- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના લોકોએ બે લોકોને દિલ્હી મોકલ્યા અને લોકોને હતું કે આ 2 લોકો આપણા ગુજરાતનું અને ગુજરાતના લોકોનું ભલું કરશે, પરંતુ એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ લોકો સાથે અન્યાય કરવાનું કામ કર્યું. એવા લોકોએ જ પોતાના પાવરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું અને ચૈતરભાઈને ખોટી રીતે સજા કરાવીને તેમની સાથે સાથે તેમના પત્ની અને બીજા લોકોને પણ જેલમાં મોકલવામાં આવ્યા. અને આજે સારા સમાચાર એવા આવ્યા છે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ દિલ્હી જંતર-મંતર ખાતેથી એક મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોના ફોન તેમજ મેસેજ આવી રહ્યા છે જેઓ દિલ્હી આંદોલનમાં જોડાવા ઈચ્છે છે પરંતુ અનિવાર્ય કારણોસર આવી શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમણે ગુજરાતના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને ખુલ્લું આહ્વાન કર્યું છે કે આવતી ૨૫મી તારીખે સવારે ૧૦:૦૦ કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ‘ગુજરાત કોક્રોચ આંદોલન’ની શરૂઆત કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન ગુજરાતના અનેક ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ અનશન પર પણ બેસશે. ’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે સમય આવી ગયો છે…
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાનાશાહી અને લોકશાહીના તફાવતને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી સ્થાપવા માટે આપણા પૂર્વજો અને સ્વતંત્રતા સેનાનીઓએ વર્ષો સુધી લડાઈ લડી છે. લોકશાહીનો મૂળ આત્મા એ છે કે દેશનો સામાન્ય નાગરિક પોતાની સરકારને પ્રશ્ન પૂછી શકે. પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે તાનાશાહી વલણ અપનાવી રહી છે. આજે દેશમાં NEET સહિત અનેક ભરતી પરીક્ષાઓના પેપરો સતત લીક થઈ રહ્યા છે. યુવાનોનો ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે કે આટલા બધા પેપર લીક થાય છે તો તેનો આખરે જવાબદાર કોણ? બાળક દસમા ધોરણથી લઈને મેડિકલમાં એડમિશન મેળવવા સુધી રાત-દિવસ ઉજાગરા કરે છે અને તેનો આખો પરિવાર મહેનત કરે…
જામનગર જિલ્લામાં ચોમાસાનો વરસાદ મોડો અને ઓછો થવાના કારણે ખેડૂતો અને માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કટોકટીભરી પરિસ્થિતિમાં ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં લાલપુર ખાતે વિશાળ જનઆક્રોશ રેલી અને એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકા પંચાયત ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ખેડૂતો રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી પ્રતિક ભૂખ હડતાલ યોજીને માનનીય મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, સરપંચો, આગેવાનો અને ગામડે-ગામડેથી વિશાળ સંખ્યામાં ખેડૂતો…
તાજેતરમાં ગાંધીધામ મહાનગરપાલીકા દ્વારા અખબારોમાં જાહેરખબર આપી આજીવન વ્હીકલ ટેક્સ (વાહન વેરો) ઉઘરાવવા માટેના વાંધાઓ મંગાવવામાં આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે ટેક્સ સુવિધાઓ ઉપર હોય છે જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા પ્રજાને સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે અને ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંતરિક રોડ બિસ્માર હાલતમાં છે. ત્યારે આ વાહન વેરો ઉઘરાવવો એ ઉઘાડી લૂંટ છે જેનો અમે વિરોધ કરીએ છીએ. તેમણે આ અંગે ગાંધીધામ મ્યુનિસિપલ કમીશ્નરને આવેદનપત્ર સાથે ઉગ્ર આંદોલન અને ચક્કાજામની ચીમકી આપીને કહ્યું હતું કે જો સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વગર વાહન વેરો લાગુ કરવામાં આવશે તો આમ જનતાને…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમે નર્મદા જિલ્લાના તમામ ગામેગામ જઈને એક એક ઘરે જઈ રહ્યા છીએ અને લોકોના હસ્તાક્ષર કરાવી રહ્યા છીએ. અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા માટે હસ્તાક્ષર કરીને જનસમર્થન આપ્યું છે. ધારાસભ્ય ચૈતરભાઈ નિર્દોષ છે અને તેમને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેથી તારીખ 24 જુલાઈ શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલીના…
જંતર-મંતર વિવાદ મામલે રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર ‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’ વિપક્ષ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવી રહ્યા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ : રાજનાથ સિંહ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન અને રસ્તાઓ પર થઈ રહેલા વિદ્યાર્થી આંદોલનોને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવીને ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણ તથા તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રાજનાથ સિંહે…
જંતર મંતર પર ડ્યુટી કરતા જવાનોને આદેશ સાદા કપડાં નહીં ચાલે, ફરજિયાત યુનિફોર્મ પહેરો દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન સાદા કપડાંમાં પોલીસ દ્વારા લાઠીચાર્જના વીડિયો વાઈરલ થયા હતા દિલ્હીમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન વખતે અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાદા કપડાં પહેરીને કાર્યવાહી કરી હતી. આ અંગે જાેરદાર વિરોધ બાદ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર દ્વારા આદેશ કરાયો છે કે, જંતર મંતર પર ડ્યુટી દરમિયાન યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. કાયદો અને વ્યવસ્થા જાળવતી વખતે પોલીસની ઓળખ સુનિશ્ચિત થઈ શકે તેમજ કોઈ પણ પ્રકારની ગેરકાયદે અને શંકાસ્પદ કાર્યવાહી પર રોક લગાવવા યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. નોંધનીય છે કે, જંતર મંતર…
સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી વાંગચુકે પોતાના પત્રમાં કહ્યુ કે સરકાર તે ભરોસો અપાવશે કે છાત્રો પર કાર્યવાહી થશે નહીં : આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતરની માગ પણ કરી હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે સરકારને પત્ર લખ્યો છે. સોનમ વાંગચુકે અનશન ખતમ કરવા માટે પોતાની માગ રાખી છે. તેમણે કહ્યું કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર મળે. સંસદમાં ચર્ચા થાય અને શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં આવે. પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગત રાત્રે હોસ્પિટલમાં મુલાકાત કરી. તે માટે તેમણે બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.…
સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ વિદ્યાર્થી સરેરાશ નવ લાખનો ખર્ચ કરે છે દેશમાં ૧૫૦થી વધુ પેપર લીક: ૭.૫ કરોડ વિદ્યાર્થી અને તેના પરિવારોને સીધી અસર ગુજરાત સહિત દેશભરમાં પેપર લીક સંકટ રાષ્ટ્રીય મહામારી બની ગઈ છે: કોંગ્રેસનો આક્ષેપ આજે દેશમાં પેપર લીક એક મહામારી બની ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યાે છે. NEET, JEE, SSB, UPSCઅ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થી દીઠ આશરે નવ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. દેશમાં ૯ કરોડ યુવાનો વિવિધ પરીક્ષાઓની તૈયારી કરે છે. જેના કારણે પરિવાર પર આર્થિક બોજ, પરિવારનું દબાણ અને આટલું ઓછું હોય તેમ ભ્રષ્ટનીતિને કારણે લાખો યુવાનો વય મર્યાદા વટાવી જતા હોવાથી તકથી વંચિત રહી જાય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



