Author: garvigujrat

રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ કેશરાની વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાએ ૩૫૦ વિકેટ પૂરી કરી રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ સુધી પહોંચનાર ભારતનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં જાડેજાને પહેલી ઇનિંગમાં ૩ સફળતા મળી હતી. તેની સાથે જ તેણે પોતાના કરિયરમાં મોટી સિદ્ધિ મેળવી છે. ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડરે દિવસના ત્રીજા સેશનમાં કેશરા નવાનથાને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. આ વિકેટ સાથે જ તેણે ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે ભારતીય ટીમ માટે એવું કામ કરી…

Read More

ઘણા શ્રદ્ધાળુઓ બેરિકેડ પર પડ્યા ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ મંદિર સંકુલની નજીક હરસિદ્ધિ મંદિરની સામે બેરિકેડેડ વિસ્તારમાં ભીડનું દબાણ વધી ગયું, જેના કારણે ભાગદોડ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે, મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે પણ મોટી ભીડ એકઠી થઈ હતી, જે વર્ષમાં ફક્ત એક જ વાર ખુલે છે. આ દરમિયાન, મંદિર સંકુલની નજીક હરસિદ્ધિ મંદિરની સામે બેરિકેડેડ વિસ્તારમાં અચાનક ભીડનું દબાણ વધી ગયું, જેના કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ. મંદિર વ્યવસ્થાપન સમિતિએ કેટલાક મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંદિરમાં અરાજકતા અને અવ્યવસ્થા અંગેના અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે. ભીડના…

Read More

આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અને સુરત મનપા પૂર્વ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા અને પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તથા વર્તમાન કોર્પોરેટર રચના હીરપરાએ કામરેજ તાલુકાના દિગસ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પાયલ સાકરીયાએ શાળાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આવેલી આ સરકારી શાળામાં ધોરણ 1થી 5 સુધીના બાળકો માટે માત્ર બે ઓરડાઓ છે. શાળાની આસપાસ ગંદકી, પીવાના પાણીની ટાંકીની ખરાબ સ્થિતિ તેમજ શૌચાલય અને બાથરૂમની અસ્વચ્છતા જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. બાળકોને અભ્યાસ માટે જરૂરી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગઈકાલે ઝડપાયેલા ₹22 લાખના દારૂ અને બાકીના મુદ્દામાલ સહિત કુલ ₹32 લાખના મુદ્દામાલના કેસમાં ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે મોસ્ટ વોન્ટેડ બૂટલેગર દિનેશ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છે, જ્યારે તેમની પુત્રી રસ્મિતા વસાવા નર્મદા જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય છે અને અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2016માં પણ દિનેશ વસાવાના ઘરે આમલેથા પોલીસ સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. તેમ છતાં તેમની સામે કડક કાર્યવાહી…

Read More

યુક્રેનનો સૌથી મોટો હુમલો રશિયાએ વળતા પ્રહારમાં ભારતીય અબજાેપતિની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી રશિયન મિસાઈલ હુમલામાં ક્રિવી રિહ શહેરમાં ૨ લોકોના મોત થયા છે અને ૧૪ લોકો ઘાયલ થયા છે ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને રવિવારે આ સંઘર્ષે વધુ હિંસક વળાંક લીધો છે. યુક્રેને રશિયાના વિવિધ વિસ્તારો પર સદીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યાે હતો, જેના જવાબમાં રશિયાએ પણ યુક્રેનિયન વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. રશિયાના આ જવાબી મિસાઈલ હુમલામાં ભારતીય અબજાેપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપ સાથે જાેડાયેલી ફેક્ટરીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેનું કામકાજ આંશિક રીતે રોકી દેવામાં…

Read More

૭ શ્રદ્ધાળુના કરૂણ મોત, ૮ થી વધુ ઘાયલ બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ સોમવારે સવારે મંદિરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરૂણ અકસ્માતમાં ૭ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ૮ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલ્વે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય…

Read More

પરિવારે એક મહિના બાદ કર્યાે ખુલાસો ૩૫ વર્ષની અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું નિધન પોસ્ટમાં નિવેદનની સાથે સાથે પરિવાર તરફથી અનન્યાના અંતિમ સંસ્કારની પણ એક તસવીર શેર કરવામાં આવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અનન્યા રાજનું ૩૫ વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી તેમના પરિવારે તેમના જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગભગ એક મહિના પછી આપી છે. પરિવારના જણાવ્યા અનુસાર અનન્યાનું નિધન ૧૫ જુલાઈએ થયું હતું. પરિવારનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. અનન્યાએ ‘૭ અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’ અને ‘ઘોસ્ટ’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેમને લગભગ પોણા ત્રણ લાખ…

Read More

૨૦૧૨માં ‘જન્નત ટુ’ રજૂ થઈ હતી ‘આવારાપન-ટુ’ની સફળતાને પગલે જન્નત થ્રીની તૈયારી શરૂ નિર્માતાએ ‘આવારાપન ટુ’નો બચાવ કરતા કહ્યું કે તેમણે માત્ર પૈસા કમાવવા આ ફિલ્મ નહોતી બનાવી ઈમરાન હાશમીની ‘આવારાપન ટુ’ બોક્સ ઓફિસ ખાતે ભારે સફળ થતા નિર્માતા વિશેષ ભટ્ટે ‘જન્નત ૩’ પર કામ શરૂ કરી દીધુ છે. આ ત્રીજાે ભાગ સફળ જન્નત ળેન્ચાઈસીમાં ઈમરાન હાશ્મીની અગાઉની ફિલ્મોને આગળ વધારશે જેની પટકથા હજી તૈયાર થઈ રહી છે. વિશેષ ભટ્ટે માહિતી આપી કે ‘આવારાપન ટુ’ પછી ‘જન્નત ૩’ તેનો આગામી પ્રોજેક્ટ રહેશે. તેમણે સ્ક્રિપ્ટ પર કામ ચાલુ હોવાનું જણાવ્યું છે, જાે કે તેને હજી ફાઈનલ નથી કરવામાં આવી. આ ળેન્ચાઈસી…

Read More

ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ રિલીઝ થયું હતું “ફોન પર ટ્રેલર જાેઈને ટીકા કરવી હાસ્યાસ્પદ છે” : રણબીર કપૂર રણબીર કપૂરે ફિલ્મના વીએફએક્સ અંગે થઈ રહેલી ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ રિલીઝ થયા બાદ તેના વિઝ્યુઅલ્સ અને વીએફએક્સને લઈને ચર્ચા શરૂ થઈ હતી. ફિલ્મનાં વિશાળ સ્કેલના કેટલાક દર્શકોએ વખાણ કર્યા હતા, જ્યારે કેટલાકે સીજીઆઈની ટીકા કરી હતી. હવે રણબીર કપૂરે ફિલ્મના વીએફએક્સ અંગે થઈ રહેલી ટીકાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.એક ઇન્ટરવ્યુમાં રણબીરે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષાેમાં દર્શકોમાં સીજીઆઈની ગુણવત્તા અંગે જાગૃતિ વધી છે, ખાસ કરીને એઆઈના વધતા ઉપયોગને કારણે. તેણે કહ્યું,…

Read More

૩૦ જુલાઈએ ફિલ્મનું રિલીઝ કરાયું હતું ‘રામાયણ’ ફિલ્મમાં ચેતન હંસરાજ ૭ પાત્રો ભજવશે અમારી પાસે હોલિવૂડ અને બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર્સ અને ટેન્કિશિયન્સ છે, જેમાં ટેરી નોટરી જેવા લોકો પણ સામેલ છે ૩૦ જુલાઈએ રિલીઝ થયેલું ‘રામાયણ’નું ટ્રેલર લગભગ બે અઠવાડિયા બાદ પણ ચર્ચામાં છે. ફિલ્મમાં વિશાળ સ્ટારકાસ્ટ છે, પરંતુ અભિનેતા ચેતન હંસરાજનું યોગદાન ખાસ રસપ્રદ બનવાનું છે. ચેતન ફિલ્મમાં એક-બે નહીં, પરંતુ કુલ ૭ અલગ-અલગ પાત્રો ભજવતો જાેવા મળશે.એક ઇન્ટરવ્યુમાં ૫૪ વર્ષના ચેતન હંસરાજે જણાવ્યું કે ફિલ્મમાં તે રાજા માલીની ભૂમિકા ભજવી રહ્યો છે, જે રાવણ એટલે કે યશના નાના છે. ચેતને કહ્યું, “રાજા માલી એક મહત્વનું પાત્ર છે,…

Read More