- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
૨૯ ઓગસ્ટ સુધી જામશે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ડાંગના ગિરિમથક સાપુતારમાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ ૨૯ ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાનો ત્રિવેણી સંગમ જાેવા મળશે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-૨૦૨૬ નો પ્રારંભ થઈ ગયો છે. આગામી ૨૯ ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાનો ત્રિવેણી સંગમ જાેવા મળશે.ચોમાસાની ઋતુમાં સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે, ત્યારે પ્રવાસીઓને આકર્ષવા અને ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના ફેસ્ટિવલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો સાથે ડાંગની…
દેશવ્યાપી આંદોલનની તૈયારી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર ૧૩ દિવસથી ગૃહમંત્રી મૌન છે, જ્યારે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરાયો : કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં દેશમાં પેપર લીક અને કથળતી જતી શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકારણ ફરી એકવાર ચરમસીમા પર પહોંચ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાંના મુદ્દા પર કેન્દ્ર સરકાર, ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઠ પર એક પોસ્ટ લખીને સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને શાંત થવા દેશે નહીં. રાહુલે ઠ પર લખ્યું, હવે મારી પાસે કોઈ રસ્તો…
રહાણેએ ખોલ્યું મોટું રહસ્ય યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો બેન, ચિઠ્ઠી પણ લખાઈ ગઈ હતી જયસ્વાલ ટી. રવિ તેજાને સ્લેજ કરી રહ્યો હતો : અમ્પાયર તરફથી અનેક ચેતવણીઓ છતાં જયસ્વાલ પીછે હટ્યો નહીં યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સતત પોતાના પ્રદર્શનના કારણે ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા માટે ઓપનર તરીકે તેણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને હાલમાં તે ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. આ વચ્ચે અજિંક્ય રહાણેએ જયસ્વાલ અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. રહાણેએ જયસ્વાલ સાથે જાેડાયેલા ચાર વર્ષ જૂના વિવાદ વિશે ખુલ્લીને વાત કરી અને એક મોટું રહસ્ય ખોલ્યું છે. ૨૦૨૨ દુલીપ ટ્રોફી ફાઇનલ દરમિયાન જયસ્વાલને મેદાનની…
ટોળાએ ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંક્યા મમતા બેનર્જીના કાફલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યા સ્થિતિ વધુ વણસે તે પહેલાં સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને મમતા બેનર્જીને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢ્યા હતા પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મમતા બેનર્જીના કાફલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હલિશહરમાં બનેલી આ ઘટનામાં ટોળાએ મમતા બેનર્જીની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. આ દરમિયાન ગાડી પર કાદવ, પાણીની બોટલો અને ચપ્પલ ફેંકવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો અને…
અમેરિકાએ કોઈ નિવેદન બહાર પાડ્યું નથી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે અમેરિકા સમક્ષ પોતાની મુખ્ય માંગણીઓ મૂકી ઈરાન દ્વારા આ માંગણીઓમાં સૌથી મુખ્ય માંગણી એ છે કે અમેરિકા ઈરાન સાથેના યુદ્ધ માટે વળતર ચૂકવે પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ જહાજાેને નિયમિતપણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત UAEએ જણાવ્યું હતું કે તેના એક જહાજને ઈરાની મિસાઈલનો શિકાર બનાવાયું હતું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે હોર્મુઝમાં પરિસ્થિતિ ક્યારે અને કેવી રીતે સામાન્ય થશે. તેહરાને હવે આનો જવાબ આપ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ…
આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે 9 ઓગસ્ટના રોજ સમગ્ર ભારત દેશમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત દાહોદમાં આદિવાસી સમાજની એક રેલી નીકળી હતી. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા જેલમાં છે, જેના કારણે લોકોના મનમાં ખૂબ જ રોષ છે. જ્યારે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ ન હતા, એ પહેલાથી જ તેમણે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજનું સંગઠન ઊભું કર્યું હતું એટલા માટે દાહોદ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થકો કોઈ પક્ષના નથી. તો જ્યારે એ…
મોંઘવારીનો વધુ એક માર ! ૧૧ ઓગસ્ટથી મહારાષ્ટ્ર રાજ્યમાં મોંઘું થશે દૂધ રાજ્યમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા૨નો વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં દૂધ ખરીદનારાઓને મોંઘવારીનો વધુ એક ઝટકો સહન કરવો પડશે. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬થી રાજ્યમાં ગાય અને ભેંસના દૂધના ભાવ પ્રતિ લિટર ૨ રૂપિયા વધવાની શક્યતા છે. દૂધના ભાવમાં વધારા સાથે દહીં (દહીં), પનીર અને અન્ય ડેરી ઉત્પાદનો પણ વધુ મોંઘા થઈ શકે છે. આનો અર્થ એ છે કે સવારની ચા અને બાળકોના નાસ્તાથી લઈને રોજિંદા રસોડાની જરૂરિયાતો સુધી આ વધારો ઘરના બજેટ પર સીધી અસર કરશે. રાજ્યની મુખ્ય સહકારી અને ખાનગી ડેરીઓના પ્રતિનિધિઓની…
મોદીએ દેશવાસીઓને કરી ખાસ અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી તેમણે દેશવાસીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ કરી દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી છે. તેમણે દેશવાસીઓને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવા અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તિરંગો દેશના ગર્વ અને ગૌરવનું પ્રતીક છે અને તે આપણને દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરણા આપે છે.‘ PM મોદીએ રવિવાર, ૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું, “આપણો…
(નીડર , નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંકો આપવાની સુધારેલ યોજના મુજબ સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને આશ્રિત તરીકે રહેમરાહે નિમણુંકો આપવા જરૂરી આદેશ કરવા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રી ભાઈલાલ બી. વૈષ્ણવ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી છગનલાલ ડી. મેવાડા, મહામંત્રીશ્રી સૈયદભાઈ શેખ અને મહામંત્રીશ્રી કાંતિભાઈ બી.સોલંકી, મહામંત્રી શ્યામભાઈ ટેનિયા, શહેર શાખા કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પટેલ, વાલ્મિકી સમાજ ના સિનિયર એડવોકેટ ડી સી સોલંકી, બીપીનભાઈ રાઠોડ વિગેરે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શહેર વિકાસ…
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા)સુરત ભારતીયોની મુખ્ય બંધારણીય સંસ્થા એટલે કે લોકસભા. જ્યાં આજના સમયે જોવા મળશે બેશરમ અને શક્તિશાળી નેતાઓ જેઓએ પોતાને જવાબદારી હેઠળ લાવી શકે તેવી તમામ સંસ્થાઓ પર કબજો જમાવી દીધા પછી, આ બેશરમ તાનાશાહો (સરમુખત્યારો) જાહેર માં ગુનાઓ અને ભૂલો કરે છે. (પેલેટ ગન કોણે ચલાવી એનો કોઈ જવાબ નહીં). કારણ કે સક્ષમ દેખાવુ અને સજા પામ્યા વિના છટકી જવું એ પોતેજ તેની નિર્ભયતા (દંડના ભય વગર કામ કરવાની ક્ષમતા) નું પ્રદર્શન છે. આનું મુખ્ય કારણ છે બહુમતી. આ બહુમતી મેળવવા શાસકો આકાશ પાતાળ એક કરીને પણ બહુમતી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


