- ટ્રમ્પના દાવા બાદ ઈટલી PM જ્યોર્જિયા મેલોનીનો આકરા જવાબ, નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલકાતામાં અનોખો નજારો: હૂગલી નદી પર 500થી વધુ નૌકાઓમાં સામૂહિક યોગ
- ફૂટપાથ પર ચાલવું મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારને કાયદો બનાવવા નિર્દેશ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીઓના રાજીનામા, નવા ભરતી થયેલા કર્મીઓએ પણ છોડ્યો રસ્તો
- બેરોજગારી, ગરીબી અને મોંઘવારીના કારણે યુવાનો અને યુવતીઓ ખોટા માર્ગે ધકેલાઈ રહ્યા હોવાનો આક્ષેપ
- મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની તિજોરીમાંથી હજારો કરોડના દાન અને દાગીના ગાયબ હોવાનો ગંભીર આરોપ
- સગીરાના દુષ્કર્મ કેસમાં કલોલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખ વળતર
- મિડલ ઈસ્ટમાંથી રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલના 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
Author: Garvi Gujarat
ચૂંટણી પંચે મત ચોરીના મુદ્દા પર જવાબ આપ્યો કોઈપણ સામાન્ય નાગરિક ઓનલાઈન મત ડિલીટ ન કરી શકે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવાર (૧૮ સપ્ટેમ્બર) એ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણી પંચ પર વોટ ચોરીને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચનો જવાબ આવ્યો છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીના બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. રાહુલે કહ્યુ હતુ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યાં છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીની પત્રકાર પૂર્ણ થયા બાદ તેનો જવાબ આપ્યો…
રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ રહ્યા છે : દેશની લોકશાહી હાઇજેક થઈ ગઈ છે : રાહુલ રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે કેટલાક પુરાવા રજૂ કરીને દાવો કર્યો હતો કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જેણે વોટિંગ સિસ્ટમને હાઇજેક કરી વોટ ડિલીટ કરી દીધા છે, નવા વોટ ઉમેરાઈ…
અનુરાગ કશ્યપનું ચોંકાવનારું નિવેદન.મને વિરાટ કોહલીની બાયોપિક બનાવવામાં રસ નથી’:અનુરાગ.અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘નિશાનચી’ ૧૯ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશ.ભારતીય ક્રિકેટ ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓની બાયોપિક બનાવવામાં આવી છે, જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને મિતાલી રાજના નામ ટોપ પર છે. આજના યુગમાં વિરાટ કોહલીનો પણ એવો જ ક્રેઝ છે. ભારતીય ક્રિકેટમાં તેનું ખાસ સ્થાન છે. તેના લાખો ફોલોઅર્સ છે. ત્યારે હવે આ વચ્ચેબોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના ફેવરિટ ક્રિકેટર્સમાંથી એક વિરાટ કોહલીની બાયોપિક પર વાત કરી છે. અનુરાગને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તમે વિરાટ કોહલીની બાયોપિક બનાવવા માગો છો? તેના જવાબમાં ડાયરેક્ટરે કહ્યું…
આજકાલ, બધા જ ચહેરા લગભગ સરખા જ લાગે છે : દિવ્યા.દિવ્યા ખોસલાએ ફિલર સર્જરી કરાવતા સ્ટાર્સની ટીકા કરી.દિવ્યાએ કહ્યું કે કેટલાંક લોકોએ એવું પણ કહેલું કે તેનો ગોળ-મટોળ ચહેરો ઇન્ડસ્ટ્રીના ધારા-ધોરણો માટે યોગ્ય નથી.એક્ટર દિવ્યા ખોસલાએ તાજેતરમાં કયલી જેનર અને કેટલીક બોલિવૂડ એક્ટ્રેસની બોટોક્સ સર્જરી તેમજ ફિલિંગ સર્જરી કરાવીને કુદરતી સોંદર્યને ખરાબ કરતા હોવાની વાત કરીને ટીકા કરી છે. તેણે કહ્યું, “બધાં જ ચહેરાં સરખાં જ લાગે છે.” દિવ્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “આજકાલ, બધા જ ચહેરા લગભગ સરખા જ લાગે છે. જે લોકો મુંબઇના ડોક્ટર પાસે જાય છે એ સરખા દેખાય છે અને જે દુબઇના ડોક્ટર પાસે જાય છે એ…
વરુણે પણ જાહન્વીના વિચારો સાથે સહમતી દર્શાવી.જાહન્વી સોશિયલ મીડિયા પર પોતાની મરજી વિરુદ્ધ ફેક તસવીરોથી ચિંતિત.વરુણ ધવને કલાકારો અને તેમની ઓળખનો દુરુપયોગ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિવિધ ટૂલની મદદથી અનેક પ્રકારની નકલી તસવીરો બની રહી છે અને આવી અસંખ્ય તસવીરો સોશિયલ મીડિયો પર પોસ્ટ થઈ રહી છે. આ સ્થિતિમાં ઘણા લોકોની તસવીરોનો દરુપયોગ પણ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, ખાસ કરીને ફિલ્મ અને ટીવીના કલાકારોની વિવિધ પ્રકારની ફેક તસવીરો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. તાજેતરમાં જાહન્વી કપૂર અને વરુણ ધવનની ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ના ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં વરુણ ધવન અન…
સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.178 નરમ, ચાંદીનો વાયદો રૂ.233 તેજઃ ક્રૂડ તેલમાં રૂ.1નો મામૂલી સુધારો કોમોડિટી વાયદાઓમાં રૂ.28779.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.172907.85 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24563.93 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25490 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.201687.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28779.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.172907.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25490 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1506.41 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24563.93 કરોડનાં…
સોશિયલ મીડિયા પેજ પર આ અંગે સ્પષ્ટતા કરાઈ.સાજિદ નડિયાવાલાએ ફિલ્મ વિવેચકો ધમકી આપતા હોવાનો દાવો કર્યા.કેટલાંક વિવેચકોએ છબિ ખરડાવાની ધમકી આપીને પૈસાની માગણી કરી હોવાનું નિવેદન બહાર પાડ્યુ.નડિયાદવાલા ગ્રાન્ડસન અનેટરટેઇન્મેન્ટ બોલિવૂડનું સૌથી જાણીતું પ્રોડક્શન હાઉસ છે. જે છેલ્લા ૭૫ વર્ષથી ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રે કામ કરે છે. તેમણે એક કડક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં ફિલ્મ વિવેચન બાબતે અસૈદ્ધાંતિક કામગિરી થતા હોવાની ચિંતા વ્યક્ત કરી છે. પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ સોસિયલ મીડિયા પેજ પર આ અંગે સ્પષ્ટતા કરાઈ છે અને તેમના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સહકારના દાવા સાથે કહેવાયું છે કે કંપનીએ ક્યારેય તટસ્થ વિવેચન કે સર્જનાત્મક ટીકા અંગે વાંધો ઉઠાવ્યો નથી.…
ડોલમાં ભરેલો કચરો જાણી જાેઈને જાહેરમાં ફેંકી દીધો.આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક.સ્થાનિક નાગરિકો અને સફાઈ કામદારોમાં ભારે રોષ જાેવા મળ્યો હતા.ભરૂચની આમોદ નગર પાલિકામાં ‘સ્વચ્છતા હી સેવા‘ કાર્યક્રમના નામે ફક્ત દેખાવો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સફાઈનું નાટક કરતા જાેવા મળે છે. જેને લઇને સ્થાનિક નાગરિકો અને સફાઈ કામદારોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત કેટલાક લોકો હાથમાં સાવરણી અને ડોલ લઈને એકઠા થયા છે. આ…
કામગીરી સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય.આણંદમાં આશા વર્કર બહેનોએ રામધૂન બોલાવીને નોંધાવ્યો અનોખો વિરોધ.આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરી માટે મોબાઇલ સુવિધા આપવાની માંગ કરી છ.આણંદ જિલ્લામાં આજે આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ આંદોલનનો મુખ્ય હેતુ તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પર ધ્યાન ખેંચવાનો હતો. આશાવર્કર બહેનોએ ટેકોની કામગીરી માટે મોબાઇલ સુવિધા આપવાની માંગ કરી છે. તેમના કહેવા મુજબ, આધુનિક સમયમાં કામગીરી સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે અને તેના…
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો.અમરેલી જિલ્લાના લાઠીમાં રોગચાળાનો રાફડો ફાટ્યો.ઓપીડીની સંખ્યા ૨૦૦ની આસપાસ રહેતી હતી, ત્યાં હાલમાં આ આંકડો વધીને ૩૦૦થી ૩૫૦ સુધી પહોંચી ગયો છ.અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો વકર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સ્થાનિક સ્તરેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઋતુજન્ય બીમારીઓના કેસોમાં અચાનક ઉછાળો આવતા શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. લાઠી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં જ્યાં દૈનિક ઓપીડીની સંખ્યા ૨૦૦ની આસપાસ રહેતી હતી, ત્યાં હાલમાં આ આંકડો વધીને ૩૦૦થી ૩૫૦ સુધી પહોંચી ગયો છે. ઓપીડીમાં થયેલો આ નોંધપાત્ર વધારો શહેરમાં રોગચાળાની ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરી રહ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં મુખ્યત્વે તાવ, વાયરલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



