- ઈરાન-અમેરિકા તણાવ ચરમસીમાએ, ટ્રમ્પના આદેશ બાદ સૈન્ય હુમલાથી યુદ્ધનો ખતરો વધ્યો
- NEET મુદ્દે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી વિપક્ષ ભડક્યું, અખિલેશથી કેજરીવાલ સુધી પ્રહાર
- NEET પેપર લીક મુદ્દે બ્રિજરાજ સોલંકીનું આંદોલનને સમર્થન, મંત્રીના રાજીનામાની માંગ
- GenZ આંદોલન મુદ્દે ઈસુદાન ગઢવીના આકરા પ્રહાર, પેપર લીક સામે સરકારને ઘેરી
- NEET મુદ્દે કેજરીવાલ અને ભગવંત માનનો યુવાનોને ટેકો, સરકાર સામે ઉઠાવ્યા સવાલ
- GenZ આંદોલનને સમર્થન આપવા ‘આપ’ નેતા ધાર્મિક માથુકિયા દિલ્હી પહોંચ્યા
- સોનમ વાંગચૂકના સમર્થનમાં ‘આપ’ના મૌન ધરણા, શિક્ષણ બચાવ આંદોલનને સમર્થનની અપીલ
- સોનમ વાંગચૂકને જંતર-મંતરથી હોસ્પિટલ ખસેડાયા બાદ મીડિયાના અહેવાલો પર ઉઠ્યા સવાલ
Author: garvigujrat
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના…
જર્મનીના ચાન્સેલરની અમદાવાદ મુલાકાતે અરીહા શાહને ન્યાય અપાવવાની માંગ, દીકરીને માતાપિતાને સોંપવા અપીલ
જર્મની દેશના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી તેઓને અમદાવાદ ખાતે આવકારવાના છે ત્યારે ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે તેવી માંગણી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. સમગ્ર હકીકત એવી છે કે, ગુજરાતનો એક જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે રહે છે તેમની દીકરી અરીહા શાહ જયારે તે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર (FOSTER CARE) સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી દીધેલ છે. આજે ૪ વર્ષથી આ દીકરી માતાપિતાથી વિખુટી પડીને…
વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો ફેઝ-૨નું લોકાર્પણ.હવે મિનિટોમાં જ પહોંચાશે સચિવાલયથી મહાત્મા મંદિર.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી.ગુજરાતના પાટનગર ગાંધીનગર માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતેથી અમદાવાદ મેટ્રો ફેઝ-૨ ના અત્યંત મહત્વના એવા સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યુ છે. આ સાથે જ ગાંધીનગરના આંતરિક વિસ્તારો અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. મેટ્રો ફેઝ-૨ ના આ વિસ્તરણ સાથે હવે સરકારી કર્મચારીઓ, મુલાકાતીઓ અને સ્થાનિક રહેવાસીઓ માટે મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બનશે. સચિવાલય, જે રાજ્યનું વહીવટી કેન્દ્ર છે, તેને સીધું જ આંતરરાષ્ટ્રીય…
ખુદ CM એ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર.ટ્રમ્પના ટેરિફના કારણે તિરુપુરમાં ૩૦ લાખ લોકોની નોકરીઓ જશે.તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છ.ભારતના નીટવેર કેપિટલ ગણાતા તિરુપુરમાં ગંભીર સંકટના વાદળો છવાયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફના કારણે તિરુપુરની ૨૦,૦૦૦ ફેક્ટરી અને આશરે ૩૦ લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિને જાેતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જાેઈન્ટ સેક્રેટરી કુમાર દુરૈસામીના મતે, તિરુપુરમાં ૨,૫૦૦ નિકાસકારો અને ૨૦,૦૦૦ સ્વતંત્ર એકમો કાર્યરત છે. ભારતની કુલ નીટવેર નિકાસમાં આ વિસ્તારનો…
સાઉથ કોરિયાને આપી ચેતવણી.વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે કિમ જાેંગ ઉનના બહેને ટેન્શન વધાર્યું!.ડ્રોન દક્ષિણ કોરિયાથી તેમની સીમામાં ઘૂસ્યું હતું.વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે કિમ જાેંગ ઉનના બહેને ટેન્શન વધાર્યું! ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉનની બહેન કિમ યો-જાેંગે દક્ષિણ કોરિયાથી ડ્રોન ઘૂસાડવા મામલે વિગતે સ્પષ્ટીકરણની માગ કરી છે. ઉત્તર કોરિયાનો દાવો છે કે, ડ્રોન દક્ષિણ કોરિયાથી તેમની સીમામાં ઘૂસ્યું હતું. યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, વર્કર્સ પાર્ટી ઓફિ કોરિયાની સેન્ટ્રલ કમિટીએ વાઈસ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર કિમ યો-જાેંગે આ ટિપ્પણી કરી હતી. કિમ યો-જાેંગે કહ્યું કે, રિપબ્લિક ઓફ કોરિયા (ROK)સેનાએ સમજદારીપૂર્વક જાહેરાત કરી કે આ તેમના દ્વારા થયું નથી અને તેઓનો કોઈ પ્રકારે ઉશ્કેરણી…
બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, ટેક્સમાંથી મળી શકે છે રાહત.બચત ખાતામાં મુક્તિ ૧૦૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦૦ રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો માટે એફડી મુક્તિ ૧ લાખ રૂપિયા કરવાની માંગ.મધ્યમ વર્ગના મોટા ભાગના પરિવારો માટે, બેંક જમા પૈસા પર મળતું વ્યાજ દૈનિક જરૂરિયાતો અને ભવિષ્યની સુરક્ષા છે. નિવૃત્ત લોકો, ખાસ કરીને જેઓ તેમના પગાર પછી સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છે, તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ અને બચત ખાતાઓ પર આધાર રાખે છે. જાે કે, વધતા જતા ફુગાવા, તબીબી ખર્ચ અને ઘરના ખર્ચ છતાં, બેંક વ્યાજ પર ટેક્સ મુક્તિના નિયમો વર્ષોથી યથાવત રહ્યા છે. હવે, બજેટ ૨૦૨૬ નજીક આવી રહ્યું છે, ટેક્સ એક્સપર્ટ અને…
હજુ સુધી કોઈ સત્તાવાર ચર્ચા નહીં : અજિત પવાર.પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જાે બંને NCP એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં.મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં NCP માં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જાેવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જાે બંને NCPએક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો…
સોશિયલ મીડિયા પર ‘Mini VK’ની ધૂમ.ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વિરાટ કોહલી તેના મિની વર્ઝન ને મળ્યો.બાળકનો ચહેરો કોહલીના બાળપણના ફોટાઓ સાથે એટલો મળતો આવે છે કે ખુદ વિરાટ પણ આશ્ચર્યચકિત.ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી એક એવા નાના પ્રશંસકને મળ્યો જે હૂબહૂ વિરાટના બાળપણ જેવો જ દેખાય છે. વડોદરામાં ટ્રેનિંગ બ્રેક દરમિયાન જ્યારે કોહલી ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો, ત્યારે તેની નજર આ બાળક પર પડી હતી. આ બાળકનો ચહેરો કોહલીના બાળપણના ફોટાઓ સાથે એટલો મળતો આવે છે કે ખુદ વિરાટ પણ તેને જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નેટીઝન્સે આ બાળકને ‘Mini VK’ નામ આપ્યું…
ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાયા!,નલિયામાં ૩.૮ લઘુત્તમ તાપમાન નોંધાતા માઉન્ટ આબુ જેવો માહોલ છવાયો.અમરેલીમાં પણ તાપમાન ઘટીને ૭.૬ ડિગ્રી પર પહોંચ્ય.રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યભરમાં ઠંડીનો પારો ગગળ્યો છે. આ સાથે ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વધારે અનુભવાઈ રહ્યો છે. ત્યારે નલિયામાં તો ઠંડીએ ભુક્કા બોલાવી દીધા છે. આ સિઝનમાં પહેલીવાર નલિયામાં ૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં પાંચ જગ્યાએ સિંગલ ડિજિટમાં તાપમાનનો પારો પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીની નીચે સમેટાયો હતો. હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે તે જાેઈએ. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના…
અમદાવાદમાં હવે ન્યૂયોર્ક મોડલ.ટ્રાફિક ઘટાડવા રસ્તાઓ પર દોડાવાશે રોડ ઝીપર મશીન.ક્રોંક્રિટના બેરિયર્સને હટાવી હેવી ટ્રાફિકનો સમય બચાવવા ટૂંકી મુદ્દત માટે લેન પહોળી કરાશે : સ્પેશિયલ મશીન ખરીદાશે.વધતા જતાં શહેરીકરણ અને વાહનોની સંખ્યા સામે ટ્રાફિક મેનેજમેન્ટ હવે એક મોટો પડકાર બની ગયું છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર હવે વિશ્વના વિકસિત શહેરો જેવા કે ન્યૂયોર્ક, સિડની અને સાન ફ્રાન્સિસ્કોની તર્જ પર અમદાવાદમાં રોડ ઝીપર (Road Zipper) સિસ્ટમ લાવવા ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સામાન્ય રીતે રસ્તાઓ પર સિમેન્ટના પાકા ડિવાઈડર હોય છે, જેને ખસેડી શકાતા નથી. પરંતુ રોડ ઝીપર સિસ્ટમમાં મૂવેબલ (ખસેડી શકાય તેવા) બેરિયર્સ હોય છે. એક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



