Author: Garvi Gujarat

મેઘાલયમાં કોન્સર્ટ દરમિયાન હરકત.સ્ટેજ પર ધસી ગયેલા ચાહક દ્વારા કનિકાને ઊંચકવા પ્રયાસ.કનિકાએ આ હરકતથી ભારે આંચકો અનુભવ્યો હતો. તેણે આ ચાહકથી પોતાનો પીછો છોડાવ્યો હતો. મેઘાલયમાં કોન્સર્ટ દરમિયાન એક ચાહકે સ્ટેજ પર ધસી જઈ સિંગર કનિકા કપૂરને ઉંચકી લેવા પ્રયાસ કર્યાે હતો. કનિકાએ આ હરકતથી ભારે આંચકો અનુભવ્યો હતો. તેણે આ ચાહકથી પોતાનો પીછો છોડાવ્યો હતો. જાેકે, તેણે ડર્યા વિના ગાવાનું પણ ચાલુ રાખ્યું હતું. આ બનાવના વાયરલ થયેલા વીડિયોમાં જાેવા મળે છે કે, કનિકા સ્ટેજ પરથી પરફોર્મ કરી રહી હતી તેવામાં એક અજાણ્યો વ્યક્તિ સ્ટેજ પર ચડી ગયો હતો અને તેણે કનિકાને પકડી લેવા પ્રયાસ કર્યાે હતો. પરિણામે ગાયિકા…

Read More

યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર.ન્યૂયોર્ક ટાઇમ્સના ૬૭ સૌથી સ્ટાઈલિશ લોકોમાં શાહરૂખ ખાન સામેલ.યાદીમાં મનોરંજન ઉપરાંત રમતગમત, રાજકારણ અને બિઝનેસ સહિત વિવિધ ક્ષેત્રોના દિગ્ગજાેનો સમાવેશ થાય છે.‘કિંગ ઓફ રોમાન્સ’ તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાન ૬૦ વર્ષની ઉંમરે પણ તેમની અદભૂત સ્ટાઇલ અને લુક્સથી ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. આ જ જાદુના કારણે હવે શાહરૂખ ખાનનું નામ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે જાહેર કરાયેલા ૬૭ સૌથી સ્ટાઈલિશ લોકોની યાદીમાં સામેલ થયું છે. આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનાર શાહરૂખ એકમાત્ર ભારતીય સ્ટાર છે.આ વર્ષની શરૂઆતમાં મેટ ગાલામાં શાહરૂખ ખાનનો શાનદાર લુક અને સ્ટાઈલ જાેવા મળી હતી, જેના કારણે આ પ્રતિષ્ઠિત યાદીમાં તેને સ્થાન…

Read More

દીપિકા મેડોકની ઓફિસ બહાર દેખાઈ.દીપિકા વિકી કૌશલ સાથે ‘મહાવતાર’માં જાેડાય એવી ચર્ચા.વિકીનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તો ૨૦૨૪માં જ લોંચ કરી દેવાયો હતો. આ ફિલ્મમાં વિકી કૌશલ ચિરંજિવી પરશુરામનો રોલ કરે છે.વિકી કૌશલની ફિલ્મ ‘મહાવતાર’, તેમાં તેનો લૂક અને મેડોકની આ ફિલ્મ પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલ્યા કરે છે. હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણનો સંપર્ક કરાયો છે અને તેમની વચ્ચેની વાટાઘાટો હકારાત્મક દીશામાં આગળ વધી રહી છે. તાજાેતરમાં જ દીપિકા પાદુકોણ મેડોકની ઓફિસ બહાર જાેવા મળી હતી, ત્યારથી આ શક્યતા વધુ પાક્કી થઈ છે. જાે આ વાટાઘાટો સફળ રહી તો વિકી અને દીપિકા…

Read More

અભિનેત્રી દિયા મિર્ઝા બાળકો માટે પાંચ પુસ્તક લખશે.તાજેતરમાં જ તેનાં પ્રોડક્શન હાઉસ પાંહાની શોર્ટ ફિલ્મને ઓલ લિવિંગ થિંગ્ઝ એન્વાયર્નમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી છે.દિયા મિર્ઝાએ મંગળવારે તેનો જન્મદિવસ ઉજવ્યો છે અને સાથે જ તેના ફૅન્સ માટે એક સરપ્રાઇઝ પણ આપી છે. તે હાલ બાળકો માટે પાંચ પુસ્તકોની સિરીઝ લખી રહી છે. જ્યારે પુસ્તકો પ્રકાશિત થવાની તૈયારીમાં હશે, ત્યારે ૨૦૨૬માં પુસ્તકો વિશે વધુ માહિતી મળી શકે છે. જાેકે, દિયાએ આ પુસ્તકો વિશે પ્રાથમિક માહિતી આપતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, “મારા માટે જીવનનો આ પડાવ હાલ સમગ્ર વિશ્વ સમાન છે પરંતુ યુવાન મન માટે કશુંક સર્જવું એ મારા માટે…

Read More

રાહુલે તમામ સંસ્થાઓ પર RSS નો કબજાે હોવાનું કહેતા હોબાળો.દેશની તમામ યુનિવર્સિટીઓમાં ઇજીજીના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર.સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે. રાહુલ ગાંધી એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી,…

Read More

સસ્તા ચોખાની ડમ્પિંગનો આરોપ.ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી.અમેરિકાના માર્કેટમાં સસ્તા ચોખાનું ડમ્પિંગ કરવામાં આવે છે તેવી ફરિયાદોની તપાસ કરવામાં આવશે.ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે મતભેદોના કારણે હજુ સુધી ટ્રેડ ડીલ થઈ શકી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સામાન પર ભારેખમ ટેરિફ લગાવ્યા છે. એવામાં હવે તેમણે ભારતને ફરીવાર ધમકી આપી ચોખા પર વધારાના ટેરિફના સંકેત આપ્યા છે. ટ્રમ્પની સરકારનો દાવો છે કે અમેરિકાના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે સસ્તા વિદેશી માલના કારણે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આયોજિત એક બેઠકમાં ભારત અને કેનેડા પર નવા ટેરિફના સંકેત આપ્યા…

Read More

પ્રારંભમાં અપાયેલી સુનામીની ચેતવણી પરત ખેંચી લેવાઈ.જાપાનમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ કેટલાય વિસ્તારો ખાલી કરવાની ચેતવણી.જંગી આંચકા છતાં સદનસીબે પરમાણુ મથકો સલામત હજારો ઘરોની વીજળી વેરણ થઈ હોવાના અહેવાલ.જાપાનમાં ૭.૬ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે અને તેના પગલે કેટલાય સ્થળો ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક સમયે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, તે પરત ખેંચી લેવામાં આવી છે. ભૂકંપના પગલે જાપાનમાં હોકેઇડો, એઓમોરી અને ઇવેટ માં ચેતવણી જારી કરતાં જણાવાયું છે કે અહીં ત્રણ-ત્રણ મીટર ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે. ટોહોકુ ઇલેક્ટ્રિક પાવર અને હોકેઇડો ઇલેક્ટ્રિક પાવર દ્વારા સંચાલિત પરમાણુ મથકમાં કોઈ નુકસાનીના સમાચાર નથી, એમ કંપનીઓએ જણાવ્યું…

Read More

મહાયુતિની એક સહયોગી પાર્ટીના ૨૨ ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના‘ થઈ ગયા છે.શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો કે, મહાયુતિની એક સહયોગી પાર્ટીના ૨૨ ધારાસભ્ય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ‘નજીકના‘ થઈ ગયા છે અને પાર્ટી બદલવા માટે તૈયાર છે. તેમનો પરોક્ષ રીતે ઈશારો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના તરફ હતો. જાેકે, મુખ્યમંત્રીએ આ દાવાનો ઈનકાર કરી દીધો છે. શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું નામ લીધા વિના, વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતા આદિત્ય ઠાકરેએ દાવો કર્યો કે, “એક શાસક પક્ષ અને બે જૂથો છે. એક જૂથના બાવીસ ધારાસભ્યો મુખ્યમંત્રીની નજીક આવી ગયા છે. તેમની પાસે સારા પૈસા…

Read More

હજારો કરોડની બચત કરી.સ્ટાર્ટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી આવી અને જ્યાં સુધી જૂની ગાડીઓની વાત છે તો તેના પરફોર્મન્સ પર પણ કોઈ અસર નથી પડી.સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં ઇથેનોલને લઈને કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો. સરકારે સોમવારે (૮ ડિસેમ્બર) ઇથેનોલ અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ઈ૨૦ ઇંધણ પર ચાલતા વાહનોમાં કોઈ સમસ્યા આવી નથી. સ્ટાર્ટ કરવામાં પણ કોઈ મુશ્કેલી નથી આવી અને જ્યાં સુધી જૂની ગાડીઓની વાત છે તો તેના પરફોર્મન્સ પર પણ કોઈ અસર નથી પડી. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઇથેનૉલને લઈને સરકારને પ્રશ્ન કર્યો હતો…

Read More

વડાપ્રધાને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને બંકિમ દા કહીને તેમનું અપમાન કર્યું છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માફીની માગ કરી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાને નવલકથાકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને ‘બંકિમ દા‘ કહીને તેમનું અપમાન કર્યું છે. કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, ‘જ્યારે દેશને આઝાદી મળી ત્યારે વડાપ્રધાનનો જન્મ પણ નહોતો થયો. તેમ છતાં તેમણે બંગાળના સૌથી મોટા સાંસ્કૃતિક પ્રતીકોમાંથી એકને આટલા સાધારણ રીતે સંબોધિત કર્યા. પીએમ મોદીએ તેમને ન્યૂનતમ સન્માન પણ ન આપ્યું જેના તેઓ હકદાર છે. તમારે આ માટે રાષ્ટ્રની માફી માગવી જાેઈએ.‘ આ ઉપરાંત સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર…

Read More