Author: garvigujrat

રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળોવડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ જાેવાયોરસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને પાણી ડબ્બામાં મિક્સ કરતાવડોદરા સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે અગાઉની રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગઈ મોડી રાત્રે કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન માલ સામાન ભરીને આવેલા ટેમ્પો ડ્રાઇવરને આડે હાથ લઈ લઈ રોષ ઠાલવ્યો હતો. ડ્રાઇવરના મોબાઈલથી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા સામે છેડેથી કોઈ યોગ્ય પ્રત્યુતર મળતો ન હોવાથી…

Read More

સૌથી વધુ ક્રિમિનલ કેસ અનંતસિંહ સામેબિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ૫૦%થી વધુ સામે ક્રિમિનલ કેસમૈથિલી ઠાકુર સૌથી યુવા વયની ધારાસભ્ય, મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ૨૬થી વધીને ૨૯ પર પહોંચીબિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં કેટલાકની ભારે ચર્ચા થઇ રહી છે. કોઇ સૌથી યુવા તો કોઇ સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા ધારાસભ્યો છે. મહિલાઓએ નીતીશ કુમારને ફરી સત્તા સોંપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જાેકે મહિલા ધારાસભ્યોની સંખ્યા અગાઉ કરતા માત્ર ત્રણ જ વધી છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ ધારાસભ્ય લોક ગાયીકા મૈથિલી ઠાકુર છે જે સૌથી યુવા વયની ધારાસભ્ય બની છે. જ્યારે આ વખતે ચૂંટાયેલા કુલ ધારાસભ્યોમાં ૫૦ ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક…

Read More

૫૦૦% ટેરિફ લગાવવાની આપી ધમકીપુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલઘુમ!રશિયાના તેલની ખરીદીને કારણે ભારત હાલમાં ૨૫% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે ર્નિણય લેશે તે ખબર નથી. ક્યારેક તેઓ ભારત સાથે ટ્રેડ કરાર વિશે વાત કરે છે, અને ક્યારેક તેઓ પોતાના મનથી ટેરિફ લગાવે છે. રશિયન તેલની ખરીદી પર તેમનું વલણ ખાસ કરીને કઠોર રહ્યું છે. રશિયાના તેલની ખરીદીને કારણે ભારત હાલમાં ૨૫% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે. હવે, તેમણે રશિયા સાથે વેપાર કરતા અને રશિયન તેલ ખરીદતા દેશો પર ૫૦૦% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયાના…

Read More

ફાંસીની સજા પર શેખ હસીનાનું ભારતથી પહેલું નિવેદનમને મારા વિચારો રજૂ કરવાની વાજબી તક આપવામાં આવી નથીતેમણે તેને પૂર્વનિર્ધારિત ર્નિણય અને બિનચૂંટાયેલી સરકારનું અલોકતાંત્રિક પરિણામ પણ ગણાવ્યુંશેખ હસીનાએ બાંગ્લાદેશમાં આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે માત્ર કોર્ટના ર્નિણયની નિંદા કરી નથી અને તેના પર સવાલ ઉઠાવ્યા નથી, પરંતુ યુનુસ સરકારની પણ ટીકા કરી છે. હસીનાએ કહ્યું કે તેમને તેમના વિચારો રજૂ કરવાની વાજબી તક આપવામાં આવી નથી. તેમણે ઢાકા કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની નિંદા કરી, તેને છેતરપિંડી ગણાવી. તેમણે તેને પૂર્વનિર્ધારિત ર્નિણય અને બિનચૂંટાયેલી સરકારનું અલોકતાંત્રિક પરિણામ પણ ગણાવ્યું. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે…

Read More

આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણીઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયારભારત કોઈપણ પરિસ્થિતિમાં લાંબી લડાઈ માટે તૈયાર છે અને દુશ્મન ભલે પાકિસ્તાન હોય કે તેના સમર્થિત આતંકવાદીઓ, સેના જવાબ આપવા સક્ષમ છે : આર્મી ચીફઆર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે એક મોટું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર પર વાત કરતા આર્મી ચીફ જનરલએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર તો ટ્રેલર હતું, આખી પિક્ચર તો શરુ પણ નથી થઈ. છેલ્લા એક વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે અને રાજકીય નેતાઓ વચ્ચે વાતચીત થવાથી સંબંધોમાં ઘણો સુધારો થયો છે. તેમણે સ્વીકાર્યું કે સામાન્ય સ્થિતિ આવવાથી ફાયદો થશે. સોમવારે દિલ્હીના માણેક…

Read More

સોનાના વાયદામાં રૂ.371 અને ચાંદીના વાયદામાં રૂ.231ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.10 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.38586.51 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.324240.08 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 33743.97 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.362833.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.38586.51 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.324240.08 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.5.52 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.86 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2959.4 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 33743.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ…

Read More

‘બીજી દીકરીના જન્મ બાદ ભેદભાવ સ્પષ્ટ જાેવા મળે છે’કંગનાએ દીકરા-દીકરીમાં ભેદભાવ પર મંતવ્ય આપ્યુંકંગના રનૌતે એશિયન પરિવારોમાં દીકરાની ઇચ્છા અને દીકરા-દીકરીના ઉછેરમાં ભેદભાવ વિશે ખૂલીને વાત કરીબોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મો કરતાં પોતાના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં છે. ફરી એકવાર તેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે દીકરાની ઇચ્છા અને એશિયન પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ વિશે ખૂલીને વાત કરી છે. આ નિવેદને ન માત્ર બોલિવૂડ પરંતુ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ કરી દીધી છે. કંગના રનૌતે એશિયન પરિવારોમાં દીકરાની ઇચ્છા અને દીકરા-દીકરીના ઉછેરમાં ભેદભાવ વિશે ખૂલીને વાત કરી છે.‘બીજી…

Read More

એક્ટરની પોસ્ટ પર ફેન્સ તરફથી અભિનંદન સાથે અસંખ્ય પ્રતિક્રિયાઓ મળીરાજકુમાર રાવ અને પાત્રલેખાની ચોથી લગ્નતિથીએ પુત્રી અવતરીઅમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર, ભગવાને અમને અત્યાર સુધીના સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે: રાજકુમાર રાવબોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ પિતા બન્યા છે. તેમની પત્ની પત્રલેખાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેતાએ આ ખાસ સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે. આજે રાજકુમાર રાવ અને પત્રલેખાની ચોથી મેરેજ એનિવર્સરી છે અને હવે બાળકીના આગમનથી તેમનો આનંદ બમણો થઈ ગયો છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર ખુશખબર શેર કરતા લખ્યું, “અમારી ચોથી લગ્ન વર્ષગાંઠ પર, ભગવાને અમને અત્યાર સુધીના સૌથી મોટા આશીર્વાદ આપ્યા છે.” અભિનેતાએ ૧૫ નવેમ્બર, ૨૦૨૧ના…

Read More

મારી પ્રિય વ્યક્તિના જન્મની સવાર છે અને અમે તેના માટે પ્રાર્થના કરીએઆરાધ્યાના જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચન ‘ભાવુક’ થયા.ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન ૨૦૦૭માં થયા હતા અને ચાર વર્ષ ઐશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો હતો.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરાની દીકરી આરાધ્યા બચ્ચન ૧૪ વર્ષની થઈ ગઈ છે. આ વિશેષ અવસર પર તેમના દાદા અમિતાભે એક ભાવુક વ્લોગ લખીને તેને આગામી વરીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વ્લોગમાં બિગ બીએ આરાધ્યાના બર્થ-ડેની શુભેચ્છા સાથે પોતાના જીવનના અનુભવોને વાગોળ્યા હતા.અમિતાભ બચ્ચને પોતાના વ્લોગમાં લખ્યું છે કે ‘આરાધ્યાના જન્મની પૂર્વસંધ્યા પર શુભેચ્છાઓ. આપણા દરેકના અંદરનું બાળક સમય સાથે મોટું થાય છે અને આપણે તેને અભિનંદન…

Read More

હું ઈશ્વરમાં માનતો નથી : રાજામૌલી. રાજામૌલીના નાસ્તિકતાનું સમર્થન કરતા નિવેદનથી વિવાદ શરૂ થયોરાજામૌલીના શબ્દોએ લોકોની લાગણી દુભાવી હતી અને એનો પડઘો તરત સોશિયલ મીડિયા પર પડ્યો હતા‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મોની ધૂમ સફળતા બાદ ર્નિદેશક એસ.એસ. રાજામૌલી ‘વારાણસી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા આ ફિલ્મના પ્રચાર કાર્યક્રમમાં રાજામૌલી એવું બોલી ગયા હતા કે, ‘હું ઈશ્વરમાં માનતો નથી’, જેને લીધે તેમની ટીકા થઈ રહી છે. હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવવા માટે ખ્યાતિ પામેલા દિગ્દર્શકના આવા શબ્દોથી લોકોની લાગણી દુભાઈ છે અને આ મુદ્દાએ વિવાદનું વાતાવરણ ઊભું કર્યું છે.‘વારાણસી’ના પોસ્ટર અને ટીઝર રિલીઝનો કાર્યક્રમ હૈદરાબાદના રામોજી…

Read More