- રાહુલ ગાંધીએ Gen-Z સ્ટાઈલમાં ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- હું હજુ પણ દરરોજ શીખું છું
- બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, આકિબ નબી અને યશ ઠાકુર રેસમાં આગળ
- રાજ ઠાકરેનો સવાલ: મોદી દેશનો વિકાસ કરી રહ્યા હોય તો વિવેક ઓબેરોય અને આર. માધવન દુબઈમાં કેમ રહે છે?
- ભારતની શ્રીલંકાને સહાય 7.5 બિલિયન ડોલર વટાવી, 25 પ્રાંતોમાં વિકાસ યોજનાઓને મળશે ગતિ
- 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ફ્રન્ટલ સંગઠનોને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો
- ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમલા મંદિરે પહોંચ્યા હાર્દિક પંડ્યા, વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા
- નશા મુક્ત યુવા-વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ: વડાપ્રધાન મોદીએ 1 કરોડથી વધુ યુવાઓને સંકલ્પ લેવડાવ્યો
- શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા: વડનગરના સાંસ્કૃતિક વૈભવને વૈશ્વિક ઓળખ અપાવવાની અનોખી તક
Author: garvigujrat
તમામ ધર્માેમાં લગ્ન માટે યુવતીની વય ૧૮ વર્ષથી ઓછી ના હોવી જાેઇએ મુસ્લિમોમાં પણ સગીરા સાથે નિકાહ ગેરકાયદે, પોક્સો લાગુ પડે : હાઇકોર્ટ પર્સનલ લો કે શરિયા પોક્સો અથવા બાળ વિવાહ વિરોધી કાયદાથી મોટા નથી : અલ્લાહાબાદ હાઇકોર્ટ અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવી સ્પષ્ટતા કરી છે કે પોક્સો કાયદો તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે. વિવિધ ધર્માેના પર્સનલ લો આ પોક્સો કાયદા કરતા મોટા ના ગણાય. મુસ્લિમ સમાજમાં પણ ૧૮ વર્ષથી ઓછી વયની સગીરાઓ સાથે નિકાહ ના કરી શકાય. શરિયા હેઠળ સગીર વયમાં જ નિકાહ કરાવી દેવા પોક્સો કાયદાનું ઉલ્લંઘન ગણાય. દેશભરમાં બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો…
૩ દેશોમાં એલર્ટ જાહેર તબાહી મચાવશે બાવી વાવાઝોડું, ૨૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન ફિલિપિન્સ અને દક્ષિણ-ચીન સાગરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અત્યંત તીવ્ર બન્યું છે અને ત્યાં ભારે પૂરનું એલર્ટ પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલું ફ્રાન્સ દેશના કદ જેટલું મહાવિનાશકારી વાવાઝોડું ‘ટાયફૂન બાવી’ તાઇવાન, ચીન અને જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપ ધરાવતા આ તોફાનને પગલે ત્રણેય દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ વાવાઝોડાને છેલ્લા ઘણા વર્ષાેનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવીને સ્થાનિક નાગરિકોને જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા અને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે.હાલમાં આ ટાયફૂન તેના સૌથી પહોળા…
કેસમાં અરજદાર વકીલ સામે માત્ર બેદરકારીનો આક્ષેપ બેદરકારીના આક્ષેપસર બેંકો વકીલને બ્લેકલિસ્ટમાં મૂકી શકે નહી: સુપ્રીમ બેંકો તથા ઇન્ડિયન બેંક એસોસિયેશનને અરજદાર વકીલનું નામ કોશન લિસ્ટમાંથી તાત્કાલિક દૂર કરવા આદેશ કરાયો એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું કે બેંકો અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) માત્ર વ્યાવસાયિક બેદરકારીના આરોપોના આધારે વકીલોને ‘કોશન લિસ્ટ’ (સાવચેતી યાદી)માં સામેલ કરી શકતા નથી. કાનૂની વ્યવસાયની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવતા જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે જણાવ્યું કે, વકીલોને બ્લેકલિસ્ટ કરવાનું પગલું બાર કાઉન્સિલોને કાયદા દ્વારા અપાયેલી શિસ્ત સંબંધિત સત્તામાં ગેરવાજબી દખલ કરવા સમાન છે.જસ્ટિસ પી. એસ. નરસિંહાએ ૪૧ પાનાંના ચુકાદામાં…
‘તમે હુમલા કરશો તો અમે છોડી દેવાના નથી’ ઈરાને બહેરીન-કુવૈતમાં અમેરિકન સૈન્ય ઠેકાણે મિસાઈલો વરસાવી અમારા શહીદોનો સંઘર્ષ વ્યર્થ નહીં જાય, હોર્મુઝ તો ઈરાનની મરજીથી જ ચાલશે તેમાં અમેરિકાની દખલ નહીં ચલાવી લેવાય : ઈરાન અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે ત્યારબાદથી ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે. ત્યારે ઇરાને પણ હવે વળતો પ્રહાર કરતા અમેરિકાની શાન ઠેકાણે લાવી છે.ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે કહ્યું કે અમેરિકા અમારી વાત સાંભળી લે, જાે તે હુમલા…
સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ સત્તા પક્ષને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસામાં સુરતની આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે ખાડીમાં પૂર આવે છે અને કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. કોઈ પોતાનું બાળક તો કોઈ પોતાના પિતા ગુમાવે છે. આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે સુરતના અનેક લોકોના વાહનો ખરાબ થઈ જાય છે, ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીનું ભારે નુકસાન થાય છે અને દુકાનોમાં પાણી ભરાવાને કારણે વેપારીઓનો લાખો-કરોડોનો માલસામાન બગડી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે અને દર…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે છોટા ઉદેપુર લોકસભાના પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા સહિત પ્રદેશના પદાધિકારીઓ, વિધાનસભાના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુદ્દે પ્રભારી ગોપાલ રાયે પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એના માટે સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત અમે ઉપપ્રમુખો, પ્રદેશ સંગઠન મંત્રીઓ, વિધાનસભા સ્તરે વિધાનસભા સંગઠન મંત્રીઓની નિયુક્તિઓ કરી છે અને તેમના માધ્યમથી અમે તમામ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ડેડિયાપાડાની મુલાકાત દરમિયાન ડેડિયાપાડાના લોકપ્રિય આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને વિશ્વાસ અપાવ્યો હતો કે આ મુશ્કેલ સમયમાં સમગ્ર આમ આદમી પાર્ટી પરિવાર તેમની સાથે મજબૂતાઈથી ઊભો છે. આ તકે ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા રાજકીય દ્વેષભાવના રાખીને ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે તદ્દન ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. લોકશાહીમાં વિરોધના અવાજને દબાવવાનો આ પ્રયાસ અત્યંત નિંદનીય છે. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા વર્ષોથી ડેડિયાપાડા વિસ્તારના આદિવાસી સમાજના હકો, જળ-જંગલ-જમીનના પ્રશ્નો તેમજ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, ઝઘડિયા વિધાનસભાના પ્રભારી તથા જિલ્લા પંચાયત સભ્ય ભાઈ રજની વસાવાજી તેમજ ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાજી, જેઓ હંમેશા સામાન્ય જનતા સાથે થતા અન્યાય સામે ભાજપ સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે, તેમને સરમુખત્યાર ભાજપ સરકારે જેલમાં પૂરીને જનતાનો અવાજ દબાવવાનો અસફળ પ્રયાસ કર્યો છે. આજે ગોપાલ રાયે જેલમાં બંધ રજનીભાઈ તેમજ સર્જનભાઈના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી અને ઝઘડિયા વિધાનસભાના હોદ્દેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. આ તકે તેમણે જુસ્સો વધારતા કહ્યું કે, આમ આદમી પાર્ટી એક પરિવાર છે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દરરોજ છ થી આઠ લાખ રૂપિયાની ચોરી થતી હતી. બેંક અધિકારીઓએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ( SIT) ને જણાવ્યું હતું કે ચોરી નો પર્દાફાશ થાય એ પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બેંક ખાતાઓમાં દરરોજ સરેરાશ ૧૬ થી ૧૮ લાખ રૂપિયા જમા થતા હતા. જોકે ચોરીની વાત સામે આવ્યા બાદ આ રકમ વધીને ૨૪ થી ૨૬ લાખ રૂપિયા પ્રતિ દિવસ થઈ ગઈ છે. મંદિર સંકુલ માં આશરે ૧૦ દાન કાઉન્ટર કાર્યરત છે. જે સવારે ૦૭ વાગ્યાથી રાત્રે ૦૯ વાગ્યા સુધી દાન સ્વીકારે છે. રજાઓ અને…
(છગનલાલ મેવાડા) સુરત સ્વચ્છ સુરત, સુંદર સુરતના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકાની પોલ સુરત શહેર માં મંગળવારે કુદરતી આફતે ખોલી નાંખી તંત્રને નગ્ન કરી નાખ્યું હતું. આ આફતે શહેરને હચમચાવી દીધું હતું. આખું શહેર પાણીમાં ગરકાવ હતું ત્યારે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ મહાનગરપાલિકાના હોલમાં સેવ ખમણ ને ઢોકળાની જયાફત ઉડાડી હસતા ચહેરે નવનિયુકતોને અભિનંદન આપતા હતા. ત્યારે બીજી બાજુ અનરાધાર વરસેલા વરસાદથી માનવીઓ જાનવર કરતાં બદતર હાલતથી મોતને ભેટી રહ્યા હતા.જ્યાં કોઈ કરંટ થી તો કોઈ ડૂબી જવાથી તો કોઈ ઝાડ પડવા જેવી ઘટનાઓને લઈને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હતા. કેટલી શરમજનક વાસ્તવિકતા કહેવાય કે શું જવાબદાર કાળા માથાનો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



