- ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ નથી: ૩૦૦ શ્રદ્ધાળુઓની મંજૂરી મામલે પટણા હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટકોર
- કંગના પર બાબા રામદેવનો પલટવાર: “તુચ્છ લોકો પર કમેન્ટ નથી કરવી”, Gen-Z વિવાદે લીધો ઉગ્ર વળાંક
- તહેવારોમાં ખાંડ બની કડવી: ભાવવધારા પાછળ ઇથેનોલ, અછત કે જમાખોરી?
- લોકશાહી સામે મોટો સવાલ: જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?
- NCPના IT સેલ પ્રદેશ પ્રમુખ હાર્દિક પરીખ AAPમાં જોડાયા, ઘાટલોડિયામાં સંગઠનને નવી મજબૂતી
- દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ: દારૂકાવનથી શિવપ્રગટ્તિ અને ધર્મવિજયની પૌરાણિક ગાથા
- અમેરિકાના 50% ટેરિફથી કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી વળતી કાર્યવાહીની જાહેરાત
- ગૌતમ ગંભીરનો ટ્રોલર્સને જવાબ: “મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઇક્સ-વ્યૂ મેળવવાનું નહીં”
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પોલ ખોલતા જણાવ્યું હતું કે, ઓલિમ્પિક્સ તો જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ એ પહેલાં જે લોકોને સ્વિમિંગ શીખવું હોય કે તરવાની સ્પર્ધામાં ભાગ લેવો હોય, તેમના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર ‘સ્વિમિંગ પૂલ’ની તૈયારી કરી દેવામાં આવી છે! એવું મારું નહીં, પણ અમદાવાદના લોકોનું કહેવું છે. બોપલ જેવા પોશ વિસ્તારમાં, જ્યાં પહેલા ક્યારેય આટલું પાણી નહોતું ભરાતું, ત્યાં એક જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આટ-આટલો ટેક્સ ચૂકવ્યા પછી પણ કોર્પોરેશન પ્રજાને શું આપી રહ્યું છે? પ્રી-મોન્સૂન કામગીરીઓ, સમીક્ષા બેઠકો અને કરોડના બજેટો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ઉત્તરપ્રદેશના ગોંડામાં એક કરૂણ ઘટના સામે આવી છે. પોતાની સાસુના અંતિમ સંસ્કાર કરાવવા માટે નદી કાંઠે ગયેલા જમાઈને મગર તાણી જતા હાહાકાર સર્જાયો હતો. ગ્રેટર નોએડામાં રહેતો ૩૦ વર્ષનો દીપક તેની સાસુ ઉર્મિલા દેવીના અંતિમ સંસ્કાર માટે ગોંડા ગામ ગયો હતો. અગ્નિસંસ્કાર ઘાઘરા નદીના કાંઠે થઈ રહ્યા હતા. અગ્નિસંસ્કાર કરવા માટે દીપકે પહેલા ખાડો ખોધ્યો હતો અને પછી માટીવાળા હાથ ધોવા માટે ઘાઘરા નદીના પાણીમાં ગયો હતો. જો કે જેવો તેણે હાથ પાણીમાં નાંખ્યો કે અંદર ટાંપીને બેઠેલા મગરે સીધું દીપકનું માથું જ પોતાના જડબામાં દબાવીને તેને ઝડપથી ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો. કિનારે ઉભેલા લોકો…
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. આજના ભારતનો સૌથી મોટો પડકાર માત્ર બેરોજગારી જ નથી. વિશ્વાસનો અભાવ પણ એટલો જ ગંભીર છે. પરીક્ષાઓમાં પેપરલીક, ભરતી પ્રક્રિયામાં વિલંભ, સરકારી નોકરીઓમાં અનિશ્ચિતતા અને ખાનગી ક્ષેત્રમાં મર્યાદિત તકોના કારણે લાખો યુવાનો ભવિષ્ય અંગે અસુરક્ષિતતા અનુભવે છે. આવા સમયે સરકારનું પ્રથમ કર્તવ્ય વિશ્વાસ જગાવવાનું હોવું જોઈએ, ભય પેદા કરવાનું નહીં. સોનમ વાંગચુક જેવા સામાજિક કાર્યકરો હોય કે વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેમની દરેક માંગણી સાથે સહમત થવું સરકાર માટે જરૂરી નથી. પરંતુ તેમની વાત સાંભળવી અને સંવાદ ધ્વારા ઉકેલ શોધવો લોકશાહીનું મૂળ તત્વ છે. અસહમતિને દેશદ્રોહ અથવા અસ્થિરતા સાથે જોડવાની વૃત્તિ લાંબા ગાળે લોકશાહીને નબળી…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ જે દોઢ લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, AAP નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા સહિત AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ સાબિતી આપી હતી કે તેઓ હર હંમેશ…
આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના Gen-Z યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જે રીતે દેશમાં NEETની પરીક્ષાનું પેપર લીક થયું અને ત્યારબાદ સમગ્ર દેશના યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો, તેમણે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપ્રિય રીતે આંદોલનની શરૂઆત કરીને દેશ સમક્ષ એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં ૫-૭ વર્ષોમાં અસંખ્ય પેપરો લીક થયાં છે. આ મુદ્દે ઘણા ગુજરાતીઓ દિલ્હી આંદોલનમાં સહભાગી બન્યા હતા, પરંતુ લાંબા અંતર કે અન્ય કારણોસર ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જઈ શક્યા નહોતા. તેથી, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની આસ્થા અને તેમના જુસ્સાને માન આપીને, આવતીકાલે એટલે…
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ ખુલાસો કરણ કુન્દ્રા પર કો-સ્ટાર સાનવી તલવારના ગંભીર આક્ષેપો સેટ પર બળજબરીપૂર્વક કિસ કરી અને પછી જાેરદાર થપ્પડ મારી જમીન પર પાડી દીધી : સાનવી તલવાર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. સીરીયલ ‘યે કહાં આ ગયે હમ‘ની અભિનેત્રી સાનવી તલવારે એક ઇન્ટરવ્યુમાં તેના ભૂતકાળના સૌથી મોટા વિવાદ અંગે વાત કરતા કો-સ્ટાર કરણ કુન્દ્રા પર ગંભીર અને સનસનાટીપૂર્ણ આક્ષેપો લગાવ્યા છે. સાનવીએ દાવો કર્યાે છે કે શૂટિંગ દરમિયાન કરણ કુન્દ્રાએ તેને બળજબરીપૂર્વક કિસ કરી હતી અને ત્યારબાદ સેટ પર બધાની સામે જાેરદાર થપ્પડ મારીને ગાળો આપી હતી.આ આઘાતજનક…
૨૫ વર્ષની સંઘર્ષપૂર્ણ અભિનયયાત્રાના લેખાજાેખાં રજૂ કર્યા હતા પ્રપંચ કરીને મેળવેલી લોકપ્રિયતાનો શી કામની? : અભિનેતા રણદીપ હુડા ઇન્સ્પેક્ટર અવિનાશ’ની સીઝન-૨માં જાેવા મળેલો આ વર્સેટાઈલ એક્ટર કોરી કલ્પનાની દુનિયામાં નથી ‘મેં વરસો સુધી ઘોડેસવારી કરી છે. કુદરતના ખોળામાં અદ્ભુત સમય વીતાવ્યો છે. હું ઘણો મોડો પરણ્યો અને હવે તો એક દીકરીનો ડેડી પણ છું. ઈન શોર્ટ, મેં અનુભવો અને જ્ઞાાનથી સમૃદ્ધ જીવન માણ્યું છે.’રણદીપ હુડા એક અલગારી જીવ છે. એક્ટર તરીકે તે બોલિવુડમાં ભૂલો પડયો હોય તેવું લાગે, કારણ કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટિપિકલ લાક્ષણિકતાઓથી કાયમ દૂર રહ્યો છે. તે ઇન્ડસ્ટ્રીના કોઈ કેમ્પનો સભ્ય નથી, ભાગ્યે જ ફિલ્મી પાર્ટીમાં હાજરી…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપતા જણાવ્યુ હતુ કે ગઈકાલે રાત્રે બાર વાગ્યે પ્રધાનમંત્રીજીએ એક વીડિયો જાહેર કરીને સમગ્ર દેશને કહ્યું કે પેપર લીક કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા સોમવારે સંસદમાં કાયદો લાવવામાં આવશે. પ્રધાનમંત્રીજીની આ ખાતરી કેટલી પોલાણવાળી અને કેટલી જૂઠી છે, તે ગઈકાલે જ સાબિત થઈ ગયું. ૨૦૨૪માં નીટ (NEET)નું પેપર લીક થયું હતું, તે સમયે તેમણે કહ્યું હતું કે સંજીવ મુખિયા નામનો વ્યક્તિ આનો માસ્ટરમાઇન્ડ છે. સરકારે પોતે ભારે તામઝામ સાથે તેની ધરપકડ કરી હતી. પરંતુ અટકાયતના ત્રણ મહિનાની અંદર જ સરકારે તેને જામીન અપાવી દીધા અને તે જેલમાંથી બહાર…
૭મી ઓગસ્ટે રજૂ થવા વિશે આશંકા ઉજ્જવલ નિકમની બાયોપિક પ્રહારમાં વિલંબના અણસાર મેડ્ડોક ફિલ્મ્સની આવી જ બહુચર્ચિત ફિલ્મ ‘ઇઠા’ની રજૂઆત પણ મુલતવી રાખવામાં આવી હતી બોલિવુડમાં શાસકોની તરફેણમાં ફિલ્મ બનાવી નાણાં રળી લેવાની ફેશન ચાલી છે તેમાં અચાનક સંજાેગો બદલાવાને કારણે ઓટ આવી ગઇ છે. તેમાં રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર’ પણ હવે સાત ઓગસ્ટે રજૂ થવાની સંભાવના નથી. આ ફિલ્મમાં રાજકુમાર રાવે સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે.ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેમની ફિલ્મોના પ્રમોશનમાં કોઇ કચાશ રાખતાં નથી પણ ‘પ્રહાર’ રજૂ થવા આડે પખવાડિયું પણ રહ્યું નથી ત્યારે પ્રમોશનલ એક્ટિવીટીના કોઇ અણસાર જણાતો નથી. જેના કારણે એ દેખીતી વાત…
રાજ કુમાર રાવે કોમેન્ટ ડિલીટ મારી દીધી મોદી હૈ તો મુમકિન ગીત દબાણ હેઠળ કર્યું હતું : રાજકુમાર રાવ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે હાલનાં વિદ્યાર્થી આંદોલનને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂકી હતી રાજુકુમાર રાવ ભૂતકાળમાં પોતે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ સોંગ દબાણમાં આવીને કર્યું હોવાનો સ્વીકાર કરતાં ભારે વિવાદ થયો છે. જાેકે, બાદમાં રાજકુમારે પોતાની આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે હાલનાં વિદ્યાર્થી આંદોલનને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂકી હતી. તેના જવાબમાં એક ચાહકે તેને અગાઉ મોદી હૈ તો મુમકિન હૈ સોંગ શા માટે કર્યું હતું તેવો સવાલ પૂછયો હતો. આ ગીત પછી તારા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



