Author: garvigujrat

ભાજપે કર્યો પલટવારચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામો પહેલા હવે શપથ ગ્રહણ સમારોહને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. બુધવારે (૧૨ નવેમ્બર, ૨૦૨૫) એક પત્રકાર પરિષદમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહ ૧૮ મી તારીખે થશે. ભાજપે તેમના આ નિવેદનનો જવાબ આપ્યો છે. ભાજપ નેતા અજય આલોકે કહ્યું કે અંગ્રેજીમાં એક શબ્દ છે ડિલ્યૂજન.. જ્યારે આવું થાય છે ત્યારે વ્યક્તિને ૯૯ બેઠકો જીતવાનો ભ્રમ થઈ જાય છે, પોતાને મુખ્યમંત્રી બનાવી લે છે અને…

Read More

દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે કરી મુલાકાતભૂટાનથી પરત ફરતા જ PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યાતેમણે તેમને સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપી હતી, તેમણે ત્યાંના ડોકટરોની ટીમ સાથે પણ મુલાકાત કરી હતીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતથી પાછા ફર્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ, સીધા PM આવાસ જવાને બદલે, તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, ભૂટાનમાં પોતાના સંબોધનમાં, PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ભૂટાનથી પાછા ફર્યા હતા. તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત…

Read More

કોલકાતા ટેસ્ટ પહેલા મોટો ર્નિણયધ્રુવ જુરેલની પ્લેઇંગ ઇલેવનમાં થશે એન્ટ્રીનીતિશ રેડ્ડીને બહાર રાખવામાં આવી શકે છે : જુરેલે દક્ષિણ આફ્રિકા છ સામે બે સદી ફટકારી, પોતાનો દાવો મજબૂત કર્યો છેફોર્મમાં ચાલી રહેલા ૨૪ વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે બુધવારે આ જાણકારી આપી હતી. રાયન ટેન ડોશેટે શુક્રવારે કોલકાતામાં પ્રથમ ટેસ્ટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ટીમ કોમ્બિનેશન અંગે અમારી પાસે હવે ઘણી સ્પષ્ટતા છે. છેલ્લા છ મહિનામાં ધ્રુવના પ્રદર્શનને જાેતાં – ખાસ કરીને ગયા અઠવાડિયે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા…

Read More

સુરક્ષા એજન્સીઓ દોડતી થઇદિલ્હી, મુંબઈ સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીઇન્ડિગોને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ એમ પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યોદિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલી રહી છે, ત્યારે ઇન્ડિગો એરલાઇન્સને બુધવારે બપોરે ૩:૩૦ વાગ્યે પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો. ઇન્ડિગોને મોકલવામાં આવેલા ઇમેઇલમાં પાંચ એરપોર્ટ: દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીથી ભારે હોબાળો મચી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. જાે કે, ઇમેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે સ્પષ્ટ નથી. મુંબઇથી વારાણસી જતી એર ઇન્ડિયા…

Read More

ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં ડરામણો ખુલાસો૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાનદિલ્હી જ નહીં, રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ હતું નિશાને, સ્લીપર સેલ હતો સક્રિય, પૂછપરછમાં આતંકવાદી શાહીનનો ખુલાસાસોમવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા બ્લાસ્ટથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. પોલીસ અને એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. દિલ્હી બ્લાસ્ટના ત્રણ પ્રમુખ શંકાસ્પદોમાં ડૉ. મુજમ્મિલ, ડૉ. આદિલ અહેમદ ડાર અને ડૉ. ઉમર છે. ડૉ. ઉમર બ્લાસ્ટ સમયે જ માર્યો ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ ડૉ. મુજમ્મિલ અને ડૉ. આદિલ અહેમદ ડારની ધરપકડ કરવામાં આવી છે. હવે મુજમ્મિલની…

Read More

અગાઉ ફિલ્મનું નામ ‘પ્રેમ કી શાદી’ નક્કી થયુ હતુંઆયુષ્યમાન ખુરાના સાથે બરજાત્યાની ફિલ્મનું નામ ‘યે પ્રેમ મોલ લિયા’ ફાઈનલ થયુંઆ ફિલ્મમાં રાજશ્રીની આગળની ફિલ્મોની જેમ અનુપમ ખેર, સીમા પાહવા અને સુપ્રિયા પાઠક પણ મહત્વના રોલમાં છેઆયુષ્યમાન ખુરાના સૂરજ બરજાત્યાના રાજશ્રી પ્રોડક્શનનો નવો પ્રેમ બનવાનો હોવાના અહેવાલો લાંબા સમયથી આવી રહ્યા છે, ત્યાર બાદ તેની સાથે શર્વરી વાઘ લીડ રોલ કરવાની હોવાના અહેવાલો આવ્યા. આ ફિલ્મનું શૂટ પણ ૧ નવેમ્બરથી શરૂ થયું છે, ત્યારે આ ફિલ્મનું નામ પણ જાહેર થઈ ગયું છે – આ ફિલ્મને ‘યે પ્રેમ મોલ લિયા’ નામ આપવામાં આવ્યું છે.ગુરુવારે મુંબઇમાં એક ફોટોગ્રાફર દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક…

Read More

સલમાનની ઓનસ્ક્રીન ભાભીએ ખુલાસાઓ કર્યાફિલ્મ ઉદ્યોગમાં જાતીય શોષણ અતિ સામાન્યટોચની અભિનેત્રી હોવા છતાં અને એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવતી હોવા છતાં, તેણીને પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હતી૧૯૯૪ માં, સલમાન ખાનની ફિલ્મ “હમ આપકે હૈ કૌન” રિલીઝ થઈ હતી, જેમાં માધુરી દીક્ષિત અભિનીત હતી. ફિલ્મમાં સલમાન ખાનની ભાભી અને માધુરીની બહેનની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રેણુકા શહાણેએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યાે હતો. અભિનેત્રીએ નિર્માતાએ પોતાની સાથે કરેલા દુર્વ્યવહાર વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. રેણુકાએ શેર કર્યું હતું કે, કેવી રીતે ટોચની અભિનેત્રી હોવા છતાં અને એક પ્રખ્યાત ફિલ્મ પરિવારમાંથી આવતી હોવા છતાં, તેણીને પોતાની સલામતીની ચિંતા કરવી પડતી હતી.અભિનેત્રી રેણુકા…

Read More

શરીરમાં ચેપને કારણે દાખલ કરાયાપ્રેમ ચોપરાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયાપ્રેમ ચોપરા ૪૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, અને તેમના કેટલાક પાત્રો અને સંવાદો લોકોના મનમાં કોતરાયેલા છેદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે બીજા પણ એવા જ સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રાંતિ, કટી પતંગ, ઉપકાર, શહીદ અને બોબી જેવી સુપરહિટ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારા ૯૦ વર્ષીય પ્રેમ ચોપરાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારની પુષ્ટિ તેમના જમાઈ અભિનેતા વિકાસ ભલ્લા દ્વારા કરવામાં આવી છે. વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી, તેમણે જણાવ્યું…

Read More

૭૧ વર્ષીય અભિનેતા જીવંત અને સ્વસ્થ છેમારા મોતની અફવા ખોટી, હું જીવું છુ: જેકી ચાનજેકી ચાનના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં અહેવાલો અનુસાર જૂની ઈજાને કારણે તે મૃત્યુ પામ્યા હતા.‘હી-મેન’ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અપડેટ્સ વચ્ચે, માર્શલ આર્ટિસ્ટ અને અભિનેતા જેકી ચાનના મૃત્યુના અહેવાલો પણ ફરતા થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઘણી પોસ્ટ્સ દાવો કરે છે કે તે હવે નથી. કેટલાક લોકો તો દાવો કરે છે કે તેમની પત્ની અને પુત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે. જાે કે, બધા દાવા ખોટા છે. ૭૧ વર્ષીય અભિનેતા જીવંત અને સ્વસ્થ છે.હકીકતમાં, જેકી ચાનના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર…

Read More

સોના-ચાંદીના વાયદામાં ચાલુ રહેલો તેજીનો પવનઃ સોનાનો વાયદો રૂ.551 અને ચાંદીનો વાયદો રૂ.2318 વધ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.35 ઘટ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.25772.6 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.125661.07 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21204.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29523 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.151441.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25772.6 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.125661.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.7.67 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ..36 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29523 પોઇન્ટના…

Read More