
- સુરેન્દ્રનગર: રાસકા ગામ સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચાર, જમીન-કેનાલ ગોટાળા
- વલસાડ પોલીસનો નવો એક્શન પ્લાન: નવા વર્ષ પર ૩૬ ચેકપોઈન્ટ અને પાર્ટી પ્લોટ પર કડક તપાસ
- નવા વર્ષ પહેલા મંદિરોમાં ભારે ભીડ: વ્યસ્ત યાત્રાધામોમાં દર્શન પર નિયંત્રણ
- ચાંદીમાં 3% વઘડો, સોનામાં ચાર દિવસની તેજી બંધ, નફા-બુકિંગના કારણે
- ભારતની મોટી સિદ્ધિ: 40% સસ્તું પ્રથમ સ્વદેશી MRI મશીન તૈયાર, વિદેશી ટેકનોલોજી પર આધાર ઘટશે
- ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરિટ, ડિસેમ્બરમાં લાખોની ભીડ
- વિદ્યાર્થી આપઘાતના વધતા કિસ્સા પર સરકાર કડક: કોલેજ-યુનિવર્સિટીમાં ફરજિયાત મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવાની ગાઈડલાઈન જાહેર
- સ્કૂલ ફી પર FRCની કડકાઈ: ગુજરાતની ૫,૭૮૦ ખાનગી શાળાઓની ફી ઓનલાઈન જાહેર, મનમાની બંધ
Author: Garvi Gujarat
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો.દેશના એરપોર્ટો પર છેલ્લા ત્રણ દિવસથી એરલાઈન્સ કંપની ઈન્ડિગોની ૨૦૦૦થી વધુ ફ્લાઈટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે. અનેક એરપોર્ટ પરના ફ્લાઈટ રદનો સામનો કરી રહેલા મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો તાત્કાલીક રિફંડની માંગ કરી રહ્યા છે, જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને…
સુપ્રિયા સુલેએ રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ રજૂ કર્યું.વર્તમાન સમયમાં, કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી થયા પછી પણ બોસના કૉલને ના પાડવાની સ્થિતિમાં હોતા નથી.જાે તમે નોકરી કરો છો અને ઓફિસનો સમય પૂરો થયા પછી પણ બોસના કૉલ કે ઈમેલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન, નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. જાે આ ખાનગી બિલ સંસદમાં પસાર થશે, તો તે ભારતના કોર્પોરેટ જગત માટે એક ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમની શિફ્ટ પૂરી થયા…
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ માટે મહત્તમ ભાડા મર્યાદા નક્કી કરી.૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે મહત્તમ ભાડું ૭,૫૦૦ રૂપિયા : ૫૦૦ થી ૧,૦૦૦ કિમી વચ્ચેની મુસાફરી માટે મહત્તમ ભાડું ૧૨,૦૦૦ રૂપિયા.ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો સંકટને ધ્યાનમાં રાખીને તમામ અસરગ્રસ્ત રૂટ પર યોગ્ય અને વાજબી ભાડા નક્કી કરવા માટે તેની નિયમનકારી સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અસરગ્રસ્ત રૂટ માટે મહત્તમ ભાડા મર્યાદા નક્કી કરી છે. સરકારે એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ વ્યક્તિગત રૂટ માટે નક્કી ભાડા કરતાં મુસાફરો પાસેથી વધુ ભાડું નહીં વસૂલે. જણાવી દઈએ કે, ઈન્ડિગો સંકટ વચ્ચે અન્ય એરલાઇન્સ ખૂબ ઊંચું ભાડું વસૂલતી હોવાની…
રશ્મિકા મંદાનાએ છૈંના ઉપયોગ બદલ ચિંતા વ્યક્ત કરી.એઆઈના ઉપયોગથી બિભત્સપણું અને મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે, “તે કેટલાક લોકોની સમભાવનાનું પતન દર્શાવે છે.રશ્મિકા મંદાના બહુ શરુઆતમાં ડીપફેક વીડિયોનો ભોગ બની ચુકી છે, ત્યાર પછી ઘણા સેલેબ્રિટી એઆઈ અને ફેક ઇમેજિસ વગેરે બાબતોનો ભોગ બની ચૂક્યા છે. સિનેમા ઇન્ડસ્ટ્રીમાં હવે આ ઘટનાઓ વધી રહી છે. કિર્તી સુરેસ, ગિરિજા ઓક જેવી એક્ટ્રેસે પણ આ અંગે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે રશ્મિકા મંદાનાએ એક્સ પર એક નિવેદન જાહેર કર્યું છે. રશ્મિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, “જ્યારે સત્ય ઘડી શકાય, ત્યારે સમજદારી અને પરખ જ આપણી સૌથી સારી સુરક્ષા સાબિત થઈ શકે છે.” આગળ રશ્મિકાએ…
પાપારાઝીઓની એજન્સી જયા બચ્ચન સામે ફરિયાદ કરશે.મીડિયાકર્મીઓના અપમાનજનક ટીપ્પણી બદલ આચાર સંહિતા સ્થાપિત કરવાના પ્રયાસ.આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જયા બચ્ચને પાપારાઝીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જયા બચ્ચને તેમને ગંદા પેન્ટ પહેરીને પોતાની સાથે મોબાઇલ લઇને આવનારા લોકો એમ સમજે છ ેકે તેઓ ગમે તે વ્યક્તિની તસવીર લઇ શકે છે. જયા બચ્ચનની આવી ટીપ્પણીથી મીડિયાકર્મીઓ વિચાર્રવિમશ કરીને પીઢ અભિનેત્રી વિરુદ્ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશનમાં ફરિયાદ નોંધાવાની તૈયારી કરી રહી છે. પાપારાઝીઓ એજન્સીઓ સાથે મળીને ફરિયાદ નોંધાવશે. ફિલ્મની સેલિબ્રિટીઓ સાથે એક મીટિંગ યોજીને તેઓ આ બાબતે ચર્ચા કરવા માંગે છે. જયા બચ્ચને પાપારાઝીઓના પોશાક પર અપમાનજનક ટીપ્પણી…
નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ “અખંડા ૨” ની રિલીઝ મોકૂફ.તેલુગુ અભિનેતા નંદમુરી બાલકૃષ્ણની બહુપ્રતિક્ષિત ફિલ્મ, “અખંડા ૨”, ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.તેલુગુ અભિનેતા નંદમુરી બાલકૃષ્ણની બહુપ્રતિક્ષિત ફિલ્મ, “અખંડા ૨”, ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોઈ અસંબંધિત કારણોસર, તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. ભારતમાં તેનો પેઇડ પ્રીમિયર શો અચાનક રદ થયાના થોડા કલાકો પછી જ આ અપડેટ આવ્યું છે, જેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસ, ૧૪ રીલ્સ પ્લસે જાહેર કર્યું કે ટેકનિકલ સમસ્યાઓને કારણે ફિલ્મના પેઇડ પ્રીમિયર રદ કરવામાં આવ્યા છે. આ જાહેરાત કરતા, નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભારે હૃદયથી, અમને તમને જણાવતા દુ:ખ થાય છે…
પ્રશંસકો વગર રોકટોકે પોતાના પ્રિય અભિનેતાના ફાર્મહાઉસમાં જઇ શકશે.સની- બોબી પિતાના ૯૦મા જન્મદિવસે ફાર્મહાઉસના દરવાજા ખુલ્લા મુકશે.ધર્મેન્દ્ર સોશયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ ફાર્મહાઉસ પરથી વારંવાર તેમની તસવીરો મુકતા હતા.સની દેઓલ અને બોબી દેઓલે પિતા ધર્મેન્દ્રની અંતિમ ક્રિયા જાહેર કર્યા વિના જ ઉતાવળે પુરી કરી દીધી હતી. જેથી ધર્મેન્દ્રના પ્રશંસકો તેમના પ્રિય અભિનેતાના અંતિમયાત્રાનો હિસ્સો બની શક્યા નહીં ,તેમજ દર્શન કરી શક્યા નહોતા. હવે સની અને બોબી દેઓલે પિતાના પ્રશંસકો માટે પિતાના ૯૦મા જન્મદિવસે ફાર્મહાઉસના દરવાજા પ્રશંસકો માટે ખુલ્લા મુકવાનો ર્નિણય લીધો છે. જેથી ધર્મેન્દ્રના ચાહકો કોઇ પણ રોકટોક વગર પોતાના પ્રિય અભિનેતાના ફાર્મહાઉસમાં જઇને તેમની યાદ તાજી કરી શકશે.…
ગુરુવારે આયોજક દ્વારા ઇઝરાયલને ૨૦૨૬ યુરોવિઝન ગીત સ્પર્ધામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે સ્પેન, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ અને સ્લોવેનિયા ગાઝા યુદ્ધ પર ખસી ગયા હતા અને સ્પર્ધાને તેના ઇતિહાસની સૌથી મોટી હરોળમાં ધકેલી દીધી હતી. આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ધમકી આપનારા પ્રસારણકર્તાઓએ ગાઝામાં મૃત્યુઆંકનો ઉલ્લેખ કર્યો હતો અને ઇઝરાયલ પર સ્પર્ધાની તટસ્થતાનું રક્ષણ કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયલ તેના ટીકાકારો પર તેની વિરુદ્ધ વૈશ્વિક સ્તરે બદનામી ઝુંબેશ ચલાવવાનો આરોપ મૂકે છે. જીનેવામાં એક બેઠક પછી, યુરોપિયન બ્રોડકાસ્ટિંગ યુનિયન, અથવા ઈમ્ેં, એ ઇઝરાયલની ભાગીદારી પર મતદાન ન કરવાનો ર્નિણય લીધો, અને કહ્યું કે તેણે સરકારોને સ્પર્ધાને પ્રભાવિત…
સુરક્ષા ચિંતાઓ વચ્ચે દ્ગૈંછ કોર્ટે અનમોલ બિશ્નોઈની કસ્ટડી સાત દિવસ લંબાવી. પટિયાલા હાઉસ ખાતેની રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) કોર્ટે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની કસ્ટડીમાં સાત દિવસનો વધારો કર્યો છે. દ્ગૈંછ હેડક્વાર્ટરમાં જ ખાસ સુરક્ષા વ્યવસ્થા હેઠળ હાથ ધરવામાં આવેલી સુનાવણી બાદ આ વધારો મંજૂર કરવામાં આવ્યો હતો, જે કેસના સંવેદનશીલ સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. પૃષ્ઠભૂમિ અને દેશનિકાલ અનમોલ બિશ્નોઈને તાજેતરમાં ગેરકાયદેસર રોકાણ સંબંધિત મુદ્દાઓને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. પરત ફર્યા પછી, તેના પર અનેક આરોપો લાગ્યા હતા, જેના કારણે દ્ગૈંછ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ઉચ્ચ પ્રોફાઇલ દરજ્જા અને તેની સલામતી માટે…
અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા.અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષબ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે સાબરમતી નદીનું પાણી દેખાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રિ સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવી બાબત સામે આવી છે. બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



