Author: Garvi Gujarat

એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ લખનૌમાં કેબિનમાંથી નીકળતા ધુમાડા વચ્ચે સુરક્ષિત લેન્ડિંગ બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું સોમવારે સાંજે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હંગામો મચી ગયો હતો જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે મિડ-એર મેડે કોલ આપ્યો હતો. બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું હતું. જાેકે, રાહતની વાત એ હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX…

Read More

હકવિઝન, ડેહુઆ, ટીપી લિંક જેવી મોટી કંપનીઓને અસર થશે દેશમાં ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ સીસીટીવી વેચતી કંપનીઓ માટે સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેટ ફરજિયાત થતાં ચીની કંપનીઓને ફટકો પડશે કેન્દ્ર સરકારે સીસીટીવી કેમેરા માટે ૨૦૨૪માં નવો નિયમ બનાવ્યો હતો. એ વખતે સીસીટીવી કેમેરા વેચતી દરેક કંપનીને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળામાં દરેક કંપનીએ સર્ટિફાઈડ લેબમાંથી સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેટ લેવું જરૂરી હતું. ભારતમાં સીસીટીવી વેચતી ચીનની ટોચની કંપનીઓ આ માપદંડમાં ખરી ઉતરતી ન હોવાથી ૧લી એપ્રિલથી એ કંપનીઓનું સીસીટીવીનું વેચાણ બંધ થઈ જશે. નવા માપદંડ પ્રમાણે સીસીટીવી બનાવતી કંપનીઓએ સરકારને એ દર્શાવવું જરૂરી છે કે…

Read More

૨૦૦૦ પાઉન્ડના બંકર-બસ્ટર બોમ્બ ફેંકાયા અમેરિકી સેનાએ ઈરાનના પરમાણુ કેન્દ્રને બનાવ્યું નિશાન આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયો છે. મંગળવારે, ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ, અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના શહેર ઈસ્ફહાન પર મોટો હવાઈ હુમલો કર્યો છે.મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો. આ હુમલાની સૌથી ભયાનક બાબત તેમાં વપરાયેલા હથિયારો છે. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈસ્ફહાન પર આશરે ૨૦૦૦ પાઉન્ડ (૯૦૭ કિલોગ્રામ) વજનના શક્તિશાળી બંકર-બસ્ટર બોમ્બ ફેંકવામાં…

Read More

પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું મધ્યસ્થતા માટે પાકિસ્તાન કરતા ભારત વધુ સક્ષમ અને યોગ્ય પાકિસ્તાનની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતે જ આતંકવાદની સમસ્યાથી ઘેરાયેલું છે, તેથી તે મધ્યસ્થી તરીકે સફળ થઈ શકે તેમ નથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના બીજા મહિને ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વિશેષ દૂત ફ્લેર હસન-નહૂમે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ યુદ્ધને શરૂઆતથી જ ‘મલ્ટી-ફ્રન્ટ‘ એટલે કે બહુઆયામી પ્રાદેશિક યુદ્ધ ગણાવ્યું છે. યરૂશલેમથી વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ગત ૭ ઓક્ટોબરે દક્ષિણમાંથી હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. આ ઘટનાના બીજા જ દિવસે ઉત્તર દિશામાંથી પણ હુમલા શરૂ…

Read More

ડિસાના લોકો સાથે મને વિશેષ લગાવ : મોદી વાવ-થરાદમાં PM મોદીનું સંબોધન, રૂ. ૧૯,૮૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ લાંબા સમય સુધી ડીસા એરબેઝની ફાઈલ દબાઈ ગઈ હતી, તે મેં ખોલી કરાવી અને આજે આ ક્ષેત્રના વિકાસથી ડીસાનો વિકાસ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૧મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ ગાંધીનગરના કોબામાં જૈન હેરિટેઝ મ્યુઝિયમ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ હાલ તેઓ ગુજરાતના નવરચિત જિલ્લા વાવ-થરાદની મુલાકાતે પહોંચ્યા . વડાપ્રધાન મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યો છે. ત્યારે PM મોદીએ રૂ. ૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. PM મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં ૨૯ એપ્રિલે ભવાનીપૂર માટે મતદાન થશે. બેનરજીના સંદેશને રાજયના પ્રભાવશાળી વેપારી અને વ્યાવસાયિક સમુદાયોમાં સમર્થન એકત્ર કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. ત્યારે રાજસ્થાન દિવસ નિમિત્તે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં રાજસ્થાની અને મારવાડી સમુદાયોનો સંપર્ક કર્યો અને તેમને “બંગાળી પરિવાર” નો અભિન્ન ભાગ ગણાવ્યા અને રાજયના વિકાસમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બેનરજીએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં રાજસ્થાની અને મારવાડી સમુદાયોના યોગદાનથી રાજયના વિકાસમાં નોંધપાત્ર મદદ મળી છે. તેમણે તેમને ખાતરી આપી કે તેમની સરકાર તેમની સતત પ્રગતિ માટે “શાંતિ, આનંદ અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત માટે એમ કહેવાય છે કે ભારત મદારીઓનો દેશ છે. જ્યાં મંત્ર, તંત્ર અને ભૂત ભુવાઓની સાથે બની બેઠેલા તાંત્રિકોની માયાજાળમાં સામાન્ય પ્રજા તો ફસાય એ સમજી શકાય છે પરંતુ ભણેલા-ગણેલા લોકોની સાથે રાજનેતાઓ જ્યારે આવા લેભાગુ જ્યોતિષીઓ અને તાંત્રિકોની મોહજાળમાં ફસાય છે. ત્યારે અન્યની તો વાત જ ક્યાં રહી? આખરે જ્યારે તાંત્રિકની પોલ ખૂલે છે ત્યારે ખુલાસા આપવા પડે છે અને એમના જાહેર જીવનને પણ કલંક લાગે છે. જે ભવિષ્યમાં એવા રાજનેતાઓ માટે જાહેર જીવન માટે આડખીલી રૂપ પણ બને છે. આવા લેભાગુ તાંત્રિક, જ્યોતિષીનો તાજો જ દાખલો મુંબઈ ના કહેવાતા લંપટ જયોતિષી અશોક ખેરાતનો…

Read More

કોર્ટે રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યાે અપ્રમાણસર મિલકત કેસમાં આવકવેરા અધિકારીની પત્નીને બે વર્ષની જેલ ૧૩૩% વધુ સંપત્તિ મળતા CBI કોર્ટે સજા ફટકારી, આવકવેરા અધિકારીનું મૃત્યુ થતા કેસ પડતો મૂકાયો ગાંધીનગરની સ્પેશિયલ CBI કોર્ટે અપ્રમાણસર મિલકત ધરાવવાના ૧૭ વર્ષ જૂના એક મહત્ત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાંધીનગરના તત્કાલિન અધિક આવકવેરા કમિશનરના પત્ની જશોદાબેન વડાદિયાને દોષી ઠેરવી બે વર્ષની કેદ અને રૂપિયા ૨૦ હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે આવકવેરા અધિકારીનું મૃત્યુ થતા કેસ પડતો મૂકાયો છે. ગાંધીનગર CBI એ ૩૦ જૂન, ૨૦૦૭ના રોજ તત્કાલિન આવકવેરા અધિકારી રમેશભાઈ ફૂલચંદ વડાદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે…

Read More

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ ૪૦ કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ સર્કિટ હાઉસમાં અંદાજે ૫૦ જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. જેઓ હવે ખાનગીકરણના કારણે બેરોજગાર બન્યા હોવાના અહેવાલ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૯માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ…

Read More

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં જામનગરના બ્રાસ ઉદ્યોગના ૮૦ ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી જતા ઉદ્યોગકારો દ્વારા વહીવટી તંત્ર સાથે તાકિદની બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે રજૂઆત કરી ગલ્ફના યુદ્ધની માઠી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી છે. ગેસ અને કાચા માલની અછતના પગલે બ્રાસ ઉદ્યોગના ૮૦ ટકા એકમોને તાળા લાગ્યા છે. ઉદ્યોગ શટડાઉનની કગારે પહોંચી જતા ઉદ્યોગકારો દ્વારા વહીવટી તંત્ર સાથે તાકિદની બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા તાકિદે ગેસ પુરવઠો પૂર્વવત કરવા સહિતના પ્રયાસોની ખાતરી અપાઈ હતી.છેલ્લા ૨૦ દિવસથી યુકે, અમેરિકા, ગલ્ફના દેશોમાંથી આવતો કાચો માલ, એક્સપોર્ટ માટેના ઓર્ડર…

Read More