Author: garvigujrat

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી, CM ભગવંત માન સાહેબ, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની સાથે સાથે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય…

Read More

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદ દ્વારા મીડિયાને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે જણાવ્યું હતું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ મામલે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે લડી રહી છે અને તેના કારણે ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” નામે એક મહા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ મહા અભિયાન અંતર્ગત તેમજ ખેડૂતો ઉપર થયેલા દમન, ખોટા કેસો અને વર્તમાન કૃષિ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આમ આદમી…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના ન્યુઝ પેપરમાં એક સમાચાર આવ્યા કે ભારતીય મૂળના નીલ કાત્યાલે અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના નિર્ણયને પડકાર્યો. નીલ કાત્યાલે આ જે ટેરીફની અને ટ્રેડ ડીલના નિર્ણયોની વાતો ચાલી રહી છે તેને અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વ્યાપક ટેરીફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો. તો અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે અને એ સિવાય અમેરિકાએ બીજા દેશો પર જે ટેરિફ લગાવ્યો છે એ અન્યાયી અને ગેરબંધારણીય છે…

Read More

પ્રિયંકા અને પીકેની ગુપ્ત મુલાકાત : શું જન સૂરજ પાર્ટી કોંગ્રેસમાં ભળી જશે ? ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી સાથેની તેમની મુલાકાત અને જન સૂરજના કોંગ્રેસમાં વિલીનીકરણના અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સાથે વાત કરતા , પીકેએ સોશિયલ મીડિયાના દાવાઓને ફગાવી દીધા પરંતુ પ્રિયંકા ગાંધીને મળ્યાનો સ્વીકાર કર્યો એસવીએન,ગોપાલગંજ શું જન સૂરજ કોંગ્રેસમાં ભળી જવાના છે ?પ્રશાંત કિશોરે ગોપાલગંજમાં આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો. બિહારના રાજકારણમાં, ગઠબંધન વિના સત્તાનો માર્ગ મુશ્કેલ માનવામાં આવે છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જન સૂરજને શૂન્ય બેઠકો મળ્યા બાદ, ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું પ્રશાંત કિશોર હવે કોઈ મોટી…

Read More

ભ્રષ્ટાચાર સામે લાલ આંખ.દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ.આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે થયેલી આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. ફતેપુરાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે આવેલી સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરવહીવટ થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામની શાળામાં કમ્પાઉન્ડ વોલ (કિનારી દીવાલ) બનાવવાના કામમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં…

Read More

વહેલી સવારના અંધારાનો લાભ લઈ ચોરી.વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા.અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે ૧૦૦ લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે દૂધની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલ નજીક આવેલા એક અમૂલ પાર્લરમાંથી અજાણ્યો શખસ અંદાજે ૧૦૦ લિટર દૂધની ચોરી કરી ફરાર થઈ જતાં વેપારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલ યુનાઈટેડ સ્કૂલની આસપાસના વિસ્તારમાં અનેક દૂધની ડેરીઓ અને પાર્લર આવેલા છે. વહેલી સવારે જ્યારે દૂધની ગાડીઓ ડિલિવરી આપીને જાય…

Read More

૩૫ લાખ ભક્તો ઉમટવાની શક્યતા.ખાટૂશ્યામ લક્ખી ફાલ્ગુન મેળાનો પ્રારંભ થયો.મેળાની સુરક્ષા માટે ૪,૪૦૦ પોલીસકર્મીઓ અને ૧,૦૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે સમગ્ર મેળા વિસ્તારને ૨૨ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યો છે.રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત વિશ્વવિખ્યાત ખાટૂશ્યામ મંદિર ખાતે આજથી (શનિવાર) ફાલ્ગુન મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ૨૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ૮ દિવસીય મેળામાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા શ્યામના દર્શને ઉમટી રહ્યા છે. રીંગસથી ખાટૂ સુધીનો આખો માર્ગ કેસરીયા ધજાઓ અને ભક્તિ સંગીતથી ગુંજી ઉઠ્યો છે. મેળાના આયોજન સાથે જાેડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે મેળામાં આશરે ૨૮ થી ૩૫ લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ખાસ કરીને ૨૪ થી…

Read More

૧૯.૫૪ કિલોમીટર લાંબા કોરિડોરનું નિરીક્ષણ.મુંબઇમાં ફરી દોડશે મોનોરેલ, પેસેન્જરને આધુનિક સુવિધાનો મળશે લાભ.આ સિદ્ધિને જાહેર ઉપયોગ માટે મોનોરેલ સેવા ફરી શરૂ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.મુંબઈવાસીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. નવી, સુરક્ષિત, સ્માર્ટ અને ઝડપી મોનોરેલ સેવા ટૂંક સમયમાં ફરી કાર્યરત થવાની તૈયારીમાં છે. અપડેટેડ મોનોરેલને તેના નવા રોલિંગ સ્ટોક અને CBTC-આધારિત સિગ્નલિંગ સિસ્ટમ માટે જરૂરી સુરક્ષા સર્ટી મેળવી લીધું છે. આ સલામતી પ્રમાણપત્ર બ્યુરો વેરિટાસ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું, જે એક વૈશ્વિક પરીક્ષણ અને નિરીક્ષણ સંસ્થા છે, જે સ્વતંત્ર સલામતી મૂલ્યાંકનકાર તરીકે કાર્ય કરે છે. આ સિદ્ધિને જાહેર ઉપયોગ માટે મોનોરેલ સેવા ફરી…

Read More

આગામી ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ બની રહી છે.ભારતમાં ૪ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ફાઈનલ મતદાર યાદી જાહેર.આ અપડેટમાં મતદાતાઓની સંખ્યા વધેલી છે અને નવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સૂચિ SIR (સર્વે ઓફ ઇલેક્ટોરલ રોલ) પછી પ્રકાશિત કરવામાં આવી છે અને આગામી ચૂંટણીઓ માટે મહત્વપૂર્ણ બની રહી છે. આ અપડેટમાં મતદાતાઓની સંખ્યા વધેલી છે અને નવા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નોંધનીય છે. રાજસ્થાન:રાજસ્થાનમાં કુલ ૫.૧૫ કરોડ મતદારો છે. જેમાં પુરુષ મતદાતાઓની સંખ્યા ૨,૬૯,૫૭,૮૮૧ છે, જ્યારે મહિલા મતદાતાઓની સંખ્યા ૨,૪૫,૬૧,૪૮૬ છે. ઉપરાંત રાજ્યમાં ૫૬૨ ટ્રાન્સજેન્ડર મતદારો દાખલ થયા છે. આ ફાઈનલ સૂચિ રાજ્યમાં મતદાર પંજિકરણ અને આગામી ચૂંટણી માટે…

Read More

રોહિત પવારના ગંભીર આક્ષેપો.રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના રાજીનામાની માંગ કરી.આ દુર્ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છ.મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન અકસ્માત મામલે NCP (SP) નેતા રોહિત પવારે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. રોહિત પવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના રાજીનામાની માંગ કરી છે અને આ દુર્ઘટના પાછળ કોઈ મોટા કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. રોહિત પવારે જણાવ્યું કે તેમણે આ અકસ્માત અંગે પોતાની રીતે તપાસ કરી છે, જેમાં અનેક ચોંકાવનારી ક્ષતિઓ સામે આવી છે. પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે દાવો કર્યો કે,…

Read More