Author: garvigujrat

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત. ભારતમાં હવે નવા ઓનલાઈન આંદોલનની જાણે કે શરૂઆત થઈ રહી હોય એમ CJP આંદોલન પછી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વિરોધ જેનું સીધું નિશાન છે પરિવહન મંત્રી નિતિન ગડકરી. “કોકરોચ જનતા પાર્ટી” ના નેતૃત્વમાં મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી “E20 જનતા પાર્ટી” (EJP) નામનું એક નવું ઓનલાઈન આંદોલન આકાર લેવાનું શરૂ થયું. એમાં ઇથેનોલ મિશ્રિત ઈંધણ અને દેશની ખરાબ રસ્તાની સ્થિતિને લઈને કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીને હટાવવાની અને રાષ્ટ્રીય ઈંધણ નીતિમાં પારદર્શિતાની માંગણી કરી છે. એકસ(x) પરની એક પોસ્ટમાં , સંગઠને જણાવ્યુ…

Read More

(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત. દેશ ભરમાં સતત થઈ રહેલા ગટર અને સેપ્ટિકટેન્કની સફાઈ દરમ્યાન થતાં સફાઈ કર્મચારીઓના મોત અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ના મુખ્ય સચિવોને શો- કોઝ નોટિસો પાઠવી છે. અને પૂછ્યું છે કે, આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓમોટો અદાલતી અવમાનના (કન્ટેમ્પ ઓફ કોર્ટ) ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે? સુપ્રીમ કોર્ટે ડો.બલરામસિંહ ધ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો. ઓકટોબર ૨૦૨૩માં…

Read More

ફેન્સને આપેલા નિવેદન બાદ ચર્ચા વિજય થલપતિ બાદ વધુ એક સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી? દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષની રાજકારણમાં એન્ટ્રીને લઈને અટકળો ફરી એકવાર તેજ થઈ તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષની રાજકારણમાં એન્ટ્રીને લઈને અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. રવિવારે તેમના ફેન્સ ક્લબ દ્વારા આયોજિત એક ભવ્ય રક્તદાન શિબિરમાં ધનુષ દ્વારા આપવામાં આવેલા ભાષણે આ ચર્ચાઓને જાેરશોરથી હવા આપી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધનુષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની ભીડ માત્ર ફિલ્મોની ઉજવણી માટે ભેગી ન થવી જાેઈએ, પરંતુ આ એકતાનો ઉપયોગ સમાજ સેવાના કાર્યાે માટે પણ થવો જાેઈએ.કાર્યક્રમ દરમિયાન…

Read More

૨૦૨૪માં આવેલી ‘મેરી ક્રિસમસ’ બાદ કેટરિના કૈફ મોટા પડદાથી દૂર ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જાેવા નહીં મળે અગાઉ દીપિકા પાદુકોણે ફિલ્મમાંથી બહાર નીકળી હોવાના અહેવાલોએ પણ ભારે ચર્ચા જગાવી હતી કેટરિના કૈફના આગામી ફિલ્મી પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે કેટરિના સંદીપ રેડ્ડી વાંગાની એક્શન ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસની સાથે જાેવા મળશે. તેમાં એવું પણ કહેવાયું હતું કે ફિલ્મની વાર્તાને આગળ વધારે એવા મહત્વના કેમિયો માટે કેટરિનાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાયું હતું. જાેકે, હવે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સુત્રોએ આ તમામ દાવાઓને બિલકુલ ખોટા અને…

Read More

શૂટિંગ પૂરું થતાં કલાકારો અને ક્રૂમાં ખુશીનો માહોલ કાર્તિકે ‘નાગઝિલા’નું શૂટિંગ પૂરું કર્યું, ટીમે કેક કાપીને ઉજવણી કરી કરણ જાેહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘નાગઝિલા’ આગામી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે કાર્તિક આર્યનની કરણ જાેહરના ધર્મા પ્રોડક્શન્સ સાથેની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ફિલ્મનાં શૂટિંગનાં છેલ્લા દિવસની ઉજવણી ટીમે ખાસ કેક કાપીને કરી હતી. શૂટિંગ પૂરું થતાં કલાકારો અને ક્રૂમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અગાઉ પૂરું થઈ ચૂક્યું હતું, જ્યારે છેલ્લા દિવસનું શૂટિંગ રવિવાર, ૨૬ જુલાઈએ મુંબઈમાં થયું હતું. આ અંતિમ શૂટિંગમાં અભિનેતા…

Read More

જાેની ડેપનું કમબૅક : ‘એબેનેઝર સાન ડિએગો કોમિક-કોનમાં જાેની ડેપે ચાહકોને સરપ્રાઇઝ આપી ૨૦૧૮ની ‘ફેન્ટાસ્ટિક બીસ્ટ્સ: ધ ક્રાઇમ્સ ઓફ ગ્રિન્ડેલવાલ્ડ’ બાદ આ તેમની પ્રથમ મોટી સ્ટુડિયો રિલીઝ હોલિવૂડના લોકપ્રિય અભિનેતા જાેની ડેપ લાંબા સમય બાદ એક મોટા સ્ટુડિયો પ્રોજેક્ટ સાથે પરત ફરી રહ્યા છે. તે હવે ચાર્લ્સ ડિકન્સની અમર કૃતિ પર આધારિત ફિલ્મ ‘એબેનેઝર: અ ક્રિસમસ કેરોલ’માં એબેનેઝર સ્ક્રૂજના પાત્રમાં જાેવા મળશે. ફિલ્મનું પ્રથમ સત્તાવાર ટ્રેલર અને પોસ્ટર સાન ડિએગો કોમિક-કોન દરમિયાન લોંચ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જાેની ડેપે ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપવા માટે સ્ક્રૂજના સંપૂર્ણ મેકઅપ અને પ્રોસ્ટેટિક્સ સાથે લાઇવ હાજરી આપી હતી. તે પહેલાં તેઓ સાન ડિએગોના ગેસલેમ્પ…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને દેશ અને ગુજરાતના લાખો યુવાનોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું અને ભાજપ સરકારે ભવિષ્યમાં સિસ્ટમ સુધારવા તથા કડક કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. હજુ તો આ વાત લોકોના મગજમાંથી નીકળી નથી, ત્યાં જ ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થઈ ગયું છે. આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું અને તેના પ્રશ્નો પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા. સમગ્ર દેશમાં જો કોઈ રાજ્યમાં સૌથી વધુ પેપર ફૂટવાની ઘટનાઓ…

Read More

દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઈ ચાનુનો ખુલાસો વજન જાળવી રાખવા ૨ દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કર્યો ખૂબ જ કડક ડાયટ અને ભૂખ્યા રહીને વજન કંટ્રોલમાં રાખવું એ આ રમતનો એક અત્યંત કઠિન હિસ્સો છે ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શાનદાર પ્રદર્શન કરીને દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મહિલાઓની ૪૮ કિલોગ્રામ કેટેગરીમાં ઐતિહાસિક ગોલ્ડ જીતીને મીરાબાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક પણ પૂર્ણ કરી છે. જાેકે, આ ઐતિહાસિક જીત બાદ પોડિયમ પર જ્યારે ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે મીરાબાઈ પોતાની આંખોમાંથી વહેતા ખુશીના આંસુ રોકી શકી નહોતી. મેચ પૂરી થયા બાદ પત્રકારો સાથે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર ફરી એકવાર લીક થઈ ગયું છે. ગુજરાતમાં આ પહેલી ઘટના નથી; આની પહેલા પણ અલગ-અલગ વિભાગોમાં ૩૪ કરતાં વધુ પેપરો લીક થઈ ચૂક્યા છે. આ પેપર લીક કૌભાંડોના કારણે ગુજરાતના અનેક નિર્દોષ યુવાનો અને વિદ્યાર્થીઓએ હતાશ થઈને આત્મહત્યા કરી છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતની ભાજપ સરકારે કૌભાંડ આચરનારા એક પણ મુખ્ય અપરાધી કે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં જ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને નીટ (NEET) પેપર લીક મામલે…

Read More

અમદાવાદમાં પડેલા વરસાદના કારણે લોકોને જે લાખો અને કરોડોનું નુકસાન થયું છે, તે મુદ્દે હવે લોકોને વળતર ચૂકવવામાં આવે, એ માંગ સાથે આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદના મેયર સમક્ષ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ સહિત આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ દીક્ષિત, દીપક દેસાઈ, જમનાબેન વેગડા, જતીન પટેલ, જુબેરભાઈ, મુકેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નારીબાજી કરીને અમદાવાદના લોકોને વળતર ચૂકવીને ન્યાય આપવામાં આવે તેની માંગણી કરી હતી અને ત્યારબાદ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ…

Read More