Author: Garvi Gujarat

તણાવની વચ્ચે મોદી સરકારનો મોટો ર્નિણય.ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જાેડાશે વિદેશમંત્રી એસ. જયશંકર.આ મુલાકાત ભારત-બાંગ્લાદેશની વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ દર્શાવે છે.ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જાેડાશે. તેમની હાજરીને ભારત તરફથી શોક સંવેદના અને સન્માનના સંકેત તરીકે જાેવામાં આવી રહ્યું છે. આ મુલાકાત ભારત-બાંગ્લાદેશની વચ્ચે પરંપરાગત અને મૈત્રીપૂર્ણ સંબંધોને પણ દર્શાવે છે.બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની એક મિટિંગ આજે બપોરે ૧૨.૩૦ કલાકે એક્ટિંગ ચેરમેન તારિક રહમાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક પૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા જિયાના આજે સવારે ૬ વાગ્યે નિધન બાદ બોલાવી હતી. બેઠકમાં નક્કી કર્યું કે બેગમ ખાલિદા જિયાના અંતિમ…

Read More

રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ ઊંચુ.૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે.સમગ્ર દેશમાં ગુજરાત પણ આપઘાતની સંખ્યામાં મોખરે છે. વર્ષ ૨૦૨૩ના જારી આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૮૯૪૮ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં ૬૨૬૦ પુરુષ, ૨૬૮૫ મહિલા અને ૩ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓમાં વિવિધ કક્ષાએ માનસિક તણાવ સહિતના કારણોથી આપઘાત નોંધાયા છે. ૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીની આત્મહત્યા નોંધાઇ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. ૨૦૨૩માં ધોરણ ૧૦ સુધીના…

Read More

૩૧ ડિસેમ્બરે સાંઈ મંદિર આખી રાત ખુલ્લું રહેશે.નવા વર્ષે દેશનાં ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતા.અયોધ્યા, વૈષ્ણોદેવી, તિરુપતિ બાલાજી અને શિરડીના સાંઇ મંદિરનું મેનેજમેન્ટ એલર્ટ મોડમાં. દેશના ચાર મુખ્ય ધાર્મિક સ્થળો તિરૂપતિ, અયોધ્યા, શીરડી અને વૈશ્નોદેવી ખાતે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ તમામ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને નિયંત્રિત કરવાના પગલાં અત્યારથી લેવાના શરૂ કરી દીધા છે.આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ મંદિરમાં ૩૦ ડિસેમ્બરથી ૧૦ દિવસીય વૈકુંઠ એકાદશી ઉત્સવ શરૂ થવાનો છે. આ દરમિયાન ૧ જાન્યુઆરી એટલે…

Read More

૮૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન.ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષાે બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ ઠ પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે ૬ વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…

Read More

નિકાસની સાથે સાથે આયાત વધારવા પણ પગલું.ચીનની ૨૦૨૬માં ૯૩૫ ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાની જાહેરાત.આરોગ્યક્ષેત્રે લોકોની સુખાકારી માટે કૃત્રિમ રક્તવાહિનીઓ જેવી તબીબી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે.ચીને આગામી વર્ષથી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત જકાતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ચીન માત્ર નિકાસ પર ધ્યાન આપે છે અને આયાત ખૂબ ઓછી કરે છે તેવી ટીકાઓનો જવાબ આપવા ચીને આ મહત્વનું પગલું હાથ ધર્યું છે.સ્ટેટ કાઉન્સિલના કસ્ટમ ટેરિફ કમિશને જાહેરાત કરી છે કે નવા ટેરિફ દર ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ ઘટાડો ‘મોસ્ટ-ફેવર્ડ-નેશન’ દરો કરતા પણ ઓછો હશે. આ પગલાનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે તાલમેલ વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનો…

Read More

વિશાલ જેઠવાનો ખુલાસો.‘હોમબાઉન્ડ’ પછી ફિલ્મની ઓફર બદલાઈ ગઈ છે.‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે, જેમનું પોલીસ દળોમાં જાેડાવાનું સહિયારું સ્વપ્ન તેમના જીવનને આકાર આપે છે.વિશાલ જેઠવાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’ માં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી છે. વિશાલ જેઠવાએ એક મુલાકાતમાં સમજાવ્યું કે ‘હોમબાઉન્ડ’ માં કામ કર્યા પછી તેમને મળતી ફિલ્મની ઓફર કેવી રીતે બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે હવે તેમને જે ફિલ્મો ઓફર થઈ રહી છે તે એવી છે જે તેમની પાસે પહેલા ક્યારેય નહોતી. વિશાલે કહ્યું કે તેમને “ઘણી બધી પ્રકારની ફિલ્મો મળવા લાગી જે પહેલા નહોતી આવતી.” તેમણે એમ પણ કહ્યું…

Read More

સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ અને આલિયાની ‘આલ્ફા’ટકરાશે.સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ અને આલિયાની ‘આલ્ફા’ટકરાશે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ૬૦મા જન્મદિવસે ચાહકોને એક સરપ્રાઇઝ મળી. તેમની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રિલીઝ ડેટ સાથે રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ આલિયા ભટ્ટ અને શર્વરીની ફિલ્મ ‘આલ્ફા’ સાથે ટકરાશે તેવી શક્યતા છે. હવે, અહેવાલો સૂચવે છે કે નિર્માતાઓ આ સંઘર્ષ ટાળવા માંગે છે, અને ‘આલ્ફા’ ફરીથી મુલતવી રાખવામાં આવી શકે છે.‘આલ્ફા’ એક જાસૂસી એક્શન થ્રિલર છે, જે વાયઆરએફ સ્પાય યુનિવર્સમાં સાતમો ભાગ છે. શિવ રવૈલ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ બે ઉગ્ર એજન્ટોની વાર્તા કહે છે.…

Read More

સર્જરી પણ કરાવવી પડી.શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!.૫૫ વર્ષીય સાજિદ ખાને એક ડાયરેક્ટર તરીકે હમશકલ, હેય બેબી અને હાઉસફૂલ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.બોલિવૂડ ડાયરેક્ટર અને સલમાન ખાનના શો ‘બિગ બોસ’ના એક્સ કન્ટેસ્ટન્ટ સાજિદ ખાન એક દુર્ઘટાનો શિકાર બન્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાજિદ ખાન એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાજિદ ખાનને પગમાં ઈજા પહોંચી છે અને તેનો પગ ળેક્ચર થઈ ગયો છે. ફિલ્મ ડાયરેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાજિદની બહેન અને ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાના ભાઈનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. સાજિદ ખાને ગત મહિને જ પોતાનો ૫૫મો બર્થડે…

Read More

૯ મહિના સુધી કાશ્મીર સહિતના વિવિધ લોકેશન પર શૂટ થશે.કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે.કાર્તિક આર્યન હાલ ઘણી સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે અને તે ૨૦૨૬ના પાછળના ભાગમાં ભૂલ ભુલૈયા ૪ પણ શરૂ કરવાનો છે.કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન પછી કબીર ખાન સાથે કામ કરવાનો હોવાના અહેવાલો પહેલાં પણ હતા. હવે આ ફિલ્મ અંગે વધુ અહેવાલો છે, તે મુજબ તેઓ ફરી એક વખત સ્પોર્ટ્સ એડવેન્ચર ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેની વાર્તા કાશ્મીર આધારીત છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “કાર્તિક અને કબીર જે ફિલ્મ માટે કામ કરી રહ્યા છે, તે એક ગેમ ચેન્જર જાેનર હોઈ શકે છે. આ…

Read More

સર્વે નંબર અને નકશામાં ગોટાળા.લીંબડીના રાસકા ગામે સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ.જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામે નિર્માણ પામેલા વિશાળ સોલાર પ્લાન્ટમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લીંબડીના રાસકા ગામની ‘રાઇની સીમ‘ તરીકે ઓળખાતી આશરે ૪૫૦ વીઘા (૧૬૦ એકર) જમીનમાં આ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાથણીની જમીનોના પ્રીમિયમ ભરવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી જમીનો ખરીદવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. સૌથી ચોંકાવનારી બાબત…

Read More