Author: Garvi Gujarat

મેદાન પર હજુ પણ તણાવ યથાવત અમેરિકા ગેરન્ટી આપે તો ઈરાનયુદ્ધ ખતમ કરવા તૈયાર : ઈરાનના રાષ્ટ્રપતિ અમેરિકાએ હજારો વધારાના સૈનિકો, મરીન યુનિટ્સ અને પેરાટ્રૂપર્સ આ વિસ્તારમાં તૈનાત કર્યા છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ‘જરૂરી ઈચ્છાશક્તિ’ ધરાવે છે. જાેકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત ‘સુરક્ષા ગેરંટી’ આપવામાં આવે.આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની કડી એ છે કે ઈરાનના વિદેશ…

Read More

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવ્યા હતા ૨૦ ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન વિમાન લેન્ડ થતાની સાથે જ તમામ ૨૦ મૃતદેહોને તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા ૨૦ ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જાેયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે વિમાન સેવાઓમાં મોટો વિક્ષેપ પડ્યો હતો, જેના લીધે આ મૃતદેહોને ભારત લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. કુવૈત એરવેઝની વિશેષ ઉડાન કોલંબો થઈને કોચ્ચી પહોંચી હતી. આ એક ખાસ ફ્લાઇટ હતી જેમાં કોઈ મુસાફરો નહોતા, તે માત્ર પાર્થિવ દેહ લાવવા માટે જ…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત ‘બે-ત્રણ અઠવાડિયામાં યુદ્ધ પૂરું, ઈરાનમાં સત્તાપલટો સફળ’ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા આ સંકટની અસર ભારતમાં પણ જાેવા મળી રહી છે. યુદ્ધને કારણે ખાતરની કાળાબજારી વધી છે અને યુરિયાના ભાવમાં ૪ ગણો વધારો નોંધાયો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દેશે. ટ્રમ્પે દાવો કર્યાે છે કે ઈરાનમાં ‘રિજીમ ચેન્જ’ (સત્તા પરિવર્તન) નો તેમનો મુખ્ય લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે, તેથી હવે આ સંઘર્ષને લાંબો ખેંચવાની કોઈ જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ખતમ કરવા માટે…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકા ધ્વારા શહેરના પે એન્ડ યુઝ ની ઉપર રેન બસેરા બનાવી નિરાધારોના આધાર બનવાની પહેલ તો કરી હતી. પરંતુ એ બનાવ્યા પછી પણ એની જાળવણી ના કામ માટે કરાતા આંખ આડા કાનને કારણે આજે રેન બસેરાઓની હાલત પણ ખખડધજ મકાનો જેવી થઈ ગઈ છે. હવે વાત કરીએ કે રેનબસેરા બનાવવાનો જે હેતુ હતો એ આખો હેતુ જ મરી પરવાર્યો હોય એમ સદર તસવીરમાં દેખાતા પરિવારો શહેરના વિવિધ વિસ્તારો જેવાકે સિવિલ ચાર રસ્તા, મજુરા ગેટ, ઉધના દરવાજા, દિલ્હી ગેટ, વરાછા એરિયા માંથી પસાર થતાં ઓવરબ્રિજ નીચે ધામા નાંખીને પડયા પાથર્યા રહેતા હોવાથી બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૦૮ ના મહંત જેઓ ગોધરાના સંચેલાવ રેલ્વે સ્ટેશનની સામે આદિવાસી વિસ્તારમાં શિષ્યોને ઉપદેશ આપી વ્યસનોથી મુકત કરવાના વર્ષોથી પ્રયાસ કરી રહેલા છે. તેઓના આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં લોકો તેમના દર્શન અને સત્સંગ માટે આવતા હોય છે. તેઓની અસીમ કૃપા તેમના પાટવી શિષ્ય સંતશ્રી બજરંગદાસ પર છે. સંતશ્રી બજરંગદાસ ૧૦૮ મહંતશ્રી ચેતનદાસ સાહેબ આજ રોજ દૈનિક વર્તમાનપત્ર ગરવી ગુજરાત સુરતના કાર્યાલય ખાતે પધાર્યા હતા અને ગરવી ગુજરાતના પત્રકારોને આર્શીવચન આપી જીવનનું મર્મ સમજાવ્યો હતો અને અનેક દ્રષ્ટાંતો ધ્વારા મનુષ્ય જીવન જીવવાનો રસ્તો બનાવ્યો હતો. પત્રકારો ને નીડર અને નિષ્પક્ષ રીતે સારી હકીકત ને ઉજાગર…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. માનવીને જ્યારે નશો ચઢે છે ત્યારે એનો નાશ નિશ્ચિત હોય છે. અર્થાત બરબાદી. આ નશો સત્તાનો હોય, પૈસાનો હોય, દારૂ નો હોય, પદનો હોય કે અન્ય કોઈ પણ પ્રકારના નશામાં અતિરેક થાય છે ત્યારે એ અતિરેક હંમેશા નાશ જ નોંતરે છે. અને આ જ બાબત સોશિયલ મીડિયા માટે પણ એટલી જ સાચી છે. જ્યારે દેશ અને દુનિયામાં ઇન્ટરનેટનું આગમન થયું ત્યારે સૌ કોઈ તેના કાર્યથી અંજાઈ ગયા અને આજે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઇન્ટરનેટ વિનાના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી લાગતી. આ ઇન્ટરનેટના આગમનથી રોજીંદા જીવનમાં જાણે કે ક્રાંતિ થઈ ગઈ અને પહેલા…

Read More

ક્રૂડ તેલના વાયદામાં રૂ.293નો ઘટાડોઃ સોનાના વાયદામાં રૂ.2281 અને ચાંદીના વાયદામાં રૂ.839ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36505 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.119533.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36505 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3110.37 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.149460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149601 અને નીચામાં રૂ.148550ના મથાળે અથડાઈ, રૂ.146919ના આગલા બંધ સામે રૂ.2281 વધી રૂ.149200 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1627 વધી રૂ.121621ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ…

Read More

ધુરંધરની સફળતા પછી ડિમાન્ડ થઈ હવે યામી ગૌતમને લઈ રાઝી ટુ બનાવવાની દરખાસ્ત મેઘના ગુલઝારે મૂળ વાર્તામાં ચેડાં કર્યાંનો લેખિકા હરિન્દર સિક્કાનો આરોપ : યામી ‘ધુરંધર ટુ’માં કેમિયો કરી ચૂકી છે ‘ધુરંધર ટુ’માં ભારતના જાસૂસો પાકિસ્તાનમાં કેવી રીતે કામ કરે છે તેનો વધુ યથાર્થવાદી ચિતાર હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ‘ધુરંધર’ના સર્જક આદિત્ય ધરની પત્ની તથા એકટ્રેસ યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં લઈ ‘રાઝી ટુ’ બનાવવાની દરખાસ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે યામી ‘ધુરંધર ટુ’માં કેમિયો કરી ચૂકી છે. એક નેટ યૂઝરે મૂૂળ લેખિકા હરિન્દર સિક્કાને મેન્શન કરીને કહ્યું હતું કે હવે ‘રાઝી ટુ’ની તૈયારી કરવી જાેઇએ. આ ફિલ્મમાં મુખ્ય રોલ માટે…

Read More

૧૦૦ ફિલ્મો બનાવો છો ‘ભૂત બંગલા’ મૂળ ‘ભૂલ ભૂલૈયા’ ફિલ્મની સિક્વલ નથી : પ્રિયદર્શન પ્રિયદર્શને ભારપૂર્વક કહ્યું કે કલાકારો સિવાય, બંને ફિલ્મો ખૂબ અલગ છે. આ સંપૂર્ણ લગ કાલ્પનિક ફિલ્મ છે જ્યારે ‘ભૂત બંગલા’નું પહેલું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે ઘણા દર્શકોએ કહ્યું કે આ ફિલ્મ તમને ‘ભૂલ ભુલૈયા’ની દુનિયામાં પાછા લઈ જવાની છે. કદાચ તે કલાકારો અને ડિરેક્ટરનું કોમ્બિનેશન હતું, અથવા કદાચ એ જ શૂટિંગ લોકેશન, પરંતુ ઘણા લોકોએ કહ્યું કે તેમને ટ્રેલરમાં ‘ઓજી વાઇબ્સ’નો અનુભવ થઈ શકે છે. થોડા સમયમાં જ, અફવાઓ અને કેટલાક અહેવાલોએ દાવો કર્યાે કે આ ફિલ્મોના વાઇબ્સ મેળ ખાતા હોવાથી ‘ભૂત બંગલા’નો વિચાર પહેલી ‘ભૂલ…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અલગ અલગ સીટો થઈને ટોટલ 9,000થી પણ વધારે સીટો પર ચૂંટણીની જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે છેલ્લા છ મહિનાથી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરી રહી છે, અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહી છે. જેના કારણે હવે ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. આમ આદમી પાર્ટી હાલ એક વિકલ્પ બનીને ગુજરાતના લોકોનું આશાનું…

Read More