Author: garvigujrat

વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છેનવા સચિવાલયમાં સખી નીર બ્રાન્ડ દ્વારા અંદાજે ૧.૨૦ લાખથી વધુ પાણીની બોટલનું વેચાણ થયુંમહિલા સશક્તીકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ.૧૧.૨૦ લાખની કિંમતની સખી નીર પાણીની બોટલ ખરીદી છેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો. જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને…

Read More

લાખો મુસાફરોને મળશે મોટી રાહતસૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ૧૪મીથી બે ટ્રેનનો પ્રારંભરાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની એમ બે ટ્રેનો મંજૂર થઈ છેતાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસથી બે મહિના પૂર્વે બે વિમાની સેવા શરૂ થઈ હતી. હવે બે ટ્રેનનો પ્રારંભ સૌરાષ્ટ્રના વિસ્તારમાં થઈ રહ્યો છે. જે અંતર્ગત ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણાનો પ્રયાસ સાકાર થઈ રહ્યો છે. જે મુજબ ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. હવે કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાના પ્રયાસ થકી હવે…

Read More

ગુજરાતની ૮ કંપનીઓ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરશેવાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશેઅમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને અંદાજે ૩૩,૦૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છછત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ ૨ દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમણે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શીશ ઝુકાવ્યું હતું, સાથે છત્તીસગઢની ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ અમદાવાદમાં યોજાઈ હતી. ત્યાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ગુજરાતની ૮ કંપનીઓએ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે. જેમાં વાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરશે, તેવી જાહેરાત થઈ છે. અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને…

Read More

ભારત અને ભૂટાનના અધિકારીઓનું નિવેદનપીએમ મોદી ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રાએતેઓ ભૂટાનના ચોથા રાજાના જન્મદિવસ સમારોહમાં સામેલ થશે અને ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલમાં ભાગ લેશેપીએમ મોદી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રાએ છે. આ હિમાલયી દેશ ભૂટાનની તેમની ૨૦૧૪ પછીની ચોથી મુલાકાત હશે. તેમની આ મુલાકાત દરમિયાન, તેઓ ભૂટાન સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ‘માં ભાગ લેશે, જે વિશ્વ શાંતિ અને માનવતાના ઉત્થાનના ઉદ્દેશ્યથી આયોજિત કરાઈ રહ્યો છે. બંને દેશો વચ્ચેના ખાસ દોસ્તી અને સહયોગના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય નિયમિત વાટાઘાટોની પરંપરાને અનુરૂપ છે. આ મુલાકાત…

Read More

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલસાત મહિનામાં ૪૧ ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?સાત મહિના પહેલા જ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે, કોની જવાબદારી છે?દિલ્હી બ્લાસ્ટ મામલે વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળ ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. સાત મહિનામાં ૪૧ ભારતીયો માર્યા ગયા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના પાછળ કોણ જવાબદાર છે? સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘રાજધાની દિલ્હીમાં વિસ્ફોટની ઘટામાં ૧૦ લોકોના મોત થયા છે. ગઈકાલે ફરીદાબાદમાંથી ૩૬૦ કિલો વિસ્ફોટક પકડાયો હતો.…

Read More

આરોપીઓએ ૧૦થી વધુ લોકો પાસે નાણાં પડાવ્યા હતાહાઉસિંગ બોર્ડમાં મકાન-દુકાનના નામે ઠગાઇ કરનાર દંપતી સામે વધુ એક ફરિયાદઠગ દંપતી વિરુદ્ધ બે મહિના અગાઉ પણ આ જ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ એએમસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનનો સોદો કરીને લાખો રૂપિયા મેળવીને ખોટી રસીદો આપી હતી. જે કેસમાં પોલીસે થોડા દિવસ અગાઉ જ આરોપી દંપતીની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ વધુ ભોગ બનનાર લોકો સામે આવતા વેજલપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ હાલ સુધીમાં ૧૦થી વધુ…

Read More

આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને વેપારની સુસ્તીથી રોજગાર પર સંકટભાવનગર હીરા ઉદ્યોગમાં મંદી : વેકેશન બાદ માત્ર ૩૫ ટકા જ કારખાનાં શરૂછેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફના પ્રભાવને કારણે ઉદ્યોગ પર માઠી અસર પડી છભાવનગર જિલ્લામાં કૃષિ ક્ષેત્ર પછી મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર ર્નિભર છે. જાેકે, આ વર્ષે દિવાળીની રજાઓ સમાપ્ત થયા બાદ હીરા ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ યથાવત્ જાેવા મળી રહ્યો છે. સામાન્ય રીતે લાભ પાંચમ અથવા અગિયારસના શુભ મુહૂર્તથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હીરા બજારોમાં સુસ્તીનું વાતાવરણ છે. દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થવી જાેઈતી હતી,…

Read More

ઈ-કોમર્સમાં નવા ફિલ્ટરના પ્રસ્તાવથી ઓનલાઈન શોપિંગ પારદર્શક બનશે: કેન્દ્ર.ઇ-કોમર્સ પર વેચાતી વસ્તુઓ પર ઉત્પાદક દેશનું નામ લખવું ફરજિયાત બનશેઆ ર્નિણયથી ઉત્પાદક દેશના નામ સાથે ઉત્પાદન શોધવામાં અને સરખામણી કરવામાં ગ્રાહકોને મદદ મળી રહેશઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતી વિવિધ વસ્તુઓ અંગે વિવિધ કેટેગરીમાં માહિતી આપવામાં આવે છે. ગ્રાહકોને પોતાની પસંદગીની વસ્તુ ખરીદવામાં સરળતા રહે તે માટે વિવિધ ફિલ્ટર મૂકવામાં આવે છે. આવા ફિલ્ટરોમાં ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની કેટગરી ફરજિયાત રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મૂક્યો છે. ઉત્પાદક દેશના નામને ગ્રાહકો વાંચી શકે તે રીતે અલગથી દર્શાવવાનું રહેશે.કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ ફિલ્ટરના કારણે ગ્રાહકોનું સશક્તિકરણ થશે અને…

Read More

US ઈમિગ્રેશન વિભાગે તોતિંગ ફી વસૂલવા ધડાધડ નોટિસો જારી કરી.USમાં એચ-૧બી વિઝાની એક લાખ ડોલરની ફીની ઉઘરાણી શરૂઅમેરિકામાં છેલ્લાં ૪૦ દિવસથી ચાલી રહેલું શટડાઉન હવે સમાપ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે અમેરિકન કંપનીઓના વિરોધ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એચ-૧બી વિઝાની ફી વધારીને ૧ લાખ ડોલર કરવાની જાહેરાત કરી હતી. યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USICS)એ હવે આ નવી વધારાયેલી ફીની વસૂલાત માટે રિક્વેસ્ટ ફોર એવિડન્સ (RFEs) મોકલી તેની ઉઘરાણી શરૂ કરી છે. યુએસ ઈમિગ્રેશન વિભાગની આ કાર્યવાહીથી એચ-૧બી વિઝાધારકોની કુલ સંખ્યામાં ૭૦ ટકાથી વધુનો હિસ્સો ધરાવતાં ભારતીયોની ચિંતા વધી છે. આરઈએફ જારી કરવાની સંખ્યામાં વધારો તથા તે સાથે…

Read More

ટ્રમ્પે ભારત વિરુદ્ધ ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા.‘તે મારાથી ખુશ નથી પણ ફરી પ્રેમ કરવા લાગશે’ :ડોનાલ્ડ ટ્રમ્પ.ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયાથી તેલની આયાત ઘટાડવા માટે દબાણ બનાવવાના હેતુથી ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લગાવી હતી.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે.ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી…

Read More