- રશિયા સામે EUના નવા પ્રતિબંધો પર નિર્ણય ટળ્યો, ભારતને હાલ વેપારમાં મળી રાહત
- યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાનો દાવો, ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યો
- સરહદ સુરક્ષા માટે ભારતનું મોટું પગલું, 15 હજાર કરોડથી હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ બનશે
- E20 વિવાદ વચ્ચે ગડકરીનો દાવો: સામાન્ય કાર માલિક પોતે સાચું માઇલેજ ચેક કરી શકતો નથી
- ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં 9 વર્ષની બાળકી સહિત 5નાં મોત, સૈન્યએ હુમલાનો સ્વીકાર કર્યો
- સલમાન ખાનનો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’
- માત્ર 13 વર્ષની ઉંમરે ફિલ્મ માટે પસંદ થઈ: સંજના સાંઘીનું નિવેદન, ‘આપણા સપનાઓ આપણાથી વધુ બહાદુર હોય છે’
- સલમાન ખાનની ‘માતૃભૂમિ’ 2027 સુધી ટળે તેવી શક્યતા, આવતા વર્ષે બે ફિલ્મો રિલીઝ થઈ શકે
Author: garvigujrat
મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર થયા ખફા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર થરૂર ખફા ભારતે પોતાના રાજદ્વારી સબંધોનો ઉપયોગ કરવાની જરૂર હતી મોદી સરકારની પ્રશંસા કરનારા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર નારાજગી વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, આ મામલે ભારતે શાંતિ સ્થાપિત કરવામાં આગળ રહેવું જાેઈતું હતું, પરંતુ તેવું ન થઈ શક્યું. તમને જણાવી દઈએ કે, શશી થરૂર એ અહેવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાકિસ્તાન, તુર્કીયે અને ઈજિપ્ત જેવા દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટો કરાવવામાં નેતૃત્વ કરી રહ્યા છે.…
કેરલમની નર્સના કર્યા વખાણ સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક મુશ્કેલ પળમાં મને કેરલમની એક નર્સે જે રીતે સાથ આપ્યો તેનાથી ઘણું આશ્વાસન મળ્યું : રાહુલ ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે પેટમાં ઈન્ફેક્શન અને તાવની ફરિયાદ બાદ તેમને દાખલ કરાયા હતા. માતાની સેવા માટે રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં જ રોકાયા હતા અને આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ હોસ્પિટલમાંથી જ કેરલમની જનતાને વર્ચ્યુઅલી સંબોધિત કરતા પોતાના મનની વાત કહી. તેમણે જણાવ્યું કે, ગઈ રાત્રે…
૭૫% સુધીનું ડિસ્કાઉન્ટ અને કોને મળશે મફત ટિકિટ જવાનો અને તેમના પરિવાર કરી શકે છે આજીવન ફ્રી મુસાફરી રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો બે દિવસ પહેલા જ રેલવેએ ટિકિટ કેન્સલેશન પર એક મોટો ર્નિણય લેતા રિફંડના નવા નિયમો લાગુ કર્યા છે. રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે વધુ એક ર્નિણય લેતા રેલવેએ લાઈફ ટાઈમ મફત મુસાફરીની ભેટ આપી છે. રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો છે. ભારત…
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા ભારત પાસે ૬૦ દિવસનો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક, ગભરાશો નહીં દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીની સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે, ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજી પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશના તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે…
૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા ફેરફાર થઈ શકે ગુજરાતમાં ૫૦ ટકા જેટલી વધી જશે વિધાનસભાની બેઠકો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને ૧/૩ અનામત મળશે. આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન ૧૮૨થી વધીને ૨૭૩ થઈ શકે છે. કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની…
૨૦૨૫ કરતા બમણો જથ્થો મોકલાયો યુદ્ધને કારણે LPG સંકટ વચ્ચે આજેર્ન્ટિના ભારતની મદદે આવ્યું વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ આજેર્ન્ટિનાએ ભારતને ૫૦,૦૦૦ ટન LPG નિકાસ કરી છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધને કારણે ભારતની LPG સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, કારણ કે ભારતની ૬૦% ગેસ આયાત આ જ માર્ગે થાય છે. આ મુશ્કેલ સમયમાં દક્ષિણ અમેરિકન દેશ આજેર્ન્ટિના ભારત માટે એક મોટા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર હોવા છતાં, આજેર્ન્ટિનાએ ભારતની ઊર્જા સુરક્ષા જાળવી…
૧૦૦૦થી વધુ મેડિસિનના ભાવ વધશે ૧ એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) માં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે ૦.૬% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે.…
ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન ભારત સહિત ૫ મિત્ર દેશના જહાજાે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે રણનીતિક રીતે અતિ મહત્વનો એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરાયો નથી મડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજાેને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની…
સોનાના વાયદામાં રૂ.3175 અને ચાંદીના વાયદામાં રૂ.14090નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.427નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.7765.45 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.110714.73 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6043.69 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.118480.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7765.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.110714.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.798.24 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6043.69 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.139800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.141433 અને નીચામાં રૂ.139800ના સ્તરને સ્પર્શી, રૂ.144097ના આગલા બંધ સામે રૂ.3175 ઘટી રૂ.140922ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.2450 ઘટી રૂ.113217ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.294 ઘટી રૂ.14171ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.3441 ઘટી રૂ.140897ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.141003ના…
શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે | સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને || રામ રક્ષા સ્ત્રોતનો આ છેલ્લા શ્લોકમાં રામ નામનો અદભુત મહિમા કહી સ્તોત્ર પુરું કર્યું! એવાં રામ તત્વનાં જન્મની તિથિ એટલે રામ નવમી. તિથિ ની અવઢવમાં રામ જન્મ ગઈ કાલે થયો! પણ જન્મ પછી જ આપણાં અંતરમાં એ જન્મ્યું કે નહીં? એની ખાતરી કરવાની હોય, એટલે આપણે આજે એ રામ તત્વ વિશે ચિંતન કરીશું, પણ પહેલાં ચૈત્રની નોમે મા નવદુર્ગાના નવમાં સ્વરૂપ મા સિદ્ધિદાત્રીને નમીએ. સિદ્ધિદાત્રીનાં આશિષથી સહસ્ત્રાર ચક્રની કલ્પના પણ આલાદક છે, અને જો ત્યાં સુધી શક્તિ પ્રવાહને ખેંચી શકાય તો બહુ સારું છે, પરંતુ આપણી માટે સ્વ થી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



