Author: Garvi Gujarat

ફેસબુક પર પોસ્ટ કરીને કરી જાહેરાત.ગુજરાતી સિંગર કિંજલ દવેએ કરી લીધી સગાઈ.એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલે કરી સગાઈ : યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા હાજરજાણીતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ જાણીતા બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ત્યારે કિંજલની સગાઈના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ જાેવા મળ્યો છે. કિંજલ દવેએ ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ અંગેની જાહેરાત કરી છે. લાંબા સમયના ડેટિંગ બાદ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ૫ ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને ૬ ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો. જેમાં…

Read More

ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી.આપણા દરેક સમુદાયની આ જ સમસ્યા છે કે આપણે નથી સમજતા કે અહીં ફક્ત એક જ પ્રજાતિ છે, જેને હોમો સેપિયન્સ કહે છે.કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમિયાન ભારતીય સમાજ અંગે ખૂબ જ આકરી અને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ભારતીય સમાજ દુનિયાના સૌથી વધુ જાતિવાદી(ટ્ઠિષ્ઠૈજં) અને રંગભેદ કરનારા સમાજાેમાંથી એક છે. હાઈકોર્ટના જસ્ટિસ અરુણે શુક્રવારે એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસની સુનાવણી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ અરુણે કહ્યું કે, આપણે ભારતીયો ભલે ઘણીવાર અન્ય દેશો પર જાતિવાદ અને રંગભેદનો આરોપ લગાવીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે પોતે જ સૌથી…

Read More

આજે કમાઈ રહ્યા છે લાખો.પરંપરાગત ખેતી છોડીને ખેડૂત શાકભાજીના પાક તરફ વળ્યા.બારાબંકીમાં શિમલા મરચાની ખેતી ખેડૂતો માટે ઓછા રોકાણમાં વધુ કમાણીની સુવર્ણ તક બની ગઈ છે.આપણા દેશમાં કેટલીક એવી શાકભાજી છે, જેની માંગ આખું વર્ષ રહે છે અને તેથી ખેડૂતોને સારો નફો મળે છે. શિમલા મરચું એવી જ એક શાકભાજી છે, જેની બજારમાં હંમેશા સારી માંગ રહે છે. શિમલા મરચું માત્ર શાકભાજી તરીકે જ નહીં, પણ અનેક પ્રકારના વાનગીઓમાં પણ વપરાય છે. તેના સ્વાદ અને પોષક તત્વોને કારણે આ શાકભાજી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. શિમલા મરચામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને…

Read More

ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર?.આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના ઉદ્દેશ્યથી ભારતની લેશે.ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલ પર હવે જલ્દી વાતચીત સફળ થવાની આશા વધી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ હવે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી ભારતની મુલાકાત લેવાની છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર કરારને લઈને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીત થવાની અને અંતિમ ર્નિણય લેવાઈ શકે તેવી પ્રબળ સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત-અમેરિકા…

Read More

ગૌતમ ગંભીરના જવાબે બધાને ચોંકાવ્યા.આપણે હાલ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ ગંભીરને પૂછ્યું કે શું કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે.ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. આ ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ODI સિરીઝમાં ભારતની જીત પછી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ ગંભીરને પૂછ્યું કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે. ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “સૌ પ્રથમ, તમારે સમજવું પડશે કે ૨૦૨૭ ODI વર્લ્ડ…

Read More

કંગના રણૌત, મહુઆ મોઈત્રાનો વીડિયો વાઇરલ.ભાજપ-વિપક્ષના સાંસદોએ એક મંચ ઉપર કર્યો ડાન્સ.મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી.રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ(TMC)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને NCP(શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જાેવા મળ્યા છે, જેનો વીડિયો જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી.…

Read More

ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ અપાઈ હતી નોટિસ.નોર્થ ગોવાના અરપોરામાં લોકપ્રિય નાઈટ ક્લબ મ્ૈષ્ઠિર હ્વઅ ઇર્દ્ર્બી ન્ટ્ઠહીમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ૨૫ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર ટુરિસ્ટ તથા સ્ટાફના ૧૪ લોકોનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ બાદ ગોવામાં ચાલતા નાઈટ ક્લબોની સુરક્ષાને લઈને ફરી સવાલ ઊભા થાય છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ ક્લબ ગેરકાયદે હતું એન ક્લબ એન્ટ્રી, એક્ઝિટ ગેટ ખૂબ જ સાંકળા હતા. મૃતકોમાં કેટલાકના મોત ધુમાડાથી ગૂંગળામણના કારણે થયું છે. અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, કે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળથી ૪૦૦ મીટર દૂર ઊભી રાખવી પડી હતી. જેના કારણે બચાવ કાર્યમાં…

Read More

આવું કરનારો ચોથો ભારતીય બન્યો.રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પૂરા કર્યા.અગાઉ તેંડુલકર, કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન પૂર્ણ કર્યા છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર ચોથા ભારતીય ખેલાડી બન્યો. અગાઉ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં ૩૪,૩૫૭ રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭,૯૧૦ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ ૨૪,૨૦૮ રન…

Read More

ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ મચી.હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક સ્કેમ સામે આવ્યું છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા ૩૫ જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી ૪૨ લાખ મંજુર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતાં સૌ કોઈ ચોકી ગયા છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે. આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો…

Read More

આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલી સિરપોના વેચાણનું નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતું એક મોટું રેકેટ ઝડપાયું છે. જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (છર્જીંય્) ટીમે બાતમીના આધારે હિંમતનગરના બસ સ્ટેશન સામે આવેલા મોચી વાંસ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. છર્જીંય્ એ આ દરોડામાં કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડીને ૧૭૬ નશીલી કફ સિરપની બોટલો કબજે કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ૧૮ વર્ષીય કરણ પરમાર અને ૪૦ વર્ષીય નિલેશ પ્રજાપતિનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દર્શન પરમાર નામનો ઈસમ નિલેશ પ્રજાપતિને આ સિરપનો જથ્થો પૂરો પાડતો હતો. પાસેથી ૧૪૮ નંગ લેબલવાળી નશીલી દવાઓ મળી હતી, જેમાં…

Read More