- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
ભગવાનને પણ આરામનો સમય નથી આપતા, આ તો એમનું શોષણ કહેવાય.અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ.વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર મુદ્દે સુપ્રીમે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો.સુપ્રીમ કોર્ટે સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો. જે એક પ્રકારનું શોષણ છે. આ સાથે જ રૂપિયા લઇને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા…
અચાનક જ આવેલા મેઇલથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટમાં ફફડાટ.ટ્રમ્પ સરકારે એચ-૧બી અને એચ-૪ વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા.વિઝાધારકની વર્તમાન સ્થિતિમાં ફેર નહીં પડે, પરંતુ અમેરિકા છોડીને જશે તો પરત નહીં આવી શકે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રએ લીધેલા નવા પગલામાં એચ-૧બી અને એચ-૪ વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિદેશ વિભાગે મોકલેલા મેઇલના કારણે અમેરિકાના મોટાપાયા પરના એચ-૧બી વિઝાધારક અને એચ-૪ વિઝાધારકની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકામાં આ ઘટના ત્યારે થઈ છે જ્યારે વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા તપાસ કરવાની સ્કીમ લાગુ કરી છે. તાજેતરના દિવસોમાં અનેક એચ-૧બી અને એચ-૪ વિઝાધારકને અમેરિકન કોન્સ્યુલેટ્સ તરફથી ઇ-મેઇલ મળ્યા છે. આ સંદેશાઓમાં જણાવાયું…
૭ના મોત; ૧૩૦ લોકોનું રેસ્ક્યૂ કરાયાં.ઈમરજન્સી લેન્ડિંગ સમયે ફેક્ટરીમાં વિમાન ક્રેશ થયું.ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી.મેક્સિકોના મધ્યમમાં સોમવારે એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે ૫ કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ ૫૦ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. અહેવાલો અનુસાર, આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું…
અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં વાત કરી.ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓથી આરાધ્યાને કોઈ અસર થતી નથી.આરાધ્યા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ એ પણ તેના હોમવર્ક અને ભણવા પૂરતું જ સીમિત છે : અભિષેક.અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં અને તેમનાં ફૅન્સ વચ્ચે એક લોકપ્રિય કપલ છે. ૨૦૦૬માં ધૂમ ૨ના શૂટિંગ વખતે તેઓ બંને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં અને તેમનાં લગ્નની પણ સમગ્ર દેશમાં અને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી. આજે તેમનાં લગ્નજીવનનાં ૧૮ વર્ષ વિતી ચૂક્યા છે અને તેઓ બંને ડિવોર્સની અનેક ચર્ચાઓ અને અફવાઓને અવગણીને પોતાની કૅરિઅરમાં આગળ વધવાની સાથે જીવનમાં પણ ખુશીથી આગળ વધી રહ્યાં છે. તેમની ૧૪ વર્ષની દીકરી આરાધ્યા પણ હવે…
બસ ઘરથી શૂટિંગ, એરપોર્ટ અથવા હોટેલ જઉં છું.હું છેલ્લા ૨૫ વર્ષથી જમવા માટે બહાર ગયો નથી : સલમાન ખાન. સલમાન પણ તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદાહ ખાતે ચાલી રહેલા રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો.જ્યારે એક્ટર્સ અનિયમિત સમય માટે શૂટિંગમાં ઘરથી બહાર રહેતા હોય અને અનિશ્ચિત સમય સુધી કામ કરતા હોય છે, ત્યારે સલમાન ખાને તેની જીવનશૈલી વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો કહી છે, તેણે કહ્યું કે છેલ્લા ૨૫ વર્ષમાં તે એકેય વખત બહાર જમવા માટે ગયો નથી. સલમાને કહ્યું, તે બસ “ઘરથી શૂટિંગ, એરપોર્ટ અથવા ઘરે જઉં છું.”સલમાન પણ ગુરુવારે સાઉદી અરેબિયાના જેદાહ ખાતે ચાલી રહેલા રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ…
વિકી કૌશલ બન્યો ૨૦૨૫ના વર્ષનો સૌથી સફળ હિરા.‘મસાન’થી લઇને ‘છાવા’ સુધી વિકી બન્યો એક વિશ્વાસપાત્ર અને પાવરહાઉસ એક્ટર.ફિલ્મ ‘છાવા’થી વિકીએ સાબિત કરી દીધું છે કે તે સૌથી વિશ્વાસપાત્ર અને પોતાના પાત્રની દરેક બારીકી પર ધ્યાન આપનારો કલાકાર છ.બોલિવૂડમાં હંમેશા બે પ્રકારના કલાકારોના પ્રકાર ગણાતા, એક સુપરસ્ટાર અને એક એક્ટર. પરંતુ વિકી કૌશલ એક એવો કલાકાર છે જે હિરો તરીકે જેટલો સફળ છે એટલો જ સારો એક્ટર પણ છે. આ વર્ષે આવેલી તેની રેકોર્ડતોડ ફિલ્મ ‘છાવા’થી વિકીએ સાબિત કરી દીધું છે કે તે સૌથી વિશ્વાસપાત્ર અને પોતાના પાત્રની દરેક બારીકી પર ધ્યાન આપનારો કલાકાર છે. એ પણ માત્ર કોસ્ચ્યુમ્સ કે દેખાવ…
છેલ્લે બંનેએ ૨૦૧૦માં આક્રોશમાં સાથે કામ કર્યું હતું.પંકજ ત્રિપાઠી ૧૫ વર્ષે ફરી પ્રિયદર્શન સાથે કામ કરશે.ફિલ્મમાં પંકજ ત્રિપાઠી નવા રોલમાં જાેવા મળશે, જે એક કોમેડી અને ગમી જાય એવું પાત્ર હશે.પરેશ રાવલે જ્યારે થોડા સમય માટે પ્રિયદર્શનની ‘હેરા ફેરી ૩’ છોડી દીધી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર બાબુરાવના રોલ માટે પંકજ ત્રિપાઠી સારો વિકલ્પ હોવાના અહેવાલો અને ચર્ચાઓ ખુબ ચાલ્યા હતા. જાેકે, પાછળથી પરેશ રાવલ ફિલ્મ સાથે ફરી જાેડાતા આ ચર્ચાઓ અને અફવાઓ અંત આવ્યો હતો. પરંતુ પ્રિયદર્શનને આ વાત ધ્યાનમાં રહી ગઈ હતી અને તેમણે પંકજ ત્રિપાઠી સાથે એક નવી જ ફિલ્મની જાહેરાત કરી છે. તેઓ બંને ૧૫ વર્ષ…
‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો’.ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય લડી લેવાના મુડમાં.બલોચ સમુદાયએ ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી.ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી છે. એડવોકેટ નબીલ બ્લોચે સંજય દત્તના પાત્ર જીઁ ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, ‘તુમ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં’ વકીલે ફિલ્મમાં…
૩૧ ફર્સ્ટ પહેલા બુટલેગરોના અવનવા કીમિયો.દીવમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો.તપાસ દરમિયાન કારમાંથી ગેસના બાટલા (સિલિન્ડર)માં છુપાવેલ વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવી હતી.ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે દીવથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંગે પોલીસે સતર્કતા દાખવીને ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક યુવક ફોર વ્હીલર કારમાં દારૂ લઈને જતો હોવાની શંકા પર પોલીસે વાહન રોક્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી ગેસના બાટલા (સિલિન્ડર)માં છુપાવેલ વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવી હતી.યુવકે અવનવા કીમિયા અજમાવીને ગેસ સિલિન્ડરની અંદર…
ખાતરની હાજરીથી ફૂડ પોઈઝનિંગની ભીતિ.રેલવે સ્ટેશન પર ગંભીર સમસ્યા, પ્લેટફોર્મ પર ખાતરના કારણે ઘઉંનું અનલોડિંગ અટક્યું.આ ઘઉં જ્યારે બજારમાં જાય ત્યારે તેના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગ (ઝેરી અસર) થવાનો ગંભીર ભય છે.ડીસા રેલવે સ્ટેશન પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લાવવામાં આવેલા ઘઉંના જથ્થાને ઉતારવામાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે, જેના કારણે ઘઉંનું અનલોડિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સમસ્યા એ છે કે રેલવે પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો ઉતારેલો છે. FCI ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્લેટફોર્મ પર ઘઉં ઉતારવાની ના પાડી દીધી છે.કોન્ટ્રાક્ટરના દાવા મુજબ, ટ્રેનમાંથી ઘઉં ઉતારતી વખતે અંદાજે ૮ થી ૧૦ ટન જેટલો માલ પ્લેટફોર્મ પર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



