- હાથરસમાં પુસ્તકોના વેપારી પાસેથી 5.6 ટન સિક્કા જપ્ત, નેટવર્કની તપાસ માટે પોલીસની વિશેષ ટીમ રચાઈ
- શાહરુખ ખાન બન્યા નંબર-1 સેલિબ્રિટી બ્રાન્ડ, રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું
- અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાયસન્સ રદ, ભારતીયોને મોટો ઝટકો
- રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી
- ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉત્પાદન-વેચાણ-ઉપયોગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
- ટ્રમ્પની ટેરિફ નીતિ સામે 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં, ભારત સહિત 60 દેશો પર લાગેલા ટેરિફને પડકાર
- શમા સિકંદરની સ્ટ્રગલ સ્ટોરી: 16 વર્ષે ડેબ્યૂ, ડિપ્રેશન સામે લડાઈ અને આત્મહત્યાના પ્રયાસ બાદ કમબેક
- ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સરથી બોલિવૂડમાં શોકની લહેર
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષોથી ભાજપ ના ખેસ પહેરી ફરતા ભાજપ સાથે સંકળાયેલા વાલ્મિકી સમાજ ના કાર્યકરોમાં નારાજગી છવાયેલ છે. તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ દિલ્હીગેટ ખાતે મળેલ મિટિંગમાં વાલ્મિકી સમાજ ના મોટા ભાગના કાર્યકરો જેઓ ભાજપ ના ખેસ ધારીઓ છે તેઓના મોઢા ના રંગ ઊડી ગયા છે. પોતાની ટિકિટ નક્કી છે તેવી વાતો કરતા કાર્યકરો ના મોઢા પડી ગયા છે અને તેઓમાં પક્ષ પ્રત્યે ચોખ્ખો અણગમો સ્પષ્ટ દેખાય રહ્યો છે. વાલ્મિકી સમાજ ના શિક્ષિત અને વર્ષોથી ભાજપ માટે રાત દિવસ એક કરનારા ભાજપ ના કાર્યકરો ની અવગણનાથી સમગ્ર સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. હાલ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશમાં વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા એક ગંભીર સામાજિક સમસ્યા તરીકે ઉભરી રહી છે. ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર,સંયુક્ત પરિવારોના વિઘટન અને ઝડપથી બદલાતી જીવન શૈલીને કારણે વૃદ્ધોની ઉપેક્ષા ના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર તેમના જીવનના સંધ્યાકાળ ના વર્ષોમાં માતા-પિતા પાસે એકલતામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અથવા વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડે છે. ત્યારે આના સંદર્ભમાં તેલંગણા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ "કર્મચારી જવાબદારી અને માતા-પિતા સહાય દેખરેલ બિલ ૨૦૨૬" ને ઘણી બાબતોમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલા તરીકે આવકારવામાં આવી રહ્યું છે. આ વિધેયક અનુસાર રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તેમના…
પંજાબે હૈદરાબાદને હરાવ્યું પ્રિયાંશ-પ્રભસિમરન અને શ્રેયસની ધુંઆધાર ઇનિંગ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો IPL 2026 ની ૧૭મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હાઈ સ્કોરીંગ મેચમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો ર્નિણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબને જીતવા માટે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. પંજાબ કિંગ્સ માટે કેપ્ટન શ્રેયસ અય્યરે ૫ ચોગ્ગા અને ૫…
ફડણવીસે આપ્યા તપાસના આદેશ છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબલનું હેલિકોપ્ટર ખોટી જગ્યા ઉતર્યુ હોવાના મામલે પાયલટની લાપરવાહી પણ સામે આવી છે. જેમાં પાયલટે હેલિકોપ્ટર હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતારી દીધુ હતુ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવાની વાત કરી છે. મળતી માહિતી મુજબ, છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં હેલિકોપ્ટરને નિર્ધારિત હેલિપેડની જગ્યાએ પાયલટે કાર પાર્કિંગમાં લેન્ડ…
હવે નવા ખતરામાં દુનિયા! હોર્મુઝમાં સમુદ્રની નીચે ઈરાને મોટી ગડબડ કરી દીધી યુદ્ધ વચ્ચે ઈરાન હોર્મુઝને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ : સુરંગો બીછાવી લોકેશન ભૂલી ગયું ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત છતાં હોર્મુઝ જલડમરૂમધ્ય સંપૂર્ણ રીતે બીજીવાર ખુલી શક્યું નથી. તેની પાછળ એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઈરાને યુદ્ધ શરૂ થતાં આ સાંકળા સમુદ્રી રસ્તામાં લેન્ડમાઇન્સ બીછાવી હતી, પરંતુ હવે ઈરાનને તેના લોકેશનની માહિતી નથી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રીટને સંપૂર્ણ રીતે ખોલવામાં અસમર્થ છે. ઈરાન સમુદ્રની નીચે બીછાવવામાં આવેલી લેન્ડમાઇન્સના લોકેશનની માહિતી મેળવી શક્યું નથી. ન્યૂયોર્ક ટાઇમ્સને અમેરિકી અધિકારીઓએ તે પણ…
વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં મોટા ગજાના બોલરો સામે નથી અનુભવતો દબાણ બસ બોલ જાેઉં છું, બોલર નહીં : વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર ૨૬ બોલમાં ૩૦૦ના સ્ટ્રાઈક રેટથી ૭૮ રન ફટકારીને સનસનાટી મચાવનાર ૧૫ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે. વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જાેશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી…
સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૧૧ એપ્રિલનો છે, જ્યારે પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, કેન્દ્રીય…
ઇઝરાયેલ-ઈરાન બંનેને આપી કડક ચેતવણી લેબનનમાં નિર્દોષોના મોત પર ભારત લાલચોળ સીઝફાયરની જાહેરાતના તરત જ બાદ ઇઝરાયેલે ખૂબ જ ભયાનક હુમલો કર્યો જેમા અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા નવી દિલ્હી: ભારતે લેબનનમાં નાગરિકોના મોતના સમાચારો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે, તાજેતરની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે અને તમામ પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જાેઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર આયોજિત આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, ભારત, લેબનનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથી અત્યંત ચિંતિત છે. તેમણે કહ્યું કે, ભારત, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન UNIFIL સૈનિકોનું યોગદાન આપનારો દેશ છે અને…
બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ગભરાયેલા છે અને જનતાને ભ્રમિત કરી રહ્યા છે ભાજપ સત્તામાં આવશે તો સૌથી પહેલા ૧૫ વર્ષમાં તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર પર એક વ્હાઇટ પેપર બહાર પડાશે : મોદી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને તમામ પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.પાર્ટીઓના સ્ટાર પ્રચારકો એક પછી એક રેલીઓ અને સભાઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીઓ દરમિયાન નેતાઓના ભાષણો હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. આવું જ એક નિવેદન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની રેલી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર ભાજપમાં વાલ્મીકિ સમાજના અનેક કાર્યકરે પાર્ટીના ઉમેદવાર બનવા માટે ભાજપ પાસે ટિકિટની (ઉમેદવારી) માંગણી કરી હતી. પરંતુ ભાજપે કોઈ પણ કાર્યકારની કદર ના કરી વાલ્મીકિ સમાજની વસ્તીને નારાજ કરી છે. જે કાર્યકરોને ટિકિટ આવશે એવી આશાએ ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા હતા એટલું જ નહીં ભાજપના કોઈ મોટા નેતા આવે ત્યારે સંખ્યા દેખાડવા માટે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓ ને મોટી સંખ્યામાં હાજર રાખવામા આવે છે. આ કાર્યકરો અગત્યની ભૂમિકા ભજવતા હતા. તેવા કાર્યકરો ને ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી નહીં કરી બહારનો રસ્તો બતાવી સમાજમાં જે મોટા ભા થઈ ને ફરતા હતા તેઓને તેમની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



