Author: garvigujrat

નેટફ્લિક્સ પર આવશે ફિલ્મ તાપસી ફિલ્મમાં આંખે પાટા બાંધી ફાઈટ કરશે તાપસી પન્નુના પાત્રને ‘મહાભારત’ માંથી ગાંધારીથી પ્રેરિત આધુનિક અર્થઘટન તરીકે વર્ણવી શકાય છે તાપસી પન્નુ એવી એક્ટ્રેસમાંથી એક છે જે ભલે વર્ષે એક ફિલ્મ કરે પણ તેની અસર ખૂબ મોટી હોય છે. એક આખો એવો વર્ગ છે જે તાપસની એક્ટિંગનો દિવાનો છે. એકથી એક શાનદાર ફિલ્મ કરીને તાપસીએ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ છાપ છોડી છે. હવે તે એક નવી ફિલ્મમાં જાેવા મળશે. તાપસી હાલમાં તેની ફિલ્મ ‘ગાંધારી’ માટે હેડલાઇન્સમાં છે. ફિલ્મને લઈને હવે એક નવી અપડેટ સામે આવી છે. તાપસી ટૂંક સમયમાં ‘ગાંધારી’ નામની ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મ માટે…

Read More

પ્રશાંત વર્માની આ ફિલ્મમાં વામિકા શક્તિશાળી પાત્રમાં જાેવા મળશે રિષભ શેટ્ટીની ‘જય હનુમાન’માં વામિકા ગબ્બી જાેવા મળશે ‘જય હનુમાન’ પ્રશાંત વર્માની ૨૦૨૪માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુ-મેન’ની સિક્વલ છે ૨૦૨૬નું વર્ષ વામિકા ગબ્બી માટે વ્યસ્ત સાબિત થઈ રહ્યું છે. ‘જુબિલી’ ફેમ વામિકાએ વર્ષની શરૂઆત અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બંગલા’ની બોક્સ ઓફિસ સફળતા સાથે કરી હતી. ત્યારબાદ તે ‘પતિ, પત્ની ઔર વો દો’માં જાેવા મળી હતી. હવે તાજેતરમાં રિલીઝ થયેલી તેની તમિલ ફિલ્મ ‘ડીસી: ધ બ્લડી વેલેન્ટાઇન’માં ચંદ્રાના પાત્ર માટે પણ તેનાં વખાણ થયાં છે. હવે તેની કારકિર્દીમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરાયો છે.આ અંગેના અહેવાલો મુજબ વામિકા ગબ્બીને રિષભ…

Read More

એક્ટ્રેસને ડોકની સર્જરી કરાવી પડી કલાકો સુધી મોબાઈલમાં રીલ અને વીડિયો જાેતા લોકો સાવધાન સાઉથ એક્ટ્રેસ શકીલાની સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે સર્જરી કરાવવી પડી સાઉથ એક્ટ્રેસ શકીલા પર હદથી વધારે મોબાઈલનો ઉપયોગ કરવો ભારે પડ્યો છે. સૂતા-સૂતા ફોનમાં ગેમ રમવાથી તેમની ડોકની હાલત એવી થઈ ગઈ કે તેમને સર્જરી કરાવવી પડી. આપને જણાવી દઈએ કે, શકીલા તમિલ, તેલુગૂ અને મલયાલમ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે ફિલ્મો સાથે સાથે રાજકારણમાં પણ કામ કર્યું છે. એક સમય હતો જ્યારે તેમણે સેમી પોર્ન ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. યૂટ્યૂબ પર એક્ટ્રેસ શકીલાએ એક…

Read More

એકની અટકાયત કરવામાં આવી સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, નિહંગે કિરપાણથી કર્યો એટેક શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર નાંદેડ સ્થિત ગુરૂદ્વારા માતા સાહિબમાં હુમલો મહારાષ્ટ્ર સ્થિત નાંદેડમાં શિરોમણિ અકાલી દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ પર હુમલો થયો છે. બાદલ પરિવારની સાથે ત્યાં ગયા હતા. તેમના પર હુમલો નાંદેડમાં ગુરૂદ્વારા માતા સાહિબ કૌરમાં એક નિહંગે કિરપાણથી કર્યો છે. જાણકારી પ્રમાણે બાદલના હાથમાં ઈજા થઈ છે. કહેવામાં આવ્યું કે ચર્ચા વચ્ચે કિરપાણથી સુખબીર પર હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ સુખબીર સિંહ બાદલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલામાં સુખબીર સિંહ બાદલને…

Read More

મુશ્કેલીઓ સામે હાર ન માનો : વડાપ્રધાન મોદીએ સંસ્કૃત શ્લોક દ્વારા આપ્યો દેશવાસીઓને પ્રેરણાદાયક સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પ્રેરક સંસ્કૃત સુભાષિત શેર કર્યું નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પ્રેરક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ સુભાષિત દ્વારા તેમણે દૃઢ સંકલ્પ, અથાગ મહેનત અને પુરુષાર્થનું મહત્વ સમજાવ્યું છે. તેમણે શેર કરેલા શ્લોકમાં મુશ્કેલ પરિસ્થિતિઓ સામે હાર ન માનવા અને સતત પ્રયાસ કરતા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું: દૈવ પુરુષકારેણ ય: સમર્થં: પ્રબાધિતુમ | ને દૈવેન વિપન્નાર્થં: પુરુષ: સોડવસીદતિ || આ…

Read More

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં કુદરત રૂઠી છે અને હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ નથી પડી રહ્યો. જેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હજુ સુધી વાવણી નથી કરી શક્યા. પરંતુ જ્યાં ખેડૂતે વાવણી કરી દીધી છે પણ વરસાદ નથી પડ્યો ત્યાં સરકારની અવ્યવસ્થાના કારણે ગુજરાતનો ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે. સંજેલીમાં ખાતર માટે ખેડૂતો 9 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમને ખાતર…

Read More

આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રચના હીરપરાએ જણાવ્યુ હતું કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ કંપનીમાં કોઈ નોકરી કરતું હોય અને એમનું આર્થિક શોષણ કરવામાં આવે, ત્યારે લોકો સરકારને ફરિયાદ કરતા હોય છે. પરંતુ સરકાર હસ્તક આવતી આંગણવાડીઓની વર્કર બહેનોનું શોષણ જ જ્યારે આ સરકાર કરી રહી હોય, ત્યારે આ બહેનો પાસે ન્યાય મેળવવાનો કયો રસ્તો બચે છે? એક બાજુ દેશનું ભવિષ્ય એટલે કે નાના બાળકોના જીવન અને તેમની જીવનશૈલીનું ઘડતર આ બહેનો કરતી હોય છે, ત્યારે બીજી બાજુ આ જ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. અન્ય કોઈ રાજ્યમાં ચૂંટણીઓ હોય ત્યારે આ ભાજપ…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ​ નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરતના નાસીરનગરમાં કરાયેલા ભૂતિયા ડિમોલિશન બાબતે લાલ આંખ કરતા આખરે રાજ્ય સરકારે નમતું જોખીને સુરતના મ્યુ. કમિશ્નર એમ. નાગરાજનની બદલી કરવાની ફરજ પડી છે. સુરત મ.ન.પા. ના વિસ્તારમાં મ્યુ. કમિશ્નરની બદલીના સમાચાર મળતા જ અધિકારીઓના ટોળેટોળાં એકત્ર થયા હતા. અને સૌના મોઢે એક જ વાત હતી કે રાજકારણીઓનો ક્યારેય ભરોસો થઈ શકે નહીં. ​ મોટા રાજકારણીઓના ભરોસે અને તેઓના કહેવામાં આવી જઈ નાસીરનગરનું ડિમોલિશનની સૂચના મ્યુ. કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ એ અંગે કોઈ નોટિસ કે જાણ રહીશોને કરવામાં આવેલી નહીં. આમ આ ડિમોલિશનમાં શહેર પોલીસના અધિકારી SOG ના…

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ​ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન ભાગવત ઝા આઝાદના પુત્ર યશોવર્ધન આઝાદ ૧૯૭૬ બેચના IPS અધિકારી છે. જેમણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા તંત્રના સર્વોચ્ચ પદો પર સેવા આપી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે તેમણે આતંકવાદ સામેની લડાઈ અને વ્યુહાત્મક જોખમ વચ્ચેના ક્ષેત્રમાં કામ કર્યુ. અને અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં વિવિધ જવાબદારીઓ પૂર્ણ કરી હતી. ​ આ ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર યશોવર્ધન આઝાદ દ્વારા લખાયેલા "પોલીસીંગ ધ રીપબ્લિક" નામના પુસ્તકનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં વિધિવત લોકાપર્ણ કરવામાં આવનાર છે. દેશના સૌથી અનુભવી કાયદા અમલીકરણ સુકાનીએ એમના અનુભવના આધારે આ પુસ્તકમાં ભારતની પોલીસ વ્યવસ્થા, ગુપ્તચર તંત્ર,…

Read More

ચોટીલા તાલુકાના હણીયા ગામ તથા ગઢેચી ગામમાં પશુપાલકોની ભેંસોનું ઝેરી કેમિકલના ડમ્પીંગ સ્ટેશનમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પીવાથી મૃત્યુ થયું છે. આ કેમિકલયુક્ત પાણીથી મોટાભાગના પશુઓ તરવાઈ ગયા છે. લોકોને ચામડીના રોગ થવા લાગ્યા છે. જેની આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, રમેશભાઈ ખોરાની દ્વારા મુલાકાત લેવામાં આવી અને ભોગ બનનાર પશુપાલકની મુલાકાત લીધી અને આ પશુપાલક પરિવારની આપવીતી સાંભળી હતી અને સાથે સાથે ડમ્પીંગ સ્ટેશનની આજુબાજુના ખેડૂતોની મુલાકાત લીધી. આ દરમિયાન AAP ખેડૂત નેતા રમેશ મેરે જણાવ્યું કે, ચોટીલાના આ ગામમાં ઝેરી કેમિકલનો કચરો છોડી અને આ ભાજપ સરકાર ચોટીલા તાલુકાના લોકોને મોતના મુખમાં નાખી રહી…

Read More