- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
અમેરિકાના ઈરાન પર તબાહી મચાવતા હુમલા મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ : હુથીઓએ સાઉદીના ૨ ઓઈલ ટેન્કર સળગાવ્યા સાઉદી અરેબિયાના અલ-શુકૈકથી આશરે ૭૦ નોટિકલ માઈલ દૂર ‘એન્સેલિયા’ ટેન્કર પર મિસાઈલ પડતા જ ભયાનક આગ લાગી ગઈ હતી મિડલ ઈસ્ટમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર અને ભયાનક બની રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના ૧૨મા દિવસે યુએસ સેનાએ ઈરાનના વિવિધ વિસ્તારો પર પ્રચંડ હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રેડ સીમાં સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો પર મિસાઈલ હુમલા કર્યા છે. આ સાથે જ આ સંઘર્ષ હવે સમગ્ર પશ્ચિમ એશિયા અને વૈશ્વિક ઊર્જા માર્ગાે પર ફેલાઈ…
‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ ની રચના કરવાનો મહત્વનો ર્નિણય ‘યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારને છોડાશે નહીં’ : મોદી દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વાેચ્ચ પ્રાથમિકતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી NEET પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીકની ઘટનાઓ સામે સરકારના આકરા વલણની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વાેચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.પેપર લીકના તમામ કેસોના…
રાહુલ મોદીની ફિલ્મમાં શ્રદ્ધા હિરોઈન હશે ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી સ્ટાર્ટ અપની દુનિયાના હીરો ગણાતાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાને તેના ર્નિદેશક રાહુલ મોદી સાથે ક્રિયેટિવ મતભેદો પડયા હોવાનું જણાવી હટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રોજેક્ટમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની હોવાની વાત છે. હાલ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા એક મોટા સ્ટુડિયોની સાથે આ ફિલ્મની સહનિર્માત્રી પણ બનવાની છે તેવી પણ વાત છે.અશનીર…
NEET પેપર લીક વિવાદ અભિનેતા સલમાન ખાન અને ઈમરાન ખાન વિદ્યાર્થીઓના સમર્થનમાં આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જાેઈને ખૂબ દુ:ખ થયું : સલમાન નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલીવુડ ક્ષેત્રમાંથી પણ મોટું સમર્થન મળી રહ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાન સહિત દેશના અનેક જાણીતા કલાકારોએ આ મુદ્દે પોતાના અવાજ બુલંદ કર્યા છે.વિદ્યાર્થીઓના આંદોલન અંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સલમાને લખ્યું કે, ‘આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જાેઈને ખૂબ દુ:ખ થયું. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘાયલ…
૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં શો પ્રસારિત થયેલો આર માધવન ‘જીના ઇસી કા નામ હૈ’ ઓટીટી પર કરશે વાપસી ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે એક સમયનો લોકપ્રિય સેલિબ્રિટી ટોક શો ‘જીના ઇસી કા નામ હૈ’ હવે નવા અંદાજમાં ઓટીટી પર વાપસી કરવા જઈ રહ્યો છે. ઝી૫ પર આવનારા ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે.૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઝી ટીવી પર પ્રસારિત થયેલા આ શોમાં ફારુખ શેખ ફિલ્મી હસ્તીઓને આમંત્રિત કરીને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનનાં અજાણ્યા પાસાઓ દર્શકો સમક્ષ લાવતા હતા. તેમની…
આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાઓ સામે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર જે આંદોલન શરૂ કર્યું છે, તેનાથી સરકારને કડક સંદેશ મળ્યો છે. આંદોલન દરમિયાન દિલ્હીમાં પોલીસ અને ગુંડાઓ દ્વારા યુવાનો અને દીકરીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો, અનેક લોકોના માથા ફૂટ્યા, છતાં દેશનો યુવાન પોતાની માંગ પર અડગ રહ્યો તે ખૂબ અભિનંદનને પાત્ર છે. દેશભરમાં પેપર લીકનો સૌથી મોટો રેકોર્ડ જો કોઈ રાજ્યમાં બન્યો હોય તો તે ગુજરાત છે. અહી ભાગ્યે જ કોઈ એવી પરીક્ષા હશે જેનું પેપર લીક ન થયું હોય કે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત સરકાર ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સંચાલન અને નિયમન કરવામાં નિષ્ફળ છે. વિરોધ પક્ષો અને અન્ય સામાજિક વિરોધીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નિર્દેશ કર્યો છે કે તાજેતરમાં એક પ્રધાનની પુત્રી નૈમિષા અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. એક યુઝરે દલીલ કરી હતી કે, જ્યારે રાજકીય નેતાઓ તેમના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે વિદેશ મોકલવાનું પરવડી શકે છે. ત્યારે લાખો ભારતીય વિદ્યાર્થીઓ પેપર લીક, ભરતી કૌભાંડો, વિલંબિત પરિણામો અને જવાબદારીના અભાવથી પીડાતી સિસ્ટમ સામે ઝઝૂમી રહ્યા છે. આ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જતા વધતા જતા વલણને અનુરૂપ…
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને બહેનો આંદોલન કરી રહ્યા છે. NEETનું પેપર ફૂટવાના કારણે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આ તાનાશાહ સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરાવ્યો છે, જેમાં બહેનો-દીકરીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. યુવાનો જ્યારે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સરકારે એમની વાત સાંભળવી જોઈએ, પરંતુ સત્તાધીશો તેમની સામે કડક પગલાં ભરી રહ્યા છે.…
મિનિષા લાંબાએ યાદ કરી ડેબ્યૂ ફિલ્મ ‘યહાં ફિલ્મે મારી જિંદગીની દિશા બદલી’ : મિનિષા લાંબા ૨૯ જુલાઈ, ૨૦૦૫ના રોજ રિલીઝ થયેલી ‘યહાં’ના તેની સંવેદનશીલ વાર્તા અને કલાકારોના અભિનય માટે વખાણ થયા હતા અભિનેત્રી મિનિષા લાંબાએ પોતાની પ્રથમ ફિલ્મ ‘યહાં’ના ૨૧ વર્ષ પુરા થતાં ભાવુક પોસ્ટ શેર કરી છે. વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી આ ફિલ્મને યાદ કરતાં તેણે દિગ્દર્શક શૂજિત સરકારનો આભાર વ્યક્ત કર્યાે અને કહ્યું કે આ ફિલ્મે તેનાં જીવન અને કારકિર્દીની દિશા જ બદલી નાખી.“‘યહાં’ (૨૦૦૫)… શૂજિત સરકારની ફિલ્મ. ૨૧ વર્ષ બાદ… મને ‘અદા’નું પાત્ર ભજવવાની તક આપવા બદલ તમારો આભાર. આ ફિલ્મે મારા જીવનની દીશા બદલી નાખી. ફિલ્મના…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ દેશના યુવાનોને એક સલાહ આપી હતી કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરવાથી શું સોલ્યુશન આવશે? આ અંગે જવાબ આપતાં તેમણે કહ્યું કે સોલ્યુશન શોધવા માટે જ તો દેશના કરોડો યુવાનો જંતર-મંતર પર એકઠા થયા છે. આદિત્યભાઈ પોતે તેમના ‘ખલાસી’ ગીતમાં ગાય છે કે “એવો હાર્દનો પ્રવાસી કોણ છે, એને ગોતી લ્યો”, તો આજે આ દેશના યુવાનો પોતે ખલાસી બનીને નીકળ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને લોકશાહીની નાવડી જ્યારે ડૂબવાની તૈયારીમાં છે, ત્યારે આ યુવાનો તેને બચાવવા અને પાટા પર લાવવા માટે ભેગા થયા છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



