Author: Garvi Gujarat

રજનીકાંતે ૪૬ વર્ષે કમલ હસન સાથે ફિલ્મ કરવા પર સ્પષ્ટતા કરી.રજનીકાંત અને કમલ હસનને એક સાથે લેવા મામલે ડિરેક્ટર હજુ અવઢવમાં.અમે રાજ કમલ અને રેડ જાયન્ટ્સ સાથે મળીને એક ફિલ્મ કરવાનું વિચારી રહ્યા છીએ : રજનીકાંત. સુપર સ્ટાર રજનીકાંત અને કમલ હસન ૪૬ વર્ષે એકસાથે ફિલ્મ કરશે, તે બાબતે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે થોડાં વખત પહેલાં કમલ હસને સાથે કામ કરશે એવી વાત કરી હતી, પછી રજનીકાંતે પણ આ વાતને ટેકો આપ્યો હતો. પરંતુ હવે એવું લાગે છે કે ડિરેક્ટરે હવે આ બંનેને સાથે લઇને કોઈ વાર્તા ફાઇનલ કરી નથી.થોડાં વખત પહેલાં રજનીકાંતે એરપોર્ટ પરની એક…

Read More

દીપિકાએ માત્ર ૭ કલાક જ કામ કરવાની શરત પણ મુકી હતી.‘કલ્કિ’ની સિક્વલમાં દીપિકાની બાદબાકીનું કારણ જાહેર કરાયું.દીપિકા પાદુકોણમાં કમિટમેન્ટનો અભાવ, વધુ ફી ઉપરાંત ૨૫ લોકોની ટીમ માટે ૫ સ્ટાર સુવિધા માગી હોવાની ચચા.બોલિવૂડ એરક્ટ્રેસ દીપિકા પાદુકોણને પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ‘કલકી ૨૮૯૮ એડી’માંથી ઓફિશીયલી દૂર કરવામાં આવી છે અને તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે. આની પાછળ ફિલ્મના પ્રોડ્યુસર્સ સામે તેણે મુકેલી ગેરવ્યાજબી માગણીઓને જવાબદાર માનવામાં આવે છે. ૧૮ સપ્ટેમ્બરે ફિલ્મના મેકર્સ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કમિટમેન્ટ ઇશ્યુને જવાબદાર ગણાવીને આ પ્રકારની મોટા ગજાની ફિલ્મ માટે સંપુર્ણ જાેડાણની જરૂર પડે છે છે, જેની…

Read More

અમે જુના થઈ જઈએ છીએ પણ હિરો નહીં :શાન.મને અને સોનુ નિગમને લોકો ૯૦ના દાયકાના ગણે, પણ શાહરુખને નહીં.સિંગર શાન ખુશ છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના કેટલાંક જુના ગીતો નવી પેઢીને આજે પણ પસંદ પડી રહ્યા છે.સામાન્ય રીતે જુના કલાકારો નવા રીક્રિએશનથી ખુશ હોતા નથી પરંતુ બોલિવૂડ સિંગર શાન ખુશ છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના કેટલાંક જુના ગીતો નવી પેઢીને આજે પણ પસંદ પડી રહ્યા છે. શાનના જુના ગીતો આજે પણ રીલ્સ અને સોશિયલ મીડિયાથી પોતાનું નવું ઓડિયન્સ શોધી રહ્યા છે, જેના માટે શાન બધાનો આભારી છે. છતાં તેને એક ફરિયાદ છે, તેને અને તેના સમયના…

Read More

ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાશે નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. નોંધનીય છે કે, આસો માસની નવરાત્રિનો પાવન પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો આરતી અને માતાના દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦મી અને ૨૧મી સપ્ટેમ્બર (અમાસ) તેમજ ૨૩મી સપ્ટેમ્બર પહેલા નોરતે સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર ખુલશે…

Read More

નવરાત્રિ પર્વને લઇ આયોજકો માટે મોટા સમાચાર ગરબાની મંજૂરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવશે પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી. અમદાવાદમાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા ગરબાના આયોજન માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું મુખ્યત્વે શાંતિ અને સુરક્ષા જાળવવાના હેતુથી બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલ પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતા ગરબાના કાર્યક્રમોને લાગુ પડશે. આ જાહેરનામા મુજબ, ટિકિટ અથવા પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમોની મંજૂરી હવેથી મામલતદાર દ્વારા આપવામાં આવશે નહીં. આ મંજૂરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ…

Read More

ઇ૨૦ પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્ર સરકારે ફગાવ્યો ભારત કુલ ઉર્જા જરૂરિયાતના ૮૮ ટકાની આયાત કરે છે ત્યારે સ્વચ્છ ઉર્જા અને જૈવિક ઇંધણનો ઉપયોગ જરૂરી ઓઇલ મંત્રી હરદીપસિંઘ પુરીએ મંગળવારે જૈવિક ઇંધણ ના કારણે ઓટોમોબાઇલ એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો તે પર્યાવરણની રીતે સલામત છે. પુરીએ સેમિનારમાં જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ વાહનો માટે નુકસાનકારક હોવાની ફરતી વાતો તદ્દન ખોટી અને વાહિયાત છે. પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતું ૨૦ ટકા ઇથેનોલ શેરડી કે ખાદ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે,…

Read More

રશિયન પ્રમુખ પુતિને અચાનક મુલાકાત લીધી રશિયા અને બેલારૂસના એક લાખથી વધુ સૈનિકોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ આ કવાયત ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન બેલારુસ અને રશિયામાં નાટો સરહદો નજીક યોજાઈ હતી રશિયા અને બેલારૂસના એક લાખથી વધુ સૈનિકોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ “ઝાપડ ૨૦૨૫”માં ભાગ લીધો હતો. જેની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનએ અચાનક મુલાકાત લીધી હતી. આ કવાયત ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન બેલારુસ અને રશિયામાં નાટો સરહદો નજીક યોજાઈ હતી. આ કવાયતમાં એક લાખથી વધુ સૈનિકો સામેલ હતા. આટલા મોટાપાયે હાથ ધરવામાં આવેલી આ કવાયતે નાટો દેશોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે, ખાસ કરીને પોલેન્ડમાં રશિયન ડ્રોન તોડી પાડ્યા બાદ હાથ…

Read More

પાકિસ્તાન-સાઉદી વચ્ચે ડીલ અંગે ભારતની પ્રતિક્રિયા ભારતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છે ભારત સરકાર આ કરાર સંબંધિત સમાચારોથી વાકેફ છે અને તેને ગંભીરતાથી લઈ રહી છે : વિદેશ મંત્રાલયના પ્રવક્તા પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના તાજેતરના સંરક્ષણ કરાર પર ભારતે પ્રતિક્રિયા આપી છે. આ સમજૂતી મુજબ, જાે બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બીજા દેશ પર પણ હુમલો ગણવામાં આવશે. આ અંગે ભારતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તૈયાર છે, અને આ કરારની અસરોનો અભ્યાસ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાને જણાવ્યું કે…

Read More

વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી કંગના રણૌત આવે તો થપ્પડ જ મારી દેજાે કંગના રણૌતને લઈને તમિલનાડુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.એસ.અલગિરિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતને લઈને તમિલનાડુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.એસ.અલગિરિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અલગિરિએ કહ્યું કે જાે કંગના તમિલનાડુની મુલાકાત લે, તો તેમને થપ્પડ મારી દેજાે. કોંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રમુખે કંગના પર આરોપ મૂક્યો છે કે તેઓ અહંકારી છે અને બેજવાબદાર નિવેદનો આપે છે. તેમણે ચંદીગઢ એરપોર્ટ પર બનેલી થપ્પડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ટિપ્પણી કંગનાના એક જૂના નિવેદનના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં કંગનાએ આરોપ લગાવ્યો હતો…

Read More

ચૂંટણી પંચે મત ચોરીના મુદ્દા પર જવાબ આપ્યો કોઈપણ સામાન્ય નાગરિક ઓનલાઈન મત ડિલીટ ન કરી શકે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવાર (૧૮ સપ્ટેમ્બર) એ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણી પંચ પર વોટ ચોરીને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાહુલે કહ્યુ હતુ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યાં છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીની પત્રકાર પૂર્ણ થયા બાદ તેનો જવાબ આપ્યો…

Read More