Author: Garvi Gujarat

ઇન્સ્પેક્શન કામગીરી શરૂ.સુભાષ બ્રિજ ૨૫ ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ.જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જાહેર જનતાની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો ર્નિણય AMC ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન માલૂમ પડ્યા બાદ સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાત સરકારના ઇશ્મ્ ડિઝાઇન સર્કલ અને AMCની R&B પેનલ થયેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ સાથે મળીને બ્રિજની ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાને આ સમયગાળા…

Read More

છેલ્લા 5 વર્ષમાં રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ, 2025-26 માટે રૂ. 1,617 લાખની જોગવાઈ વાર્ષિક આવક મર્યાદા છેલ્લા એક દાયકામાં રૂ. 27 હજારથી વધારી રૂ. 1.50 લાખ કરવામાં આવી ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂ. 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં; સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025-26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે રૂ. 1,617 લાખના…

Read More

લોન માંડવાળ કરી છે તેમ છતાં લોન લેનાર તેની જવાબદારીમાંથી છટકી શકતો નથી: સરકાર.જાહેર સાહસોની બેંકોએ છેલ્લાં ૫.૫ મહિનાના સમયગાળા દરમ્યાન રૂ.૬.૧૫ લાખ કરોડની લોન માંડી વાળી છે એવી સંસદને સોમવારે માહિતી આપવામાં આવી હતી. રિઝઝર્વ બેંક ઓફ ઇન્ડ્યા દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર જાહેર સાહસોની જુદી જુદી બેંકોએ છેલ્લાં પાંચ વર્ષમાં અને ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રૂ.૬,૧૫,૬૪૭ કરોડની લોન માંડવાળ કરી હતી એમ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને આપેલાં એક લેખિત જવાબમાં કહ્યું હતું.નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩થી આજદિન સુધીમાં સરકારે બેંકોને કોઇ ભંડોળ પૂરું પાડ્યું નથી એમ કહેતા ચૌધરીએ ઉમેર્યું હતું કે જાહેર સાહસની તમામ બેંકોએ…

Read More

હૈદરાબાદના રસ્તાઓને રતન ટાટા, ગૂગલ અને માઈક્રોસોફ્ટનાં નામ અપાશ.તેલંગાણા સરકારે સૌપ્રથમ પ્રમુખ ઉદ્યોગપતિ અને પદ્મભૂષણથી સન્માનિત રતન ટાટાને સન્માન આપવાની પહેલ કરી છે.તેલંગાણાના હૈદારબાદને ગ્લોબલ સિટી તરીકે વિકસિત કરવા માટે રાજ્યની સરકારે એક અનોખી પહેલ શરુ કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ જાહેરાત કરી છે કે શહેરના કેટલાક મોટા અને મુખ્ય રસ્તાઓના નામ આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત હસ્તીઓ અને વિશ્વની મોટી કંપનીઓના નામ પર રાખવામાં આવશે. આ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓના નામ – રતન ટાટા રોડ, ગૂગલ સ્ટ્રીટ, માઈક્રોસોફ્ટ રોડ અને વિપ્રો જંક્શન વગેરે રાખવામાં આવશે. આ નવતર પહેલનો હેતુ હૈદરાબાદને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપવાનો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને…

Read More

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ ૫૬૨ ફ્લાઇટ્સ રદ કરવી પડી.નવ હજારમાંથી ૪૫૦૦ બેગ પરત કરાઇ, ૫૬૯ કરોડનું રિફંડ મુસાફરોને અપાયું, પાંચ લાખથી વધુ ટિકિટના પીએનઆર રદ.ઇન્ડિગો એરલાઇન્સ કટોકટીની સ્થિતિમાંથી હજુ પણ બહાર નથી આવી શકી, ગત મંગળવારથી ફ્લાઇટો રદ કરવાનો સિલસિલો શરૂ થયો હતો જે હાલ પણ ચાલી રહ્યો છે. સોમવારે ઇન્ડિગોએ છ મેટ્રો એરપોર્ટ્સની વધુ ૫૬૨ ફ્લાઇટો રદ કરી દીધી હતી. જેમાં માત્ર બેંગલુરુની જ ૧૫૦ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ઇન્ડિગોની દૈનિક બે હજાર જેટલી ફ્લાઇટ્સમાંથી ૫૬૦ રદ કરવામાં આવતા ફરી અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. દેશના મોટા એરપોર્ટ્સ પર રેલવે કે બસ સ્ટેશન જેવા દ્રશ્યો જાેવા મળ્યા…

Read More

ટ્રમ્પની નવી નીતિમાં હિંદ-પ્રશાંત નવું યુદ્ધક્ષેત્ર: ભારત અમેરિકાનું ભાગીદાર.ચીનના લશ્કરી વિસ્તારવાદ અને આર્થિક પ્રભુત્વને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ ચુસ્ત રણનીતિમાં ંભારતની ભૂમિકાને નિર્ણાયક ગણાવતા કહેવાયું છે કે ભારત પ્રાદેશિક સંતુલનનો આધાર છે.અમેરિકાની નવી રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ (એનએસએસ)માં પહેલી જ વખત ભારતને હિંદ-પ્રશાંત સુરક્ષા માળખાના મહત્ત્વન ભાગીદાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ચીનના લશ્કરી વિસ્તારવાદ અને આર્થિક પ્રભુત્વને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ ચુસ્ત રણનીતિમાં ંભારતની ભૂમિકાને નિર્ણાયક ગણાવતા કહેવાયું છે કે ભારત પ્રાદેશિક સંતુલનનો આધાર છે.આ રણનીતિક દસ્તાવેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ભારતની સાથે વ્યાપારિક, ટેકનિકલ અને ઉદ્યોગલક્ષી સંબંધોને…

Read More

ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવા માપદંડની સ્થાપના કરી રહ્યું છે. રાજ્યના પ્રથમ “ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ” – શિવરાજપુરના સમગ્ર વિકાસ માટે TCGL દ્વારા કરવામાં આવેલા ₹130 કરોડના મહત્વાકાંક્ષી રોકાણે માત્ર દરિયાકાંઠા વિકાસને અનુપમ તેજ આપ્યું નથી, પરંતુ આ પ્રોજેક્ટ હવે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC), રાજકોટ-2026માં પ્રવાસન રોકાણ મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “દેખો અપના દેશ” અભિયાનને આગળ ધપાવતા શિવરાજપુર બીચનું આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબનું રૂપાંતર ગુજરાતનો ટકાઉ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળો પર્યટન અનુભવ પૂરો પાડવાનો અડગ સંકલ્પ દર્શાવે છે. હવે ભારતીય…

Read More

અભિનેત્રીના યૌન શોષણ કેસમાં સાઉથનો સ્ટાર દિલીપ નિર્દોષ જાહેર.વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી.૨૦૧૭ના દુષ્કર્મ કેસ મામલે કેરળની કોર્ટે મલાયલમ એક્ટર દિલીપને નિર્દાેષ જાહેર કર્યાે છે. આ કેસની ચાર્જશીટમાં કુલ ૧૦ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન એક્ટર દિલીપ સહિત ૪ આરોપીને નિર્દાેષ જ્યારે ૬ને દોષિત જાહેર કર્યા છે. આ ૬ આરોપીઓને આગામી ૧૨મી ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં દુષ્કર્મ કેસની ઘટનાના કારણે મલાયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. જ્યાં એક ગેંગ દ્વારા જાણીતી અભિનેત્રીને કિડનેપ કરી યૌન શોષણ કરાયું હતું. જે બાદ…

Read More

માત્ર ૭૨ જ કલાકમાં રૂ.૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ધુરંધર ફિલ્મ!.૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ એવી અપેક્ષા છે કે ક્રિસમસ ૨૦૨૫ સુધી આ ફિલ્મ થિયેટરોમાં મજબૂત પકડ જાળવી રાખશે.રણવીર સિંહ અને ડાયરેક્ટર આદિત્ય ધરની ધમાકેદાર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે! વીકએન્ડમાં ‘ધુરંધર’એ માત્ર જાેરદાર શરૂઆત જ નથી કરી, પરંતુ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની રેસમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.શરૂઆતી આંકડાઓ પ્રમાણે, ફિલ્મે રવિવારના દિવસે ૪૦ થી ૪૨ કરોડની વચ્ચે કમાણી કરીને હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ‘ધુરંધર’એ માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે.…

Read More

દર્શકોએ કહ્યું, ‘મૌન પ્રેમ જીતે છે’.રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રેખાનું સન્માન.આ ફેસ્ટિવલમાં પણ રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કની સાડીમાં જાેવા મળ્યાં હતાં. તેઓ આ ફિલ્મ અને તેને મળતો પ્રતિસાદ જાેઈને ખુશ થયાં હતા.રેખાની ક્લાસિક ફિલ્મ ઉમરાવજાન રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી, જ્યાં રેખા અને ફિલ્મના ડિરેક્ટર મુઝફ્ફર અલી હાજર રહ્યા હતા. આ ફેસ્ટિવલમાં પણ રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કની સાડીમાં જાેવા મળ્યાં હતાં. તેઓ આ ફિલ્મ અને તેને મળતો પ્રતિસાદ જાેઈને ખુશ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું, “હું બહુ બોલવામાં માનતી નથી. મને લાગે છે, ઉમરાવજાન સાથે પણ મારી આંખો જેટલું અનુભવતી હતી, તેનાથી મારા…

Read More