Author: Garvi Gujarat

ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી ‘ઈરાનના પરમાણુ ભંડાર પર કબજાે કરીને જ રહીશ’ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા દરમિયાન આ યુરેનિયમને ઈરાનના પરમાણુ ઠેકાણાઓની નીચે દબાવી દેવામાં આવ્યું હતું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના ભંડારને લઈને ફરી એકવાર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પાસે રહેલું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ પોતાના નિયંત્રણમાં લઈને જ રહેશે.વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું કે, “અમે ઈરાન પાસે રહેલું સંવર્ધિત યુરેનિયમ…

Read More

પેન્ટાગન પાસે હવે માત્ર ૨૦૦ ‘થાડ’ મિસાઈલ બચી હોવાનો દાવો ઈઝરાયલને બચાવવામાં અમેરિકાએ યુદ્ધમાં મિસાઈલનો ૫૦% હિસ્સો ગુમાવ્યો જાે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ફરી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કે જવાબી હુમલો શરૂ કરશે, તો અમેરિકાના મિસાઈલ સ્ટોક પર અસહ્ય દબાણ આવશે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષમાં ઈઝરાયલનું રક્ષણ કરવા જતાં સુપરપાવર અમેરિકા પોતે જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અમેરિકાએ પોતાની એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલોનો એટલો મોટો જથ્થો વાપરી નાખ્યો છે કે હવે તેના પોતાના જ શસ્ત્રાગાર (મિલીટ્રી સ્ટોક) પર સવાલો ઉભા થવા લાગ્યા છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયલની ઢાલ બનવા…

Read More

સ્ટેશનથી ૧૦૦થી ૫૦૦ મીટરના અંતરે પાર્કિંગ સુવિધા.ટ્રાફિક સમસ્યા નિવારવા ૧૪ મેટ્રો સ્ટેશન નજીક ૧૭ નવા પાર્કિંગ પ્લોટ.પાર્કિંગ પ્લોટોને વધુ સુવિધાજનક બનાવવા માટે ત્યાં પેવર બ્લોક, પાર્કિંગ સાઇન બોર્ડ અને CCTV કેમેરા જેવી સુવિધાઓ.શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થયા બાદ ધીમે ધીમે મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મેટ્રોમાં મુસાફરી કરતાં લોકોને પાર્કિંગ સુવિધાના અભાવે મેટ્રોમાં મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેને પગલે AMC એ અમદાવાદના ૧૪ મેટ્રો સ્ટેશનો નજીક ૧૭ પાર્કિંગ પ્લોટો બનાવવાનો ર્નિણય લીધો છે. જેના પગલે શહેરમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને નિવારી શકાય. મુસાફરોને ફ્રી પાર્કિંગ સાથે CCTV સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.…

Read More

પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે સાંસદનું મોટું નિવેદન.કોઈએ ખોટું પેનિક ફેલાવવું જાેઈએ નહિ : પરસોત્તમ રૂપાલા.હાલમાં આપણી પાસે ૪૦% જેટલો જથ્થો ઉપલબ્ધ છે, લોકોએ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જાેઈએ.ટ્રોલ-ડીઝલ પર આફત આવી છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખૂટી રહ્યો છે. તો કેટલાય પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા બોર્ડ લાગ્યા છે. આવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનું મહત્વનું નિવેદન આવ્યું છે. પેટ્રોલ ડીઝલને લઈને પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, હાલમાં આપણી પાસે ૪૦% જેટલો જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ પણ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જાેઈએ. કોઈએ ખોટું પેનિક ફેલાવવું જાેઈએ નહિ.…

Read More

દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો.આજે યુદ્ધ પૂરું થાય તો પણ ૨૦૨૭ પહેલાં ઓઇલ સંકટ ઉકેલાશે નહીં.યુદ્ધ પહેલાના માત્ર ૮૦% ઓઇલ પુરવઠાને પાછો લાવવામાં જ ઓછામાં ઓછા ૪ મહિનાનો સમય લાગશે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ ક્યારે પૂરું થશે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પરંતુ તેનાથી પણ વધુ ચિંતાજનક સવાલ એ છે કે, જાે આ યુદ્ધ આજે જ પૂરું થઈ જાય, તો દુનિયાને પહેલાંની જેમ સામાન્ય અને સસ્તું ઓઇલ-ગેસ ક્યારે મળશે? વૈશ્વિક ઊર્જા નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના ટોચના વડાઓનું કહેવું છે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલું સંકટ એટલું ગંભીર છે કે તણાવ તાત્કાલિક બંધ થાય તો પણ વૈશ્વિક ઓઇલ…

Read More

મોદીનો મંત્રીઓને આદેશ- ફાઈલો અટકવી ના જાેઈએ.મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના એંધાણ!.નવી દિલ્હીમાં મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્ત્વની અને લાંબી બેઠક યોજાઈ.નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરિષદની એક અત્યંત મહત્ત્વની અને લાંબી બેઠક યોજાઈ હતી. લગભગ સાડા ચાર કલાક ચાલેલી આ મેરેથોન બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રીઓને આગામી સમય માટે સ્પષ્ટ રોડમેપ આપી દીધો છે. આવતા મહિને કેન્દ્રમાં મોદી સરકાર પોતાના સફળ ૧૨ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, તે પહેલાં જ યોજાયેલી આ હાઈ-લેવલ મીટિંગથી રાજકીય ગરમાવો આવી ગયો છે. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ અંગે માહિતી શેર કરતા…

Read More

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક.ભારતની નવી પેઢી હવે વિકલ્પ શોધી રહી છે : શશી થરૂર.કોકરોચ જનતા પાર્ટીનું X હેન્ડલ બંધ કરવું એ સરકારની મોટી ભૂલ : કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર.દેશના ડિજિટલ સ્પેસમાં રાતોરાત સનસનાટી મચાવનારી વ્યંગાત્મક મુવમેન્ટ ‘કોકરોચ જનતા પાર્ટી‘ હવે માત્ર સોશિયલ મીડિયા મજાક નથી રહી, પરંતુ દેશના રાજકારણનું નવું હથિયાર બની ગઈ છે. આ પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા દેશની બે સૌથી મોટી નેશનલ પાર્ટીઓ – ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે થઈ ગઈ છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં મોટું નિવેદન આપ્યું છે. થરૂરે કહ્યું છે કે સોશિયલ મીડિયા…

Read More

ઇબોલા વાયરસની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે.કોરોના બાદ ફાટી નીકળ્યો જીવલેણ વાયરસ, ભારત સહિત અન્ય દેશો એલર્ટ!.અમેરિકાએ યુગાન્ડા, DRC અને સાઉથ સુદાનથી આવેલા બિન-અમેરિકી મુસાફરોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો.કોરોના મહામારી બાદ દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હવે ફરી એકવાર આફ્રિકાથી નવો સ્વાસ્થ્ય પડકાર સામે આવ્યો છે. ઇબોલા વાયરસની નવી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. મુખ્યત્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC), યુગાન્ડા અને સાઉથ સુદાન પ્રભાવિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ૧૭ મે ૨૦૨૬ના રોજ આને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) જાહેર કરી દીધું છે. ડ્ઢઇઝ્રના ઇતુરી પ્રાંતમાં મે ૨૦૨૬ની શરૂઆતમાં બીમારી તરીકે શરૂ થયેલો આ…

Read More

૧૮ જુને ચૂંટણી, એ જ દિવસે પરિણામ.ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકો સહિત ૨૪ સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર.ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યો રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.રાજ્યસભા ચૂંટણી ૨૦૨૬ની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે દેશના ૧૦ રાજ્યોની કુલ ૨૪ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચ અનુસાર આ બેઠકો માટે ૧૮ જૂન ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ૧૦ રાજ્યોમાં યોજાનારી આ ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટ અનુસાર, રાજ્યસભાના…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને તા.૧૮/૦૫/૨૦૨૬ ના રોજ રૂબરૂ મળી હાલમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓને જે તે દવાખાના, હોસ્પિટલોમાંથી દવાનો સ્ટોક ન હોય તે દવા બહારથી લખી આપવામાં આવતી હતી.જે દવા વિના મૂલ્યે આપવામાં આવતી હતી. તે પ્રથા હાલમાં બંધ કરી રિઈમ્બર્સમેન્ટ પ્રથા દાખલ કરી છે. આ પ્રથા કર્મચારીઓ, પેન્શરોના હિત વિરુધ્ધ હોય તે રિઈમ્બર્સમેન્ટ પ્રથા બંધ કરવાની જરૂર છે. સુરત મહાનગરપાલિકા ધ્વારા જૂના ઠરાવમાં સુધારો કરી એક પરિપત્ર બહાર પાડી પહેલા કર્મચારીએ પોતાના પૈસે દવા ખરીદવાની અને ત્રણ મહિના પછી દવાના નાણાં તેના પગારમાં જમા થાય. કેટલાક કર્મચારીઓ,પેન્શરો હાલ કેટલાક ગંભીર રોગોથી…

Read More