Author: garvigujrat

રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા જેવા ગંભીર રોગથી પીડાતા અને નિયમિત સારવાર તેમજ દવાઓ પર નિર્ભર એવા ૫૦૦થી વધુ બાળકો સારવાર હેઠળ છે, જેમાંના ઘણા બાળકોની હાલત ગંભીર હોવા છતાં જરૂરી દવાઓ ઉપલબ્ધ ન હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ અંગે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી દ્વારા રાજકોટ કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એક તરફ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને મફત સારવાર આપવાના મોટા મોટા દાવા કરે છે, ત્યારે બીજી તરફ સિવિલ તંત્ર દ્વારા દવાઓ ઉપલબ્ધ હોવાનો દાવો કરાતો હોવા છતાં દર્દીના પરિજનોને બહારથી દવાઓ ખરીદવી પડી રહી છે. આ પરિસ્થિતિ…

Read More

આજે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામીત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામીત સહિત સ્થાનિક ’આપ’ અગ્રણીઓ, આદિવાસી સમાજના નેતાઓ અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વ્યારા સ્થિત તાપી જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કલેક્ટર અને અધિક કલેક્ટર હાજર ન હોવાથી મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈએ…

Read More

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર રાજ્ય શિવભક્તિ તથા સાત્વિકતામાં લીન છે, ત્યારે જ ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને કારણે માંસના વેપાર અને કતલખાનાઓને મળી રહેલા પ્રોત્સાહન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સંજય બાપટ દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સત્તાવાર આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, જે ગુજરાતને ‘શાકાહારી અને અહિંસક રાજ્ય’ તરીકે ઓળખવામાં આવે છે, તે જ ગુજરાતમાં કેન્દ્ર સરકારે ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ કતલખાનાઓને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત રાજ્યમાં ૨,૧૭૬ જેટલા ગેરકાયદેસર કતલખાનાઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માંસનું…

Read More

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત જોધપુરમાં શ્રાવણના પહેલા સોમવારે મિર્ચીવડાનો મહોત્સવ યોજાયો હતો. છેલ્લા 30 વર્ષથી દર વર્ષે અહીં મિર્ચીવડાને સમર્પિત ઇવેન્ટ યોજાય છે. જોધપુરવાસીઓનો મિર્ચીવડા માટેનો પ્રેમ અનોખો છે. અહીં રોજ એક લાખ મિર્ચીવડા વેચાય છે અને નાની મોટી થઈને 1000 દુકાનોમાં એ વેચાય છે. શ્રાવણિયા સોમવારે જોધપુરના અશોક ઉદ્યાનમાં યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં ભાગ લેવા હજારો લોકો આવ્યા હતા.સાંજે પાંચ જ કલાક ચાલેલી આ ઇવેન્ટમાં 63,000 મિર્ચીવડા લોકો ઝાપટી ગયા હતા. અહીં 31 કિલોનું એક મિર્ચીવડુ પણ બન્યું હતું. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વડું બનાવવા માટે ત્રણ કલાક લાગ્યા હતા.

Read More

(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. દેશમાં “વિકસિત ભારત” જેવા રૂપાળા સૂત્રોથી ભારત વિકસિત થવાનું નથી કે “બેટી બચાવો, બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણ જેવા સૂત્રોથી બેટીઓ બળાત્કારીઓ થી બચવાનીકે મોંઘી ખાનગી શિક્ષણ સંસ્થાઓ ને કારણે બેટીઓ ભણવાની નથી. સ્ત્રી સશક્તિકરણ સાર્થક થવાનું નથી. કારણકે એના માટે સરકારે દીકરીઓના અભ્યાસની ચિંતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. કારણકે રૂપાળા સૂત્રો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ત્યારે ખુલ્લુ પડે છે જ્યારે માધ્યમિક શિક્ષણના તબક્કે પહોંચેલી દીકરીઓ શાળા છોડવા લાગે છે. અહીં સવાલ માત્ર એટલો નથી કે કેટલી દીકરીઓ શાળામાં દાખલ થઈ. અસલી સવાલ એ છે કે કેટલી દીકરીઓ દસમાં ધોરણ સુધી પહોંચી અને પોતાનું …

Read More

એડવાન્સ એઆઈમાં આગળ રહેનારો દેશ ભૂ-રાજકીય પ્રભુત્વ જમાવશે એઆઈની રેસમાં ચીન મેદાન મારશે : અમેરિકાને માર્ક ઝકરબર્ગની ચેતવણી આઈની તાકાત કોઈ એક સરકાર અથવા કંપનીઓના હાથમાં વધુ કેન્દ્રિત થવું માનવજાત માટે સૌથી મોટું જાેખમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો વપરાશ દુનિયામાં વધવાની સાથે હાલ અમેરિકા અને ચીન વચ્ચે તેના પર પ્રભુત્વ મેળવવા રેસ ચાલી રહી છે. જાેકે, એઆઈની આ રેસમાં ચીન અમેરિકા કરતાં આગળ નીકળી શકે છે તેમ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ચેતવણી આપતા કહ્યું છે. તેમણે ચીનને સલાહ આપતા કહ્યું કે, એશિયન દેશે એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની તેની ક્ષમતા વધારવાની જરૂર છે. આ સાથે ઝુકરબર્ગે ચેતવણી આપી છે કે જે…

Read More

પ્રિયંકા સાથે કઝીન મનારા પણ દેખાઈ મુંબઈ આવેલી પ્રિયંકા ચોપરા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચી પ્રિયંકાએ અયોધ્યામાં તેના પતિ નીક જાેનાસ અને પુત્રી માલતી સાથે રામમંદિરની પણ મુલાકાત લીધી હતી પ્રયંકા ચોપડા જાેનાસે મુંબઇમાં તેની પિતરાઇ બહેન મન્નારા સાથે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઇ ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રિયંકાએ ગુલાબી સલવાર સૂટ અને વાદળી રંગનો દુપટ્ટો પહેર્યાે હતો. જાે કે, આ મુલાકાત દરમ્યાન તેની પુત્રી માલતી દેખાઇ નહોતી.કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રિયંકાએ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યાે હતો. પ્રિયંકાની ઝલક મેળવવા માટે પ્રસંશકોએ ભીડ જમાવી હતી. પ્રિયંકાએ મંદિરની બહાર નીકળી ફોટોગ્રાફર્સ તથા તેના ચાહકોનું હાથ હલાવી અભિવાદન કર્યું હતું.એ પછી તે…

Read More

ફિલ્મ માટે પરેશ રાવલનું નામ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે ‘માલામાલ વીકલી ૨’માં રવિના ટંડન અને પરિણીતી ચોપરાની એન્ટ્રી રવિના ટંડન અને પરિણીતી ચોપરા બંનેની કોમિક ટાઇમિંગ ફિલ્મ માટે મહત્વની સાબિત થશે ‘માલામાલ વીકલી ૨’ વિશે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. અગાઉ ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શક અંગેના અહેવાલો બાદ હવે ફિલ્મની સ્ટારકાસ્ટમાં બે જાણીતી અભિનેત્રીઓ રવિના ટંડન અને પરિણીતી ચોપરાની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલોમાં સુત્રોના જણાવ્યા મુજબ, બંને અભિનેત્રીઓને ફિલ્મની સ્ક્રિપ્ટ અને પોતાના પાત્રોને ઘણા ગમ્યાં હતાં અને કોઈ વિલંબ કર્યા વગર ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.સુત્રે જણાવ્યું કે ફિલ્મની વાર્તા અનુસાર…

Read More

હું અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સ્પોર્ટ્સ રમું છું “મને ગમતું ભોજન ખાઈ શકું એ માટે ફિટ રહેવું છે” : તાપસી પન્નુ પરંપરાગત જિમ સેશન પર જ આધાર રાખવાને બદલે તાપસી પોતાનાં રૂટિનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે તાપસી પન્નુએ અનેક વખત એક્ટિવ લાઇફ સ્ટાઇલ જાળવવાની સાથે પોતાને ગમતું ભોજન માણવાના મહત્વ વિશે વાત કરી છે. તેનાં માટે ફિટનેસનો અર્થ દરરોજ એક જ પ્રકારની કડક કસરતના રૂટિનનું પાલન કરવું નથી, પરંતુ એવી વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ છે, જે તેનો ઉત્સાહ જાળવી રાખે અને જીવનમાં સંતુલન જાળવવામાં મદદ કરે.ભોજન અને કસરત પ્રત્યેના પોતાનાં અભિગમ વિશે તાપસીએ ખાસ વાતચીતમાં જણાવ્યું, “મને ભોજન…

Read More

ફિલ્મ ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરશે અને નીરજ પાંડે ડિરેક્ટ કરશે R.D. બર્મનની બાયોપિકમાં અક્ષય કુમાર રાજેશ ખન્નાની ભૂમિકા ભજવશે ફિલ્મના શૂટિંગ માટે અક્ષયે ૧૦ દિવસ ફાળવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થશે અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે અક્ષય કુમાર અને નીરજ પાંડે આર.ડી. બર્મનની બાયોપિક માટે ફરી એકવાર કામ કરવા જઈ રહ્યા છે. અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં અક્ષય કુમારનો વિસ્તૃત કેમિયો હશે, જ્યારે આર.ડી. બર્મનની મુખ્ય ભૂમિકા ફરહાન અખ્તર ભજવશે.હવે અક્ષય કુમારના ચાહકો માટે એક ખાસ અને અપડેટ સામે આવી છે. વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય કુમારે આર.ડી. બર્મનની બાયોપિકમાં સુપરસ્ટાર…

Read More