- દાહોદના લગ્નમાં ફૂડ પોઈઝનિંગથી ૪૦૦+ લોકો બીમાર, આરોગ્ય વિભાગ તપાસમાં
- સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ સંદેશ: ડિગ્રી પૂરતી નથી, ભરતીમાં નિયમ મુજબનો અનુભવ પણ જરૂરી
- સોવિયેત-અફઘાન યુદ્ધથી લઈને ઈરાન સંકટ સુધી પાકિસ્તાનની બદલાતી ભૂમિકા અને સહાયની રાજનીતિ
- અરબી સમુદ્રમાં તણાવ વધ્યો: અમેરિકાએ ઈરાની જહાજ કબજે કર્યું, ડ્રોન-વાતચીતની ધમકીની વચ્ચે સંકટ
- યુએઈની ચેતવણી: ડોલર સંકટે યુઆનમાં તેલ વેપાર, અમેરિકાની નીતિ પર આરોપ
- મદ્રાસ હાઇકોર્ટની કટાક્ષ: શિક્ષણ હવે વ્યવસાય, ગરીબોને ન્યાય મુશ્કેલ
- ‘સતરંગા’ ટાઈટલ માટે યશરાજ-ટી સિરીઝ વચ્ચે સોદાની અડચણ, અહાન-અનીતની ફિલ્મ અટકી
- મિથિલા પાલકર અને કલ્યાણી પ્રિયદર્શન ક્યારેય મળ્યા નહીં છતાં ‘ભૂત બંગલા’ માટે ભલામણ
Author: Garvi Gujarat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુંબઈના દાદર પોલીસે આપેલી માહિતી મુજબ સિધ્ધવિનાયક મંદિરની કર્મચારી વીણા પાટીલને CCTV કેમેરાના ફૂટેજ તપાસતી વખતે દાનપેટીમાંથી ચોરી થતી હોવાનું જણાયું હતું. તેણે તાત્કાલિક તેના સિનિયર અધિકારીણે જાણ કરી હતી. ત્યાર બાદ ટ્રસ્ટના સભ્યોએ છેલ્લા આઠ થી ૧૦ દિવસના CCTV કેમેરાના ફૂટેજ તપસ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપી વારંવાર દાનપેટીઓમાંથી પૈસા ચોરી રહ્યો હતો. ત્યાર બાદ ટ્રસ્ટે દાદર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે દાદર પોલીસે શુક્રવારે આરોપીની ધરપકડ કરી હતી. આમ મુંબઈના પ્રખ્યાત સિધ્ધવિનાયક મંદિરમાં કર્મચારી ધ્વારા જ ચોરી કરવાનો બનાવ બન્યો છે. તાજેતરમાં જ દાનપેટીમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર ચોરી…
Lightweight face cream for summer —-Shahnaz Husain The skincare landscape has evolved significantly over the past decade, with consumers increasingly seeking formulations without the heaviness of traditional moisturisers, especially during the summer season, to keep their skin happy, hydrated and protected. Lightweight, water-based, or gel-based face creams are ideal for hot and humid weather as they hydrate without clogging pores, offer a non-greasy feel, and manage excessive sebum in high heat. Lightweight face creams represent this shift toward balanced, efficacious skincare that delivers results without compromising comfort or skin health. Lightweight face cream has become a staple for those who want hydrated, comfortable…
આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે દેહગામના ખેડુતો અને પશુપાલકો દ્વારા આજે સાંજે 8: 30 કલાકે દહેગામના કડજોદરા મુકામે એક જન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેહગામના ખેડુતો અને પશુપાલકોની એક જ માંગણી છે — “વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં”. તેમણે જણાવ્યું કે દહેગામના ખેડુતો અને પશુપાલકોની સંકલન સમિતિ દ્વારા આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડુતો અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આંદોલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ છે, અને તમામ લોકોને હાજરી આપવા માટે આવાહન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપણે એની પવિત્ર પ્રાણી તરીકે પૂજા કરી ધન્યતા અનુભવીએ છીએ. ગાયનું માત્ર દૂધ જ નહીં એનું છાણ પણ બહુ મૂલ્યવાન હોય છે. એતો પૂરો દેશ જાણે છે. પરંતુ રસ્તામાં પડેલા કચરામાંથી આચરકુચર ખાતી ગાયોના પેટમાં થતી પથરી પણ મોંઘેરી છે. જેમ માણસોના શરીરમાં પથરી પેદા થાય એવું જ ગાયોમાં પણ થાય છે. જોકે ગાયોને પથરી થઈ છે એનું ન તો નિદાન થાય છે કે ન એની કોઈ સારવાર. જો કે ગાય જ્યારે મરી જાય ત્યારે અથવા તો કતલખાનામાં લઈ જવાય ત્યારે તેના શરીરમાંથી પથરી નીકળે છે. મોટાભાગે કતલખાનાઓ પણ ગાયના…
અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા જાણ કરવામાં આવે છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત રાજ્યમાં ₹891 કરોડના ખર્ચે વિવિધ મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો શુભારંભ તેમજ ખેડબ્રહ્મા – હિંમતનગર રેલખંડનું રાષ્ટ્રને સમર્પણ સામેલ છે. આ જ ક્રમમાં, આજે તા. 28 માર્ચ, 2026ના રોજ ખેડબ્રહ્માથી વડાલી સુધીનું સફળતાપૂર્વક ₹10ના મૂલ્યની ટેસ્ટ ટિકિટ જારી કરીને પરિચાલનની પરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, જે આ નવી રેલ સેવાના શુભારંભની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પરીક્ષણ યાત્રીઓ માટે ટિકિટિંગ વ્યવસ્થા, પરિચાલન…
મુંદ્રા અને મેંગલોર પોર્ટ પર ગેસ ખાલી કરાશે સાઉદીથી ૪૮,૦૦૦ ટન LPG ભરેલું વિશાળ જહાજ મુંદ્રા પોર્ટ પહોંચશે દેશમાં રાંધણ ગેસની વધતી જતી માંગ વચ્ચે આટલો મોટો જથ્થો આવવાથી ગેસ વિતરણ વ્યવસ્થામાં ગતિ આવશે ભારતની ઉર્જા સુરક્ષા અને રાંધણ ગેસ (LPG) ના પુરવઠાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયાના યાનબો પોર્ટથી નીકળેલું વિશાળ ગેસ જહાજ ‘AL AIN’ રવિવારની વહેલી સવારે કચ્છના મુંદ્રા પોર્ટ પર લાંગરશે. આ જહાજ ભારત માટે હજારો ટન એલપીજીનો જથ્થો લઈને આવી રહ્યું છે, જેનાથી દેશમાં ગેસની સપ્લાય ચેઈન વધુ સુદ્રઢ બનશે. મળતી માહિતી મુજબ, ‘AL AIN’ જહાજ કુલ ૪૮,૦૦૦ મેટ્રિક…
હીરા કારીગરોને મળી મોટી રાહત નવસારીથી સુરત ડાયમંડ બુર્સ સુધી બસ સેવા શરુ કરાઇ રોજિંદા અપડાઉન કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો રત્ન કલાકારો અને વેપારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. નવસારી એસટી ડેપોથી સુરત ડાયમંડ બુર્સ સુધી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી રોજિંદા અપડાઉન કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે. સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થયા પછી નવસારી, વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી અનેક રત્ન કલાકારો રોજ કામ માટે સુરત જતા હતા. પરંતુ યોગ્ય અને સમયસર પરિવહન સુવિધાના અભાવે…
૬૦% વસતી ધરાવતા શિયા મુસ્લિમો નારાજ અરબ દેશ બહેરીનમાં સત્તા પરિવર્તનના ભણકારા! બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટનું મુખ્ય મથક આવેલું છે. આ એ જ મથક છે જેને શરૂઆતમાં ઈરાને નિશાન બનાવ્યું હતું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે ખાડી દેશોના આંતરિક માળખાને દઝાડી રહી છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષની સૌથી ગંભીર અસર અત્યારે બહેરીનમાં જાેવા મળી રહી છે. ભૌગોલિક રીતે નાના પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા આ દેશમાં આંતરિક વિખવાદ અને સત્તા સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. બહેરીનની સામાજિક સંરચના લાંબા સમયથી સંવેદનશીલ રહી છે. અહીં અંદાજે ૬૦% વસ્તી શિયા સમુદાયની છે, પરંતુ શાસન લઘુમતી ગણાતા…
લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કાર્યવાહી ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક : હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થા કરાઈ રહી છે ઈરાન યુદ્ધને કારણે વિશ્વના અનેક દેશો જાણે થંભી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વિશ્વમાં નવા પ્રકારના એનર્જિ લોકડાઉનનો ડર લાગી રહ્યો છે. આ વચ્ચે શું દેશમાં ફરી લોકડાઉન લાગશે તેવી ભીતિ સતાવી રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદમાં લોકડાઉન વિશે કહ્યું કે, સામાન્ય નાગરિકોએ અફવાથી ડરવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી…
પૂર્વ જજે કહ્યું કે, મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો ૨ વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં નોટ ફાઉન્ડ ગણાવી દીધું છે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં નોટ ફાઉન્ડ ગણાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે બે વાર પોતાના ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને ચૂંટણી પંચની ચકાસણી પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. પૂર્વ જજે કહ્યું કે, મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો. પૂર્વ જજ મુનશી અને તેમના પરિવારના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



