- ઈરાન-અમેરિકા તણાવ ચરમસીમાએ, ટ્રમ્પના આદેશ બાદ સૈન્ય હુમલાથી યુદ્ધનો ખતરો વધ્યો
- NEET મુદ્દે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી વિપક્ષ ભડક્યું, અખિલેશથી કેજરીવાલ સુધી પ્રહાર
- NEET પેપર લીક મુદ્દે બ્રિજરાજ સોલંકીનું આંદોલનને સમર્થન, મંત્રીના રાજીનામાની માંગ
- GenZ આંદોલન મુદ્દે ઈસુદાન ગઢવીના આકરા પ્રહાર, પેપર લીક સામે સરકારને ઘેરી
- NEET મુદ્દે કેજરીવાલ અને ભગવંત માનનો યુવાનોને ટેકો, સરકાર સામે ઉઠાવ્યા સવાલ
- GenZ આંદોલનને સમર્થન આપવા ‘આપ’ નેતા ધાર્મિક માથુકિયા દિલ્હી પહોંચ્યા
- સોનમ વાંગચૂકના સમર્થનમાં ‘આપ’ના મૌન ધરણા, શિક્ષણ બચાવ આંદોલનને સમર્થનની અપીલ
- સોનમ વાંગચૂકને જંતર-મંતરથી હોસ્પિટલ ખસેડાયા બાદ મીડિયાના અહેવાલો પર ઉઠ્યા સવાલ
Author: garvigujrat
પ્રદૂષણથી આરોગ્ય સમસ્યાઓની તકલીફ વધી.બાવળાના મેમર ગામમાં ગ્રોથપાથ પેટ્રોકેમ કંપનીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ.ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૨૦૨૧માં કરવામાં આવી હતી અને તેનું રજિસ્ટર્ડ એડ્રેસ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છે.અમદાવાદના બાવળા તાલુકામાં આવેલા મેમર ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ગ્રામજનોનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું છે. ગામની નજીકમાં જ કાર્યરત ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડકંપની દ્વારા ફેલાવાતા અતિશય અવાજ અને વાયુ પ્રદૂષણ સ્થાનિક લોકો, બાળકો અને પશુઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ કંપની, જે અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે, તેને ૨૦૨૨માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી હતી, પરંતુ હવે ગ્રામજનોના આરોપ છે કે કંપની પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન…
ઉધનામાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ.ડાઇંગ મિલો કેમિકલયુક્ત પાણી છોડતું હોવાનો આરોપ.માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને સ્થાયી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે.સુરત શહેરના ઉધનામાં અમૃત નગરમાં સ્થાનિકો છેલ્લા કેટલાંક દિવસથી પીવાના પાણીના ગંદા આવવાની ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ગંદુ અને કલરયુક્ત આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોને સતત હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ આ બાબતમાં મુખ્ય કારણ ગેરકાયદેસર ચાલતાં તપેલા ડાઇગમિલો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક લોકોના આરોપ અનુસાર આ ડાઇગમિલો દ્વારા ડ્રેનેજમાં કલરયુકત પાણી છોડી દેવામાં આવે છે અગાઉ આવી સમસ્યા નોંધાઇ હતી, ત્યારે પણ પાલિકા દ્વારા માત્ર દેખાવની કામગીરી કરવામાં આવી અને…
કોર્ટમાં અરજી દાખલ કરી ASI સર્વેની માંગ.અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો.મહારાણા પ્રતાપ સેનાના પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી સર્વેની માંગ કરી હતી.અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હતું અને સર્વેની માંગ કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજવર્ધન સિંહ પરમારે દાખલ કરી હતી. રાજવર્ધન સિંહ પરમારે કહ્યું કે, અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હતું અને બાદમાં તેને દરગાહમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા સામે લડી રહ્યો છું. અગાઉ રાષ્ટ્રપતિને એક અરજી…
હવામાન વિભાગની આગાહી.ઉત્તરાયણ પર્વ પર પતંગબાજાે માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ.૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા રહેલી છે.ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. હવામાન વિભાગ મુજબ, ૧૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં ૧૪મી જાન્યુઆરીએ પવન મુખ્યત્ત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે. જ્યારે ૧૫મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે,…
પતંગ મહોત્સવમાં પહોંચ્યા મોદી અને જર્મન ચાન્સેલર.મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો.૫૦ દેશોના ૧૩૫ થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના ૧૩ રાજ્યોના ૬૫ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ બંને મહાનુભાવો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ કાઈટ ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજાે દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરી હતી અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ૨૦૨૬ નો શુભારંભ કરાવ્યો. જર્મન ચાન્સલર ફેડરિક…
એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી.ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા.પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ ગત અઠવાડિયે બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને સ્ઇૈં સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી. ૧૦ જાન્યુઆરીએ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. સોમવારે તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જાે કે ડૉક્ટરે સ્થિતિને જાેતા તત્કાલ દાખલ કરવાનો ર્નિણય…
કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગતી સુપ્રીમ.SC અને ST અનામતમાં ક્રીમી લેયરને લાભ ના મળવો જાેઈએ?.અરજદારો ઇચ્છે છે કે, સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ના મળવો જાેઈએ, અને સુપ્રીમ કોર્ટે આવું કરવા માટે જરૂરી નિર્દેશો આપવા જાેઈએ.સુપ્રીમ કોર્ટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની અનામતમાંથી ક્રીમી લેયરને બાકાત કરવાની માંગણી કરતી અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર તેમજ દેશના વિભિન્ન રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા જણાવ્યુ છે. આજે સોમવારે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે, ક્રીમી લેયરને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટેની…
સેવા તીર્થમાં શિફ્ટ થશે વડાપ્રધાનનું કાર્યાલય.ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO!કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે(૧૪ જાન્યુઆરી, ૨૦૨૬)થી નવા PMO કાર્યાલય સેવા તીર્થ પરિસરમાં શિફ્ટ કરશે. આમ ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે. વહીવટીતંત્રમાં સુમેળ અને કાર્યોને વધુ યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ર્નિણય લેવાયો છે. નવી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાન કાર્યાલય હવે સેવા તીર્થ-૧ ભવનમાં સંચાલિત થશે, જે કાર્યપાલિકા પરિસર-૧માં વાયુ ભવન પાસે સ્થિત છે. આ પરિસરમાં સેવા તીર્થ-૨ અને સેવા તીર્થ-૩ ભવન પણ છે. સપ્ટેમ્બર, ૨૦૨૫…
ભારત બાદ હવે બે દેશોની Grko પર કાર્યવાહી.એઆઈ ચેટબોટે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પ્રતિબંધ લગાવી દીધો.એઆઈના એજેન્ટિક ચેટબોટ પર આ બૅન ટેમ્પોરરી લગાવ્યો છે : ગ્રોકની દુનિયાભરમાં બદનામી થઈ રહી છે.Grko પર વિવાદ રોકાવાનું નામ નથી લેતો. ભારતમાં એઆઈ દ્વારા ક્રિએટ કરવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ પર કાર્યવાહી કરવામાં આવી, જે બાદ એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મે ૩૫૦૦ કન્ટેન્ટને બ્લોક કરી દીધા. સાથે જ ગ્રોકે પોતાની ભૂલ માનતા ભારતના કાયદા હિસાબથી કામ કરવાની વાત કહી છે. વળી હવે બે અન્ય દેશોમાં ગ્રોક પર પ્રતિબંધ લાગ્યો છે. એલન મસ્કના એઆઈ પ્લેટફોર્મ પર ડીપફેક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ છે, જે બાદ આ કડક ર્નિણય લેવાયો…
વોશિંગ્ટન સુંદર ODI સિરીઝમાંથી બહાર.BCCIએ દિલ્હીના ઓલરાઉન્ડર આયુષ બદોનીને તક આપી છે.મેચમાં વોશિંગ્ટન સુંદરને ઈજા થઈ હતી : તબીબી સલાહ બાદ તેને આખી સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ૧૧ જાન્યુઆરી, રવિવારના રોજ વડોદરા ODI દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વડોદરા સ્થિત કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેનના કારણે અચાનક દુખાવો થવા લાગ્યો. દુખાવો વધતાં તેને મેદાન છોડીને જવું પડ્યું. સુંદર હવે બાકીની બે મેચમાંથી બહાર થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે. BCCI એ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



