Author: garvigujrat

સરકારે બજેટમાં લિમિટ વધારી ભારતીયો વિદેશથી પહેલા કરતા વધારે સોનું કોઈ ટેક્સ વગર લાવી શકશે ભારતમાં ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટેડ સામાનની લિમિટ રૂ.૫૦,૦૦૦થી વધારીને રૂ.૭૫,૦૦૦ કરી દેવાઈ મોદી સરકારે એક મોટી રાહત આપતા ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટ (Duty-free imports) સાથે જાેડાયેલા નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવા બેગેજ નિયમ ૨૦૨૬, અંતર્ગત ભારતમાં ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટેડ સામાનની લિમિટ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ આજે સોમવારથી લાગુ થઈ ગયા છે. આ નિયમો અનુસાર, ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના પ્રવાસીઓ હવાઈ કે સમુદ્ર માર્ગે ભારત આવતી વખતે રૂ.૭૫,૦૦૦ સુધીનો સામાન (વ્યક્તિગત ઉપયોગ માટે) ડ્યૂટી વગર સાથે લાવી શકશે. આ પહેલાં આ લિમિટ રૂ.૫૦,૦૦૦…

Read More

દેહવિક્રયનો ઓનલાઇન પ્રચાર-પ્રસાર કરતા હતા ૧૨૦ જેટલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલર સામે ફરિયાદ એસ્કોર્ટ સર્વિસીસ અને એઆઈ અશ્લીલ સામગ્રીના દુરુપયોગ સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય બનાવી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને સાયબર છેતરપિંડી સામે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન અંતર્ગત, ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ રેકેટ ચલાવવા અને જનતાને છેતરવા બદલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ, ફેસબુક પેજ અને વિવિધ વેબસાઇટ્સ સહિત ૧૨૦ ઓનલાઇન એકમો (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલ્ડર્સ) સામે ઔપચારિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સુંવાળા સાથની લાલચ આપી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા પણ પડાવવામાં…

Read More

કેટલાક વાયરલ વિડીયોના આધારે દાવો આલિયાએ રણબીર સાથે વિખવાદની અફવાને હસી કાઢી કેટલાક વિડીયોમાં આલિયા અને રણબીરના હાવભાવના આધારે બંને વચ્ચે અણબનાવ હોવાની અટકળો લોકોએ લગાવી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે વિખવાદ થયો હોવાનો દાવો કેટલાક વાયરલ વિડીયોના આધારે કરાયો હતો. જાેકે, આલિયાએ આ તમામ અફવાઓને હસી કાઢી છે. આલિયાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે માત્ર સાત સેકન્ડના વિડીયોના આધારે સાત વર્ષનાં સંબંધનું માપ ન કાઢવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરનાં લગ્ન એપ્રિલ ૨૦૨૨માં થયાં હતાં. તે પહેલાં ત્રણ વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતાં. કેટલાક વિડીયોમાં આલિયા અને રણબીરના હાવભાવના આધારે બંને વચ્ચે અણબનાવ હોવાની અટકળો લોકોએ…

Read More

સુપરસ્ટાર ચિરંજીવીએ ગુડ ન્યુઝ શેર કરી અભિનેતા રામ ચરણ અને ઉપાસનાના ઘરે ફરી પારણું બંધાયું રામ ચરણ અને ઉપાસના વર્ષાેથી મિત્રો હતા. ડેટિંગ કર્યા પછી આ કપલએ જૂન ૨૦૧૨ માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ામ ચરણ અને ઉપાસના કામિનેની હવે ત્રણ બાળકોના માતા-પિતા છે. આ દંપતીએ શનિવારે જાેડિયા બાળકોનું સ્વાગત કર્યું, એક છોકરો અને એક છોકરી. સુપરસ્ટાર ચિરંજીવી એ ટ્વિટર પર ચાહકો સાથે દાદા બનવાનો આનંદ શેર કર્યાે હતો. સુપરસ્ટાર ચિરંજીવીએ ટ્વિટર પર ગુડ ન્યુઝ શેર કરતા લખ્યું, “અપાર આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે, અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે રામ ચરણ અને ઉપાસનાના ઘરે જાેડિયા બાળકો…

Read More

વર્ષાે પછી અભિનેત્રીએ મૌન તોડ્યું ગોવિંદા અને નીલમ કોઠારી વચ્ચે ખરેખર અફેર હતું? નીલમના મતે, તે સમયે સોશિયલ મીડિયા નહોતું કે કોઈ સ્પષ્ટતા કરી શકાય, અને જે છપાતું તે લોકો સાચું માની લેતા બોલીવુડમાં કલાકારો પચાસ પછી ૬૦-૭૦ વર્ષના પછી અફેરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં ૬૩ વર્ષના ગોવિંદા માટે હવે નવી વાત જાણવા મળી છે. પોતાની ફિલ્મો અને ડાન્સથી લોકોની દિલમાં જગ્યા બનાવનાર ગોવિંદા પાછલા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચાઓનું કેન્દ્ર બની રહ્યા છે. એક તરફ તેમની પત્ની સુનીતા આહુજાના નિવેદનો ચર્ચામાં રહે છે, ત્યારે બીજી તરફ ૯૦ના દાયકાની ફેમસ એક્ટ્રેસ નીલમ કોઠારી સાથેના તેમના જૂના અફેરની…

Read More

ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ સોશિયલ મીડિયા પર ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’એ કેમ ધૂમ મચાવી રહી છે? માત્ર ૯૦ મિનિટની આ ફિલ્મમાં જાેવા મળે છે કે કેવી રીતે આ બંને પાત્રો એકબીજાના ‘સોલમેટ’ હોવા છતાં આધુનિક જીવનશૈલીને કારણે ગૂંચવાયેલા છે આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે, ત્યારે ‘ચલચિત્ર ઓરિજિનલ્સ’ દ્વારા નિર્મિત ફિલ્મ ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ૨૫ ડિસેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મ વૈભવ મુંજલ દ્વારા ર્નિદેશિત છે. આ કોઈ મોટા બજેટની મસાલા ફિલ્મ નથી, પરંતુ તે આજના યુવાનોના ‘મોડર્ન રિલેશનશિપ’ અને…

Read More

૧૦ લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો દેશભરની ૧૫,૦૦૦ ઉચ્ચતર માધ્યમિક અને ૫૦૦ કોલેજાેમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે. કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (છફય્ઝ્ર) સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે. બજેટમાં ગેમિંગ ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આ ક્ષેત્ર માટે ૧૦ લાખથી વધુ પ્રોફેશનલને હાયર કરાશે. એક નવી કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટ અપ…

Read More

*પૈસા મોકલવા પર લાગતાં ટેક્સમાં ઘટાડો શિક્ષણ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ! તબીબી ખર્ચ પરનો TCS પણ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરાયો, જેનો અર્થ છે કે વિદેશમાં સારવાર થોડી સસ્તી થશે. નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૬ રજૂ કરતી વખતે એક મોટી જાહેરાત કરી. તેમણે વિદેશમાં અભ્યાસ પરના ટેક્સમાં રાહત આપી. શિક્ષણ અને આરોગ્ય પરનો TCS ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે, જેનાથી માતા-પિતાના હજારો રૂપિયાની બચત થાય છે. આ ટેક્સ ૧૦ લાખ રૂપિયાથી વધુ મોકલવા પર લાદવામાં આવે છે. વધુમાં તબીબી ખર્ચ પરનો TCS પણ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે, જેનો અર્થ…

Read More

અમેરિકા-ઈરાન વચ્ચે વિવાદ વધ્યો ! અમેરિકાએ અરબ સાગરમાં યુદ્ધ જહાજાે તહેનાત કરતા ખામેનેઈ નારાજ ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે. અમેરિકા-ઈરાન વચ્ચે દિવસે ને દિવસે વિવાદ વધારો થઈ રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો ર્નિણય કર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ અલી હુસૈની ખામેનેઈ આક્રમક બની ગયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે કે, ‘જાે અમેરિકા કોઈપણ હુમલો…

Read More

કરદાતાઓ માટે સૌથી મોટી ખુશીના સમાચાર હવે ઈન્કમ ટેક્સ ચોરી પર નહીં થાય જેલ, સરકારે કરી મોટી જાહેરાત નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે સરકાર હવે કરદાતાઓ પર વિશ્વાસ કરવાની નીતિ અપનાવી રહી છે જાે તમે કડક આવકવેરાના નિયમો અને ચકાસણી પ્રક્રિયાઓથી ડરતા હતા, તો ૨૦૨૬-૨૭નું બજેટ રાહતનો શ્વાસ લઈને આવ્યું છે. સંસદમાં બજેટ રજૂ કરતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે સરકાર હવે કરદાતાઓ પર વિશ્વાસ કરવાની નીતિ અપનાવી રહી છે. સૌથી મોટી જાહેરાત એ છે કે આવકવેરો છૂપાવવાથી હવે જેલની સજા થશે નહીં. વધુમાં, વિદેશ યાત્રાથી લઈને મિલકત ખરીદી સુધીના દરેક વસ્તુને આવરી લેતા નિયમો સામાન્ય માણસના ખિસ્સા…

Read More