Author: Garvi Gujarat

૪૦ થી વધુ લોકો બીમાર પડ્યા.દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી ૩ લોકોના મોત.ભગીરથપુરામાં સંજીવની ક્લિનિક્સ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં સેંકડો લોકો ઉલટી અને ઝાડાથી પીડાઈ રહ્યા છે.દેશના સૌથી સ્વચ્છ શહેર ગણાતા ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી ૩ લોકોના મોત થયા છે અને ૪૦ થી વધુ લોકો બીમાર પડ્યા છે. ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે ઝેરી પાણી પીવાથી અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં સંજીવની ક્લિનિક્સ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જેમાં સેંકડો લોકો ઉલટી અને ઝાડાથી પીડાઈ રહ્યા છે. દૂષિત પાણી પીવાથી લોકોને ઉલટી અને ઝાડા થવા લાગ્યા ત્યારે ઇન્દોરના ભગીરથપુરા…

Read More

કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.100 mg ની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ.સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જાેખમરૂપ છે, આ ર્નિણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ હેઠળ લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો ર્નિણય લીધો છે. 100 mg થી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જાેખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ ર્નિણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં…

Read More

સોનાના વાયદામાં રૂ.1416 અને ચાંદીના વાયદામાં રૂ.14298નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.26નો સુધારો  કોમોડિટી વાયદાઓમાં રૂ.56524.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.689793.44 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.45535.32 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34891 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.746336.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56524.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.689793.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 34891 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.58 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.45535.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.136327ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136327 અને નીચામાં રૂ.135116ના સ્તરને સ્પર્શી, રૂ.136666ના આગલા બંધ સામે રૂ.1416 ઘટી રૂ.135250ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.810 ઘટી રૂ.110105ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર…

Read More

રાજકોટમાં સાયબર ફ્રોડરોનો તરખાટ યથાવત ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.૫૧ લાખની ઠગાઈ ડોક્યુમેન્ટ, ઓફર લેટર, વિઝા વગેરેના બહાને સાયબર ફ્રોડરોને ડોક્ટર ઓનલાઈન પૈસા આપતા જ ગયા રાજકોટમાં સાયબર ફ્રોડરોએ રીતસર તરખાટ મચાવી દીધો છે. સાયબર ફ્રોડના બનાવો અટકાવવામાં પોલીસ અને સરકારો ઊણી ઉતરી છે. આ જ કારણ છે કે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે છાશવારે પોલીસ અપીલ કરે છે છતાં તેની કોઈ અસર થતી ન હોય તેમ વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે. અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.ર૬)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી, સાયબર ગઠિયાઓએ રૂા.પ૦.૭પ લાખ જેવી માતબર રકમ ખંખેરી લીધી…

Read More

ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા રેલવે મંત્રાલયની નવી ઓફર રેલ-વન એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે મે મહિનામાં દરખાસ્ત અંગે કેવા પ્રતિભાવ મળ્યા છે તેની વિગત આપશે અને તે પછી આગામી ર્નિણય કરાશે રેલવે મંત્રાલયે અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે નવા પ્રોત્સાહનની જાહેરાત કરી છે. ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રેલ-વન એપ મારફત બિનઅનામત ટિકિટની ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે. પેમેન્ટ માટે મુસાફર આર-વોલેટની જગ્યાએ કોઇપણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકશે. આ ઓફર હાલના ૩ ટકા કેશબેક ઉપરાંતની છે. હાલમાં રેલ-વન એપ દ્વારા માત્ર આર-વોલેટ પેમેન્ટના કિસ્સામાં ૩ ટકા કેશબેક મળે છે.મંત્રાલયે…

Read More

ઓપરેશન સિંદુર બાદ ત્રાસવાદીઓ દ્વારા કોઇ હુમલો કરાયો નથી ૨૦૨૬માં ભારત-પાક.વચ્ચે ફરી યુદ્ધની શક્યતા : યુએસ થિંક ટેંક ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન નામની થિન્ક ટેન્કે વિવિધ દેશોની વિદેશ નીતિના નિષ્ણાતોના સર્વે બાદ જારી કરેલા અહેવાલમાં ચેતવણી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલાં ગંભીર મતભેદોના પગલે બંને દેશો વચ્ચે ૨૦૨૬ની સાલમાં યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા જણાય છે એમ અમેરિકાની એક થિંક ટેંક દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી આ સંસ્થાએ વિશ્વના વિવિધ વિદેશ નીતિના નિષ્ણાતોનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કર્યાે હતો. ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન (સીએફઆર) નામની આ થિંક ટેંકે બંને દેશો વચ્ચેના યુદ્ધની શક્યતાને મધ્યમ ગણાવી હતી, અને…

Read More

અગાઉ અમેરિકાએ આનાથી વધુ રકમની સહાય કરેલી ેંજીએ ેંદ્ગના માનવતાવાદી કાર્યાે માટે બે અબજ ડોલરની સહાય જાહેર કરી ટ્રમ્પે ફંડિંગમાં કપાત કરી અને એજન્સીઓને ‘અનુકૂળ થાઓ અથવા અસ્તિત્વ ગુમાવો’ એવી ચેતવણી આપી અમેરિકાએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી કાર્યાે માટે ૨ અબજ ડોલરની સહાય કરવાની જાહેર કરી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્ર દ્વારા એકબાજુ અમેરિકાની વિદેશી સહાયમાં સતત કપાત કરવામાં આવી રહી છે અને બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓને નવી નાણાકીય વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને “અનુકૂળ થાઓ, સંકુચિત થાઓ અથવા અસ્તિત્વ ગુમાવો” તેવી ચેતવણી આપવામાં આવી રહી છે એવા સમયે પ્રમુખ ટ્રમ્પ દ્વારા આ મુજબની જાહેરાત કરાઇ હોવાથી તેનું મહત્વ અનેકગણુ વધી ગયું…

Read More

આને કહેવાય નસીબ અલ્લુ અર્જુન ફિલ્મે બન્યા પહેલા જ કમાઈ લીધા ૬૦૦ કરોડ ૨૦૨૪માં ‘પુષ્પા ૨’ સાથે ધૂમ મચાવી હતી, આ ફિલ્મે વિશ્વભરમાં ૧૮૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી દક્ષિણના સુપરસ્ટાર્સ અને તેમની આગામી ફિલ્મોને લઈને ઘણી ચર્ચા છે, જેમાં અલ્લુ અર્જુન ટોચના ત્રણમાં સામેલ છે. તેમણે ૨૦૨૪માં ‘પુષ્પા ૨’ સાથે ધૂમ મચાવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ૧૮૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. હવે તેમની આગામી ફિલ્મનો વારો છે, જેમાં તેઓ એટલી સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શીર્ષક હજુ નક્કી થયું નથી, પરંતુ તે કામચલાઉ શીર્ષક હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન સાથે જાેવા મળશે.…

Read More

મરજી વિરુદ્ધ લગ્નના કારણે ડિપ્રેશનમાં હોવાની આશંકા ટીવી સિરિયલની અભિનેત્રી નંદિની સીએમએ જીવન ટૂંકાવ્યું! અભિનેત્રી એક તમિલ સિરિયલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી, તેના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે કન્નડ અને તમિલ ટીવી અભિનેત્રી નંદિની સીએમએ બેંગલુરુમાં આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રી પીજીમાં રહેતી હતી અને તેણે પીજીમાં જ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં તેમના પીજીમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેમણે આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી એક તમિલ સિરિયલમાં લીડ રોલ પ્લે કરી રહી હતી. તેના મૃત્યુના સમાચારથી તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. બીજી તરફ…

Read More

પહેલી વખત ગોલમાલમાં મહિલા વિલન જાેવા મળશે રોહિત શેટ્ટીની ગોલમાલમાં ફરી એક વખત જૂની કાસ્ટ જાેવા મળશે આ ફિલ્મમાં જાેની લીવર, અશ્વિની કલેશકર, મુકેશ તિવારી અને સંજય મિશ્રા પણ વિવિધ રોલમાં જાેવા મળશે રોહિત શેટ્ટીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ગોલમાલના વધુ એક ભાગની રાહ જાેવાઈ રહી છે. પાંચમી ગોલમાલમાં ખાસ વાત એ છે કે પહેલી વખત એક મહિલા વિલન જાેવા મળશે અને સાથે એમાં ફેન્ટસીનું તત્વ પણ જાેવા મળશે.રોહિત શેટ્ટીની પહેલી ગોલમાલ:ફન અનલિમિટેડ ૨૦૦૬માં આવી હતી.પીટીઆઈના અહેવાલ અનુસાર, ફરી વખત ગોલમાલ ૫માં અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, કુનાલ ખેમુ અને શર્મન જાેશી જાેવા મળશે. આ ફિલ્મ સાથે…

Read More