- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
સોશિયલ મીડિયા પર શેર કરી રોમેન્ટિક તસવીરો ભારતીય ક્રિકેટર પૃથ્વી શોએ ઈન્ફ્લુએન્સર સાથે કરી સગાઈ તાજેતરમાં જ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન સમારોહમાં પૃથ્વી તેની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો. ભારતીય ક્રિકેટરે પૃથ્વી શોએ રવિવારે(૮ માર્ચ, ૨૦૨૬) લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન સમારોહમાં પૃથ્વી તેની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો. આકૃતિ અગ્રવાલ એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે, જેના ઇન્સ્ટાગ્રામ પર ૩.૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આકૃતિએ તાજેતરમાં તેલુગુ ક્રાઇમ…
કંઈ નહિ કર્યુ તો દર્દીની સુનામી આવશે હવે દુનિયાની આગામી મહામારી બનશે બે બીમારી વિશ્વની સામે સૌથી મોટો પડકાર કોઈ વાયરસ નહિ, પરંતું સ્થૂળતા અને ડાયાબિટીસ છે : વાયરોલોજિસ્ટ પીટર પાયટ દુનિયાએ હાલમાં જ કોરોના મહામારીનો સામનો કર્યો છે. ત્યારે હવે દુનિયા બીજી બે બીમારીઓનો શિકાર થઈ શકે છે. બંને બીમારીઓ સામાન્ય છે, પરંતુ તે આરોગ્ય ક્ષેત્રમાં સુનામી લાવી શકે છે. ઈબોલા વાયરસ શોધવામાં સહાય કરનાર તેમજ એચઆઈવી-એઈડ્સ સામે વૈશ્વિક લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિખ્યાત વાયરોલોજિસ્ટ પીટર પાયટે આગામી સમયમાં સ્થૂળતા અને ડાયાબિટીસ મહામારીની આગાહી કરી છે. બાયો એશિયા સંમેલનમાં જાણીતા વાયરોલોજિસ્ટ પીટર પાયટે ચેતવણી આપી છે. તેઓએ વિશ્વભરમાં વધી…
મંદી વચ્ચે ગુજરાતને મોટો ઝટકો! ટાટા મોટર્સ સાણંદ પ્લાન્ટમાં ૫૦ ટકા ઉત્પાદન ઘટાડશે ગુજરાતના ઉદ્યોગ અને રોજગારી પર મોટી અસર થશે એક તરફ ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટથી નવા યુગની શરૂઆત થઈ છે, તો બીજી તરફ, ચિંતાજનક અહેવાલ આવ્યા છે. ટાટા મોટર્સે ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન ૫૦ ટકા ઘટાડવાનો ર્નિણય લીધો છે. ટાટા મોટરની આ જાહેરાતથી ગુજરાતમાં રોજગારી પર મોટી અસર પડશે. એક તરફ વિશ્વભરમાં મંદીના વાદળો છવાયા છે, તો બીજી તરફ ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. અનેક રોકાણકારો અને ઉદ્યોગોને તેની મોટી અસર વર્તાઈ છે. આવામાં ગુજરાતને મોટો ઝટકો મળ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત…
વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી ઈરાન યુદ્ધ વચ્ચે ૫૨૦૦૦ ભારતીયોની વતન વાપસી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે. વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ માર્ગો આંશિક રીતે ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં ૫૨,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે…
ભારત અમારો હરીફ નહીં ભાગીદાર : ચીન મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જાેવા જાેઈએ : ચીની વિદેશ મંત્રી વાંગ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જાેવા જાેઈએ. તેમણે કહ્યું કે બંને દેશો ગ્લોબલ સાઉથ ના મહત્ત્વના સભ્યો છે…
વર્લ્ડકપમાંથી રમ્યા વિના જ થયા આઉટઈરાન-ઈઝરાયેલ-યુએસ યુદ્ધને કારણે રોળાયું ભારતીય ખેલાડીઓનું સપનુ પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ભારતીય જુનિયર બોક્સિંગ ટીમના પાસપોર્ટ યુએઈમાં ફસાઈ ગયા હતા ભારતીય બોક્સિંગ જગતમાંથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને તણાવે ભારતીય જુનિયર બોક્સિંગ ટીમના વર્લ્ડ કપમાં ભાગ લેવાના સ્વપ્નને રોળી કરી નાખ્યું છે. અહેવાલ મુજબ, ૧૦ સભ્યોની ભારતીય જુનિયર બોક્સિંગ ટીમ (૫ છોકરાઓ અને ૫ છોકરીઓ) મોન્ટેનેગ્રોના બુડવામાં યુથ વર્લ્ડ કપ (૩-૧૧ માર્ચ) માં ભાગ લેવાની હતી. જાેકે, પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિને કારણે લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે ટીમને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી. મોન્ટેનેગ્રોનું ભારતમાં દૂતાવાસ ન હોવાથી, બોક્સિંગ ફેડરેશન…
ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર ઈરાને પ્રહાર કરી હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન ઈરાને ઈઝરાયલના સૌથી મોટા ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે ખતરનાક વળાંક લઈ રહ્યું હોય તેવું લાગે છે. ઈરાને ઈઝરાયલના સૌથી મોટા ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે. આ હુમલામાં હાઈફા ખાડીમાં બાઝાન ગ્રુપ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. તેને ઈઝરાયલની ઉર્જા પ્રણાલીની કરોડરજ્જુ માનવામાં આવે છે. ઈરાનની આ કાર્યવાહીથી સમગ્ર ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે આ રિફાઈનરી ભારત અને ઈઝરાયલના આર્થિક હિતો સાથે જાેડાયેલી છે. તેથી, આ હુમલા પછી, સવાલો…
ICE એ જશનપ્રીત સિંહને ક્રિમિનલ એલિયન ગણાવ્યો અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિકની ધરપકડ જશનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયા છે. અમેરિકાના સેન ડિએગોમાં ભારતીય નાગરિક જશનપ્રીત સિંહની અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના અધિકારીઓએ ધરપકડ કરી છે. અધિકારીઓએ તેને ક્રિમિનલ એલિયન એટલે કે ખતરનાક ગુનેગાર જાહેર કર્યો છે. આ ધરપકડ અંગેની માહિતી સેન ડિએગોની એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સ યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, જશનપ્રીત સિંહ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયા છે. તેમાં ધમકી આપી લોકોમાં ડર ફેલાવવો, ઘાતક હથિયારથી હુમલો કરવો અને દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ કરવાના આરોપો સામેલ છે. હાલમાં તેને ICEની…
ઈરાની રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી ‘અંતિમ ચેતવણી’ હવે આરપારની જંગ, “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે” ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયને ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક ચેતવણી આપી કે, ઈરાન પોતાની માટીનો એક ઇંચ ભાગ પણ કોઈને લેવા દેશે નહીં ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયને ટ્રમ્પને અત્યંત કડક મેસેજ આપ્યો છે. પેઝેશ્કિયને ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે, “ઈરાન પોતાના દેશની માટીનો એક ઇંચ પણ કોઈને લેવા દેશે નહીં.” રવિવારે એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનએ જણાવ્યું હતું કે, ઈરાન પોતાની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે કોઈપણ ભોગે તૈયાર છે. તેમણે કહ્યું કે, “ઈરાન પોતાના…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં ગાંધીનગર ખાતે યોજાયેલ જનસભામાં હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ જનસભામાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



