા (૨૦૨૫) જેવી ફિલ્મોની સફળતા તેનું ઉદાહરણ છે. આ દરમિયાન, વેદાંગ રૈના હવે ફિલ્મ નિર્માતા ઇમ્તિઆઝ અલીની ભવ્ય રોમેન્ટિક ફિલ્મ ‘મૈં વાપસ આંઉંગા’માં જાેવા મળશે.વેદાંગને આ આલ્ફઆ મેલ ફિલ્મોના ટ્રેન્ડથી ફિલ્મને થતાં નફા વિશે…

Read More

વોશિંગ્ટનડી.સી. સ્થિતU.S.-India Business Council (USIBC) દ્વારા ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ આવેલા PHDCCI પ્રતિનિધિ મંડળનું યજમાન પદ સ્વીકારવામાં આવ્યું હતું, જે આ બેઠક ના મહત્વ અને પ્રભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. બેઠક પૂર્ણ થયા બાદ USIBC એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા મંચ પર આસંવાદ ને ભારત- અમેરિકા કૃષિસહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણાવ્યો. USIBC એ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલા વિચાર વિમર્શે કૃષિક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે ના સહકારને નવી ગતિ આપવા, સામૂહિક પડકારોના ઉકેલ શોધવા તથા ઉભરતી તકો પર અર્થપૂર્ણ ચર્ચા માટે માર્ગ મોકળો કર્યો છે. પરિષદે…

Read More

કંગનાની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતા ૧૨ જુને રિલીઝ થશે ‘દેશની જનતા જ અસલી ભારત ભાગ્યવિધાતા છે’ : કંગના રનૌત ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યાે ફિલ્મ ‘ભારત ભાગ્યવિધાતા’ની રિલીઝ પહેલાં કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યાે છે, જેમાં તેણે ફિલ્મનાં નામનો અર્થ અને તે જેમને સમર્પિત છે એવા સામાન્ય લોકો વિશે વાત કરી છે.વિડિયોમાં કંગનાએ એવા કર્મચારીઓ તરફ ધ્યાન દોર્યું છે, જેઓ દરરોજ જરૂરી સેવાઓને ચાલુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કંગનાએ કહ્યું કે જાે એક જ દિવસ માટે હોસ્પિટલ, શાળા, રેલવે, સ્વચ્છતા વિભાગ અને…

Read More

ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરી સાથે બીજી ફિલ્મ શરૂ કરશે અહાન પાંડે અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને જુલાઈ સુધીમાં પોતાનો ભાગ પૂર્ણ કરવાની શક્યતા છે સૈયારાએ પછી મોટી સફળતા મેળવ્યા બાદ, અહાન પાંડે, અનીત પડ્ડા અને દિગ્દર્શક મોહિત સુરીની હિટ ત્રિપુટી ફરી એકવાર બીજી રોમેન્ટિક ફિલ્મ માટે સાથે આવવાની તૈયારી કરી રહી છે. એવા અહેવાલો છે કે આ બહુ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની તૈયારી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અહાન પાંડે અને અનીત પડ્ડા મોહિત સુરીની આગામી ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૬થી શરૂ કરશે. હાલમાં ફિલ્મ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આંદ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભકતોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા. આ આંકડો ગયા બે વર્ષના મે મહિનાના મુંડન કરતાં ઘણો વધારે છે. ૨૦૨૫ના મે મહિનામાં ૧૦,૧૮,૩૭૦ ભક્તોએ અને ૨૦૨૪ ના મે મહિનામાં ૧૦,૬૫,૭૨૯ ભક્તોએ મુંડન કરાવ્યુ હતું. બોલચાલમાં તિરુપતિ બાલાજી તરીકે પણ કહેવાતા ભગવાન વેન્કટેશ્વરને વાળ ચડાવવાની પરંપરા ગરમીની સિઝનમાં ખૂબ વધી ગઈ છે. ગયા મહિનાના પહેલા ૨૭ દિવસમાં જે સંખ્યામાં ભકતોએ માથું મૂંડાવ્યું એનાથી દુનિયાના સૌથી મોટા “કલ્યાણ કટ્ટા” એટલે કે મુંડન કેન્દ્રનો રેકોર્ડ બની ગયો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓએ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સામેનો સૌથી મોટો પડકાર તેનો વિશાળ દરિયાકિનારો છે. તેથી આ લાંબા કિનારા પર કાર્યરત મોટી સંખ્યામાં નોંધાયેલા નાના જહાજો અને બોટો પર દેખરેખ રાખવા માટે એક મજબૂત તંત્ર સ્થાપિત કરવું અત્યંત જરૂરી છે. વ્યાપારી અને સુરક્ષા બંને દ્રષ્ટિકોણથી આ દરિયા કિનારો એક સંવેદનશીલ ક્ષેત્ર છે. આમ સરહદ પારની દાણચોરી ધ્વારા દેશભરમાં માદક દ્રવ્યોના નશાનું નેટવર્ક ફેલાવતી સંગઠિત સિન્ડીકેટ્સની આસપાસ સકંજો સખત કરવાની તાત્કાલિક જરૂર છે. કારણ કે દેશમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોનો વધતો જતો વેપલો એક ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવ્યો છે. તેનો વ્યાપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દુષણ મોટા શહેરોથી દૂરના ગામડાઓ સુધી ફેલાયેલુ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. છગનભાઈ સોલંકી એ અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસના આગેવાન તરીકે વર્ષો સુધી સેવા બજાવી હતી. તેઓએ ૧૯૬૦ થી સમાજના જરૂરિયાતમંદ બાળકોને પાઠ્યપુસ્તક અને નોટબુક પૂરી પાડતા હતા. વડોદરા શહેરના વાલ્મીકિ સમાજના સામાજિક કાર્યકરો અંબાલાલ મોતીલાલ સોલંકી મોરખલા, દલપતસિંહ સોલંકી ગોત્રી, મગનભાઈ દેસાઇ વડોદરા, વડોદરા જિલ્લાના પીઢ સામાજિક કાર્યકર, સોમાભાઈ કાલીદાસ સોલંકી, રશ્મિકાંત શંકરલાલ વૈષ્ણવ,મણીલાલ સોલંકી વિગેરે સામાજિક કાર્યકરો વડોદરા શહેર અને જિલ્લાના વાલ્મીકિ સમાજના ઉત્થાન માટે અને સમાજના વિકાસ માટે સારી કામગીરી બજાવી હતી તેમ છતાં છગનભાઈ સોલંકી ખૂબ જ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા હતા. ૫૦ થી ૮૦ ના ગાળામાં તેઓએ વડોદરા શહેરમાં અનેક મોટા-મોટા…

Read More

પ્રવાસીઓ સાવધાન! દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા-સ્વિમિંગ પર પ્રતિબંધ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ ર્નિણય લીધો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ લાઇટ હાઉસ સર્વે નંબર ૫૮થી લઈને શિવરાજપુર ખાડી-૨ના છેડા સુધીના વિસ્તારમાં લાગુ રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. આ જાહેરનામું તા. ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં…

Read More

જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા ઈઝરાયલે હુમલાનો આદેશ આપતા બેરૂતમાં ભયનો માહોલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈઝરાયલી શહેરો અને નાગરિકો પરના સતત હુમલાઓના જવાબમાં આ લશ્કરી કાર્યવાહીનો ર્નિણય લેવાયો છે. ઈઝરાયલની ચેતવણી બાદ, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાંથી હજારો લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઈઝરાયલ અને…

Read More

૨૪૪ જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે કેન્દ્ર સરકાર દેશના એવા જિલ્લામાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાવવા પર કામ કરી રહી છે, જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ જાેઈ ચૂક્યો છે કે પશ્ચિમી સરહદ પર રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને તુર્કીના સસ્તા અને મામૂલી સેંકડો ડ્રોન મોકલીને કઈ રીતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર જે અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ પ્રોજેક્ટ પર…

Read More