Author: Garvi Gujarat

અરજીઓના નિકાલમાં વધુ વિલંબ ન્યાયના ઇનકાર સમાન ગણાય હાઇકોર્ટ્સ નિયમિત અને આગોતરા જામીનનો નિકાલ બે મહિનામાં કરે: સુપ્રીમ પીટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, બોગસ રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર જાેખમ હોવાની સાથે સમાજ માટે પણ જાેખમી છે. નિયમિત અને આગોતરા જામીન અરજીના નિકાલમાં લાંબો વિલંબ એ ન્યાયને નકારવા જેવો છે તેમ ઠરાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આવી અરજીઓનો નિકાલ કેસ ફાઇલ થયાના બે મહિનામાં જ કરી દેવાનો તમામ હાઇકોર્ટ્સને આદેશ આપ્યો છે. આ મામલે અનેક દિર્શાનિદેશો જારી કરતાં જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે અરજદારો ‘અનિશ્ચિતતા’ હેઠળ હોય ત્યારે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી અરજીઓ વર્ષાે…

Read More

શરૂઆતથી જ શોનો ભાગ રહેલા લોકોને સન્માનિત કરવા કેક કાપી ઉજવણી કરી.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો નવો વૈશ્વિક બેન્ચમાર્ક: ૪૫૦૦ એપિસોડ પૂરા કર્યા.આ ફક્ત અમારી સફળતા નથી, તે શરૂઆતથી જ આ સફરનો ભાગ રહેલા દરેક વ્યક્તિની મહેનતનું પરિણામ છે : અસિત મોદી.ભારતીય ટેલિવિઝન માટે એક યાદગાર સિદ્ધિમાં, અસિત કુમાર મોદીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ૪૫૦૦ એપિસોડ પૂરા કર્યા છે. આ માઇલસ્ટોન માત્ર ભારતના સૌથી લાંબા સમયથી ચાલતા સિટકોમ તરીકે શોના વારસાને મજબૂત બનાવે છે, પરંતુ તેની સફરને એક સાંસ્કૃતિક ઘટના તરીકે પણ ઉજવે છે જેણે ૧૭ વર્ષથી આ શો ચાલુ છે. આ ક્ષણને ચિહ્નિત કરવા માટે, ‘તારક…

Read More

માથા-પીઠમાં ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ કરાઈ.ચાલુ ટ્રેનમાંથી કૂદી ‘રાગિની સ્સ્જી રિટર્ન’ ફેમ એક્ટ્રેસ,કરિશ્મા શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી. તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફત આ ઘટના વિશે જણાવ્યું હતું.‘પ્યાર કા પંચનામા ૨’ ‘રાગિની એમએસએસ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈમાં એક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. બુધવારે તેણે ચાલતી લોકલ ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી. જેના કારણે તેને માથા અને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, ડોક્ટર તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.કરિશ્મા શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી. તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફત આ ઘટના…

Read More

હુમલાખોરે આપી ફિલ્મી કલાકારોને ચેતવણી.અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘરે થયો ગોળીબાર. અજાણ્યા હુમલાખોરોએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતા.બરેલી: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગની ઘટના સામે આવી છે. જાેકે, આ ઘટના મુંબઈમાં નહીં, પરંતુ ઉત્તર પ્રદેશમાં બની છે. દિશા પટણીના બરેલી સ્થિત નિવાસસ્થાને ગઈકાલે રાત્રે અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યાે હતો. આ ઘટના વહેલી સવારે લગભગ ૩:૩૦ વાગ્યે બની હતી.અજાણ્યા હુમલાખોરોએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જાેકે, આ ફાયરિંગને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં ગેંગસ્ટર રોહિત ગોદારાએ…

Read More

13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ…

Read More

ભાવુક વીડિયો વાઈરલ.નેપાળમાં હિંસા વચ્ચે ફસાઈ ગયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્ય.ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય વૉલીબૉલની ટીમને સુરક્ષિત પરત વતન લાવવામાં સફળતા મેળવી છે. ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગિલ નેપાળમાં એક વૉલીબૉલ લીગ માટે ગઈ હતી. પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે ફસાઈ હતી. વીડિયોમાં તેણે ભારતીય દૂતાવાસને ટીમની સુરક્ષા સુનિશ્ચિત કરતાં સક્રિયપણે કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. ઉપાસના ગિલએ પોખરાથી વીડિયો રજૂ કરી…

Read More

એશિયા કપ વચ્ચે ભારતીય ખેલાડીનો મોટો ર્નિણય.વોશિંગટન સુંદરે અચાનક એશિયા કપ સ્ક્વોડ છોડી.ટીમના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે અચાનક એશિયા કપ સ્ક્વોડ છોડી ઈંગ્લેન્ડ જવાનો ર્નિણય કર્યો છ.એશિયા કપ ૨૦૨૫મા ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે યુએઈને ૯ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે ટક્કર થવાની છે. પરંતુ આ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરે અચાનક એશિયા કપ સ્ક્વોડ છોડી ઈંગ્લેન્ડ જવાનો ર્નિણય કર્યો છે. હકીકતમાં વોશિંગટન સુંદરને આ ટૂર્નામેન્ટ માટે રિઝર્વ ખેલાડીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેવામાં ટૂર્નામેન્ટમાં મેચ રમવાની સંભાવના નહિવત હતી. આ વચ્ચે તેને ઈંગ્લિશ કાઉન્ટી…

Read More

આ સિસ્ટમનો ફાયદો બસ ઓપરેટરોને મળશે.હવે ગ્રીન હાઇડ્રોજન ટ્રક કોરિડોર બનાવવામાં આવશે.ગડકરીએ જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર ચાલતી સરકારી અને પ્રાઈવેટ બસો માટે નવી ટોલ સિસ્ટમ લાવી રહી છ.સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવા વાર્ષિક ટોલ પાસને કાર ચાલકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સરકારે ૧૫ ઓગસ્ટ ૨૦૨૫થી તેનો અમલ શરૂ કર્યો છે. એક મહિનાથી ઓછા સમયમાં તેને કાર ચાલકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ પછી હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકાર નેશનલ હાઈવે પર ચાલતી સરકારી અને પ્રાઈવેટ બસો માટે નવી ટોલ સિસ્ટમ લાવી રહી છે. આ સિસ્ટમનો ફાયદો બસ ઓપરેટરોને મળશે…

Read More

હિંસા બાદ વડાપ્રધાનનો પ્રથમ મણિપુર પ્રવાસ.વડાપ્રધાન મોદી ૧૩મી સપ્ટે. મણિપુરની મુલાકાત લેશે.વડાપ્રધાન મણિપુરના ચુરાચાંદપુર પહોંચશે : વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને ઇન્ફ્રા પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે. છેલ્લા ઘણા દિવસથી તેમના પ્રવાસને લઈને અટકળો ચાલી રહી હતી. જે બાદ હવે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. મણિપુરના મુખ્ય સચિવે કહ્યું છે કે વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાતથી શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મી સપ્ટેમ્બરે બપોરે ૧૨.૧૫ વાગ્યે મિઝોરમના પાટનગર આઇઝોલથી મણિપુરના ચુરાચાંદપુર પહોંચશે. અહીં તેઓ વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને ઇન્ફ્રા પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે. નોંધનીય છે કે માર્ચ ૨૦૨૩થી…

Read More

સચિન આગામી પ્રમુખ બનશે તેવી અફવાઓનો અંત,બીસીસીઆઈના પ્રમુખ બનવાની અટકળોને સચિન તેંડુલકરે ફગાવી.૩૦મીની બેઠકમાં બોર્ડના નવા ઓમ્બુડ્સમેન અને એથિક્સ ઓફિસર તથા આઇસીસી ખાતે ભારતના પ્રતિનિધિની પણ વરણી કરાશે.મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટ બોર્ડના આગામી પ્રમુખ બનવા અંગે ચાલી રહેલી અટકળોને ગુરુવારે ફગાવી દીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે આ મહિનાને અંતે મળનારી બીસીસીઆઈની બેઠકમાં આગામી પ્રમુખનો ર્નિણય લેવાનારો છે તેમાં પ્રમુખપદ માટેનો મુખ્ય દાવેદાર સચિન તેંડુલકર છે. પરંતુ ગુરુવારે તેણે આ અટકળો ફગાવી દીધી હતી.બાવન વર્ષીય સચિન તેંડુલકરની મેનેજમેન્ટ ફર્મે ગુરુવારે ખુલાસો કર્યાે હતો કે આવી કોઈ શક્યતા નથી. બીસીસીઆઈના પ્રમુખ તરીકે રોજર…

Read More