- અમેરિકાને ઇરાનની ધમકી: હુમલો થયો તો બનાવશું પરમાણુ બોમ્બ, મધ્યપૂર્વમાં તણાવ વધ્યો
- NCRB રિપોર્ટમાં ખુલાસો: ગુજરાતમાં 3 વર્ષમાં 1069 કરોડની ચોરી, માત્ર 221 કરોડ જ રિકવર થયા
- ટ્રમ્પની ચીન મુલાકાત પહેલાં કુવૈતનો ઈરાન પર હુમલાનો આરોપ, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો
- પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચત અભિયાન તેજ, CM કાફલામાં ઘટાડો
- ‘ચાંદ મેરા દિલ’નું ટ્રેલર રિલીઝ, અનન્યા પાંડે-લક્ષ્યની ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
- અક્ષય કુમાર-અનીસ બઝમીની નવી ફેમિલી કોમેડી ડિસેમ્બર 2026માં રિલીઝ થશે
- ‘દ્રશ્યમ 3’ 21 મેના રોજ રિલીઝ થશે, હિન્દી વર્ઝન 2 ઑક્ટોબરે; કહાનીમાં હશે નવો ટ્વિસ્ટ
- ‘ધ રોયલ્સ’ સિઝન 2માં મોટો ફેરફાર, ભૂમિ પેડનેકરે શો છોડ્યો; હવે રાજપરિવારની કહાની પર ફોકસ
Author: Garvi Gujarat
ભક્તિમય બન્યું વાતાવરણ પ્રેમાનંદજીના દરબારમાં કચ્છી કોયલ કંઠી ગીતા રબારીએ લલકાર્યું ભજન ગાયિકાનાં ભજનથી પ્રેમાનંદજી મહારાજ ભાવ વિભોર પોતાની આગવી ઓળખ અને સુરીલા અવાજથી ગુજરાતભરમાં લોકપ્રિય બનેલા લોક ગાયિકા ગીતા રબારી હાલમાં ધાર્મિક યાત્રા પર છે. તેઓ હાલમાં ગોકુલ, મથુરા અને વૃંદાવનની યાત્રા કરી રહ્યા છે, જે દરમિયાન તેમણે એક ખાસ જગ્યાએ હાજરી આપી અને ભજન ગાયું હતું. ગીતા રબારીએ વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદજીના દરબારમાં ખાસ ઉપસ્થિતિ આપી હતી. પ્રેમાનંદજી મહારાજની ભાવભક્તિ અને સાત્વિકતાથી પ્રભાવિત થઈને, કચ્છી કોયલ કંઠી તરીકે જાણીતા ગીતા રબારીએ તેમના દરબારમાં એક સુંદર ભજન ગાયું હતું. ગુજરાતી ગાયિકા ગીતા રબારીના કંઠે ગવાયેલું આ ભજન એટલું મધુર અને…
પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ત્રણ વર્ષમાં ૨૭ પુલ પડ્યા” જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી પીએમ મોદીએ અરરિયામાં રેલી યોજી હતી, જ્યારે પ્રિયંકા ગાંધીએ મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે બિહારના અરરિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મહાગઠબંધન પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ૧૫ વર્ષના જંગલ રાજે બિહારને બરબાદ કરી દીધું છે. એક પણ પુલ બન્યો નથી. પીએમ મોદીના હુમલાનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ત્રણ વર્ષમાં બિહારમાં ૨૭ પુલ તૂટી પડ્યા છે. જણાવી દઈએ કે, પ્રિયંકાએ મોતીહારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આ નિવેદન…
બે વર્ષના પ્રોગ્રામમાં ૯૦ વિદ્યાર્થીઓનો ઇન્ટેક: વધતી માંગને લઇ IIM અમદાવાદે શરૂ કર્યો નવો કોર્સ IIM અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ વિશ્વ જ્યારે ટેક્નોલોજી અને AI તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બજારો હવે ડેટા આધારિત નિર્ણય કરી રહ્યા છે. ત્યારે યુવાઓ પણ એવી સ્કિલ ઈચ્છે છે કે જેઓ પ્રોડક્ટિવ, ઇન્ટેલિજન્ટ અને ગ્રોથ રેટિંગ ઓર્ગેનાઈઝેશન બનાવવામાં મદદ કરે, અને તેને જ લઈને વિશ્વની જાણીતી સંસ્થા IIM અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે. બે વર્ષના પ્રોગ્રામમાં ૯૦ વિદ્યાર્થીઓનો ઇન્ટેક…
અમદાવાદમાં ધોળા દિવસે જ્વેલર્સ પર લૂંટનો પ્રયાસ: માલિકે મહિલા હુમલાખોરને પકડી ૧૭થી વધુ થપ્પડા માર્યા
જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડો મારી હતી અમદાવાદમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ રાણિપ વિસ્તારમાં એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાંખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેરમાં જ્વેલર્સમાં દાગીના ખરીદવાના નામે આવતી મહિલાઓની ગેંગ દ્વારા પણ લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરના રાણિપ વિસ્તારમાં એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાંખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડો મારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અમદાવાદના રાણીપ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા ધોળે દહાડે લૂંટની ઘટના સામે આવી હતી. એક…
DRI ની વધુ એક મોટી કાર્યવાહી: કલવાડા નજીક કોલ્ડ સ્ટોરેજમાંથી પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ને વધુ એક મોટી સફળતા મળી છે. વલસાડના કલવાડા નજીક આવેલી એક ખાનગી વાડીમાં છુપાવેલા કોલ્ડ સ્ટોરેજ પર દરોડો પાડીને DRI એ મોટા પ્રમાણમાં પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. DRI દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી તાજેતરમાં પકડાયેલા ડ્રગ્સના એક મોટા મામલાની વધુ તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. DRI ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ડ્રગ્સનો જથ્થો કલવાડા નજીકની એક ખાનગી વાડીના કોલ્ડ સ્ટોરેજમાં છુપાવવામાં આવ્યો છે. તાત્કાલિક કાર્યવાહી કરીને DRI ની ટીમે કોલ્ડ સ્ટોરેજને…
સોનાના વાયદાના ભાવમાં રૂ.806 અને ચાંદીના વાયદામાં રૂ.1,179નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.27 સુધર્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.18696.28 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.86345.6 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14903.56 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28537 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.105045.63 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18696.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.86345.6 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.0.77 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.2.98 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28537 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી…
ગોવિંદાનો વીડિયો થયો વાયરલપત્ની સુનિતાના વિવાદિત નિવેદન પર ગોવિંદાએ માગી માફીથોડા દિવસો પહેલા પારસ છાબડાના પોડકાસ્ટમાં સુનીતા આહુજાએ ગોવિંદા વિશે ખુલીને વાત કરી હતીબોલીવુડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા પોતાની પર્સનલ લાઈફને લઈ અવાર નવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા પત્ની સુનીતા આહુજા સાથેના મતભેદોને લઈ ચર્ચાએ જાેર પડક્યું હતું. જે બાદ હવે ફરી એક વખત સુનીતાએ પોડકાસ્ટમાં આપેલા નિવેદનથી ગોવિંદા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સુનીતાએ ગોવિંદાને અંધશ્રદ્ધાળુ અને પંડિતો પર વધુ પૈસા ખર્ચ કરનાર તરીકે વર્ણવ્યા હતા. આ નિવેદનથી સોશિયલ મીડિયા પર વિવાદનો વંટોળ ઊભો થયો હતો. જેના પર હવે ગોવિંદાનો માફી માગતો વીડિયો સામે આવ્યો છે.ગોવિંદાએ તેમની પત્ની સુનીતાના…
રૂ.૧૦૦ની પાણીની બોટલ, રૂ.૭૦૦ની કોફી?મલ્ટિપ્લેક્સમાં મનસ્વી ભાવ પર સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખદર્શકો ઉપરાંત કેટલાક ફિલ્મ પ્રોડ્યુસર્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના ઊંચા ભાવ સામે અવાજ ઉઠાવ્યામલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જાેવા જતા દરેક વ્યક્તિનો અનુભાવ હશે કે ફિલ્મની ટિકિટ ઉપરાંત ખાણીપીણી ખર્ચ ખુબ જ વધી જતો હોય છે. મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ અને પાણી માટે ઊંચા ભાવ વસુલવામાં આવે છે, એવા સુપ્રીમ કોર્ટે મલ્ટિપ્લેક્સમાં ખાણીપીણીના મનસ્વી ભાવો પર કડક ટિપ્પણી કરી હતી.એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું, “મલ્ટિપ્લેક્સમાં પાણીની બોટલનો ભાવ ૧૦૦ રૂપિયા અને કોફીનો ભાવ ૭૦૦ રૂપિયા સુધી હોય છે , આ કિંમતો પર કાબુ…
ફિલ્મનું બજેટ ૧૨૦ કરોડ હશે એસએસ રાજામૌલી કરોડોના બજેટમાં બનાવશે વધુ એક બાહુબલી ફ્રેન્ચાઇઝપ્રભાસ અને રાણા દગ્ગુબાતી સાથેના એક પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં, એસએસ રાજામૌલીએ આ જાહેરાત કરીબાહુબલી ધ એપિક ૩૧ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તે બાહુબલીના બંને ભાગોને જાેડે છે. બાહુબલી ધ એપિક બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બાહુબલી ફ્રેન્ચાઇઝમાં બે સફળ ફિલ્મો પછી, દિગ્દર્શક એસએસ રાજામૌલીએ એક નવી જાહેરાત કરી છે. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ આપી છે કે તેઓ બાહુબલી ફ્રેન્ચાઇઝમાં બીજી ફિલ્મ લાવશે. પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સાથેના એક પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં, એસએસ રાજામૌલીએ આ જાહેરાત કરી છે.…
કૃષિ મંત્રીએ આપી માહિતી ખેડૂત દીઠ ૧૨૫ મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે રાજ્યમાં કમોસમી વરસાદ અને મગફળીના પાકને ધ્યાને લઈ સરકાર ૯મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી. જીસ્જીથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



