Author: Garvi Gujarat

મધ્યસ્થ તરીકે મેં મંજૂરી આપી: શહબાઝ શરીફ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ શ્રેય લેવા કૂદી પડ્યું પાકિસ્તાન! ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલી દેશે અને અમેરિકા પણ તેની દરિયાઈ નાકાબંધી હટાવશે : શરીફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. હવે આ શાંતિ કરાર બાદ પાકિસ્તાન પણ મધ્યસ્થતાનો શ્રેય લેવા માટે કૂદી પડ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે સમજૂતી પર ડિજિટલ હસ્તાક્ષર થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, મને આ જાહેરાત કરતાં ગર્વ થઈ…

Read More

રોહિત પવારે કર્યો મોટો દાવો શિવસેના UBT દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે શિવસેના (UBT)માં બળવો કરનારા સાંસદોને લઈ રોહિત પવારે મોટો ખુલાસો કર્યો છે. એનસીપીના રોહિત પવારે ગુરુવારે દાવો કર્યો કે યૂબીટીના દરેક સાંસદને ૧૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા છે, જેમાંથી ૮૫ કરોડ રોકડા અને ફંડથી ૨૫ કરોડ આપવાના છે. તેમણે કહ્યું કે, ભાજપનો ઉદ્દેશ્ય પરિસીમન બિલ લાવવાનો છે અને તેના કારણે તમામ સાંસદોને ખરીદવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન ટાઈગર નહીં પણ આ ઓપરેશન બજાર છે. રોહિત પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભાજપ બે…

Read More

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલતા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે રાજકીય મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલો આંતરિક બળવો હવે કાનૂની વિવાદમાં ફેરવાયો છે. ૧૮ જૂનના રોજ કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને લઈને ચાલી રહેલા વિવાદ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિધાનસભા સ્પીકરના ર્નિણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, જેનો અર્થ એ છે કે બળવાખોર ધારાસભ્ય વિપક્ષના નેતા પદે યથાવત્ રહેશે. રિપોર્ટ્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા…

Read More

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા ૬ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સજાર્ી છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો છે.…

Read More

મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાનો અટકચાળો ભારતના નક્શા સાથે અમેરિકાની છેડછાડ,પીઓકેને પાક.નું ગણાવ્યું યુએસ ‘ઇન્ડો પેસિફિક’ કમાન્ડ નામમાંથી અમેરિકાએ ‘ઇન્ડો’ શબ્દની બાદબાકી કરી નાખી હોર્મુઝ ખાડીએ ત્રણ ભારતીયોની હત્યા કરનારા અમેરિકાએ વધુ એક ભારત વિરોધી પગલુ ભર્યું છે. અમેરિકાએ ભારતના નક્શા સાથે છેડછાડ કરી છે. યુએસ-ઇન્ડો પેસિફિકે એક ખોટા નક્શાનો ઉપયોગ કર્યાે છે, આ નક્શામાં પુરા જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો નથી ગણાવ્યો, ચાલાકી કરીને અમેરિકાએ પીઓકેને પાકિસ્તાની વિસ્તાર ગણાવ્યો છે. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. અમેરિકાએ પોતાના યુ.એસ. ઇન્ડો પેસિફિક કમાન્ડ’ નું નામ ફરીથી બદલી તેમાંથી ઇન્ડો શબ્દ દૂર કરી માત્ર યુ.એસ. પેસિફિક કમાન્ડ’ રાખ્યું છે. આ રીતે ૮ વર્ષ…

Read More

MoU પર રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અને પેઝેશ્કિયાને કરી સહી યુદ્ધનો અંત! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી…

Read More

“મારા માટે ‘તુલો’ માત્ર એક વ્યવસાયિક પ્રોજેક્ટ નથી પંકજ ત્રિપાઠીએ હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા ‘તુલો’ વેન્ચર શરૂ કર્યું મધ્ય પ્રદેશના ચંદેરીમાં શૂટિંગ દરમિયાન લગભગ દરેક ઘરમાં મહિલાઓને હાથસાળ પર સાડીઓ અને કાપડ વણતાં જાેયાં હતાં : પંકજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા એક્ટર પંકજ ત્રિપાઠીએ ભારતીય હેન્ડલૂમ પરંપરા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ શરૂ કરી છે. તેમણે‘તુલો’ નામનાં હેન્ડલૂમ વેન્ચરની જાહેરાત કરી છે, જેનો હેતુ દેશની સમૃદ્ધ વણાટ પરંપરાને જાળવી રાખવાનો અને કારીગરોને વધુ તકો ઉપલબ્ધ કરાવવાનો છે.‘તુલો’ નામ બંગાળી ભાષાના હેન્ડલૂમ કોટન માટે વપરાતા શબ્દ પરથી લેવામાં આવ્યું છે. આ વેન્ચર પંકજ ત્રિપાઠીએ તેમના લાંબા સમયના સ્ટાઇલિસ્ટ વિનીત ચૌહાણ…

Read More

દરરોજ કશુંક નવું હોય છે : દીપિકા પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના પેરેન્ટિંગનાં વખાણ કર્યાં તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા દીપકા પાદુકોણ અને રણવીર સિંહ જાણે દીકરીના ઉછેરમાં નિષ્ણાત બની ગયા છે. તેમનાં વ્યસ્ત અને થાકી જવાય એવા ફિલ્મોનાં શીડ્યુલ છતાં તેઓ દિકરની પુરતો સમય આપે છે. તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા. સાથે તેમણે નાના બનવાના આનંદ વિશે પણ વાત કરી હતી. પ્રકાશ પાદુકોણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “દીપિકા બિલકુલ ઘણું કરે છે પરંતુ રણવીર જ્યારે કામ પર ન હોય…

Read More

ટ્રેલરમાં રિતિક રોશનના કેમિયોની પણ એક ઝલક મળી ‘આલ્ફા’નાં ટ્રેલરમાં આલિયા ભટ્ટ અને શર્વરીની ‘ડેડલી ગર્લ્સ’ તરીકે ઝલક મળી બોબી દેઓલનું પાત્ર ‘આલ્ફા’ નામના એક રહસ્યમય પ્રોગ્રામ સાથે જાેડાયેલું જાેવા મળે છે અને તે ભારત વિરુદ્ધ જતું હોવાના સંકેતો મળે છે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ સ્પાય આધારીત ફિલ્મ ‘આલ્ફા’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ અને શર્વરીની આ એક્શન થ્રિલર ફિલ્મનું ટ્રેલર લોંચ થયું છે, તેની ભવ્યતા, રહસ્ય અને હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રેલરમાં રિતિક રોશનના લોકપ્રિય સ્પાય કેરેક્ટર ‘કબીર’ના ખાસ કેમિયોની પણ હવે ખાતરી થઈ…

Read More

આજે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા તથા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાનાર આગેવાનોમાં પ્રકાશભાઈ વસાવા (પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ ન્યાય સમિતી અધ્યક્ષ, કોંગ્રેસ નર્મદા), રાકેશભાઈ પટેલ (ધાનપુર તાલુકા મહામંત્રી, કોંગ્રેસ), જિગ્નેશભાઈ વસાવા (નાંદોદ તાલુકા મંત્રી), તેમજ સુરસિંહભાઈ વસાવા ( મહામંત્રી) સહિત અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જોડાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીની જનહિતની નીતિઓ, પારદર્શક શાસન અને જનસેવાના કાર્યોને પ્રેરણા માની પક્ષમાં જોડાયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લોકોના…

Read More