Author: Garvi Gujarat

રાજ્યની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ, પાયાના શિક્ષણ અને જીવન ઘડતરના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૭.૫૯ લાખથી વધુ વાલીઓ અને ૧૯.૭૦ લાખથી વધુ બાળકો સહભાગી થયા હતા. આંગણવાડી માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ છે જેને આ કાર્યક્રમ થકી વાલીઓ સુધી પહોંચાડવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત…

Read More

મોંઘવારીની સીધી અસર રસોડા પર.શાકભાજી-કરિયાણું મોંઘું થતાં સામાન્ય નાગરિકોની કમર તુટી!.ઇંધણના ભાવવધારાને કારણે કરિયાણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો જાેવા મળ્યો.સુરત શહેરમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર એટલો મોટો બોજ નાખ્યો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના બહાને ઇંધણના ભાવમાં જે ઝીંકાયેલો સતત વધારો છે, તેણે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને આંબતા ભાવોને કારણે માલવાહક વાહનોના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો અને અસહ્ય ઉછાળો આવ્યો છે. સત્તાવાર માહિતી મુજબ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો ૧૦%નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે, જેની સીધી અને ઘાતક અસર કરિયાણા…

Read More

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો ર્નિણય.ખેડૂતો પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ મેળવી શકશે.સરકારના અને પુરવઠા વિભાગના આ ર્નિણયથી ખેડૂતોનો કિંમતી સમય અને પેટ્રોલ પંપ સુધી જવા-આવવાનું ઈંધણ બંને બચશે.રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખૂબ જ મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી ખેડૂતો પોતાના ખેતીના કામકાજ માટે કોઈપણ પેટ્રોલ પંપ પરથી એકસાથે ૨૦૦ લીટર સુધીનું ડીઝલ સરળતાથી મેળવી શકશે. પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેતીકામ સરળ બનાવવાના હેતુથી આ ડીઝલ વિતરણની મર્યાદા સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી છે. ખેતીની સિઝનમાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા અને પાણીના પંપસેટ માટે ડીઝલની વારંવાર અને મોટા જથ્થામાં જરૂર પડતી…

Read More

દેશની ૬૬ હસ્તીઓ પદ્મ પુરસ્કારોથી સન્માનિત.સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.ભારત સરકારે સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેતા અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આજે દેઓલ પરિવાર માટે ભાવનાત્મક ક્ષણ હતી. ભારત સરકારે સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિનીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. ધર્મેન્દ્રની પુત્રી, આહના દેઓલ, સમારંભ દરમિયાન સ્પષ્ટપણે ભાવુક થઈ ગઈ.…

Read More

પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા.એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા માંગલોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા ભાવ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગણતરીના દિવસોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જાેડાયેલા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ ભાવવધારાનો આકરો માર છે, તો બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ના હોવાના પાટિયા લાગી ગયા છે. ડીઝલના વેચાણ પર માત્ર ૧૦૦૦ રૂપિયાની મર્યાદા લાદવામાં આવતા વાહનચાલકોની હાલાકી બેવડાઈ છે. આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના કારણો વચ્ચે લોકો સરકારની નીતિઓ અને…

Read More

ધોધમાર વરસાદનું એલર્ટ જાહેર.૬ દિવસ પહેલા કેરળમાં પહોંચી જશે ચોમાસું.સામાન્ય સમયથી છ દિવસ પહેલા જ કેરળના કિનારે ટકરાવાનું છે મોનસૂન કેરળમાં ૨૬ મેએ પ્રવેશ કરી શકે છે, જ્યારે તેની સામાન્ય તારીખ ૧ જૂન હોય છે.ભીષણ ગરમી અને લૂથી પરેશાન લોકોને આ સમાચાર રાહત પહોંચાડી શકે છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે સાઉથવેસ્ટ મોનસૂન પોતાના સામાન્ય સમય કરતા છ દિવસ વહેલું કેરળ પહોંચી શકે છે. કેરળમાં ૨૬ મે એટલે કે આવતીકાલે ચોમાસાનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગે ચોમાસાની જાહેરાત સાથે દેશના ઘણા વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMD પ્રમાણે આ સમયે ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનેલી…

Read More

CBI તપાસની હતી માંગકોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર.એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો.એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો.કરવાને બદલે સોશિયલ મીડિયા અને આરટીઆઈ (CBI) એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેટલાક યુવાનો ‘કોકરોચ‘ની જેમ આ પ્રોફેશનમાં રોજગાર મેળવી શકતા નથી અને સોશિયલ મીડિયા કે CBI એક્ટિવિસ્ટ બનીને સમાજ પર બોજ બની રહ્યા છે. જાેકે, બાદમાં વિવાદ વધતાં ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો સામાન્ય બેરોજગાર…

Read More

ચીનની ચિંતામાં વધારો!.ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ ભારતની મુલાકાત લેશે.હાલમાં અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં, ક્વાડ દેશોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.હિન્દો-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સત્તાવાર મુલાકાતે ભારત આવી રહ્યા છે. તેઓ નવી દિલ્હીમાં આયોજિત ‘ક્વાડ ફોરેન મિનિસ્ટર‘ મીટિંગમાં ખાસ હાજરી આપશે. ભારત ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને જાપાનના લોકો પણ આ હાઇ-પ્રોફાઇલ મીટિંગમાં ભાગ લે તેવી અપેક્ષા છે. ભારતમાં વિદેશ મંત્રીઓ પણ ભેગા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીએ આ મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, હાલમાં અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં, ક્વાડ દેશોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ સાબિત…

Read More

પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે, જે ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે, એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ પુરસ્કારો વિવિધ વિષયો / પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જેમ કે- કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે. ‘પદ્મ વિભૂષણ’ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે; ‘પદ્મ ભૂષણ’ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને ‘પદ્મ શ્રી’ કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં ગુજરાતના 5 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. જેઓની વિગત નીચે પ્રમાણે છેઃ શ્રી રતીલાલ બોરીસાગર શ્રી રતિલાલ મોહનલાલ બોરીસાગર એ હાસ્યરસ અને…

Read More

વધતી કિંમત વચ્ચે CTI ની સરકાર પાસે મોટી માંગ ૧૦-૧૫ રુપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ.ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ આ સતત વધતી જતી ફુગાવામાંથી તાત્કાલિક રાહત મેળવવાની માંગ કરી.પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લિટર રૂ.૧૦૨.૧૨ અને ડીઝલનો ભાવ રૂ.૯૫.૨૦ પર પહોંચી ગયો છે. છેલ્લા ૧૦ દિવસમાં આ ચોથી વખત છે જ્યારે બંને ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જેનાથી ગ્રાહકો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ આ સતત વધતી જતી ફુગાવામાંથી તાત્કાલિક રાહત મેળવવાની માંગ કરી છે.…

Read More