Author: garvigujrat

૯૮મો એકેડેમી એવોર્ડ્સ થોડા મહિનામાં યોજાશે.ઓસ્કાર એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ ૧૫૦ ફિલ્મોમાં દશાવતાર સામેલ.અગાઉ, ફિલ્મ હોમબાઉન્ડને આગામી ૨૦૨૬ ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.૯૮મો એકેડેમી એવોર્ડ્સ થોડા મહિનામાં યોજાવાના છે, અને દરેક સિનેમા પ્રેમી ઉત્સુકતાથી જાેઈ રહ્યો છે. ભારતીય ફિલ્મો હંમેશા ઓસ્કાર માટે સમાચારમાં રહી છે, ઘણી ભારતીય ફિલ્મોએ સફળતાપૂર્વક શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. ૨૦૨૬ ના ઓસ્કાર માટે પણ આવી જ લાગણી છે.એવું અહેવાલ છે કે મરાઠી ફિલ્મ “દશાવતાર” હવે ૨૦૨૬ ના ઓસ્કાર માટે ૧૫૦ ફિલ્મોની શોર્ટલિસ્ટમાં સામેલ છે, જે સંભવિત રીતે આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ભારતનું ગૌરવ વધારશે.જ્યારે પણ એકેડેમી એવોર્ડ્સ નજીક આવે છે, ત્યારે દરેક…

Read More

‘મેં સફળતાને ખુબ હળવાશથી લીધી છે’.સફળતા- નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ છે: કરીના.કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છ.બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન લાંબા સમયથી પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મનોરંજન જગતના ઉતાર-ચઢાવને સંતુલિત રીતે સંભાળવાની ક્ષમતાને કારણે જાણીતી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે સફળતા અને નિષ્ફળતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે બંને એક જ યાત્રાનો ભાગ છે અને તેને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર નથી.કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છે. તેઓ માને છે કે સફળતા કોઈ લક્ષ્ય ના…

Read More

ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે દરોડા.સુરતમાં નકલી ઘી બનાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.આ દરોડામાં પોલીસે અંદાજે ૩૧૯ કિલોગ્રામ નકલી ઘી તથા ૮૫૬ કિલોગ્રામ વેજીટેબલ અને સોયાબીન તેલ જપ્ત કર્યું છે.સુરતમાં નકલી ઘી બનાવતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં સ્થળ પર જ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. દેશભરમાં સ્વચ્છતા માટે નામના મેળવનાર અને “સુપર સ્વચ્છ લીગ”માં સ્થાન પામનાર સુરત શહેરમાં ખાદ્ય ભેળસેળનો એક વધુ ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતું નકલી ઘી બનાવવાનું કારખાનું પોલીસ અને ફૂડ એન્ડ…

Read More

ખેડૂતોને પધરાવતા હતા બોગસ ખાતર.અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નકલી ખાતર બનાવતી ફેકટરીનો પર્દાફાશ કર્યો.અમરેલી જિલ્લાના ફર્ટિલાઈઝર અધિકારી પિનલ ખૂંટને આ બાબતની જાણ થતા તેમણે જાણ કરી હતી અને સંયુક્ત રેડ કરી અને તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો.અમરેલીના મોટા કડિયા અને પીપલક રોડ પર આવેલી નીરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામની કાર્યરત એક ફેક્ટરી હતી જ્યાં નમ્ર ગુણવત્તાનો એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી ૫૦૦ કિલોની ૫૦૨ બેક અમરેલી એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી ૫૬૦૦ ખાલી પ્લાસ્ટિક બેગ જેની કિંમત રૂપિયા ૧૪૦૦૦ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ જેટલી…

Read More

તેકાનના પડદા ફાટી ગયા એવો હુમલો કર્યો.ગુજરાતી સિંગરે કર્યો મુંબઈના ગાયક પર હુમલો.શ્યામ સિધાવત સહિત ૬ શખસો જુની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર હથિયાર વડે તૂટી પડ્યા; મોઢે ટાંકા આવ્યા.અમદાવાદના ગાયક દ્વારા મુંબઈના ગુજરાતી સિંગર પર હુમલો કરાયાની ઘટના બની છે. ગુજરાત સિંગર શ્યામ સિધાવતે પોતાના સાથીઓ સાથે મળીને મુંબઈના ગુજરાતી સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SG હાઈવે પર પેલેડિયમ મોલ સામે હુમલાની ઘટના બની હતી. જીય્ હાઈવે પર પેલેડિયમ મોલ સામે મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કરાયો હતો. સોંગ ક્રેડિટની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લિગલ…

Read More

મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર.સોમનાથ મંદિર પર ગઝનવીએ કરેલા હુમલાને ૧૦૦૦ વર્ષ પૂર્ણ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે.હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. ૧૦૨૬માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની એક હજાર વર્ષની સફર અને તેના પુન:નિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે, આ લેખમાં તેમણે મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન પણ સાધ્યું છે. પીએમ મોદીએ તેમના બ્લોગમાં કહ્યું કે, ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર…

Read More

બોલવાનું પણ શરૂ કર્યું.કોમામાં જતો રહેલો ડેમિયન માર્ટિન મોતના મુખમાંથી બહાર આવ્યો!.ગોલ્ડ કોસ્ટની એક હોસ્પિટલમાં મેનિનઝાઈટિસ (મગજના તાવ) ની સારવાર લઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, ૫૪ વર્ષીય વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટરને ટૂંક સમયમાં ICUમાંથી બહાર ખસેડવામાં આવશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બ્રોડકાસ્ટર ફોક્સ સ્પોર્ટ્સે બે દિવસ પહેલા કહ્યું હતું કે, માર્ટિન કોમામાંથી બહાર આવી ગયો છે અને પોતાના પ્રિયજનો સાથે વાત કરી રહ્યો છે. માર્ટિનના સાથી ખેલાડી રહેલા અને મિત્ર એડમ ગિલક્રિસ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૪૮ કલાકમાં કંઈક અવિશ્વસનીય જેવી ઘટના ઘટી છે. ડેમિયન હવે વાત કરી…

Read More

લેટર વાઈરલ થતાં જ તેમને તાત્કાલિક સસ્પેન્ડ.ભાજપના મંત્રી અપશબ્દો બોલ્યા તો કંઈ નહીં પણ અધિકારીએ લખ્યું તો સસ્પેન્ડ કરાયા.વિજયવર્ગીયના ચર્ચિત ઘંટા વાળા નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ કરવો દેવાસના SDM આનંદ માલવિયાને ભારે પડી ગયું.મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત ઘંટા વાળા નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ કરવો દેવાસના SDM આનંદ માલવિયાને ભારે પડી ગયું. લેટર વાઈરલ થતાં જ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ કાર્યવાહીનો આદેશ ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે જારી કર્યો હતો. બીજી તરફ દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે SDM ઓફિસમાં સહાયક ગ્રેડ-૩ અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા છે. વહીવટી ફેરબદલ કરતા અભિષેક શર્માને દેવાસના નવા જીડ્ઢસ્…

Read More

રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ.આધાર લિંક વગર સવારે ૮થી ૪ ટિકિટ બુક નહીં થાય.એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ નિયમ ફક્ત ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થાય તે પહેલા દિવસ માટે જ લાગુ પડે છે.ભારતીય રેલવેમાં ટિકિટ બુકિંગના નિયમોમાં એક મોટો ફેરફાર આજથી અમલમાં આવ્યો છે. જાે તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નથી તો તમે આજથી ૫ જાન્યુઆરીથી સવારે ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી ટ્રેન ટિકિટ બુક કરી શકશો નહીં. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ નિયમ ફક્ત ટ્રેન ટિકિટ બુકિંગ શરૂ થાય તે પહેલા દિવસ માટે જ લાગુ પડે છે. તમારી માહિતી માટે રિઝર્વ…

Read More

શરૂ કરી પોતાની એથ્લીટ મેનેજમેન્ટ ફર્મ.નીરજે જણાવ્યું હતું કે આ પ્રકરણના અંત સાથે તે તેના એ જ મૂલ્યોને તેની કારકિર્દીના આગલા તબક્કામાં આગળ લઈ જઈ રહ્યો છે.સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ JSW સ્પોર્ટ્સ સાથેની લગભગ દાયકા જૂની ભાગીદારીનો અંત લાવ્યો છે. તેણે પોતાની એથ્લીટ મેનેજમેન્ટ કંપની વેલ સ્પોર્ટ્સ પણ શરૂ કરી છે. નીરજ ચોપરા ૨૦૧૬થી JSW સ્પોર્ટ્સ સાથે છે, આ સમય દરમિયાન તેની કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચી છે. તેના ર્નિણય અંગે ૨૭ વર્ષીય નીરજએ કહ્યું, “છેલ્લા દાયકામાં અમારી યાત્રા વૃદ્ધિ, વિશ્વાસ અને સિદ્ધિઓથી ભરેલી રહી છે. JSW સ્પોર્ટ્સે…

Read More