Author: garvigujrat

 (છગનલાલ મેવાડા ધ્વારા) સુરત             સુરત જિલ્લા વાલ્મિકી સમાજ સેવા મંડળ સંચાલિત ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ કલ્યાણ સમિતિ આયોજિત કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ ની મીટીંગ નવસારી સર્કિટ હાઉસ ખાતે વાલ્મિકી કૌટુંબિક તકરાર નિવારણ સમિતિ  ના પ્રમુખ  એડવોકેટ ડી સી સોલંકી અંકલેશ્વર ના પ્રમુખસ્થાને તારીખ 05/07/2026 ના રોજ બપોરે બે કલાકે મળી હતી. જેમાં સુરત નવસારી વલસાડ બારડોલી વ્યારા ભરૂચ ના આશરે પચાસ જેટલા પ્રતિનિધિ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. વિવાહિત તકરાર ના દશ જેટલા પક્ષકારો હાજર રહી તેમની સમસ્યા રજૂ કરી હતી પક્ષકારોની સમસ્યા સાંભળી નિકાલ કરવા પ્રમુખશ્રી એ આશ્વાસન  આપેલ હતું. પ્રમુખ સ્થાને થી સંબોધતા ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે વિવાહિત…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.               ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ચોરીનો આરોપ મુકવામાં આવ્યો છે. અને એના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભૈરવ સેનાએ મુકેલા આ આરોપોએ સનસનાટી મચાવી લીધા બાદ હવે મંદિર સમિતિના કર્મચારીઓ અને મંદિર સમિતિના પ્રમુખના પર્સનલ આસિસ્ટન્ટ (P.A) ને નોટીસ ફટકારવામાં  આવી છે.           રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ બદ્રીનાથ ધામમાં પણ આવા આરોપો થતા ભાવિકોની લાગણી દુભાઈ છે. ભૈરવ સેનાના પ્રમુખ સંદીપ ખત્રીએ મંદિર સમિતિના પ્રમુખ કાર્યકારી અધિકારી સોહન સિંહ રાગઢ ને પત્ર લખીને પ્રસાદમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગણી કરી છે.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.           ઈન્ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા ત્યારે આસપાસના રહેણાંક વિસ્તારના જાગૃત લોકોએ તેમને રંગે હાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્યા હતા.          પોલીસને આવતા વાર થાય એવું લાગતા ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બંને ચોરોને નખશિખ બ્રાઉન ટેપ માં લપેટી લીધા હતા. માત્ર બે આંખો,નાક અને  મોં જ ખુલ્લા રહે એ રીતે બાંધીને તેમને ખુરશીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.         સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની ૭૭ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.FSSAI ની ફૂડ સેફ એપ દ્વારા ફેર નિરીક્ષણમાં ૧૫૩ સંસ્થાઓમાં આરોગ્ય લક્ષી ખામીઓ મળી આવી છે.            સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. FSSAI ની ફૂડ સેફ એપ ધ્વારા ફેર નિરીક્ષણ દરમ્યાન પાલિકા દ્વારા ૮૦ કિલો જેટલા અખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય અને ફૂડ વિભાગે સંસ્થાઓમાંથી દૂધ અને દૂધની બનાવટના ૪૩, ખાદ્ય તેલ…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ નથી મળતા અને કમોસમી વરસાદ કે કુદરતી આફત સમયે સતત તેમનું શોષણ થાય છે. આ મુદ્દે અમે ભાજપ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ જ્યારે ખાનગી કંપનીઓ સાથે મળીને ખેડૂતોના ખેતરોમાં તેમની મંજૂરી કે યોગ્ય વળતર…

Read More

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતોની વિવિધ માંગણીઓના સમર્થનમાં અને હાલનો જે સૌથી સળગતો મુદ્દો છે, ખેતરોમાં વીજળીના થાંભલા (ટાવર) નાંખવાનો, તે મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા પ્રદેશના સૌ આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અને પક્ષના કાર્યકરો મોટી…

Read More

ભારતની મોટી કાર્યવાહી ભારતે લશ્કર-જૈશના ૨૩ આતંકીને જાહેર કર્યા ટેરરિસ્ટ કેન્દ્ર સરકારે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા UAPA હેઠળ ૨૩ આતંકીઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ૨૩ આતંકીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાવ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં આ તમામના નામ UAPA ની ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ તમામ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે અને તેમાંથી મોટાભાગના પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં છુપાયેલા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી…

Read More

TMC માં મોટી મહાભારત બળવાખોર નેતાઓએ પાર્ટી કાર્યાલય પર કબજાે કર્યો વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો તૃણમૂલ કોંગ્રેસ પર કંટ્રોલ કરવાને લઈ ચાલી રહેલી લડાઈ શુક્રવારે ત્યારે એક નવા પડાવ પર પહોંચી ગઈ, જ્યારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથે કોલકાતામાં પાર્ટીના હેડક્વાર્ટર પર કબજાે કરી લીધો. તેના એક દિવસ પહેલા જ તેમણે ચૂંટણી પંચ સામે પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો ઠોક્યો હતો. મેટ્રોપોલિટન વિસ્તારમાં આવેલું આ કાર્યાલય વર્ષ ૨૦૨૨માં પાર્ટીનું અસ્થાયી મુખ્યાલય રહ્યું છે. ઈએમ બાઈપાસ પર આવેલા પાર્ટીના જૂના કાર્યાલયમાં નવીનીકરણનું કામ થતું હોવાના કારણે…

Read More

આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની વેદના તથા સળગતી સમસ્યાઓ જાણી હતી. છેલ્લા સાત દિવસથી આંદોલન ચલાવી રહેલા સ્થાનિક ખેડૂતોની સહમતિ વગર અને એક પણ રૂપિયાનું વળતર આપ્યા વિના, તેમની કિંમતી જમીનોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ લાઇન પસાર કરવાના આક્ષેપ સાથે સમગ્ર ૧૦ ગામના ખેડૂતો ત્યાં એકઠા થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોની સાથે બ્રિજરાજ સોલંકી પણ ઉપવાસ પર બેઠા હતા અને નારો લગાવ્યો હતો કે, “ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાખવાનું બંધ કરો.” આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ કોઈનાથી પણ ડરવાની કે ગભરાવાની…

Read More

પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવ્યું ફિફા વર્લ્ડ કપ-ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને રચ્યો ઇતિહાસ પેનલ્ટી શૂટઆઉટમાં મહમૂદ સાબર, રામી રાબિયા અને ભૂતપૂર્વ લિવરપૂલ સ્ટાર મોહમ્મદ સલાહે ઇજિપ્ત માટે પ્રથમ ત્રણ ગોલ કર્યા ઇજિપ્તે વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પોતાની પહેલી જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો.તેમણે પેનલ્ટી શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવ્યું.બંને ટીમો રેગ્યુલેશન અને એક્સ્ટ્રા ટાઇમ દરમિયાન ૧-૧થી બરાબર રહી, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટ થયો.આ ઐતિહાસિક વિજય બાદ, ઇજિપ્ત હવે રાઉન્ડ ઓફ ૧૬માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો કરશે. તે વર્લ્ડ કપમાં ઇજિપ્તનો પહેલો નોકઆઉટ મેચ પણ હતો.ઇજિપ્તની ભૂલને કારણે ઇજિપ્તને મેચની ૧૩મી મિનિટે શાનદાર હેડરથી ૧-૦ની લીડ અપાવી.ત્યારબાદ ઓમર માર્મુશ પાસે બીજા હાફની…

Read More