
દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે કરી મુલાકાતભૂટાનથી પરત ફરતા જ PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યાતેમણે તેમને સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપી હતી, તેમણે ત્યાંના ડોકટરોની ટીમ સાથે પણ મુલાકાત કરી હતીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતથી પાછા ફર્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ, સીધા PM આવાસ જવાને બદલે, તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે, ભૂટાનમાં પોતાના સંબોધનમાં, PM મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ભૂટાનથી પાછા ફર્યા હતા. તેમણે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે તેમને સંપૂર્ણ સહાયની ખાતરી પણ આપી હતી. તેમણે ત્યાંના ડોકટરોની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. હોસ્પિટલમાં પીડિતોને મળ્યા બાદ, પીએમ મોદીએ ફરી એકવાર કહ્યું હતું કે, કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં.
લાલ કિલ્લા મેટ્રો બ્લાસ્ટ કેસમાં, દિલ્હી પોલીસે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), વિસ્ફોટક અધિનિયમ અને BNS ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જાેકે, સમગ્ર કેસની તપાસ દ્ગૈંછને સોંપવામાં આવી છે.
આતંકવાદી ડૉ. ઉમર પુલવામાના કોઇલનો રહેવાસી હતો.
તેણે ૨૦૧૭ માં શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી NIA પૂર્ણ કર્યું હતું. એવી શંકા છે કે, લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી કારમાં આતંકવાદી ઉમર હાજર હતો. જાેકે, હજુ સુધી એ નક્કી થયું નથી કે, ઉમર હાજર હતો કે, નહીં. હાલમાં MBBSનમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે, અને તે પછી જ એ નક્કી કરી શકાશે કે, ઉમર કારમાં હતો કે નહીં.
સુરક્ષા એજન્સીઓએ અલ ફલાહ યુનિવર્સિટી, ધૌજ, ફતેહપુર ટાગા, ફરીદાબાદ અને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ શોધખોળ હાથ ધરી છે. ડૉ. ઉમરે આ શીખવ્યું હતું.
વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે, કાનના પડદા, ફેફસાં અને આંતરડા ફાટી ગયા હતા. વધુમાં, મૃતદેહોના હાડકાં અને માથામાં ઇજાઓ હતી. મૃત્યુ ગંભીર ઇજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે થયા હતા.




