Author: Garvi Gujarat

ગુજરાતનો વધુ એક ખખડધજ બ્રિજ ૯ વર્ષમાં જ સુરતના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના પિલરમાં મોટી-ઉંડી તિરાડો, સળિયા દેખાયા નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી, અધિકારીઓ અને ઁસ્ઝ્રની કામગીરી પર સવાલો થયા.સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ૨૦૧૬માં ૫૫ કરોડના ખર્ચે બનેલા અને માત્ર ૯ વર્ષના ગાળામાં જ ૭ કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે, થોડા સમય અગાઉ જ…

Read More

ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (જીછૈં), સેક્ટર–૧૫ ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર અને નવસર્જન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી થઈ રહ્યું છે. દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભ આશરે ૪૫૦ કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં…

Read More

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (ફય્ઇઝ્ર) ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન. ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત, વૈશ્વિક ઉત્પાદનમાં ૮ ટકા હિસ્સો.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો ૨,૩૪૦.૬૨ કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ ૮૦ ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય…

Read More

સામે આવી મોટી જાણકારી.ગુજરાતમાં SIR પ્રક્રિયા વચ્ચે ૫૩ લાખ નામ કપાઈ જશે.ગુજરાતમાં મતદાર યાદીમાં SIR પ્રક્રિયા દરમિયાન સામે આવ્યું કે ૧૭ લાખથી વધુ મૃતકો હજુ મતદાર યાદીમાં નોંધાયેલા છ.ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેણ દરમિયાન સામે આવ્યું કે રાજ્યભરમાં વર્તમાન મતદાર યાદીમાં ૧૭ લાખથી વધુ મૃતક મતદાતા હજુ પણ સામેલ છે. આ વાત ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (CEO) ની ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં કહેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે ગુજરાતમાં જીૈંઇ ની આ એક્સરસાઇઝ ૪ નવેમ્બરે બુથ લેવલ ઓફિસર દ્વારા પોતાના નક્કી વિસ્તારમાં ગણતરી ફોર્મ વેચવાની સાથે શરૂ થઈ અને આ કાર્યવાહી ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં કહેવામાં…

Read More

ગુજરાત બોર્ડનો મોટો છબરડો.ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી.ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે ૪ માર્ચે વિવિધ વિષયોના પેપરો જાહેર રજાના દિવસે રાખવામાં આવતા ભારે નારાજગી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો ફરી એક છબરડો સામે આવ્યો છે. રંગોના તહેવાર ધુળેટીના દિવસે જ પરીક્ષાનું પેપર મુકાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. બોર્ડ દ્વારા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવવાનો ર્નિણય ચર્ચાનો વિષય બની ગયો છે. માહિતી મુજબ ૪ માર્ચે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવામાં આવશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પેપર પણ એ જ દિવસે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધૂળેટીના દિવસે…

Read More

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ.ગુજરાતમાં માથાદીઠ આવક પહેલી વાર રૂ.૩ લાખને પાર.સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૮.૨% નોંધાયો છે.દરેક ક્ષેત્રમાં સતત આગળ વધી રહેલા ગુજરાતે વધુ એક સિદ્ધિ મેળવી છે. ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર રૂ.૩ લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૮.૨% નોંધાયો છે, જેમાં ગુજરાતનું મજબૂત પ્રદર્શન રહ્યું છે. ગુજરાતના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે જ તેણે ભારતની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને એટલે જ…

Read More

ભાડુઆતને મોટી રાહત!.હવે વધારે સિક્યોરિટી ડિપોઝિટ નહીં લઈ શકે મકાન માલિક.સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં, સરકારે આ માટે નિયમો નક્કી કર્યા.દેશમાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાનું મકાન હોતું નથી. તેથી તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો ઘણા લોકો એવા છે, જેઓ કામ કે અન્ય કારણોસર બીજા શહેરમાં રહે છે. ત્યાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. પરંતુ ભાડે રહેનારાઓ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તેમના માટે હંમેશા મુશ્કેલીનું કારણ બનતી જાેવા મળે છે. આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મકાનમાલિક પોતાની મરજી મુજબ સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડું નક્કી કરી દે છે.…

Read More

પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવાયા,.મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે ૭ કરાર.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, “અમારો વેપાર રુબેલ્સ અને રૂપિયામાં થાય છે, અમે મેક ઇન ઇન્ડિયામાં સહયોગ કરીશું.રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ૭ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે રશિયાના પ્રવાસીઓને ભારત મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે જે ૩૦ દિવસ માટે માન્ય ગણાશે. બંને…

Read More

બાઈક પર આવેલા શખ્સો આંખમાં મરચું નાખી રોકડ રકમ લૂંટી ભાગી ગયા પ્રાંતિજના દલપુર પાસે ફાયનાન્સ પેઢીના એજન્ટ પાસેથી ૮ લાખની લૂંટ સમગ્ર ઘટના બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પ્રાંતિજથી બુધવારે રાત્રે ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ ઉઘરાણી લઈને બાઈક પર હિંમતનગર તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન દલપુર નજીક બે અજાણ્યા બાઇકસવારોએ ફાઇનાન્સ પેઢીના એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી માર મારી તેની પાસેથી અંદાજે રૂ. ૮ લાખથી વધુની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. પોલીસની ટીમને જાણ થતાં પ્રાંતિજ પોલીસ તથા એફએસએલની…

Read More

૧૮ ટકા જીએસટી વસૂલવામાં આવે તો તેનો બોજ વિદ્યાર્થીઓ પર પડે છે.રહેણાંક મકાન હોસ્ટેલ તરીકે ભાડે આપવા પર કોઈ જીએસટી લાગુ ન પડે: સુપ્રીમ કોટ.બેંગલુરુમાં ૪૨ રૂમ ધરાવતી રહેણાંક મિલકતના સહ-માલિકે દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી હતી.સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટેની હોસ્ટેલ તરીકે રહેણાંક મિલકતને ભાડે આપવામાં આવે તો આ ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાગુ પડે નહીં. જાે રહેણાંક મિલકતના માલિક અને ભાડે લેનારાના ટ્રાન્ઝેક્શન પર ૧૮ ટકા GST વસૂલવામાં આવે છે, તો તેનો બોજ આખરે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સ પર પડે છે.ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બનેલી ખંડપીઠે…

Read More