- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
- Betify Casino en Ligne | Jouez sur Betify avec 1000 €
Author: garvigujrat
આ મુકાબલો ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ આજથી શરૂ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે ભારત અને શ્રીલંકા વચ્ચે ૨ ટેસ્ટ મેચની સિરીઝ રવિવાર, ૧૫ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતે આ સિરીઝ જીતવી પડશે. આ મુકાબલો ગૉલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. હેડ કોચ ગૌતમ ગંભીર માટે પણ આ સિરીઝ ખુબ મહત્વપૂર્ણ રહેવાની છે. તેના કોચ રહેતા ટીમ ઈન્ડિયાએ ૨૦૨૬ ટી૨૦ વિશ્વકપ અને ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. શુભમન…
રોડ બનાવવા માટે ધડાધડ ઝાડ કાપ્યા હાઈકોર્ટે અરજીકર્તાઓને ૨૫-૨૫ ઝાડ લગાવવાનો આદેશ આપ્યો રાજ્યમાં હાલમાં રોડને પહોળા કરવા તથા નવા હાઈવે બનાવવા માટે મોટા પાયે ઝાડ કાપવામાં આવી રહ્યા હતા મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્યમાં રોડને પહોળા કરવા અને નવા રોડ બનાવવા આવી રહ્યા છે. આ દરમ્યાન અહીં ઝાડને અંધાધૂંધ રીતે કાપવા સાથે જાેડાયેલી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિવેક રુસિયા અને ન્યાયમૂર્તિ પ્રદીપ મિત્તલની પીઠે અનોખો દાખલો બેસાડતો ચુકાદો આપ્યો. કોર્ટે અરજીકર્તાની તકલીફને જાેતા તેમના પર જ પોતપોતાના વિસ્તારમાં નગર નિગમ દ્વારા નક્કી કરેલી જગ્યાઓ પર ૨૫-૨૫ ફળદાયી ઝાડ લગાવી તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો…
રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે? પશ્ચિમ યુરોપ અને બ્રિટનમાં ભીષણ ‘હિટવેવ’નો ખતરો ગરમીથી હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓ બેહાલ, બ્રિટનમાં દુષ્કાળ અને પાણીની અછતનું સંકટ પશ્ચિમ યુરોપના મોટા ભાગોમાં ફરી એકવાર ભીષણ ગરમી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બ્રિટનમાં પણ ગરમીની સીઝનમાં પાંચમી વખત ‘લૂ’ પડવાની આશંકા છે. માનવામાં આવી રહ્યું છે કે જે અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો રહેશે. હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે મધ્ય અને દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો ૩૮ સેલ્સિયસ સુધી પહોંચશે જે ઓગસ્ટના ૩૮.૫ ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડની ખૂબ નજીક છે. આ અઠવાડિયાની શરૂઆતમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગયા વર્ષના સૌથી ગરમ વર્ષના રેકોર્ડને તોડવા માટે ઓગસ્ટના…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત આજના હળહળતા કળીયુગમાં, જૂઠ, પ્રપંચ, બદમાશી જેવી બાબતોની સાથે સાથે ભેળસેળને પણ જાણે કે સહજ બનીને પ્રજાએ અપનાવી હોય એવું જોતાં એમ લાગી રહ્યું છે કે પ્રજાને હવે શુદ્ધ, ચોકખોચણાક બિનભેળસેળ વાળો ખોરાક પચતો હોય એમ લાગતું નથી. કારણ કે માનવ શરીરના આરોગ્ય ને નુકશાન કરનારા તમામ ખાદ્યપદાર્થો હવે પ્રજાને જાણે કે કોઠે પડી ગયા છે અને એની કોઈ અસર પ્રજાને થતી નહી હોવાથી એ વાત સત્ય છે કે પ્રજા હવે ભેળસેળિયું ખાવાની આદિ થઈ ગઈ છે. કારણ કે તાજેતરના વર્ષોમાં, ભેળસેળ એક મુખ્ય ઉદ્યોગ બની ગયો છે એ વાત પર સહમત થયા…
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત સુરતમાં ફેમિલી કોર્ટની બે વધારાની કોર્ટ સુરત ખાતે મંજૂર કરવામાં આવેલ છે.સુરતમાં ફેમિલી કોર્ટના કેસોના વધુ પડતા ભારણ ના કારણે બે કોર્ટ વધારી તે આવકારવા દાયક પરંતુ ફેમિલી કોર્ટ ની આ બે કોર્ટ લેબર કોર્ટ ના બિલ્ડિંગ માં શિફટ કરી લેબર કોર્ટની કાર્યવાહી સામે સમસ્યા ઊભી કરવા સામે લેબર પ્રેક્ટિશનર એસોસિએશન ના પ્રમુખ એન .જે .પટેલ અને એસોસિયન ના તમામ સભ્યોએ સખત વાંધો લીધો છે. લેબર કોર્ટનું બિલ્ડીંગ લેબર ના પ્રશ્નો અને સમસ્યા ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે.લેબર ના પ્રશ્નો જુદા હોય છે.ફેમિલી કોર્ટમાં આવતાં પક્ષકારો ઘણીવાર માનસિક રીતે ભાંગી પડેલ હોય છે .લેબર…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જંગલરાજ ચાલે છે અને આ હું નથી કહેતો કારણ કે આ વાત કેન્દ્ર સરકારના આંકડાઓએ જાહેર કરી છે. ગુજરાતમાં દર વર્ષે 30 હજાર જેટલા કેસો વધી રહ્યા છે. 2022 માં 1 લાખ 30 હજાર કેસો નોંધાયા હતા, 2023 માં 1 લાખ 75 હજાર કેસો નોંધાયા, 2024 માં 1,62,000 કેસો નોંધાયા. મતલબ કે ગુજરાતમાં લોકો કાયદો અને વ્યવસ્થાને લઈને ત્રાહિમામ પોકારી ચુક્યા છે. ધોળા દિવસે લૂંટ, ખૂન, બળાત્કાર, ચીટીંગ, સાઇબર ક્રાઇમની ઘટનાઓ ઘટી રહી છે અને ગુનેગારોને સરકારનો કે પોલીસનો…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો કરન બારોટે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ પરિવારના સભ્યને પોલીસ વિભાગમાં નોકરી મળે છે, ત્યારે એ ખૂબ જ ગૌરવ અને જવાબદારીપૂર્વકનું પદ ગણાય છે. એવી નોકરીથી પરિવારમાં સ્થિરતા આવે છે, નિયમિત પગાર અને ભથ્થાં મળે છે, મેડિકલ સુવિધાઓ અને સરકારી લાભો પ્રાપ્ત થાય છે. પોલીસ વિભાગમાં કામ કરતી વ્યક્તિ ગુજરાત અને દેશની જનતાની સુરક્ષા તથા રક્ષણ કરે છે. પરંતુ આ જ પોલીસ વિભાગમાં એક એવો પણ હિસ્સો છે, જેમના વિશે આજે મારે વાત કરવી છે અને તે છે ‘૧૧૨ જનરક્ષક પાઇલટ’. ગુજરાતની જનતાને પ્રેસવાર્તાના માધ્યમથી…
ટ્રમ્પને ઇરાનના હુમલાનો ડર બતાવી ઇઝરાયેલે શાંતિમંત્રણા પાટા પરથી ઉતારી અમેરિકા-તુર્કી નજીક આવ્યા તેનાથી ઇઝરાયેલને ડર લાગ્યો અમેરિકા-તુર્કીને એફ-૩૫ વેચવા આતુર અને આ ડીલ થાય તે ઇઝરાયેલ ઇચ્છતું ન હોવાથી બનાવટ કરી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની સરકારે સીઆઈએને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પર ઇરાને ઘડેલા હત્યાના કાવતરા અંગે ખોટો અહેવાલ સીઆઈએને આપ્યો હતો. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે તેમની આ ખતરનાક ચાલનો હેતુ અમેરિકા-ઇરાન મંત્રણા પાટા પરથી ઉતારવી, વોશિંગ્ટનની ઇરાનની નીતિઓ પર અસર પાડવી અને તુર્કી સાથે ટ્રમ્પના વધતા સંબંધોને ફટકો મારવાનો હતો.અહેવાલ મુજબ સીઆઈએના નિષ્ણાતોને આ જાસૂસી જાણકારી વિશ્વસનીય ન લાગી અને ટ્રમ્પ તંત્રને આ શંકાની જાણકારી આપી. એક અમેરિકન…
પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે યુદ્ધની આપી ધમકી ‘મે ૨૦૨૫ કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપીશું’ : શાહબાઝ શરીફ શાહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડીખમ ઊભો રહ્યો છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી એકવાર આક્રમક અને તીખા તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા ‘યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યાે હતો કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની ‘રેડ લાઇન’ છે અને જાે ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૫માં થયેલા…
કોઈ સાથે ડીનર પર જવું અફેર ન કહેવાય અર્જુન બિજલાનીએ મૌની સાથે અફેરની અફવા નકારી અર્જુન બિજલાનીની ‘ચુંબક સોસાયટી’ ઓટીટી પર ૨૮ ઓગસ્ટથી રજૂ થશે ‘નાગિન’ ટેલિવિઝન શોમાં સાથે કામ કરી જાણીતાં બનેલાં અર્જુન બિજલાની અને મૌની રોય વચ્ચે હાલ અફેર ચાલી રહ્યો હોવાના અહેવાલોને ફગાવી દેતાં અર્જુન બિજલાનીએ જણાવ્યું હતું કે ડિનર પાર્ટીમાં કોઇની સાથે જવાથી કોઇ અફેર થઇ જતાં નથી.થોડા સમયથી કોઇ બદનામી કરવાના ઇરાદાથી મૌની વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે તેવો દાવો બિજલાનીએ કર્યાે હતો. અર્જુન બિજલાનીએ નેહા સ્વામી સાથે લગ્ન કરેલાં છે અને તેમને એક પુત્ર અયાન બિજલાની છે.જ્યારે મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


