- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
- સાબરમતી જેલમાંથી કુખ્યાત કેદી મેઈન ગેટથી ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
Author: Garvi Gujarat
ફરી પાકિસ્તાનની ફજેતી.નકવીના હાથથી ટ્રોફી નહીં લઉં, સૂર્યકુમાર યાદવની શરત.પાકિસ્તાન સાથે મેચ રમ્યા છતાં તેની અકલ ઠેકાણ રાખવામાં માહિર ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે નવી શરત મુકી.એશિયા કપમાં પાકિસ્તાન સાથે મેચ રમ્યા છતાં તેની અકલ ઠેકાણ રાખવામાં માહિર ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે નવી શરત મુકી છે. ભારત – પાકિસ્તાન મેચ દરમિયાન મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ ટુર્નામેન્ટમાં બાકી રહેલી દરેક મેચમાંથી હટાવી લેવામાં આવ્યા પછી પાકિસ્તાન રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. પરંતુ ભારતે જે નવી ચાલ રમી છે, તેનું પાકિસ્તાન શું કરશે, તેનો ઉકેલ શોધવામાં તેમને પરસેવો છૂટી જશે. ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયન ક્રિકેટ કાઉન્સિસ (છઝ્રઝ્ર)ને સ્પષ્ટ કહી…
૨૦૦૨ અને હાલ ૨૦૨૫ ની મતદાર યાદીની સરખામણી થશ.કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ.સરકારી આદેશો અનુસાર, આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છ.રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા (BLO) ૨૦૨૬ ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ અને સંભવિત વિવાદાસ્પદ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વર્ષ ૨૦૦૨ અને ૨૦૨૫ની મતદાર યાદીઓની ઝીણવટભરી સરખામણી કરવામાં આવશે, જેની સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. સરકારી આદેશો અનુસાર, આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર્સ(BLO) ને…
છેલ્લા ૧૮ મહિનામાં ૫૦૦ ઠાર.ખૂંખાર માઓવાદી સંગઠને ૪૦ વર્ષે હથિયાર નાંખ્યા.કેન્દ્ર સરકારના નક્સલવાદ ખતમ કરવાના મિશન પર સુરક્ષા દળો દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છ.દેશભરમાં સુરક્ષા દળો દ્વારા સતત અને સઘન કાર્યવાહી હાથ ધરાતાં ચાર દાયકા સુધી હથિયારોની તાકાત પર ક્રાંતિનો દાવો કરનારા નક્સલવાદી જૂથે હથિયાર ફેંક્યા છે. છેલ્લા ૧૮ માસમાં ૫૦૦થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે. જેમાં ૧૩ કેન્દ્રીય સમિતિ સ્તરના ટોચના નેતા પણ સામેલ છે. માત્ર છત્તીસગઢમાં જ ટોચના કમાન્ડર બસવ રાજુ, ચલપતિ, સુધાકર, અને મોડેમ બાલકૃષ્ણ ઠાર થયા છે. આશરે ૨,૦૦૦ કેડર અને સમર્થકોએ આત્મસમર્પણ કર્યું છે. આ દબાણ વચ્ચે માઓવાદી જૂથે પ્રથમ વખત હથિયાર મૂકી…
કરી ભાવુક પોસ્ટ.એશિયા કપ વચ્ચે શ્રેયસ ઐયરના ઘરે શોકનો માહોલ.તેણે એક વીડિયો શેર કરીને ચાહકોને ભાવુક કર્યા છ.એશિયા કપ વચ્ચે સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરના ઘરે શોકનો માહોલ છે. એશિયા કપ પહેલા ઐયર સમાચારોમાં હતો કારણ કે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. એશિયા કપ શરૂ થયો ત્યાં સુધી પ્રશ્ન એ રહ્યો કે તેને ટીમમાં કેમ સામેલ કરવામાં ના આવ્યો. હવે, તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને ભાવુક કર્યા છે. શ્રેયસ ઐયરે એક ભાવુક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઐયર અને તેના પાલતુ શ્વાન સાથે જાેવા મળે છે. ઐયરે તેના ડોગ સાથેની કેટલીક યાદો શેર કરી છે, કારણ…
આજ સુધી આવા નેતા જાેયા નથી: મુકેશ અંબાણી.મારી ઈચ્છા છે કે ૨૦૪૭ સુધી નેતૃત્વ કરે PM મોદી.પ્રધાનમંત્રી મોદીનો ૭૫મો જન્મદિવસ છે : દેશ-વિદેશથી લોકો મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઈચ્છા જાહેર કરી છે કે પીએમ નરેન્દ્ર મોદી ૨૦૪૭ સુધી દેશનું નેતૃત્વ કરતા રહે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ૭૫મા જન્મદિવસની શુભકામનાઓ આપતા આ વાત કહી. મુકેશ અંબાણીએ કહ્યુ કે આજે આપણા ભારતવાસીઓ માટે પર્વનો દિવસ છે. આપણા સન્માનિત અને પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ૭૫મો જન્મદિવસ છે. હું દેશના કારોબારી સમુદાય, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અંબાણી પરિવાર તરફથી તેમને જન્મદિવસની શુભેચ્છા આપું છું. મારી ઈચ્છા છે કે તેઓ…
જન્મદિવસ પર પાકિસ્તાનને વડાપ્રધાન મોદીનો મેસેજ.આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી : મોદી.મધ્યપ્રદેશના ધાર ખાતે વડાપ્રધાને ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો : આ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે (૧૭ સપ્ટેમ્બર) મધ્યપ્રદેશના ધારમાં કહ્યું હતું કે આ નવું ભારત છે, કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાડ્યા તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા છે. પ્રધાનમંત્રી મોદી તેમના જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશમાં છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વિરાસતમાંથી પ્રેરણા…
સોનાના વાયદાના ભાવમાં રૂ.926 અને ચાંદીના વાયદામાં રૂ.3,236નો કડાકોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.64 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.28543.2 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.195697.87 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.23784.65 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25477 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.224242.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28543.2 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.195697.87 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25477 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1558.49 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.23784.65 કરોડનાં કામકાજ થયાં…
ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની પડી ફરજ.‘જાેલી એલએલબી ૩’ પર સેન્સર બોર્ડે ચલાવી કાતર.સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તમામ ફેરફારો બાદ ૨ સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મને ‘ેં/છ’ પ્રમાણપત્ર આપ્યું છે.કોમેડી-કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જાેલી એલએલબી’(૨૦૧૩) અને ‘જાેલી એલએલબી ૨૨ (૨૦૧૭)ની સફળતા બાદ હવે તેના ફિલ્મમેકર્સ ‘જાેલી એલએલબી ૩’ લઈને આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં અક્ષયકુમાર અને અરશદ વારસી બંને ફિલ્મમાં જાેવા મળશે. બંને અભિનેતાઓને આમનેસામને જાેવા માટે તેમના ચાહકો આતુર થઈ રહ્યા છે. પરંતુ ૧૯ સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થનારી આ ફિલ્મ પર સેન્સર બોર્ડે કાતર ફેરવી છે. જેથી આ ફિલ્મના મેકર્સને કેટલાક સીન તથા ડાયલોગ હટાવવાની…
‘મને જિંદગીથી પ્રેમ છે’.કેન્સર સામે જંગ લડતી અભિનેત્રીનું દર્દ છલકાયું.૨૦૧૮માં નફીસાને સ્ટેજ ૩ પેરિટોનિયલ કેન્સર થયું હતું. ૨૦૧૯માં તે કેન્સર ફ્રી થઈ ગઈ હતી.‘લાઇફ ઇન અ મેટ્રો’ ફેમ એક્ટ્રેસ નફીસા અલી કેન્સરથી પીડિત છે. તેને ૨૦૧૮માં પેરિટોનિયલ કેન્સર થયું હતું, હવે એક્ટ્રેસે પોતાની હેલ્થ અપડેટ આપી છે. તેણે જણાવ્યું કે, તે ફરી કીમો થેરાપી શરૂ કરશે કારણ કે, તેની સર્જરી થઈ શકે એમ નથી. એક્ટ્રેસે મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે એક સ્ક્રીનશૉટ મૂક્યો હતો, તેમાં લખ્યું હતું કે, ‘એક દિવસ મારા બાળકોએ પૂછ્યું તમારા ગયા પછી અમે કોની સામે જાેઇશું? મેં તેમને કહ્યું કે,…
હોલિવૂડ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’માં તે ધાલસિમનો રોલ કરશે.વિદ્યુત જામવાલ ભારતીય યોગને હોલિવૂડમાં લઇ જશે.આ ફિલ્મ જાપાનીઝ અમેરિકન ફિલ્મ મેકર કિતાઓ સાકુરાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને સ્ટ્રીટ ફાઇટર વીડિયો ગેમ સિરીઝ પર આધારીત છે.બોલિવૂડનો એક્શન હિરો વિદ્યુત જામવાલ હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટરમાં ધાલસિમના રોલમાં જાેવા મળશે. હાલ આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં વિદ્યુત જામવાલે કહ્યું કે ગેમિંગ આઇકોન ધાલસિમનો રોલ કરવો એ તકને હું મારા નસીબ તરીકે જાેઉં છું.વિદ્યુત જામવાલે કહ્યું, “એવું લાગે છે, જાણે મેં આખી જિંદગી આ રોલ માટે જ મહેનત કરી છે. જાણે ઇશ્વરે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



