- રાહુલ ગાંધીએ Gen-Z સ્ટાઈલમાં ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી, કહ્યું- હું હજુ પણ દરરોજ શીખું છું
- બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, આકિબ નબી અને યશ ઠાકુર રેસમાં આગળ
- રાજ ઠાકરેનો સવાલ: મોદી દેશનો વિકાસ કરી રહ્યા હોય તો વિવેક ઓબેરોય અને આર. માધવન દુબઈમાં કેમ રહે છે?
- ભારતની શ્રીલંકાને સહાય 7.5 બિલિયન ડોલર વટાવી, 25 પ્રાંતોમાં વિકાસ યોજનાઓને મળશે ગતિ
- 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ફ્રન્ટલ સંગઠનોને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો
- ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે તિરુમલા મંદિરે પહોંચ્યા હાર્દિક પંડ્યા, વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા
- નશા મુક્ત યુવા-વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ: વડાપ્રધાન મોદીએ 1 કરોડથી વધુ યુવાઓને સંકલ્પ લેવડાવ્યો
- શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા: વડનગરના સાંસ્કૃતિક વૈભવને વૈશ્વિક ઓળખ અપાવવાની અનોખી તક
Author: garvigujrat
એક્શન સિનેમાનો એક નવો અધ્યાય શરૂ ‘માયસા’ માટે રશ્મિકાએ અંડરવોટર એક્શન સીન કર્યા ભારતીય સિનેમાનો પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સીન કર્યાનો નિર્માતાઓનો દાવો રશ્મિકા મંદાનાએ પોતાની આગામી પેન-ઈન્ડિયા ફિલ્મ ‘માયસા’ માટે એક મહત્વનો અંડરવોટર એક્શન સીન પુરો કર્યાે છે. ફિલ્મના નિર્માતાઓનો દાવો છે કે આ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા-કેન્દ્રિત અંડરવોટર ફાઇટ સિક્વન્સ છે. આ ફિલ્મમાં રશ્મિકા પોતાની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી પડકારજનક એક્શન અવતારમાં જાેવા મળશે. રવિન્દ્ર પુલેના ડિરેક્શનમાં બની રહેલી અને ફોર્મ્યુલા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ‘માયસા’ આદિવાસી પ્રદેશોની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ઇમોશનલ એક્શન થ્રિલર છે. ફિલ્મમાં રશ્મિકાનો એક્શન અવતાર પહેલેથી જ ચર્ચામાં છે અને હવે આ અંડરવોટર સિક્વન્સથી…
ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો ‘ધમાલ ૪’માં સતીશ કૌશિકની સરપ્રાઇઝે દર્શકોને ભાવુક કર્યા સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે અજય દેવગન, અર્શદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની નવી ફિલ્મ ‘ધમાલ ૪’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆતથી જ નિર્માતાઓએ દર્શકોને એક ખાસ સરપ્રાઇઝ આપ્યું છે. સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિકનું લોકપ્રિય પાત્ર ‘બટા ભાઈ’ સીજીઆઈ અને એઆઈ ટેન્કોલોજીની મદદથી ફરી જીવંત બનાવવામાં આવ્યું છે. ‘ડબલ ધમાલ’માં આ પાત્રે દર્શકોને ખૂબ હસાવ્યાં હતાં અને હવે ફિલ્મની શરૂઆતમાં એનિમેટેડ સીક્વન્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ માટે…
ફિલ્મનું નવું મોશન પોસ્ટર લોંચ કરવામાં આવ્યું સિદ્ધાર્થ મલ્હોત્રા-તમન્ના ભાટિયાની ‘ધ વિવાન’ હવે ૨૫ સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મમાં ભારતીય વાર્તાકથનની પરંપરાથી પ્રેરિત સંપૂર્ણપણે નવી સિનેમેટિક દુનિયા રજૂ કરાશે લોકકથા આધારિત ફેન્ટસી ફિલ્મ ‘ધ વિવાન’ના નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે તેનું નવું મોશન પોસ્ટર પણ લોંચ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ હવે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.ફિલ્મનું નવું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં ઉપરથી લેવામાં આવેલા દૃશ્યમાં એક યોદ્ધા જેવા દેખાતા પાત્રને એક બળદ અને વાઘની વચ્ચે ઊભેલું દર્શાવવામાં આવ્યું છે. પ્રતીકાત્મક બાબતોથી ભરપૂર આ પોસ્ટર ફિલ્મની…
કોર્ટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો કર્યો ઉલ્લેખ નાસિક ધર્મ પરિવર્તન કેસ: ગર્ભવતી આરોપી નિદા ખાનને જામીન મળ્યા કોર્ટે નવા બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ માનવીય આધારે જામીન આપવાનો ર્નિણય લીધો છે મહારાષ્ટ્રના નાસિકથી સામે આવેલા TCS ધર્માંતરણ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આ કેસમાં આરોપી નિદા ખાન, જે પાંચ મહિનાની ગર્ભવતી છે, તેને આ અઠવાડિયે જામીન મળી ગયા છે. જામીન આપતી વખતે કોર્ટે ખૂબ જ સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવ્યો હતો. સ્પેશિયલ ન્યાયાધીશ કે. જી. જાેશીએ પોતાના આદેશમાં કહ્યું કે, જેલમાં બાળકનો જન્મ થવો એ કોઈપણ મહિલા અને બાળક માટે અત્યંત મુશ્કેલ અને ટ્રોમેટિક અનુભવ હોય છે. કોર્ટે આ સ્થિતિની…
કેપ્ટન શ્રેયસ અય્યરની વન-મેન આર્મી જેવી લડત ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડે ૯ વિકેટે કચડીને સિરીઝ પર કર્યાે કબજાે ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ભારતીય બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટી૨૦ મેચમાં પણ ભારતીય ટીમનો શરમજનક પરાજય થયો છે. બ્રિસ્ટલ ખાતે રમાયેલા આ મુકાબલામાં ઇંગ્લેન્ડે ભારતને ૯ વિકેટે હરાવીને ૫ મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે. સિરીઝ જીતવાની કે ડ્રો કરવાની આશા સાથે મેદાન પર ઉતરેલી ભારતીય ટીમ ટોપ ઓર્ડરની નિષ્ફળતા અને નબળી બોલિંગને કારણે મેચ ગુમાવી બેઠી હતી. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બાકીની ત્રણેય…
ભારતમાં ‘સાયલન્ટ લેઓફ્સ’નો ટ્રેન્ડ AI ની વિશ્વના ટેક સેક્ટર પર અસર, ૨૦૨૬માં ૧,૨૦,૦૦૦ની છટણી નિષ્ણાતોના મતે, આઈટી સેક્ટરમાં ટકી રહેવા કર્મચારીઓ માટે નવી ટેકનોલોજી શીખવી, એઆઈ સ્કીલ ડેવલપ કરવી અને સતત અપસ્કિલિંગ પર ભાર મૂકવો પડશે એઆઈના વધતા ઉપયોગની અસર હવે વિશ્વભરના ટેક સેક્ટરમાં જાેવા મળી રહી છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં વિશ્વના ટેક સેક્ટરમાં ૧.૨૦ લાખથી વધુ ટેક સેક્ટરના કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે. હવે, તેની સીધી અસર ભારત પર જાેવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે ટેક સેક્ટરમાં ૩૫ હજાર જેટલી નોકરીઓ ઘટી શકે છે.આ વખતે થતી છટણીઓ અગાઉના વર્ષાેની જેમ માત્ર ખર્ચ ઘટાડવા…
મેલબોર્નથી પીએમ મોદીની મોટી જાહેરાત ભારતના ચેન્નાઇમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ સ્પોર્ટ્સ સાયન્સ, ટેન્કોલોજી રિસર્ચ અને ઈન્ડસ્ટ્રી ઈન્વેસ્ટમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમતગમતના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી૨૦ ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગની આગામી ૨૦૨૬-૨૭ સીઝનની શરૂઆત ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે.આ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈના ઘાટકોપર-વેસ્ટ માં રિક્ષામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવી હતી. પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટના આત્મહત્યા હોવાનું પોલીસનું માનવું છે. પોલીસના જણાવ્યા અનુસાર મરનારનું નામ અદનાન વલીઅપ્પા છે. અને તેની ઊંમર ૩૫ વર્ષની છે. પ્રાથમિક દ્રષ્ટિએ અદનાને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. જોકે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને શું ખરેખર આત્મહત્યાનો જ કેસ છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અદનાન છેલ્લા ઘણા સમયથી પોતાના કુટુંબથી જુદો રહેતો હતો અને દારૂનો બંધાણી બની ગયો હતો. આ પહેલા પણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં ધારાસભ્યથી લઈને ગુજરાતના ગૃહમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તાના સિંહાસને બિરાજમાન થનારા હર્ષ સંઘવી જ્યારે સુરતના જ હોય અને એ સુરતમાં ૨૦ વર્ષો ઉપરાંત થી ખાડીની સમસ્યાઓનું નિરાકરણ ના આવે ત્યારે હવે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ પરિસ્થિતી હોય ત્યારે આગામી દિવસોમાં સુરતની શું હાલત થશે એ કહેવું મુશ્કેલ છે. સુરતની વિવિધ વિસ્તારોની આ ખાડીઓમા વર્ષો વર્ષ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ખાડીની આજુબાજુના શ્રમ વિસ્તારો અને નાના મોટા ધંધા કરનારા શ્રમિકોને ભારે હાલાકી અને નુકસાન ભોગવવા પડતા હોવા છતાં ગુજરાત સરકાર કે એમના આ બોલકા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ…
બોઈંગ ૭૩૭ કાર્ગાે વિમાન શારજાહથી કરાચી જતું હતું પાકિસ્તાનનું કાર્ગાે વિમાન અરબી સમુદ્રમાં તૂટી પડયું, કાટમાળ મળ્યો ટેક ઓફની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટયો, પાયલટે ‘રોલિંગ ઓર ફ્લોટિંગ’ની એલર્ટ આપી હતી : મિસિંગ પાંચ ક્રુની શોધખોળ શરૂ પાકિસ્તાનની કે-૨ એરવેઝનું કાર્ગાે વિમાન શારજાહથી કરાચી આવતું હતું ત્યારે અરબ સાગરમાં તૂટી પડયું હતું. કરાચીથી ૩૦૦ કિલોમીટર દૂર વિમાન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. પાયલટ સહિત પાંચ ક્રૂ મેમ્બર્સની ભાળ મળી નથી, પરંતુ વિમાનનો કાટમાળ બલૂચિસ્તાનથી ૯૮ કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. પાયલટે વિમાન તૂટી પડયું તે પહેલાં નેવિગેશન સિસ્ટમમાં ખરાબીની જાણકારી આપી હતી અને છેલ્લે રોલિંગ ઓર ફ્લોટિંગનો એલર્ટ આપ્યો હતો.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



